Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાની સાસુ-સસરા સામે ત્રાસ આપ્યાની ફરિયાદમાં અદાલતમાં મુક્તિ

પરિણીતાએ પીધી હતી ઝેરી દવાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના એક પરિણીતાએ સાસુ-સસરાના ત્રાસથી ઝેરી દવા પીધાના બનાવમાં અદાલતે સાસુ-સસરાનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના રાજપાર્ક નજીકના રમણ પાર્કમાં રહેતા તેજલબેનના લગ્ન કમલેશ રાજુભાઈ રાઠોડ સાથે થયા પછી તેજલબેને ઝેરી દવા પી લીધી હતી. પોલીસે તેઓનું નિવેદન નોંધતા સાસુ હંસાબેન, સસરા રાજેશ નાયાભાઈ રાઠોડ દ્વારા ત્રાસ અપાતો હોવાની વિગતો બહાર આવી હતી.

પોલીસે સાસુ-સસરા સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ રમેશ એન. પારઘીની દલીલો ગ્રાહ્ય રાખી સાસુ-સસરાનો છૂટકારો ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh