Advertisement
Author: નોબત સમાચાર

જાહેરમાં પરવાનગી વગર જ ફટાકડાનું વેચાણ કરતા આસામીઓ સામે કાર્યવાહી

પરવાનગી કે તકેદારીના સાધનો રાખ્યા ન હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરમાં તંત્ર પાસેથી પરવાનગી મેળવ્યા વગર જ કે આગ લાગે તો રાખવાની થતી તકેદારી માટેના સાધનો રાખ્યા વગર ફટાકડાનું વેચાણ કરતા આસામીઓ સામે પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો હતો.

જામનગરમાં ઠેર ઠેર ફટાકડા વેચવામાં આવી રહ્યા છે. જેમાંથી કેટલાક આસામીઓ પરવાનો મેળવ્યા વગર જ ફટાકડાનું વેચાણ કરતા હોવાથી આવા આસામીઓ સામે પોલીસ દ્વારા ચકાસણી પછી જાહેર નામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગરના સુમેર કલબ રોડ પર આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૧૭ સામે આવી જ રીતે ફાયરબ્રિગેડ પાસેથી એનઓસી મેળવ્યા વગર જ અને અગ્નિશમનની પૂરતી સુવિધા રાખ્યા વગર જાહેરમાં માંડવો મૂકી તેમાં ફટાકડાનું વેચાણ કરતા અલ્કેશ શાંતિલાલ ગંઢા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. જ્યારે ગુલાબનગર રોડ પર રાજપાર્ક નજીક પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા વિજય હેમતભાઈ દેવીપૂજક, વિજય વલ્લભભાઈ મકવાણા તેમજ પવનચક્કી રોડ પર હરીભાઈની હોટલ નજીક ફટાકડા વેચતા કિશન કેશુભાઈ ચુડાસમા, મહેશ નરશીભાઈ ઠાકેરા, અક્ષય વિજયભાઈ નંદા, રોઝી પેટ્રોલપંપ પાસેથી રાજેશ નારણભાઈ ઠાકેરા, દીપક પરસોત્તમ સદારંગાણી, ન્યુ સ્કૂલ પાસેથી મોહિત સુભાષભાઈ નંદા નામના આસામીઓ પણ પરવાના વગર જ ફટાકડાનું વેચાણ કરતા મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh