Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ક્રેડીટ સોસાયટીના સભાસદને ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરની ક્રેડીટ સોસાયટીમાંથી લોન મેળવીને તેના બદલામાં આપવામાં આવેલો ચેક પરત ફરતા નોંધાયેલી ફરિયાદમાં આરોપીને એક વર્ષની સજાનો અદાલતે આદેશ કર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના સભાસદ મનોજ પરસોત્તમભાઈ વોરાએ સોસાયટીમાંથી લોન મેળવી હતી અને તેની પરત ચૂકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. જે ચેક પરત ફરતા સોસાયટી દ્વારા નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ અન્વયે સભાસદ સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. આ અંગેનો કેસ ચાલી જતા તમામ દલીલો સાંભળ્યા પછી આરોપી મનોજ વોરાને તક્સીરવાન ઠરાવીને એક વરસની જેલસજા તેમજ રૂ.૨,૯૬,૩૩૭ના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh