Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતદેહને પીએમ માટે ખસેડતી પોલીસઃ
જામનગર તા. ૨૫: જામનગરના ગોરધનપર પાસે આવેલા લહેર તળાવમાં ગઈકાલે એક યુવાન કોઈ રીતે પડી ગયા પછી દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આ યુવાનને બહાર કાઢ્યા છે. મૃતકનું પોલીસ સમક્ષ નામ ખૂલ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ગોરધનપર ગામ નજીકના લહેર તળાવમાં ગઈકાલે સાંજે એક યુવાન ડૂબતા જોવા મળતા કોઈએ પોલીસને તેમજ ફાયરબ્રિગેડને જાણ કરતા બંને ટીમ ધસી ગઈ હતી. તળાવમાં ભૂસકો મારી ફાયરની ટીમે આ યુવાનને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. જેમાં સફળતા મળી હતી. બહાર કાઢી લેવાયેલા આ યુવાનને ચકાસાતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. આ યુવાનનું નામ નાગજીભાઈ હમીરભાઈ નંદાણીયા (ઉ.વ.રર) હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરબ્રિગેડની ટીમે મૃતદેહ પોલીસને સોંપી આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial