Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં લોહાણા સમાજની વિશાળ, અદ્યતન સુવિધાસજ્જ નવી મહાજનવાડીનું થશે નિર્માણ
જામનગર તા. ૩૦: જામનગર લોહાણા મહાજન દ્વારા લોહાણા સમાજની વિશાળ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મહાજન વાડીનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ નવી વાડીના નિર્માણ કાર્ય માટે જલારામ જયંતીના પાવન પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તરફથી રૂા. ૧,૧૧,૧૧,૧૧૧ (રૂા. એક કરોડ, અગિયાર લાખ, અગિયાર હજાર એકસો અગિયાર પૂરા) તેમજ હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ), મંજુલાબેન હરિદાસ લાલ તેમજ જીતુભાઈ લાલના હસ્તે પરિવાર તરફથી રૂા. ૧,૧૧,૧૧,૧૧૧ (રૂપિયા એક કરોડ, અગિયાર લાખ, અગિયાર હજાર, એકસો અગિયાર પૂરા)નો ચેક લોહાણા સમાજને અર્પણ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં હાપા માર્કેટીંગ યાર્ડ પાસે અંદાજે ૮૦ હજાર ચોરસ ફૂટની વિશાળ જગ્યામાં તમામ જરૂરી સાધન-સુવિધાઓ સાથેના અદ્યતન નવી વાડીના 'સમાજ ભવન'નું નિર્માણ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial