Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાના બે વિસ્તારમાં રૂ. એક કરોડના ખર્ચે સોલાર રૂફ સીસ્ટમને સરકારની મંજુરી

રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે પ્રાર્થના હોલ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૭:  ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા તેમની ટીમ, પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર તથા ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા રાજ્ય સરકારે શહેરમાં પાલિકા સંચાલિત એકમોમાં સોલાર રૂફ ટોપ નાખવા અંગેની દરખાસ્ત મુકાતા તેમાં બે દરખાસ્ત એક કરોડ રૂપિયાની મંજુર થઈ છે. જેમાં ૪૦-૪૦ કેવી.ના સોલાર સ્મશાનમાં જ્યાં ઈલેકટ્રીક સ્મશાન છે ત્યાં નાખવામાં આવશે જેથી સોલાર પેનલમાં જ વીજળીથી અંતિમ વિધિ થઈ શકે. જેનાથી વીજળીની બચત સાથે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ થાય.

ખંભાળીયા શહેરમાં પ્રાર્થનાસભા, બેસણાં તથા ઉઠમણાં માટે લોકોને જલારામ મંદિર તથા શરણેશ્વર મંદિર વિગેરેનો ઉપયોગ કરવો પડે છે પરંતુ આ જગ્યા નાની પડતી હોય, અગાઉ સ્મશાન પાસેની જગ્યામાં પ્રાર્થનાહોલ મંજુર થયેલ, પણ વિવાદ થતાં તાત્કાલીન અગ્રણી સ્વ. નટુભાઈ ગણાત્રા દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તે પછી હાલ સ્મશાનની સામે ખામનાથ રોડ પાસે આવેલા સંતોષી માતાજીના મંદિર પાસે રૂ. ૧.૪૦ કરોડના ખર્ચે પ્રાર્થનાહોલ મંજુર થયેલ, જેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી ખંભાળીયા શહેરની જનતાને થોડા સમયમાં વિશાળ સગવડ સાથેનો પ્રાર્થનાહોલ પ્રાપ્ત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh