Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ગરબી મંડળોમાં ગરબી રમતી બાળાઓ તથા બટુકોને સમૂહ પ્રસાદ

શ્રી હર્ષિદા માતાજી ચેરી.ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: છોટીકાશી જામનગરના શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી 'હર્ષિદા ગરબા મંડળ દ્વારા તા.૧૫-૧૦-૧૯૭૫ માં માત્ર અગિયાર કાર્યકરો સાથે મળી હર્ષિદા ગરબા મંડળની સ્થાપના કરવામાં આવેલ હતી.

પહેલે વર્ષે માત્ર અગિયાર કુમારીકાઓને મહાપ્રસાદ જમાડી શુભ શરૂઆત કરવામાં આવેલ. કોઈપણ જાતના સ્વાર્થ વગર ચાલી આવતી આ હર્ષિદા ગરબા મંડળની મહાપ્રસાદની પરંપરાની જાળવણી કરતા તા.૦૫/૧૦/૨૦૨૫ ને રવિવારના વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, ખંભાળીયા નાકા બહાર, દ્વારકાપુરી રોડ પર મંડળ દ્વારા આશરે ૨૮,૦૦૦ બાળાઓને મહાપ્રસાદ જમાડવાનો મંડળ દ્વારા સંકલ્પ કરેલ છે. તેમાં શહેરના બાળકો તેમજ ગરબી મંડળના સંચાલકો, સેવાભાવિ કાર્યકરો તથા ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદ જમાડવામાં આવશે.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ગુજરાતની અલગ-અલગ ધાર્મિક જગ્યાના સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહી, પોતાના વરદ હસ્તે મહાપ્રસાદ પીરસી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરાવશે. આ કાર્યક્રમમાં બાળાઓને ભારતીય બેઠકમાં શિસ્તબધ કતારોમાં બેસાડી માતાજીનો મહાપ્રસાદ જમાડવામાં આવશે. તમામ બાળાઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેની ખાસ કાળજી તથા તકેદારી રાખવામાં આવશે તેમજ શહેરી વિસ્તારમાં અભ્યાસ કરતી આશરે ૫૦-જેટલી શાળાઓની બાળાઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે.

આગામી કાર્યક્રમના શુભદિવસે મંડળ દ્વારા વહેલી સવારે ૬:૦૦ કલાકે કટારીયાવારા વાછરાદાદાની બાવનગજની ધજા સમારંભના શુભસ્થળે ફરકાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ સવારે ૯:૦૦ કલાકે મંડળ દ્વારા મંગલાચરણ કરવામાં આવશે તેમજ સવારે ૧૦:૩૦ કલાકે સંતો-મહંતો સમારંભના શુભ સ્થળે પધારશે. જેમનું ભવ્ય સ્વાગત અને સામૈયા કરવામાં આવશે. સવારે ૧૧:૦૦ કલાકે દેશીદેવી શ્રી આશાપુરા માતાજી મંદિર માતાનો મઢ કચ્છ જાગીરથી પધારેલ ગાદિપતિ મહંતશ્રી રાજાબાવા યોગેન્દ્રસિંહજીના વરદ હસ્તે માતાજીનો મંગલદિપ પ્રગટાવવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૧:૩૦ કલાકે સમારંભમાં પધારેલા સંતો-મહંતોના વરદ હસ્તે માતાજીની મંગલ આરતી ઉતારવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે શ્રી પંચદશનામ જુના અખાડા, ભવનાથ તળેટી જુનાગઢના થાનાપતિ મહંતશ્રી બુદ્ધગીરી બાપુના વરદ હસ્તે બાળાઓને મહાપ્રસાદ પીરસી સમારંભની શુભ શરૂઆત કરાવવામાં આવશે. તેમજ સમારંભના શુભસ્થળે પાટણ (ઉત્તર ગુજરાત) થી પધારેલ બ્રહમલીન ગુરૂદેવશ્રી ઈશ્વરલાલજી બાપુનો પરિવાર શ્રી રાજુભાઈ પ્રજાપતિ તથા શ્રી ભવાની મંડળ ખાસ ઉપસ્થિત રહી બાળાઓ, બટુકો તેમજ કાર્યકરોને શુભ આશીર્વચન પાઠવશે. ત્યારબાદ આમંત્રીત મહેમાનો તેમજ સેવાભાવિ કાર્યકરોને સન્માનિત કરી, આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આશરે ૩૦૦ કાર્યકરો પોતાની કારસેવા આપવા માટે ખડેપગે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના ૫૦-કાર્યકરો રાત્રિ કે દિવસ જોયા વગ૨ તનતોડ મહેનત કરી ગરબી મંડળોમાં રૂબરૂ આમંત્રણ આપે છે, તેમજ કાર્યક્રમની પૂરેપૂરી જાણકારી અને રૂપરેખા સમજાવવામાં છે. બપોરે ૧૨:૦૦ વાગ્યાથી આપના આગમન સુધી ચાલનારા આ મહાપ્રસાદ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના સંચાલક રાજુભાઈ જોષી, નટવરસિંહ પઢિયાર, ભરતભાઈ ચૌહાણ, સંદિપ મકવાણા, મુકેશભાઈ ચૌહાણ, સમિર વાસુ, મનોજ ચાવડા, ચંદુભાઈ પરમાર, પરેશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ બારડ, કેતન ગોરાતેલા, ભગવાનજી પરમાર, મોહન કછેટીયા, તુષાર દુબલ, જયદિપ ચાવડા, ધર્મેન્દ્રભાઈ મેર, જીતેન્દ્ર મકવાણા, કપીલ ચાવડા, મયુર પરમાર, દિવ્યેશ મકવાણા, મેહુલ મકવાણા, અખીલ મેર, રમેશ ગોહિલ, સોમા સાગઠીયા, નરેશ અજા, સંજય ગોહિલ, આશિષ જોષી, અનિરૂધ્ધ મકવાણા, ચેતન ૫૨મા૨, સાગ૨ ચૌહાણ, નિલેશ ભટ્ટી, દેવદત પરમાર, સાગર વાસુ, મોહિત સોલંકી, ધર્મેશ સુખડીયા, ચંદ્રેશ ચૌહાણ, રમેશભાઈ છુછીયા, રાજેશભાઈ ગોસાઈ, દુર્ગેશ સોલંકી, શશીકાંતભાઈ પુંજાણી આ મંડળના કાર્યકરો દ્વારા દરેક વિસ્તારોને આ મહાપ્રસાદમાં આવરી લેવામાં આવેલ છે. કોઈપણ બાળાઓ કે બટુકો પ્રસાદથી વંચિત ન રહી જાય તેમની ખાસ તકેદારી અને કાળજી રાખવામાં આવી છે.

આ કાર્યક્રમમાં નગરના વેપારી આગેવાનો, ઉદ્યોગપતિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરની ધર્મપ્રેમી જનતા અને ધાર્મિક સંસ્થાઓ મહાપ્રસાદ ગ્રહણ કરશે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh