Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર નેચર કલબ દ્વારા પક્ષીઓ માટે માળા-કુંડાનું વિતરણ

વિશ્વ ચકલી દિને જામનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: નવાનગર નેચર કલબ દ્વારા વિશ્ચ ચકલી દિવસ નિમિત્તે તા. ૨૦-૩ના સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન સ્ટારલાઈટ પાર્ટી પ્લોટ, ગુલાબનગર રોડ, જામનગરમાં પક્ષીઓ માટે માળા તથા કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે પ્રકૃતિના સંતુલન માટે ચકલીઓનું જતન કરવું ખૂબ જ અનિવાર્ય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનતામાં પક્ષીઓ પ્રત્યે સંવેદના જગાડવા અને વધુમાં વધુ ઘરોમાં પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડાની વ્યવસ્થા કરવાનો છે. પ્રજાજનોને આ કાર્યક્રમનો લાભ લેવા નવાનગર નેચર કલબ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh