Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નવનાલા નજીક ઈમામ ખાનાનું બાંધકામ તોડી પડાયું

મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે દિવસભર પાડતોડ કામગીરી કરવામાં આવી હતી. એક પછી એક ત્રણ સ્થળોએ પાડતોડ કરવામાં આવી હતી અને એ જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

જામનગરમાં ગુલાબનગર, નવનાલા પાસે ગઈકાલે બપોર પછી ઈમામખાનાનું બાંધકામ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

આ સરકારી જગ્યામાં મંજુરી વગરનું બાંધકામ થયું હોવાથી તે અંગે નોટીસ આપ્યા પછી ગઈકાલે એસ્ટેટ શાખાની ટીમે બાંધકામ તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવી હતી.

ગઈકાલે સવારે બચુનગરમાં જમાતખાનાનું, બપોરે બર્ધનચોકમાં ત્રણ માળની ઈમારતનું અને બપોર પછી નવનાલા પાસે ઈમામ ખાનાનું બાંધકામ દૂર કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh