Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ તા. ૧: ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, રાજકોટમાં તાજેતરમાં 'વિશ્વ હિપેટાઇટિસ દિવસ' નિમિત્તે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૫ થી વધુ રેલવે કર્મચારી અને તેમના પરિવારજનોએ જાણકારી મેળવી હતી.
આ કાર્યક્રમમાં ડોક્ટર શ્રીકાંત દ્વારા હિપેટાઇટિસ એટલે શું? એના પ્રકારો, કારણો એ વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી જેમાં યકૃત એ માનવ શરીરનું ખૂબ જ મહત્ત્વનું ઓર્ગન છે અને તેમાં થતા વિવિધ વાઈરલ ઇન્ફેક્શનને હિપેટાઇટિસ કહેવાય જેના વિવિધ કારણો દર્શાવ્યા હતા. આ કડીમાં ડોક્ટર અરૂણ પ્રગદિશે તેની સારવાર, બચાવના ઉપાયો અને સ્વસ્થ યકૃતનું મહત્ત્વ જણાવ્યું હતું.
આ કાર્યક્રમના અંતે મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડોક્ટર રાજકુમારે લોકોને વેક્સિન, હિપેટાઇટિસ થવાના કારણો, ટેસ્ટ, લક્ષણો અને સારવાર વગેરેની માહિતી આપી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. આ સાથે વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે રેલવે હોસ્પિટલના અધિકારીઓ, ડોક્ટરો, ગ્રુપ સી અને ડી ના તમામ કર્મચારીને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન અને રસીકરણ માટે ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો રાજકુમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટર દિપિકા, ડો ક્રિષ્ના, એ. એન.ઓ. પલ્લવી ક્રિશ્ચિયન, સી એન એસ અવની ઓઝા, ચીફ ફાર્માસિસ્ટ ડી એસ શર્મા એ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial