Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
દ્વારકા તા. ૧૧: ઓખામાં પાંચ વર્ષ પહેલાં એક ટોળાએ કેટલાક અજાણ્યા વ્યક્તિને ઘેરી લઈ પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓનો છૂટકારો ફરમાવાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં વર્ષ ૨૦૨૦માં નાના બાળકોને કેટલાક શખ્સો ઉપાડી જઈ રહ્યા હોવાની ફેલાયેલી અફવા વચ્ચે ઓખાના રેલવે સ્ટેશન પર કેટલાક અજાણ્યા માણસો જોવા મળતા તેને ટોળાએ ઘેરી લીધા હતા અને મારકૂટ કરી હતી.
ત્યારપછી પોલીસમાં ફરિયાદ કરાતા ગોપાલભાઈ વાલજીભાઈ, ઈબ્રાહીમ અભુભાઈ, આરીફ સલીમ, અનવર અજીઝ, રાહુલ પોલાભા, કાદર વલીમામદ, અસલમ સલીમ, શકીલ સતાર સહિતના વ્યક્તિઓ સામે હત્યા પ્રયાસ, રાયોટીંગ વગેરેનો ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા અદાલતે ઉપરોક્ત આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ એમ.બી. ઘાવરીયા, વાહીદ અખ્તર અંસારી, એલ.વી. સોલંકી, લલીત બગથરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial