Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂવારે રાત્રે સૂઈ ગયા પછી સવારે ન ઉઠીઃ
જામનગર તા. ૬: ખંભાળિયામાં રહેતા એક પરિવારની ચૌદ વર્ષની પુત્રી ગુરૂવારે રાત્રે ભોજન લીધા પછી નિદ્રાધીન થઈ હતી. ગઈકાલે સવારે આ તરૂણી બેભાન જેવી હાલતમાં જોવા મળી હતી. તેણીનું મૃત્યુ નિપજ્યાનું પિતાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વસવાટ કરતા ભરતભાઈ સવજીભાઈ નકુમ નામના પ્રૌઢની ચૌદ વર્ષની પુત્રી રાધિકા ગુરૂવારે રાત્રે ભોજન કર્યા પછી સૂવા ગઈ હતી.
ત્યારપછી ગઈકાલે સવારે આ તરૂણી નહીં ઉઠતા પરિવારજનોએ તેણીને ઉઠાડવાનો પ્રયાસ કર્યાે હતો. જેમાં રાધિકા બેભાન હાલતમાં જણાઈ આવતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. આ તરૂણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. ભરતભાઈ નકુમે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial