Advertisement
Author: નોબત સમાચાર

વસીયતનામાના આધારે કરાયેલી નોંધ નામંજૂર કરવાનો લેન્ડ રેકર્ડ સુપ્રિ.નો આદેશ

વીલની વેલિડિટી સિવિલ કોર્ટ દ્વારા નક્કી કરાયઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના એક આસામીના વસીયતનામાના આધારે નોંધ દાખલ કરાવવા સિટી સર્વે કચેરીમાં કરાયેલી અરજી સામે વાંધો લેવાયો હતો. લેન્ડ રેકર્ડના સુપ્રિ. સમક્ષ તે તકરારી કેસ પહોંચ્યા પછી રજીસ્ટર્ડ વીલની વેલિડીટી રેવન્યુ અધિકારીઓએ નક્કી કરવાની નથી તેમ ઠરાવી વાંધા અરજીના આધારે નોંધ નામંજૂર કરાઈ છે.

જામનગર શહેરની સિટી સર્વે કચેરીમાં વોર્ડ નં.૧૫/બીમાં આવેલી મિલકત રામજીભાઈ ભવાનભાઈ શીખલીયા વગેરેના નામે મિલકત કાર્ડ પર હતી. રામજીભાઈએ રજીસ્ટર્ડ વીલ (વસીયતનામુ) બનાવ્યું હતું. તે પછી રામજીભાઈનું અવસાન થતાં વારસાઈ નોંધ કરાવાઈ હતી.

વીલ અંગેની નોંધ કરાવવા તેમના પુત્ર જસ્મીનભાઈએ અરજી કરતા સર્વેયર દ્વારા નોંધ કરાઈ હતી. તેની ૧૩૫-ડીની નોટીસ નીકળતા બીજા પુત્ર રજનીભાઈએ વાંધા અરજી કરી હતી. તેથી આ કેસ સુપ્રિ. ઓફ લેન્ડ રેકર્ડ-એકત્રીકરણ અધિકારી સમક્ષ મોકલવામાં આવ્યો હતો.

આ કેસની સુનાવણીમાં રજનીભાઈ રામજીભાઈ તરફથી રોકાયેલા વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી એસએલઆરએ ટાંક્યું છે કે, જ્યારે વસીયતનામાને પડકારવામાં આવ્યું હોય ત્યારે તેની વેલિડીટી નકકી કરવાનું કામ સિવિલ કોર્ટનું બની જાય છે. તે માટે રેવન્યુ અધિકારી નિર્ણય લેવા સક્ષમ નથી. આમ ઠરાવી વસીયતનામાના આધારે દાખલ થયેલી ફેરફાર નોંધ નામંજૂર કરવામાં આવી છે. વાંધેદાર રજનીભાઈ તરફથી વકીલ હેમલ ચોટાઈ, હીરેન ગુઢકા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh