Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત હિન્દુ સમાજની નાત તથા શ્રીનાથજીની ઝાંખીનું આયોજન

સલાયા લોહાણા મહાજન વાડીમાં

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૩: સલાયામાં આવેલ લોહાણા મહાજન વાડીમાં તા. ૧૭/૮ ને રવિવારે રાત્રે ૧૦ વાગ્યે ખંભાળિયાની પ્રખ્યાત શ્રીનાથજી કલા વૃંદ (ગાયત્રી ગરબા મંડળ) દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજૂ કરવામાં આવશે તેમજ તા. ૧૮/૮ ને સોમવારે બપોરે ૧ વાગ્યે સમસ્ત હિન્દુ સમાજ સારસ્વત માસ્તાન, બ્રહ્મસમાજ, રાજગોર સમાજ તથા સાધુ સમાજનું સમૂહ ભોજન (નાત) રાખવામાં આવ્યું છે. મૂળ સલાયાના વતની અને હાલ રાજકોટ નિવાસી સ્વ. વશરામભાઈ રણછોડભાઈ દાવડા (પટેલ) તથા ગં.સ્વ. વસંતબેન વશરામભાઈ દાવડા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીનાથજીની ઝાંખીમાં જે પણ આવક થશે તે પૈસા સલાયાના મંદિરો, ગૌશાળા તથા પક્ષીઓના ચણમાં વાપરવામાં આવશે. સલાયાના મંદિરોમાં ભગવાનને નવા વસ્ત્રો પણ અર્પણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દાવડા પરિવાર તથા સલાયા લોહાણા મહાજન અને જલારામ સેવા સમિતિ જહેમત ઊઠાવી રહી છે. સમસ્ત હિન્દુ સમાજના લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા દાવડા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh