Advertisement
Author: નોબત સમાચાર

નિવૃત્ત એ.એસ.આઈ.ની પૌત્રી વૃષાંગીએ મેળવ્યા ૯૪% ઃ પાયલોટ બનવાની અભિલાષા

એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં જામનગરની સેન્ટ આન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી વૃષાંગી ભાવિનભાઈ કલ્યાણીએ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. તેણીએ ધો. ૧૦માં ૯૪% અને ૯૮.૯૮ પી.આર. પ્રાપ્ત કરીને કલ્યાણી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. બોર્ડની પરીક્ષામાં માત્ર સફળતા જ નહીં પણ ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે વૃષાંગી દરરોજ નિયમિત રીતે ૧૦ થી ૧૨ કલાક વાચન કરતી હતી. વૃષાંગીના પિતા ભાવિનભાઈ એન્જિનિયર છે, અને માતા એકતાબેન બ્યુટીશિયન છે, તથા દાદા અશોકભાઈ પોલીસ વિભાગમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવી હતી. તેઓ વર્ષ ૨૦૧૬માં નિવૃત્ત થયા હતા. વૃષાંગી અભ્યાસ સિવાય ફિલ્મ જોવામાં અભિરૃચિ ધરાવે છે તેમજ તેણી આગળ અભ્યાસ કરીને કોમર્શિયલ પાયલોટ બનવાની મહેચ્છા ધરાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh