Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં
જામનગર તા. ૧૦ઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં જામનગરની સેન્ટ આન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી વૃષાંગી ભાવિનભાઈ કલ્યાણીએ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે. તેણીએ ધો. ૧૦માં ૯૪% અને ૯૮.૯૮ પી.આર. પ્રાપ્ત કરીને કલ્યાણી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. બોર્ડની પરીક્ષામાં માત્ર સફળતા જ નહીં પણ ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મળે તે માટે વૃષાંગી દરરોજ નિયમિત રીતે ૧૦ થી ૧૨ કલાક વાચન કરતી હતી. વૃષાંગીના પિતા ભાવિનભાઈ એન્જિનિયર છે, અને માતા એકતાબેન બ્યુટીશિયન છે, તથા દાદા અશોકભાઈ પોલીસ વિભાગમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવી હતી. તેઓ વર્ષ ૨૦૧૬માં નિવૃત્ત થયા હતા. વૃષાંગી અભ્યાસ સિવાય ફિલ્મ જોવામાં અભિરૃચિ ધરાવે છે તેમજ તેણી આગળ અભ્યાસ કરીને કોમર્શિયલ પાયલોટ બનવાની મહેચ્છા ધરાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial