Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમેર ગંદકીના કારણે રોગચાળો વધી રહ્યો છેઃ
જામનગર તા. ૧૨ જામનગર શહેરમાં કચરાની ગાડીઓમાં વિવિધ વિસ્તારોના કચરાના કન્ટેનર, કચરાના પોઈન્ટ પરથી કચરો ભરવાના કામના કોન્ટ્રાક્ટરે છેલ્લા થોડા દિવસોથી કચરાની ગાડીઓની સંખ્યા અડધી કરી નાખતા સમગ્ર શહેરમાં ઠેર-ઠેર કચરો-ગંદકીના ઢગલા જોવા મળે છે. તેમાંય ખાસ કરીને કચરાના કન્ટેનરો છલકાઈ રહ્યા છે. આ કન્ટેનરોની આસપાસ પ્લાસ્ટિકના ડૂચ્ચા, કચરો, ગંદકી, એંઠવાડ, ગંદા પાણી ફેલાયેલા રહે છે. પરિણામે માખી-મચ્છર-જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. જામનગરમાં અત્યારે રોગચાળો વકરી રહ્યો છે, ડેન્ગ્યૂના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે આવી ચોમેર ફેલાયેલ ગંદકીના કારણે રોગચાળામાં વધુ વ્યાપક બને તેવી સ્થિતિ છે. આ ઉપરાંત અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, ત્યારે મંદિરોમાં દર્શન-પૂજા અર્થે શ્રદ્ધાળુઓને આ ગંદકીમાંથી ચાલીને અવરજવર કરવી પડે છે.
ખુદ મેયરના વોર્ડમાં ચારેતરફ ગંદકી-કચરાના ઢગલા જોવા મળે છે. ત્યાં ઢોર પણ અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહે છે. આવી સ્થિતિ શહેરમાં ખાદી ભંડાર પાસેની જાહેર મૂતરડી પાસે, શાક માર્કેટ પાસે, પંચેશ્વર ટાવર પાસે, પટેલ કોલોનીની શેરીઓ-માર્ગોમાં ચારેતરફ જોવા મળે છે. ખાદી ભંડાર પાસે તો જાહેર મૂતરડી છે જ અને ત્યાં ચારેતરફ અતિશય દુર્ગંધ મારતો કચરો ફેલાયેલો રહેતો હોવા છતાં ત્યાં ગાંઠિયાની રેંકડીવાળા ખુલ્લેઆમ બિન્દાસ ધંધો કરે છે. રસ્તા ઉપર નીચે બેસીને આરોગ્યને હાનિ થાય તેવી રીતે લોટ બાંધવા સહિતના કામ આ રેંકડીમાં થાય છે. આરોગ્ય ખાતું દુકાનોમાં ચેકીંગ કરે છે, તો ક્યારેક રાત્રે પણ ચેકીંગ કરવાની જરૂર છે.
શહેરમાં નિયમિતરીતે કચરો ઉપાડવાની કામગીરી વ્યવસ્થિત થાય તેવી ઉગ્ર માગણી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial