Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય યોગ બોર્ડ અને શ્રી શક્તિ દળ સેવા ટ્રસ્ટના સંયુક્તક્રમે જામનગરમાં ત્રીસ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું આયોજન

વડાપ્રધાન મોદીના જન્મ દિનની ઉજવણી, 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના સંદર્ભમાં સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિર્દેશ મુજબ તા. ૧૭-૯-ર૦રપ થી તા. ૧૬-૧૦-ર૦રપ સુધી 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત ૭પ સ્થળોએ ૩૦ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં યોગ બોર્ડ દ્વારા સેવાભાવી સંસ્થા શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭-૯-ર૦રપ થી તા. ૧૬-૧૦-ર૦રપ સુધી સાત રસ્તા સર્કલ પાસે તન્ના હોલમાં મેદસ્વિતા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ૩૦ દિવસીય શિબિરનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૭-૯-ર૦રપ ના સવારે ૭-૩૦ વાગ્યે યોજાશે. ત્યારપછી શિબિરનો સમય દરરોજ સવારે ૬-૩૦ થી ૮-૩૦ વાગ્યા સુધીનો રહેશે.

આ શિબિરમાં યોગગુરુઓ તેમજ ઓબેસીટી નિવારણના નિષ્ણાત તબીબો દ્વારા યોગ સાથે તાલીમ આપવામાં આવશે, તેમજ મેદસ્વિતા ઘટાડવા માટે દૈનિક આહાર-વિહાર તથા યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

આ શિબિરમાં જોડાવા માટેની ફી રૂ. ૩૦૦ છે અને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે તથા વધુ વિગતો માટે જામનગરમાં મદેસ્વિતા યોગ શિબિરના મુખ્ય આયોજક યોગગુરૂ હર્ષિતાબેન મહેતા (મો.નં. ૮૮૪૯૮ ૧પપ૧૦) નો સંપર્ક કરવોે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh