Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સવારથી જ
ખંભાળીયા તા. ૨૫ઃ ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં અસંખ્ય પ્રાચીન અને ઐતિહાસિક શિવમંદિરો હોય, આજે શ્રાવણ માસના પ્રથમ દિને સવારથી જ ભાવિકો હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરોમાં ઉમટ્યા હતા.
ખંભાળીયા શહેરમાં ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, બાલનાથ મહાદેવ, ગ્રામ્ય પંથકમાં કોટેશ્વર મહાદેવ, ધીંગેશ્વર મહાદેવ, દંતેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ સલાયા ના નાગનાથ મહાદેવ વગેરે તથા મહાદેવ વાડા વિસ્તારમાં આવેલા વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ વગેરે મંદિરમાં ભાવિકો સવારથી જળના લોટા સાથે બીલ્વપત્ર, પુષ્પો સાથે પૂજા કરવા ઉમટ્યા હતા. અને મહાદેવના લીંગ પર બીલ્વપત્રોના અભિષેક સાથે પૂજા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial