Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૧૦: ગુજરાત સરકાર દ્વારા ર૦રપ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.
તે ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના દિશાનિર્દેશ મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારોના માહોલમાં આજ તા. ૧૦-૧૦-ર૦રપ થી તા. ૧૭-૧૦-ર૦રપ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળો (શોપીંગ ફેસ્ટીવલ) નું આયોજન કરવામાં આવ્યું છ.
આ સ્વદેશી મેળામાં પીએમજેવાય યોજનાના ૪૪ લાભાર્થીઓને, હેનડક્રાફ્ટના ૧૧ લાભાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આ તમામ સ્ટોરધારકોને દરરોજ બપોરનું ભોજન પણ મનપા દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત પીએમ સ્વનીધિ યોજનાના ર૪ લાભાર્થીઓને ફૂડ સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા છે. સ્વદેશી મેળાનો સમય સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો રહેશે.
આ મેળાના આયોજન દરમિયાન દરરોજ રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં લોકોના મનોરંજન માટે વિવિધ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
સ્વદેશી મેળાના આયોજન અંગેની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તથા ડીએમસીએ વિસ્તૃત વિગતો આપી જામનગરની જનતાને આ મેળાની મુલાકાત લઈ વોકલ ફોર લોકલને અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial