Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વમાં વેપાર બન્યો હથિયાર, મોદી સરકાર રહે હોંશિયાર

ટ્રમ્પ ટેરિફને ગંભીર ગણાવી પૂર્વ આરબીઆઈ ગવર્નરની સરકારને વોર્નિંગઃ સહયોગ લ્યો પણ નિર્ભર ન રહો...

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૮: પૂર્વ આરબીઆઈ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને ટ્રમ્પ ટેરિફને ગંભીર ગણાવીને મોદી સરકારને સતર્ક રહેવા ચેતવી છે. તેમણે કહ્યું છે કે, વેપારનો હથિયાર પૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે હોંશિયાર રહેવુ જરૂરી છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડો. રઘુરામ રાજને અમેરિકા દ્વારા ભારત સામે લગાવેલા ટેરિફને અત્યંત ગંભીર ચિંતાજનક મામલો ગણાવતા કહૃાું કે ભારતે કોઈ એક વ્યાપારિક સહયોગી પર નિર્ભરતા ઘટાડવી જોઈએ.  આ સાથે  વર્તમાન વૈશ્વિક અર્થતંત્રમાં વેપાર, રોકાણ અને નાણાને હથિયાર બનાવાઈ રહૃાા છે ત્યારે ભારતે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે.

તા.૨૭ ઓગસ્ટથી અમલમાં આવેલા અમેરિકાના ૫૦ ટકા ટેરિફ વિશે વાત કરતા ડો. રાજને ચેતવણી આપી હતી કે, 'આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવી રહૃાું છે અને આ માટે ભારતને નિશાનો બનાવવામાં આવી રહૃાું છે.

એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન તેમણે કહૃાું કે, 'આ એક ચેતવણી છે. આપણે પૂર્વની તરફ જોવું જોઈએ. યુરોપ, આફ્રિકા બાજુ જોવું જોઈએ અને અમેરિકાની સાથે પણ સંબંધ શરૂ રાખવા જોઈએ. આ સિવાય એવા સુધાર કરવા પડશે જેના કારણે આપણે ૮ થી ૮.૫ ટકાની વૃદ્ધિ હાંસલ કરી શકીએ અને પોતાના યુવાનોને રોજગાર આપી શકીએ. રશિયન ક્રૂડ ઓઇલની આયાત પર પોતાની નીતિ વિશે ફરી એકાવર વિચાર કરવો જોઈએ. આપણે પૂછવું જોઈએ કે, આનાથી કોને ફાયદો થઈ રહૃાો છે અને કોને નુકસાન? રિફાઇનરીઓ ભારે નફો કમાઈ રહૃાા છે. પરંતુ, નિકાસકારો ટેરિફ દ્વારા કિંમત ચૂકવી રહૃાા છે. જો નફો વધારે ન હોય તો વિચારવું જોઈએ કે, શું આપણે ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ જ રાખવું જોઈએ?'

ભારતની ચીન સાથે સરખામણી કરતા રાજને કહૃાું કે, 'આ મુદ્દો નિષ્પક્ષતાનો નથી પણ ભૂરાજનીતિનો છે. આપણે કોઈના પર વધારે નિર્ભર ન રહેવું જોઈએ. વેપાર, રોકાણ અને નાણાંને શસ્ત્ર બનાવવામાં આવે છે. આપણે આપણા પુરવઠા અને નિકાસ બજારોમાં વિવિધતા લાવવી પડશે. ભારતે આ કટોકટીને એક તક તરીકે જોવી જોઈએ. ચીન, જાપાન, અમેરિકા અથવા અન્ય કોઈની સાથે મળીને કામ કરવું જોઈએ. પરંતુ તેના પર નિર્ભર ન રહેવું જોઈએ. ખાતરી કરો કે તમે શક્ય હોય ત્યાં સુધી આત્મનિર્ભર બની શકો. વેપાર કરવાની સરળતા, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં એકીકરણ અને સ્થાનિક કંપનીઓ વચ્ચે મજબૂત સ્પર્ધાત્મકતા સુધારવા માટે માળખાકીય સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂકવો જોઈએ.'

રાજને વધુમાં ચિંતા વ્યક્ત કરી કે, 'આ પગલાથી ખાસ કરીને ઝીંગા ખેડૂતો અને કાપડ ઉત્પાદકો જેવા નાના નિકાસકારોને નુકસાન થશે, જેનાથી તેમની આજીવિકા જોખમમાં મુકાશે. તે અમેરિકન ગ્રાહકો માટે પણ હાનિકારક છે, જેઓ હવે ૫૦ ટકા ડિસ્કાઉન્ટ પર માલ ખરીદશે.'

ટ્રમ્પની ટેરિફ નીતિ પાછળના તર્ક પર પૂર્વ આરબીઆઈ ગવર્નરે મુખ્ય કારણો તરફ ધ્યાન દોર્યું - લાંબા સમયથી ચાલતી માન્યતા કે વેપાર ખાધ અન્ય દેશો દ્વારા શોષણને પ્રતિબિંબિત કરે છે. એવો વિચાર કે ટેરિફ સસ્તી આવક તરફ દોરી જાય છે જે કથિત રીતે વિદેશી ઉત્પાદકો દ્વારા ઉઠાવવામાં આવે છે અને તાજેતરમાં, વિદેશી નીતિના દંડાત્મક સાધન તરીકે ટેરિફનો ઉપયોગ, તે મૂળભૂત રીતે શક્તિનો ઉપયોગ છે. અહીં નિષ્પક્ષતાનો મુદ્દો નથી.

ભારત અંગે રાજને કહૃાું કે, ભારતને અન્ય એશિયન દેશોની જેમ - લગભગ ૨૦ ટકા ટેરિફની અપેક્ષા છે અને મને આશા છે કે મોદી-ટ્રમ્પ સંબંધો વધુ સારા પરિણામો આપશે. વાતચીતની વચ્ચે કંઈક બદલાયું છે.

વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોના આરોપ છે કે, 'ભારત રશિયન ક્રૂડ ઓઇલથી નફો કમાઇ રહૃાું છે. જોકે આ આરોપના જવાબમાં રઘુરામ રાજને કહૃાું કે, 'સ્પષ્ટ રૂપે એવું લાગે છે કે કોઈ સમયે પ્રમખે (ટ્રમ્પ) નક્કી કર્યું હતું કે, ભારત એક એવો દેશ છે જે નિયમોનું પાલન કરી રહૃાો નથી અને તેને અલગ પાડવાની જરૂર છે. નવારો કોઈ મંજૂરી વિના આવું ન લખે.'

હકીકતમાં, ટ્રમ્પના લાંબા સમયથી સાથી રહેલા નવારોએ ગયા અઠવાડિયે કહૃાું હતું કે, ભારતીય રિફાઇનરીઓ (રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી) (યુક્રેન) યુદ્ધને વેગ આપવા માટે પૈસા કમાઈ રહૃાા છે. તેમને ક્રૂડ ઓઇલની જરૂર નથી. તે એક રિફાઇનિંગ નફાખોરી યોજના છે.'

નોંધનીય છે કે, ટ્રમ્પે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટેરિફ લાદવાની જાહેરાત કરી અને આખરે ભારતીય આયાત પર ૫૦ ટકા ડ્યુટી લાદી ત્યારથી, ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બગડ્યા છે. ટ્રમ્પ ભારત પર ભારે ટેરિફ લાદવા પર ભાર મૂકતા રહૃાા, પરંતુ મોદી સરકારે મક્કમતા દાખવી છે અને કહૃાું છે કે, તે કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં અને તેના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે. ભારતે ચીન દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની આયાત અને યુરોપિયન દેશો દ્વારા રશિયન ઊર્જા ખરીદીનો ઉલ્લેખ કરીને અમેરિકા પર ભેદભાવપૂર્ણ વર્તનનો પણ આરોપ લગાવ્યો છે, જે સતત શરૂ છે.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh