Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના વિસેરા પૃથ્થકરણ માટે મોકલાયાઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક યુવાન ગયા રવિવારે પોતાના વતન ધ્રાફામાં ગયા પછી એક મંદિરમાં વાયરીંગ કરતી વેળાએ ઢળી પડ્યા હતા. આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જણાઈ આવ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનો ચોક્કસ ખુલાસો ન થતાં પોલીસને જાણ કરાઈ છે.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોમાઈનગરની શેરી નં.૧માં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ ભટ્ટ (ઉ.વ.૪૭) નામના કર્મકાંડી વિપ્ર યુવાન ગયા રવિવારે પોતાના પરિવાર સાથે વતન જામજોધપુર નજીક આવેલા ધ્રાફામાં ગયા હતા.
ત્યાં આવેલા મંદિરે સાંજે સેવાપૂજા માટે ગયેલા સંજયભાઈ આ મંદિરમાં ઈલેકટ્રીક વાયરીંગ ન હોવાથી પોતાના ભાઈ બ્રિજેશ સાથે મળી સંજયભાઈ મંદિરમાં વાયરીંગ કરતા હતા. આ વેળાએ ધ્રુજારી આવ્યા પછી સંજયભાઈ ઢળી પડ્યા હતા.
સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ આ યુવાનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. જામનગર દવાખાને આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તબીબે આ યુવાનનું એટેક આવવાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું પરંતુ પી.એમ. રિપોર્ટમાં મૃત્યુનું ચોક્કસ કારણ ન જણાઈ આવતા મૃતક યુવાનના વિસેરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને બ્રિજેશભાઈ પ્રવીણભાઈ ભટ્ટે પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial