Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના પૂ. જલારામ બાપાના મંદિરે અમરનાથ બાબા પ્રતિકૃતિના દર્શન થશે

આગામી તા. ૧૦ ના રવિવારે આયોજનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૮: ખંભાળિયા શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ પૂ. જલારામ બાપાના મંદિર (અન્નક્ષેત્ર) માં આવેલ શ્રી રામેશ્વર મંદિરમાં આગામી તા. ૧૦-૮-ર૦રપ ને રવિવાર, શ્રાવણ માસ પ્રસંગે બાબા અમરનાથની ગુફા તથા પરતિકૃતિના આબેહૂબ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

અમરનાથ ગુફાના દરેક સ્લોટ તથા સિવલિંગના આબેહૂબ દર્શન માટે સંસ્થાના પ્રમુખ ભાવેશભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ હિતેનભાઈ વિઠ્ઠલાણી, ટ્રસ્ટી બિમલભાઈ મપારા, તત્કાલિન પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી તેમજ સર્વે સદસ્યો જહેમત ઊઠાવી રહ્યા છે.

આ દર્શન શહેરીજનો, ભક્તો માટે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે, તો સર્વે શહેરીજનોને આ અલૌકિક દર્શનનો લાભ લેવા સંસ્થાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh