હવે 'ટેરિફ મિસાઈલ'નો પ્રહાર... રશિયન ઓઈલ ટ્રેડ અને 'એએ' વચ્ચેની કડી કઈ ? રાહુલે ખોલ્યુ રહસ્ય...

                                                                                                                                                                                                      

અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર સર્વાધિક ૫૦ટકા ટેરિફ લગાવીને એ સ્પષ્ટ કહી દીધું છે કે હવે અમેરિકા ભારતનું દોસ્ત તો નથી રહ્યું, પરંતુ રશિયા કરતા પણ વધુ અપ્રિય થઈ ગયું છે. એક તરફ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર ટેરિફનો બોમ્બ નહીં, પણ મિસાઈલ છોડી છે, તો બીજી તરફ ખુદ અમેરિકા રશિયા સાથે વેપાર કરે છે, તેથી એ ખુલ્લી દાદાગીરી જ છે કે અમેરિકા ભારત પર ટેરિફ વધારવા માટે રશિયાનું બહાનુ કાઢે છે. હકીકતે તો ભારત પર આટલો બધો ટેરિફ લાદવા પાછળ ભારત અને અમેરિકા વચ્ચે નહીં, પણ નેતૃત્વ વચ્ચેની કોઈ અદૃશ્ય મડાગાંઠ જવાબદાર હોઈ શકે છે, અથવા ટ્રમ્પના કોઈ વ્યક્તિગત હિતો અમેરિકાને ભારતથી દૂર અને પાકિસ્તાનની નજીક ખેંચી જતા હોય, તેવું પણ બની શકે છે. ટૂંકમાં, ટ્રમ્પે એ પુરવાર કરી દીધું છે કે તેેઓ હવે વિશ્વના સૌથી અવિશ્વનિય અને અહંકારી શાસક બની ગયા છે. ટ્રમ્પની તુમાખીનો જવાબ ભારતે ભલે આપ્યો હોય, પરંતુ ટ્રમ્પના ટેરિફનો ૨૭મી ઓગષ્ટથી અમલ થયા પછીના પરિણામો ભારતના એમ.એસ.એમ.ઈ. સહિતના વ્યાપાર ઉદ્યોગને જે માઠી અસરો પહોંચાડશે, તેની રિકવરીનો કોઈ રોડ-મેપ હજુ વિચારાયો હોય તેમ જણાતું નથી. જો કે, આ ટેરિફમાંથી કેટલી ચીજવસ્તુઓને મૂક્તિ આપી છે, અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યા પછી આ ટેરિફમાં કેટલો ફેરફાર થાય છે, તે જોવાનું રહે છે, જેથી જસ્ટ વેઈટ એન્ડ વોચ...

ટ્રમ્પની ટેરિફ મિસાઈલ પછી ભારતમાં વિપક્ષો મોદી પર તૂટી પડ્યા છે અને સવાલોની ઝડી વરસાવી દીધી છે, એટલું જ નહીં, વ્યંગાત્મક કોમેન્ટો પણ થઈ રહી છે. હાઉડી મોદી, અબ કી બાર ટ્રમ્પ સરકાર અને ભારતીય અમેરિકનોના ભૂતકાળના સહિયારા કાર્યક્રમોને યાદ કરાવીને મજાક પણ ઉડાળાઈ રહી છે. બીજી તરફ ટ્રમ્પને તો તેની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિતના ગણમાન્ય વરિષ્ઠો ભારત સાથે સંબંધ નહીં બગાડવાની સલાહ આપી રહ્યા છે, અને આખી દુનિયા પર ટેરિફ વધાર્યા પછીની અસરો હેઠળ અમેરિકામાં મોંઘવારી ફાટી નીકળશે, કેટલીક વસ્તુઓની અછત સર્જાશે અને અર્થતંત્ર ખાડે જશે, તેવી ભવિષ્યવાણીઓ પણ થવા લાગી છે. ટ્રમ્પને પણ ટેરિફ અને ટ્રેડનું  વળગેલ ભૂત બરબાદ કરી દેશે અને ઘરઆંગણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે, તેવા વિશ્લેષણો વૈશ્વિક કક્ષાએ પણ થવા લાગ્યા છે.

આ તરફ અજિત ડોભાલનો રશિયા પ્રવાસ અને પીએમ મોદીનો સૂચિત ચીન પ્રવાસ કંઈક નવાજુની ના એંધાણ દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સમીકરણો બદલાય, તેવા સંકેતો છે.

રાષ્ટ્રીય રાજનીતિ કરતા યે આંતરરાષ્ટ્રીય રાજકારણ વધુ ગહન, વ્યુહાત્મક અને ખતરનાક પણ હોય છે. ઘણી વખત બહારથી દેખાતું હોય, તેવું હોતું નથી. ટ્રમ્પ ટેરિફની વાતો ઘણાં સમયથી ચાલી રહી છે, અને હવે ટ્રમ્પે ૫૦ટકા  ટેરિફ લાદ્યા પછી ભારતે તેેને તર્ક વિહિન ગણાવીને અન્યાયકર્તા ગણાવ્યો છે, અને ભારત પોતે નક્કી કરશે કે કોની સાથે વેપાર કરશે, તથા ૧૪૦ કરોડ લોકોનું હિત જળવાય, તેવા નિર્ણયો લેવાશે, તેવો જવાબ આપ્યો છે, જેની સાથે સાથે એક છુપુ રહસ્ય પણ બહાર આવી ગયું છે, તેની કદાચ બહુ ઓછી નોંધ લેવાઈ છે, અથવા તેના પર કોઈનું બહુ જ ધ્યાન ગયું નથી, પરંતુ તે પોઈન્ટ એવો છે કે, જે પુરવાર કરી દે છે કે ઉપરથી દેખાતું હોય, તેવું જ બધંુ હકીકતમાં હોય, તેવું આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં પણ હોતું નથી. ઘણી વખત ગૂપ્ત રણનીતિઓ અલગ પણ હોય છે.

અમેરિકાએ પહેલા જ્યારે રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા કે શસ્ત્રોનો વેપાર કરતા દેશોને તદ્દન પ્રારંભમાં ચિમકી આપી હતી કે રશિયા સાથે વેપાર કરતા દેશો પર પ્રતિબંધો મૂકાશે; તે સમયે કેટલાક દેશોએ રશિયા સાથેનો વેપાર ઘટાડયો, પરંતુ ભારતે "વટ થી" રશિયા પાસેથી સસ્તામાં ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું, ત્યારે "વાહવાહી" થઈ હતી અને તે સમયે "શાંતિદૂત" જેવી ઉપમાઓ પણ અપાઈ હતી, પરંતુ હવે ખબર પડી કે એ તો વૈશ્વિક સપ્લાઈ ચેઈન ખોરવાઈ ન જાય, તે માટેની ગૂપ્ત રણનીતિ જ હતી... તે સમયે ભારતે અમેરિકાની મૂક સંમતિ હોવાથી જ રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ હવે સમય બદલાયો છે, અને ટ્રમ્પને એવું લાગે છે કે રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ મેળવીને ભારત મોંઘા ભાવે વેચીને વેપલો કરીને નફો કમાઈ રહ્યું છે, અને તેથી જ ટ્રમ્પે ટેરિફ વધાર્યો હોય તેમ જણાય છે. પરંતુ જે-તે સમયે તો અમેરિકા સામે ભારત ઝુક્યું નહીં અને આંખમાં આંખ પરોવીને વાત કરી હોવાના દાવા થયા હતા.

જે હોય તે ખરૃં, અત્યારે વાસ્તવિકતા એ છે કે ભારત ટોપ-ફાઈવ ઈકોનોમી બન્યું છે, અને ભારતની આર્થિક પ્રગતિની ગતિ જોતા અમેરિકાને અદેખાઈ થઈ હોય કે, અસુરક્ષાની ભાવના ઊભી થઈ હોય, કે પછી ટ્રમ્પ ફેઈમ પાકિસ્તાનની ક્રિપ્ટો કરન્સી કંપનીના હિતો સંકળાયા હોય, તેવું બની શકે. અમેરિકા જેવી મહાસત્તા ભારતને દુશ્મન ગણે તો તે પણ એક સિદ્ધિ જ ગણાય ને ?

જો કે, રાહુલ ગાંધીની થિયરી કાંઈક અલગ જ છે. વિપક્ષના નેતાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત પર ૫૦ટકા ટેરિફ લાદવાનું ટ્રમ્પનું કદમ ઈકોનોમિકલ બ્લેકમેઈલીંગ જ છે. અમેરિકા આ રીતે ભારતને અમેરિકાની શરતો પર ટ્રેડ ડીલ કરવા ધમકાવી રહ્યું છે. ભારતને પોતાના રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને પોલિસી ઘડવાનો અધિકાર છે, જેમાં મહાસત્તા પણ ચંચુપાત કરી શકે નહીં.

રાહુલ ગાંધીએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મૌન રહેવાનો આરોપ લગાવતા કહ્યું છે કે મોદી ટ્રમ્પ સામે ઊભા રહી શકે તેમ નથી, કે જવાબ આપી શકે તેમ નથી, કારણ કે અમેરિકામાં અદાણી સામે તપાસ ચાલી રહી છે, અને તપાસ રશિયા, ભારત અને અદાણી (એએ) સાથે મોદીને સાંકળે છે, તેથી મોદીના હાથ બંધાયેલા છે, વિગેરે...હવે જોઈએ, આના કેવા કેટલા પ્રત્યાઘાતો પડે છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કોનો કહેર ? કોનો ટેરર ? કૌન કિતને પાનીમેં હૈ ?

                                                                                                                                                                                                      

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે તબાહી મચી ગઈ છે અને ધરાણી ગામનો મોટો હિસ્સો વાદળ ફાટતા આવેલા પૂરમાં તણાઈ ગયો, તે પછી સંખ્યાબંધ લોકોના જીવ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે, તો બીજી તરફ ટ્રમ્પ ટેરરની તનાતની ચાલી રહી છે અને ભારત સાથે સંબંધ બગાડવા સામે ટ્રમ્પને ઘરઆંગણે જ એડવાઈઝ અપાઈ રહી છે. આ બંને મુદ્દા કુદરતી અને કૃત્રિમ રાષ્ટ્રીય કટોકટી જેવા જ ગણાય. હવે ટ્રમ્પને ક્ષોભિલા પડવું પડે તેવા પ્રત્યાઘાતો આપ્યા પછી પૂર્વ અમેરિકન એમ્બેસેડર નિક્કી હેલીને ટ્રમ્પ કેવો પ્રતિભાવ આપે છે, તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે ચૂંટણી પહેલાના મિત્ર અને ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પ શાસનનો હિસ્સો બનેલા એલન મસ્કની દશા ટ્રમ્પે કેવી રીતે બગાડી નાખી, તે આપણી સામેજ છે ને ?

ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ ઉપરાંત જો ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી ચાલુ રાખે તો હજુ વધુ ટેરિફ લાદવાની ચિમકી આપ્યા પછી ભારતે ટ્રમ્પને આયનો દેખાડયો અને અમેરિકા પોતે જ રશિયાથી ઓઈલ તો ખરીદે જ છે, પરંતુ અન્ય ક્ષેત્રે પણ જંગી આયાત કરે છે, તેના આંકડાઓ સાથેના અહેવાલો પછી હવે ટ્રમ્પે એવું કહ્યું છે કે તેમનો દેશ રશિયા સાથે આટલો વ્યાપાર કરે છે, તે તેને પોતાને તો ખબર જ નથી !

હવે ટ્રમ્પ આ મુદ્દે તપાસ કરાવવાની વાત કરે છે, જે ગળે ઉતરે તેવી નથી. અમેરિકા જેવી મહાસત્તાના વડાને તેના પ્રતિસ્પર્ધી (હવે પુનઃ દુશ્મન) શક્તિશાળી દેશ સાથે થતા વ્યાપારની ખબર જ ન હોય, તેવું બને જ નહીં, અને તેવું જ હોય તો ટ્રમ્પમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદે રહેવાનું કૌશલ્ય કે સત્તામાં રહેવાનો અધિકાર જ ન હોવો જોઈએ. અમેરિકા માટે પણ ટ્રમ્પ હવે ખતરનાક જ બની રહ્યા હોવાના પ્રત્યાઘાતો ઘરઆંગણે જ પડવા લાગ્યા છે. ગઈકાલથી જ મીડિયામાં નિક્કી હેલી છવાયેલા છે. તેઓ યુનોમાં અમેરિકાના રાજદૂત તરીકે ફરજો બજાવી ચૂક્યા છે અને હાલમાં રિપબ્લિક પાર્ટીના મજબૂત નેતા છે. તેણીએ સોશ્યલ મીડિયા પર એવું લખ્યું છે કે ભારતે રશિયા પાસેથી તેલ ક્રૂડ ન ખરીદવું જોઈએ, પણ અમેરિકાના દુશ્મન દેશ ચીન પણ રશિયા અને ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદે છે, તેને ૯૦ દિવસની ટેરિફમૂક્તિ આપી છે. ચીનને આવી રાહત ન આપો અને ભારત જેવા મજબૂત દેશ સાથે સંબંધો બગાડવા ન જોઈએ. પોતાની જ રાજકીય પાર્ટીના નેતાની આ સલાહ ટ્રમ્પ માટે ઝટકા સમાન છે.

ગઈકાલે ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને યુક્રેન યુદ્ધને અવગણી રહ્યું છે; તેથી અમેરિકા નોંધપાત્ર રીતે ભારત પર ટેરિફ વધારવા જઈ રહ્યું છે, તે પછી નિક્કી હેલીએ ટ્રમ્પને આપેલી સલાહ અને અમેરિકાનો રશિયા સાથે છેલ્લા પાંચ મહિનામાં ૨૩ ટકાના વધારા સાથે બે અબજ ડોલરથી પણ વધારી દેવાયો હોવાના ભારતે આપેલા જવાબ તથા તે પછી પણ ટ્રમ્પે આ વ્યાપાર અંગે જ અજ્ઞાનતા વ્યક્ત કરી, તે તમામ મુદ્દા અત્યારે ગ્લોબલ ટોકીંગના મુદ્દા છે, જ્યારે બિહારની રાજનીતિના દિલ્હી સુધી પડઘા પડતા પ્રભાવિત થયેલી સંસદની કાર્યવાહી ઠપ્પ થઈ રહી છે, તથા ઉત્તરાખંડમાં વાદળો ફાટતા, નદીઓમાં ભારે પૂર આવતા અને લેન્ડ સ્લાઈડના કારણે સર્જાયેલી તારાજીના અહેવાલો ટોક ઓફ ધ નેશન બન્યા છે. જો કે, પાંચમી ઓગષ્ટે જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિધનનો યોગાનુયોગ પણ ચર્ચાઈ રહ્યો છે.

આપણા દેશમાં હવે નદીઓ, પહાડો, ભૂકંપગ્રસ્ત રહેતા વિસ્તારો, દરિયાકિનારાઓ અને રેલવેલાઈનોની તદ્દન નજીક વગર વિચાયુે અને આડેધડ ઊભી થઈ જતી વસાહતો જીવલેણ તબાહીને નોતરે તેવી બની રહી છે, પહેલા દરિયાકાંઠે કે નદીકાંઠે નજીકમાં સામાન્ય સ્થિતિમાં એવા પોર્ટેબલ નાનકડા ઘરો બનાવતા, જે તત્કાળથી ખસેડી શકાય, પરંતુ હવે તો છેક કિનારાઓને અડીને પાક્કા મજબૂત મોટા મોટા મકાનો બનાવી દેવામાં આવી રહ્યા છે, જેના કારણે માનવજિવન અને અન્ય જીવસૃષ્ટિ પર ખતરો મંડરાતો રહે છે.

ઉત્તરાખંડમાં જે તારાજી સર્જાઈ, તે આખા દેશ માટે બોધપાઠરૂપ છે. પ્રવાસન વિકાસના નામે પહાડો પર ખડકાયેલા વિકાસના માચડા પ્રકૃતિને એવી રીતે અવરોધી રહ્યા છે કે જેથી વિનાશક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. અડધું ગામ તણાઈ જાય, એ સ્થિતિ જ કેમ ઊભી થઈ ? નદીઓને તદૃન અડીને સિમેન્ટના જંગલો કેવી રીતે ખડકાઈ  ગયા ? તેવા સવાલોનો જવાબ કોઈ પાસે નથી. આ પ્રકારના પ્રશ્નો વિપક્ષો ઉઠાવે ત્યારે અત્યારે સત્તામાં હોય તે પક્ષ ભૂતકાળમાં કોણ શાસનમાં હતું ? તેવું જણાવીને જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કરે છે, તો ભૂતકાળમાં સત્તાનો પોતાના સમયગાળામાં થયેલી (ઈરાદાપૂર્વકની) ભૂલો સ્વીકારવા વિપક્ષ તૈયાર હોતો નથી. જવાબદારીની આ ફેંકાફેંકીના પૂર્વ આયોજિત નાટકમાં સામાન્ય જનતા હંમેશા પીસાતી રહે છે, છેતરાતી રહે છે અને સ્વજનોને ગુમાવતી રહે છે. એક તરફ કુદરત કહેર મચાવી રહી છે, તો બીજી તરફ ટ્રમ્પના ટેરિફ ટેરરનો પ્રકોપ છે, ત્યારે આપણે જ નક્કી કરવાનું છે કે કૌન કિતને પાની મેં હૈ ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કો'ક તો વચલો રસ્તો કાઢો... જાહેરનામાઓમાં જ

                                                                                                                                                                                                      

ભક્તિ મેળાઓ અને શ્રાવણીયા તહેવારોની મોસમ છે અને તેમાં હવે સાંસ્કૃતિક અને મનોરંજક મેળાઓનો સંગમ થવા જઈ રહ્યો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્રારંભિક વિરોધ છતાં મહાનગરપાલિકાએ ૧૫ દિવસના મેળાનું આયોજન કર્યું છે, એટલું જ નહીં, હંગામી બસ ડેપોના કારણે અહીં અવ્યવસ્થા કે ટ્રાફિક જામ સર્જાય નહીં, તેની ચિંતા વહીવટીતંત્ર કે મનપાના શાસકો પ્રશાસકોને હોય કે નહીં, પરંતુ કેટલાક હિતચિંતકોને થતી હોવાથી હવે તેના સંદર્ભે "વચલો રસ્તો" કાઢવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ કારણે જ કદાચ જૂની આર.ટી.ઓ. કચેરીને જોડતા બે નવા સી.સી. રોડ એ જ જૂના માર્ગે બનાવાયા હશે, જ્યાં સાતરસ્તાને જોડતો રસ્તો હતો અને પછીથી ફેરફારો થઈ ગયા હતા. આ "વચલા રસ્તા"ને લઈને પણ ચર્ચા થઈ રહી છે. નગરજનોમાંથી એવા પ્રતિભાવો મળે છે કે આગોતરી હરાજી કરીને રૂ.  બે કરોડ ભેગા કરી લીધા પછી તંત્રો મેળાના લાભાર્થીઓ અને ત્યાંથી પસાર થતા વટેમાર્ગુઓ (વાહનો સહિત)નો સમન્વય કરીને યોગ્ય વ્યવસ્થાઓ કરે અને લોકેનો ભગવાનના ભરોસે છોડી દેશે તો તેની જવાબદારી આયોજકોની જ રહેશે, કારણ કે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાનું આયોજન મહાનગરપાલિકા કરે છે.

પ્રદર્શન ગ્રાઉન્ડની બહારની વ્યવસ્થાઓનો ટોપલો જિલ્લા તંત્ર પર ઢોળી દઈને મહાનગરપાલિકાનું તંત્ર છટકી શકે નહીં, તેવી જ રીતે મહાનગરપાલિકા આયોજિત આ શ્રાવણી મેળાની પ્રદર્શન ગ્રાઉન્ડની આંતરિક વ્યવસ્થાઓની જવાબદારી પણ મનપાના તંત્રની જ રહે છે. જો કે, પ્રદર્શન ગ્રાઉન્ડ અંદર પણ કાયદો-વ્યવસ્થા, વીજ પુરવઠો, આવાગમન, પ્રાથમિક સારવાર અને ફાયર સેફટીની જવાબદારી પણ મનપા અને જિલ્લા તંત્રની સહિયારી રહે છે અને તેથી કોઈપણ ક્ષતિ માટે બંનેને જવાબદાર ગણવા પડે ને ?

એવું નથી કે માત્ર જામનગર મહાનગરપાલિકા કે જિલ્લાનું તંત્ર જ "વચલો રસ્તો" કાઢે છે. હવે તો રાજકીય પક્ષો ઉપરાંત સરકારો પણ "વચલો રસ્તો" કાઢવામાં માહીર બની ગઈ છે. "વચલો રસ્તો" એ એવી કલા છે, જે ઘણી વખત મોટી મોટી સમસ્યાઓ અને મુંઝવણોનો ઉકેલ પણ કરી દેતી હોય છે.

આપણા દેશમાં હજુ પણ સંયુક્ત પરિવારોની પ્રથા જળવાઈ રહી છે. જો કે, આધુનિકરણ અને અદ્યતન ટેકનોલોજીના યુગમાં પરિવારો વિભક્ત થઈ રહ્યા છે અને પ્રવર્તમાન સમયમાં આ પ્રકારની સ્થિતિ સ્વીકારવી પડે તેમ પણ છે, પરંતુ એ કારણે "વચલો રસ્તો" કાઢવાની કલા ઓસરી રહી હોય તેમ જણાય છે. સંયુક્ત પરિવારમાં વડીલો પણા અન્ય પરિવારજનો પોતાના પરિવારના કોઈ પણ સભ્યની મુંઝવણ, ગુંચવણ કે મુસીબત-દ્વિધાને ઉકેલવામાં ત્વરીત મદદરૂપ થતા હતા, પરંતુ વિભક્ત પરિવારોને કારણે યુવા પેઢી અને અનુભવી પેઢી વચ્ચેનું અંતર વધી ગયું છે, જેની સર્વગ્રાહી માઠી અસરો થતી હોય છે, કારણ કે "વચલો રસ્તો" કાઢવાની અનુભવી પેઢીની તરકીબો નવી પેઢીને યોગ્ય સમયે ઉપલબ્ધ હોતી નથી.

અત્યારે તો ધીરજ અને નિષ્ઠાની વાત જ થઈ રહી નથી અને વિવેક તથા સૌજન્યશીલતાનું સ્થાન દેખાડો કરવા, આર્ટિફિશ્યલ પ્રભાવ ઊભો કરવા અને તત્કાળ પરિણામ લાવવાની હોડ લાગી છે, અને તેમાં વચન કે વાયદાનું મૂલ્ય, શબ્દોની કિંમત તથા સંબંધોની સાતત્યતા જળવાતી નથી. હવે વચલો રસ્તો નહીં, પણ ટૂંકો રસ્તો (શોર્ટકટ) વધુ સ્વીકૃત થવા લાગ્યો છે, અને તેથી જ "લોકોનું જે થવું હોય તે થાય, અમે તો અમારૃં ધાર્યું જ કરીશું" તેવી "બહુમતી" આધારિત માનસિકતા પનપી રહી છે. આવું થાય, ત્યારે મનસ્વી ફેસલા લેતા તાનાશાહોની યાદ આવી જાય !

અત્યારે દુનિયામાં વિવિધ સ્વરૂપોના યુદ્ધો ચાલી રહ્યા છે. જમીન, દરિયો અને હવાઈ કે જળમાર્ગે થતા યુદ્ધો ઉપરાંત હવે કોલ્ડ વોર, ટેરિફ વોર, ઈન્ટર્મેશન તથા પબ્લિસિટીનું યુદ્ધ, સાયબર વોર જેવા નવા યુદ્ધો અલગ જ રીતે લડાઈ રહ્યા છે, અને કમનસીબી એ વાતની છે કે વચલો રસ્તો કાઢનારૃં કોઈ નથી. વયોવૃદ્ધ વૈશ્વિક નેતાગીરી પોતાના અનુભવોનો દુરૂપયોગ કરી રહી છે. આજે સંવેદનશીલતા, સૌજન્યતા, માનવતા કે પ્રાથમિકતા જેવું કાંઈ રહ્યું નથી, અને સ્વાર્થ, ટ્રેડ, પ્રોફિટ અને હાયર ઈકોનોમીના શોર્ટકટ્સની દોટ લગાવાઈ રહી છે, એટલું જ નહીં, દુનિયાના દેશો પોતાને શક્તિમાન બતાવવા હવે જૂઠાણાં અને ફરેબનો સહારો પણ લઈ રહ્યા છે. હવે તો ટ્રમ્પ મગજ ફરેલા ધૂની કે તરંગી માનવી જેવા પર્યાય બનવા લાગ્યા છે.

"આઈ લવ પાકિસ્તાન" કહેનાર ટ્રમ્પને પાકિસ્તાને ઈરાન સાથે નવા કરારો કરીને ઝટકો આપ્યો હોય, ટ્રમ્પે ભારતને હજુ વધુ ટેરિફની ધમકી આપી હોય, કે ભારતે અમેરિકાને આયનો દેખાડયો હોય, બિહાર ચૂંટણીપંચ સામે ઉઠાવાતા પ્રશ્નો હોય કે ગુજરાતમાં નેતાગીરી ગોટે ચડી ગઈ હોય, કે પછી મેળાના મુદ્દે મનપા સામે ઉઠેલા સવાલો હોય, આ તમામ મુદ્દે "વચલો રસ્તો" એટલે કે વ્યવહારૂ માર્ગ કાઢવો જ પડે ને ?

હવે શ્રાવણીયા તહેવારો, પ્રવાસીઓની ભીડ, મેળાઓ, દર્શનો અને ટ્રાફિક તથા કાયદો-વ્યવસ્થાના સંદર્ભે વહીવટીતંત્રો અનેક પ્રકારના જાહેરનામા બહાર પાડશે. સામાન્ય જનતા તો ઠીક ઘણાં મોટા માથાઓ પણ આ જાહેરનામાના ચૂસ્ત અમલને લઈને માથુ ખંજવાળતા હોય છે. જરૂર પડે તો સંસદમાં ઠરાવ પસાર કરીને, કાયદો સુધારીને કે બંધારણ સુધારીને પણ પંચાયતથી કેન્દ્ર સરકાર સુધીના તંત્રો, એક્ઝિક્યુટીવ, મેજિસ્ટ્રેટો દ્વારા પ્રસિદ્ધ થતા જાહેરનામાઓમાં જ તે જાહેરનામાના અમલની જવાબદારી કોની રહેશે અને ક્ષતિ થાય તો વ્યક્તિગત અને સામૂહિક બંને રીતે કોન જવાબદાર રહેશે, તેનો ઉલ્લેખ તમામ જાહેરનામામાં જ થાય, તે ઉપરાંત તમામ પ્રકારની મંજૂરીઓ કે હૂકમોમાં પણ થાય, તેનો ઉલ્લેખ કરવો જોઈએ, જેથી પગ તળે રેલો આવે ત્યારે જવાબદારીની ફેંકાફેંકી ન થાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ધારાસભ્યોના લેટર બોમ્બ... જવાબદારીની ફેંકાફેંકી નહીં, જવાબદારોને નશ્યત કરો...

                                                                                                                                                                                                      

ગીરના સિંહો ગુજરાતનું ગૌરવ છે અને સિંહગર્જનાની ગુંજ ભલભલાને થથરાવે તેવી હોય છે, પરંતુ જ્યારે સિંહનો મુદ્દો જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવાય, અને તે શાસન-પ્રશાસન માટે પડકારરૂપ બની જાય, ત્યારે તેના પડઘા રાજધાની સુધી પડે એ સ્વાભાવિક છે. અત્યારે ગુજરાતમાં ચાલતી સરકાર ભાજપની ત્રિપલ એન્જિન થિયરીનું એક એવું એન્જિન છે, જેની ઓન-ઓફ અને સિગ્નલ્સની સ્વીચો તો દિલ્હીમાં જ છે, પરંતુ હવે તો અદ્યતન ટેકનોલોજીનો પ્રયોગ કરીને ગિયર પણ ઉચ્ચકક્ષાએથી બદલાતા હોય, તેવી છાપ ઉપસી રહી હોવાનો કટાક્ષ થવા લાગ્યો છે, અને તેના સંદર્ભે ગુજરાતના ત્રણ અધિકારીઓની તાજેતરની અચાનક રાતોરાત થયેલી બદલીઓ અને પોષ્ટીંગને સાંકળવામાં આવે છે. ભૂતકાળમાં કેન્દ્રની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાના આક્ષેપો થતા હતા, ત્યારે હવે રાજ્ય સરકારોની ગાડી પણ રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાની ચર્ચા થઈ રહી છે, જેમાં વર્તમાન અને ભૂતકાળના શાસકપક્ષોમાં ગજબની સમાનતા હોવાના તારણો પણ વિશ્લેષકો કાઢી રહ્યા છે. ગુજરાતમાં તો સિંહોના મુદ્દે શાસક પક્ષના જ ધારાસભ્યો ઓપનલી રાજ્ય સરકારને ઘેરી રહ્યા હોય, તેમ સંબંધિત મંત્રીઓને પત્ર લખીને તેને સોશ્યલ મીડિયા તથા મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જય-વીરૂ નામના લોકપ્રિય સિંહો પર અન્ય સિંહોના હૂમલાઓના કરણે મૃત્યુ થયા હોવાની ઘટના એટલા માટે ચર્ચામાં આવી ગઈ કે આ બંને સિંહો ખૂબજ લોકપ્રિય બન્યા હતા અને એક પછી એક તેના મૃત્યુ પછી ખ્યાતનામ સિંહપ્રેમીઓ તથા કેટલાક મોટા માથાઓએ તેનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ સાસણ-ગીરમાં સિંહો-સિંહણો અને બાળસિંહોના મૃત્યુના અવારનવાર અહેવાલો આવતા હોય છે, ત્યારે એકાદ દિવસ માટે નાનકડા ન્યુઝ બનીને રહી જતા હોય છે. જો કે, હવે ભારતીય જનતા પક્ષના જ ધારાસભ્યોએ આવા મુદ્દાઓ ઉઠાવ્યા હોવાથી તેની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે.

ગઈકાલથી વાયરલ થઈ રહેલા અહેવાલો મુજબ ભાજપના જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વનમંત્રીને પત્ર લખીને ગીરમાં ઉપરાછાપરી બાળસિંહોના મૃત્યુ અંગે જોરદાર રજૂઆત કરી છે. તેમણે પત્ર દ્વારા સરકારને જણાવ્યું  છે કે બાળસિંહોના મૃત્યુ વનતંત્રની લાપરવાહી તથા નિષ્ક્રિયતાના કારણે થયા છે. જો બાળસિંહોના આરોગ્યની સમયોચિત ચકાસણી થતી હોત તો બાળસિંહોના મૃત્યુ અટકાવી શકાયા હોત. તેમણે જંગલમાં સિંહો માટે પીવાના પાણીના પોઈન્ટ વધારવા, અને બાળસિંહોના મૃત્યુના કારણોની ઉંડી તપાસ કરવાની માંગણી પણ ઉઠાવી છે.

એ ઉપરાંત અમરેલીના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ પણ રોષપૂર્ણ ભાષા સાથે સિંહોના સંદર્ભે રજૂઆતો કરી હોવાના અહેવાલો વહેતા થયા છે, તેમણે પણ વનમંત્રીને પત્ર લખીને પૂર્વ ગીર વિસ્તાર તથા પાલીતાણામાં છેલ્લા બે મહિનાથી સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે, તે અંગે સવાલો ઉઠાવ્યા છે અને પુછ્યું છે કે જંગલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિયમ થતું હોય અને વનકર્મીઓ સક્રિય હોય તો આ રીતે સિંહોના મૃત્યુ થાય જ કેવી રીતે ?

બીજી તરફ લોકોની પ્રાથમિક જરૂરિયાતોના મુદ્દે પણ શાસકપક્ષના ધારાસભ્યો જ સંતુષ્ટ નથી, પરંતુ "શિસ્તબદ્ધતા" નું તાળુ લગાવેલુ હોવાથી તેઓ જાહેરમાં બહુ બોલતા હોતા નથી, અને પાર્ટીના પ્લેટફોર્મ કે સરકારમાં તેનું કોઈ સાંભળતુ હોતુ નથી, તે આ બધું જ  ફલસ્ટ્રેશન ઘણી વખત શાસક પક્ષના ધારાસભ્યો પણ તાલુકા-જિલ્લાકક્ષાની મિટિંગોમાં અધિકારીઓ પર ઉતારતા હોય છે. !

જો કે, આંદોલનોમાંથી નેતા બનેલા ભાજપના ધારાસભ્ય લાંબો સમય ચૂપ રહી શક્યા નહીં, તેમણે પોતાના મતક્ષેત્ર અને વતન વિરમગામમાં ગટરનો પ્રશ્ન ઉકેલવા પહેલા તો "શિસ્તબદ્ધ" રીતે રજૂઆતો કરી પરંતુ કોઈ સાંભળતું નહી હોય, તેથી પોતાનો "અસ્સલ" આંદોલનકારી સ્વભાવ દેખાડીને તેમણે આંદોલનની ચિમકી આપી દીધી, તે પછી એવું કહેવાય છે કે ગાંધીનગરથી આદેશો છૂટયા અને તંત્રોમાં હડિયાપટ્ટી પછી કેટલીક બદલીઓ પણ થઈ ગઈ. જે હોય તે ખરૃં, પરંતુ હાર્દિકભાઈનો પણ મોહભંગ થઈ ગયો હોવાથી ચર્ચા હવે મીડિયા અને સોશ્યલ મીડિયામાં થવા લાગી છે.

બીજી દૃષ્ટિએ જોઈએ, તો ભાજપના જ ધારાસભ્યો, સાંસદ કે અન્ય નેતાઓ દ્વારા પ્રગટતો આ આક્રોશ ભાજપમાં ચાલી રહેલી આંતરિક ગડમથલ અને ખેંચતાણ પણ દર્શાવે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બબ્બે વખત બદલી ગયા, પરંતુ કેન્દ્રીય મંત્રી બની ગયા પછી પણ સી.આર.પાટીલને ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે "ઓવરટાઈમ" કરવો પડી રહ્યો છે, જે દર્શાવે છે કે શાસક પક્ષમાં પણ બધું બરાબર નથી !

એક બીજો મુદ્દો આજે ચર્ચાના કેન્દ્રમાં છે. ગુજરાતમાં "નકલી" નો રાફડો ફાટ્યો છે અને આ નકલીઓ સીએમઓ અને પીએમઓ જ નહીં, અદાલતોના ક્ષેત્ર સુધી પગપેસારો કરવા લાગ્યા છે. નકલી ડોકટરો તો શેરીએ અને ગલીએ તથા ગામડે-ગામડે જોવા મળે છે, પરંતુ હવે તો ગેરકાયદે લેબોરેટરીઓ પણ ગુજરાતમાં ધમધમી રહી હોવા છતાં રાજ્ય સરકાર મૌન હોવાની આલોચના થઈ રહી છે. જો બારમું ધોરણ પાસ નકલી પેથોલોજીસ્ટ બનીને હકીકતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જવાબદારીની ફેંકાફેંકી કરવાના બદલે જવાબદારો સામે કડક પગલા ભરવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેદીઓના મૂળભૂત અધિકારો અને જેલ વ્યવસ્થા૫ન... ટોક ઓફ ધ સ્ટેટ...

                                                                                                                                                                                                      

"પોતાને શાધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે તમારી જાતને અન્યોની સેવામાં ખપાવી દ્યો" એ પ્રકારના મહાત્મા ગાંધીના બોધક વાક્ય સાથે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસે  ગુજરાત રાજ્યના જેલના આઈ.જી ને રાજ્યની જેલોમાં આશ્રમો જેવું પવિત્ર, સંવેદનશીલ અને મિત્રતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવા હાકલ કરી, તે મુદ્દો માત્ર કાનૂની નહીં, પરંતુ સામાજિક અને માનવતાલક્ષી ક્ષેત્રોમાં પણ પડઘાયો છે. હાઈકોર્ટે રાજ્યના તમામ જેલ સત્તાવાળાઓને મોડેલ જેલ મેન્યૂનું પાલન કરવા, તમામ કેદીઓ સાથે માનવતાપૂર્વક સંવેદનશીલતાથી વર્તવા અને ગુનેગારો તથા કેદીઓનું કાઉન્સીલીંગ કરવાની હાકલ કરવાની સાથે સાથે સરકાર અને તેના તાબાના જેલ પ્રબંધકોને આ લોકોના પૂનર્વસન માટેના જરૂરી પગલા લેવા પણ સૂચવ્યું હતું.

હકીકતે ત્રણ જુદા જુદા કેસોમાં થયેલી તમામ સજા પૂરી કરી લીધા પછી પણ એક કેદીને વધુ બે મહિના જેલમાં વિતાવવા પડ્યા, તે મુદ્દે હાઈકોર્ટ સંબંધિત જેલોના તમામ જેલ અધિકારીઓ તથા ત્યાંના કર્મચારીઓ સાથે આઈ.પી.એસ. અધિકારીને પણ વર્ચ્યુલી હાજર રાખીને  હાઈકોર્ટે સમગ્ર જેલ સિસ્ટમને સાંકળીને જેે કાંઈ કહ્યું છે, તે રાજ્યવ્યાપી છે અને શાસન-પ્રશાસન સાથે પરોક્ષ રીતે સરકારને પણ ઝંઝોળે છે. અદાલતે ઓપન ડોર સુનાવણી દરમ્યાન ખચાખચ ભરેલી અદાલતમાં જાહેરમાં જેલ સત્તાવાળાઓની જે ઝાટકણી કાઢી અને આડે હાથ લીધા, તે અદાલતની રાજ્ય સિસ્ટમ પ્રત્યેની નારાજગી દર્શાવે છે., અદાલતે જે કેદીને બે મહિના વધુ જેલમાં રહેવું પડ્યું તેને પચાસ હજાર રૂપિયાના વળતર અપાવીને સંબંધિત જેલની અંદર રહેલા તમામ કેદીઓના સેટ-ઓફ ગાળાની ગણતરી કરવાનો હૂકમ કર્યો હતો.

અદાલતે સજા પૂરી થઈ ગઈ હોય કે જામીન મંજુર કરાયા હોય તેવા કેદીઓ એક મિનિટ માટે પણ જેલમાં ખોટી રીતે-ગેરકાયદે રહેવા ન જોઈએ, તે જોવાની જવાબદારી સ્થાનિક ઉપરાંત ઉચ્ચ સત્તાધીશોની પણ હોવાનું જણાવી જેલ સુપ્રિન્ટેન્ડેન્ટને તો કેદીઓના સેટ-ઓફના સમયગાળાની નવેસરથી ચોક્કસ ગણતરી કરવાનો તથા જેલ રેકોર્ડ અદ્યતન રાખવાનો હૂકમ કર્યો હતો. સંબંધિત જેલ સત્તાવાળાઓએ ગણતરીમાં ભુલ થતા કેદીને બે મહિના વધુ જેલમાં રહેવું પડ્યું તે અંગે કરેલી દલીલોને ફગાવી દેવાની સાથે સાથે ભારે નારાજગી  વ્યક્ત કરતા કહ્યું કે મનસ્વીતા અને ઉદ્ધતાઈના કારણે કેદીને વધુ સમય સુધી જેલમાં રહેવું પડે તો તે તેમના મૂળભૂત અધિકારોનું હનન છે. બંધારણની કલમ-૫૧ ને ટાંકીને અદાલતે કહ્યું કે જેલમાં હોવા છતાં કેદીઓ તેમના નાગરિકો તરીકેના મૂળભૂત અધિકારો ગુમાવતા નથી.

જેલ કેદીઓને ગુનેગારમાંથી જવાબદાર સજ્જન નાગરિક બનાવવાનું માધ્યમ હોવું જોઈએ, તેના બદલે જેલોમાંથી અવાર-નવાર મળી આવતા મોબાઈલફોન, બીડી-સીગારેટ, તમાકુ તથા અન્ય ગેરકાનૂની કે પ્રતિબંધિત હોય તેવી ચીજ-વસ્તુઓ એવું પ્રતિપાદિત કરે છે કે આ પ્રકારની લાપરવાહ અને ભ્રષ્ટ સિસ્ટમો ધરાવતી જેલો ખુદ જ ગુનાખોરી વિકસાવવાનું માધ્યમ બની રહી છે. રીઢા ગુનેગારો જેલમાં બેઠા-બેઠા પણ તેની ગેન્ગો ચલાવતા હોય, કાવતરા કરી શક્તા હોય કે પછી જેલમાં જ એશોઆરામની તમામ સુવિધાઓ મેળવી શકતા હોય, તો તેનું જવાબદાર કોણ ? આ પ્રકારનો સવાલ રાજ્ય અને કેન્દ્રના ગૃહમંત્રાલયો તથા આ મુદ્દે બહુ અવાજ નહીં ઉઠાવતા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા કાનૂનીક્ષેત્રને પણ એટલો જ સ્પર્શે છે, તે ભૂલવું ન જોઈએ.

જેલ-સુધારણા અને પ્રક્રિયાત્મક ફેરફારોની રાજ્યવ્યાપી જરૂર જણાવાઈ રહી છે, ત્યારે ઘણી જેલો એકંદરે માનવીય અભિગમ ધરાવીને શ્રેષ્ઠ કામગીરી પણ કરતી હોય છે. તેથી રાજ્યની જેલોએ તેને અનુસરવું જોઈએ.

તાજેતરમાં વકીલોને જેલમાં કેદીની મુલાકાત અંગેના મુદ્દે જામનગરના બાર-એસોસિએશને કરેલી રજૂઆતોના સંદર્ભે પણ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ અને અન્ય ન્યાયવિંદોની ઉપસ્થિતિમાં યોજાયેલી માસિક મિટિંગમાં ઉભય પક્ષે વિસ્તૃત ચર્ચા-પરામર્શ થયો હતો. જેમાં બાર એસોસિએશનના હોદ્દેદારો, સિનિયર એડવોકેટો, બાર કાઉન્સીલીંગ ઓફ ગુજરાતના સભ્ય, પોલીસ અધિકારીઓ, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ વચ્ચે તદ્વિષયક રજૂઆતોના સંદર્ભે જેલરે સહયોગની ખાતરી આપી હતી.ી તે સમયે પણ જેલ વ્યવસ્થાપન અને ઉભય પક્ષે સ્વયં શિસ્તની જરૂર જણાવાઈ હતી. કાનૂનના રક્ષકો અને વ્યવસ્થાઓ જાળવતા સરકારી વિભાગોનો તાલમેલ જરૂરી છે, અને સજા પામેલા કેદીઓની માનસિકતામાં જરૂરી બદલાવ લાવીને તેઓને જવાબદાર નાગરિક બનાવવાની જવાબદારી જેલ-વ્યવસ્થાપનની છે, તે વાસ્તવિકતા સ્વીકારીને જેલ-સુધારણાની દિશામાં વાતો કરતા રહેવાને બદલે નકકર કદમ પણ ઉઠાવવા પડે તેમ છે, અને શ્રેષ્ઠ જેલ-વ્યવસ્થાપન સાથે જેલમાં પવિત્ર આશ્રમો જેવું વાતાવરણ ઊભું કરવાની હાઈકોર્ટની ટકોરની કેટલી, કેવી અને કયારે અસરો થાય છે, તે જોવું રહ્યું.

તમામ કેદીઓ સાથે હંમેશાં અપમાનજનક વલણ રાખવું કે તેઓના બિનજરૂરી રીટે ટકા કરવા જેવી સ્વમાનને અસર કરતી પ્રવૃત્તિઓ, જેલની અંદર પણ થતી દાદાગીરી, પરસ્પર પ્રતાડના કે દુર્વ્યવહાર જેવી તમામ હરકતો માનવતા વિરોધી ગણાય અને કેદીઓને કોઈપણ ભેદભાવ વગર જેલમાં રહીને સુધારવાની તકો મળે, તે દિશામાં પ્રયત્નો ત્યારે પજ સફળ થાય, જ્યારે રાજકીય ઈચ્છાશક્તિની સાથે જેલવિભાગ, જેલતંત્ર તથા જેલર અને તેના સ્ટાફનો સુભગ અને શુદ્ધ સમન્વય હોય... ગૃહમંત્રીએ વિચારવા જેવું ખરૃં...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સડક થી સંસદ સુધી ટ્રમ્પ ટેરિફની ગુંજ... બૂરે દિન શુરૂ હો ગયે હૈ ?

                                                                                                                                                                                                      

આજે સડક થી સંસદ સુધી સૌથી વધુ ચર્ચા ટ્રમ્પ ટેરિફની જ થઈ રહી છે. ગઈકાલે માલેગાંવ બ્લાસ્ટનો ચુકાદો આવ્યો અને તમામ આરોપીઓ નિર્દોષ છૂટ્યા, તે પછી ભાજપ દ્વારા ભૂતકાળમાં ભગવા આતંકવાદની વાત કરનારાઓ પર પ્રહારો કરાયા, તો અખિલેશ યાદવે એવી આશંકા વ્યક્ત કરી કે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના ચુકાદાનો ગોબેલ્સ પ્રચાર કરીને ટ્રમ્પ ટેરિફ નો મુદ્દો દબાવવાનો કારસો તો રચાયો નથી ને ? ટેરિફના મુદ્દે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું હતું કે "અબ બુરે દિન શુરૂ હો ગયે હૈ"...આવું કદાચ તેમણે ૧૧ વર્ષ પહેલા ગુંજેલા "અચ્છે દિન આને વાલે હૈ" ના નારાઓના સંદર્ભે જ કહ્યું હશે. જો કે, હાલ સુધી ભારત પર ટ્રમ્પ ટેરિફ ૭ ઓગષ્ટ સુધી ટળી ગયો હોવાના અહેવાલો પણ આવ્યા છે. ગઈકાલે વાણિજ્યમંત્રી પિયુશ ગોયલે સંસદમાં કહ્યું હતું કે ભારત-અમેરિકા વચ્ચે ચાર તબક્કાની વાતચીત થઈ ગઈ છે અને હજુ પણ વાટાઘાટો ચાલી રહી છે, તેને સાંકળીને એવો આશાવાદ પણ દર્શાવાઈ રહ્યો છે કે આ અઠવાડિયામાં આ મુદ્દે કોઈ સકારાત્મક ડીલ પણ થઈ શકે છે.

ટ્રમ્પે પાકિસ્તાન પર મહેરબાની વરસાવી છે, તે જોતા એમ પણ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે જંગી નાણાકીય સહાય અપાઈ, તે પણ ટ્રમ્પના ઈશારે જ થયું હશે. હવે તેમણે પાકિસ્તાનની સાથે "વ્યાપારિક" ડીલ તથા ઓઈલડીલ કરી છે, તેની પાછળ ટ્રમ્પના કોઈ અંગત હિતો સંકળાયેલા હોવાની વાતો પણ "ક્રિપ્ટો કરન્સી" ક્ષેત્રે કાર્યરત કંપનીને સાંકળીને વહેતી થઈ છે. જો કે, પાકિસ્તાન પરનું ટેરિફ ૧૦ ટકા ઘટાડ્યા પછી પણ ૧૯ ટકા રહ્યું છે, તેનો મતલબ એવો થાય કે ભારત પર જે ટેરિફ જાહેર કર્યું છે, તેના કરતા પણ ૪ ટકા વધુ ટેરિફ તો અમેરિકા પહેલેથી જ પાકિસ્તાન પાસેથી (૨૯ ટકા) વસુલ કરી જ રહ્યું હતું !

ટ્રમ્પે પાકિસ્તાનને ઓઈલડીલ ની લોલીપોપ પકડાવી છે, જેમાં પણ અમેરિકાનો જ ફાયદો છે અને તેલભંડારો નીકળે તો પણ તેનો મહત્તમ લાભ અમેરિકાને જ મળે તેવી ડીલ કરી હશે, પરંતુ આવું કરીને ભારત સરકારને ટ્રમ્પે "ઝટકે પે ઝટકા" લગાવ્યા છે. પાકિસ્તાનમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે, ટ્રમ્પના મૌખિક વાયદાઓ ભરોસાપાત્ર નથી અને અમેરિકા સાથે સંબંધો વધારવા જતા ચીનની મિત્રતા ગુમાવવી પડે નહીં, તે પાકિસ્તાનની શાહબાઝ સરકારે ધ્યાન રાખવું પડે તેમ છે. પાકિસ્તાનમાં મુનિર અને ટ્રમ્પ પોતાના અંગત હિતો માટે ઉંડી રમત રમી રહ્યા છે અને અંગત તથા પારિવારિક હિતો માટે થઈને રાષ્ટ્રીય હિતોનું બલિદાન આપી રહ્યા છે, તેવી આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

ટ્રમ્પ ટેરિફની ભારતીય શેરબજારમાં જેટલી આશંકા હતી તેટલી અસરો ગઈકાલે તો થઈ નહોતી, પરંતુ અમેરિકન ડોલર સામે રૂપિયો તૂટવા લાગ્યો હતો. ગઈકાલે સવારે ડોલરના ભાવ રૂ. ૮૭.૬૯ હતા સાંજ થતા થતા રૂ. ૮૭.૬૦ પર બંધ રહ્યા હતા, તે દરમ્યાન એક તબક્કે રૂ. ૮૭.૭૫ સુધીની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા. તજજ્ઞોના જણાવ્યા મુજબ ડોલર સામે રૂપિયો વધુ ૦.૧૮ ટકા તૂટ્યો હતો. રૂપિયાની આ પીછેહઠ ત્રણ વર્ષની સૌથી વધુ હતી અને વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલર વધુ મજબૂત થયો હતો. નિષ્ણાતો ટ્રમ્પ ટેરિફ વાસ્તવમાં લાગુ થઈ જાય, તો રૂપિયો વધુ તૂટી શકે છે, અને ડોલર સામે ૯૦ રૂપિયાની નીચી સપાટીએ પહોંચી શકે છે, તેવી સંભાવના પણ દર્શાવી રહ્યા હતા.

જો કે, હવે એક અઠવાડિયાની મુદૃત વધી છે અને તે દરમ્યાન ટ્રેડડીલ થઈ પણ જાય, તેવો આશાવાદ હોવાથી આજે માર્કેટ બંધ થાય, ત્યાં સુધી કેવા કેવા ઉતાર ચઢાવ જોવા મળે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. મોદી સરકાર માટે આ સ્થિતિ સૌથી મોટો પડકાર છે અને સરકારને ઘેરવાનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો વિપક્ષોને હાથ લાગ્યો છે, ત્યારે સંસદમાં હોબાળો થતો જ રહેવાનો છે તેથી સરકાર બેકફૂટ પર હોય તેવી છાપ ઉપસી રહી છે.

ટ્રમ્પ ટેરિફની અસરો અંગે સામાન્ય જનતાને સીધી ખબર ન પડે, પરંતુ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રોને સીધી અસરો થઈ શકે છે. જો એકાદ અઠવાડિયામાં ટ્રેડડીલ ફાયનલ ન થાય તો ભારતે અમેરિકાના વિકલ્પે અન્ય દેશોમાં નિકાસ વધારવી પડશે અને તે દિશામાં યુએઈ તથા બ્રિટનની જેમ અન્ય દેશો સાથે પણ નવા વ્યાપાર કરારો કરવાની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને રશિયા સાથે જ મૃતપ્રાયઃ (ડેડ) ગણાવ્યુ તેની સાથે ભારતની સરકાર જ નહીં, કોંગ્રેસ સહિતના વિપક્ષના કેટલાક નેતાઓએ પણ અસહમતિ દર્શાવી છે. જો કે, રાહુલ ગાંધીએ ટ્રમ્પના નિવેદનને સમર્થન મળે, તેવું નિવેદન કર્યું છે. ભારતનું અર્થતંત્ર હોય કે રશિયાનું અર્થતંત્ર હોય, તેને મૃત (મરેલુ) કહેવું એ ટ્રમ્પનો ઘમંડ અને અજ્ઞાનતા જ છે, કારણ કે ભારત અને રશિયાની સરખામણીમાં ટ્રમ્પનું ટપોરૃં પાકિસ્તાન તો તદૃન કંગાળ અર્થતંત્ર હોવાથી જ દુનિયાભરમાં કટોરો લઈને ફરે છે, તે પ્રકારના બિનરાજકીય ક્ષેત્રોમાંથી પણ પ્રત્યાઘાતો પડયા છે.

બીજ તરફ ૯૦ જેટલા દેશો પર ટેરિફ વધાર્યા પછી અમેરિકામાં મોંઘવારી ફાટી નીકળશે, અને ત્યાંના વિરાટકાય ઉદ્યોગો તથા વેપારક્ષેત્રને પણ નવા જ પડકારોનો સામનો કરવો પડશે, તેથી નજીકના ભવિષ્યમાં ટ્રમ્પને ઘરઆંગણે પણ વિરોધનો સામનો કરવો પડશે, તેવી આગાહી પણ ઈન્ટરનેશનલ કક્ષાના અર્થશાસ્ત્રીઓ કરી રહ્યા છે.

ભારતમાં ટ્રમ્પ ટેરિફનો મુદ્દો હજુ રાજકીયક્ષેત્રે જ ગુંજે છે, પરંતુ જો ટ્રેડડીલ નહીં થાય અને મોદી સરકારના દાવાઓ મુજબ વૈકલ્પિક માર્કેટ શોધવામાં વાર લગાડશે, તો તેની અસરો સામાન્ય જનતાને પણ થશે. બીજી તરફ ઘણાં લોકો એવું પણ કહે છે કે અમેરિકાએ મુકેલા પ્રતિબંધોની પરવાહ કર્યા વગર ભારતે રશિયા પાસેથી "વટ થી" સસ્તુ ઓઈલ (ક્રુડ) ખરીદ્યું અને યુદ્ધ સામગ્રી ખરીદવાનું પણ ચાલુ રાખ્યું , તેનો બદલો ટ્રમ્પ લઈ રહ્યા છે, અને તે સમયનો "વટ" અત્યારે બૂમરેંગ પૂરવાર થઈ રહ્યો છે.

એક દાયકા પહેલા જ્યારે બે-ત્રણ વર્ષ સુધી "અચ્છે દિન આને વાલે હૈ" નો નારો ગુંજતો હતો, અને આજે અખિલેશ યાદવે આપેલો "બૂરે દિન આ રહેે હૈ...બહુત બૂરે દિન આને વાલે હૈ" જેવા નારાઓ ગુંજ્વા લાગ્યા છે. હવે અમેરિકા-ભારત વચ્ચે નવી ટ્રેડડીલ થાય તો પણ ભારત અને ભારતીયો (વિદેશમાં વસતા દેશવાસીઓ સહિત)નું હિત જળવાઈ રહે અને ઘી ના ઠામમાં ઘી પડી રહે તેવું ઈચ્છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અંતે ટ્રમ્પે ટેરિફનો દંડો માર્યો, મોદી સરકાર પર વિપક્ષોની તડાપીટ, એક જ સવાલ....હવે શું ? જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડી જ દીધો અને ૨૫% ટેરિફની જાહેરાત કરી દીધી. આ જાહેરાતથી માત્ર રાજકીય જ નહીં, ઔદ્યોગિક, વ્યાપારિક, ટેકનોલોજી, આઈ.ટી. અને વિકાસ તથા આર્થિક ક્ષેત્રો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આ જાહેરાત કરીને જો ટ્રમ્પ ફરી ન જાય અને હજુ પણ ટેરિફ વધારે, ભારે પેનલ્ટી લગાવે, નવા પ્રતિબંધો કરે કે પછી યૂ-ટર્ન લઈ લે, તે પણ જોવું પડશે, કારણ કે નિર્ણયો જાહેર કરીને ફરી જવાની તેઓની આદત જગજાહેર છે. બીજી તરફ આ જાહેરાત પછી વિપક્ષો ગઈકાલે સાંજથી જ મોદી સરકાર પર તૂટી પડ્યા છે, એટલું જ નહીં, ભાજપ અને તેના સાથીદાર પક્ષોના નેતાઓ પણ ગઈકાલે સ્તબ્ધ જણાયા હતા.

વિપક્ષના નેતાઓ મોદી સરકારને ઘેરી રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રમ્પની મિત્રતા પર વ્યંગ વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા મીડિયાના માધ્યમથી એવી આવી હતી કે ભારત સરકાર ભારતના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સુક્ષ્મ, માધ્યમ, લઘુ ઉદ્યોગો (એમ.એસ.એમ.ઈ.) ના સંવર્ધન અને કલ્યાણની સુરક્ષાને પ્રાયોરિટી આપવાની મક્કમ નીતિ અપનાવી છે, અને રાષ્ટ્રીય હિતો માટે સરકાર તમામ કદમ ઉઠાવશે. સરકારે પોતાના આ અભિગમ અંગે બ્રિટન સાથે તાજેતરમાં જ કરેલા વ્યાપાર, અને આર્થિક સહિતના કરારોનું દૃષ્ટાંત આપતા દાવો કર્યો હતો કે આ માટે ભારત સરકાર આકરા કદમ ઉઠાવશે અને જરૂર પડ્યે વાટાઘાટો કરશે. વિગેરે...

ભારત પર ટેરિફ લગાવ્યા પછી અમેરિકાએ પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરીને ત્યાં તેલભંડારો વિકસાવવાની જાહેરાત કરી, તે પણ ભારત માટે ઝટકો છે. જો કે, ગઈકાલે સરકાર તરફથી વહેતા કરાયેલા અહેવાલો મુજબનો આ દાવો વિરોધપક્ષોને ગળે ઉતર્યો નહીં. આવતીકાલથી જ આ ટેરિફ લાગુ થઈ જવાની જાહેરાત થયા પછી ગઈકાલથી જ આકરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગી નેતા જયરામ રમેશે કહ્યું કે ટ્રમ્પ અને "હાઉડી મોદી" વચ્ચે આ પહેલા થયેલી પ્રશંસાઓનો કોઈ જ અર્થ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનું પરોક્ષ અપમાન અને પાકિસ્તાનની તરફેણ કરી હોવા છતાં મોદી એટલા માટે ટ્રમ્પના મધ્યસ્થીના દાવાઓ અંગે ચૂપ રહ્યા હશે કે ટ્રમ્પ ભારતને વિશેષ દરજ્જો આપીને ટેરિફ નહીં લગાવે, પરંતુ તેવું નથી થયું. મોદીએ ઈન્દિરા ગાંધીની પ્રેરણા લઈને રાષ્ટ્રપતિ (ટ્રમ્પ) ની સામે થવું જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે ભાજપ સરકાર અને વડાપ્રધાને રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતિ કરી છે, સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયાએ અમેરિકાની નિંદા કરી અને પી.એમ.મોદીના ગઈકાલના ભાષણને પણ નિરાશાજનક ગણાવી દીધું, તો ઉદ્ધવ જૂથના સાંસદ (શિવસેના) એ વ્યંગ કર્યો કે અમેરિકા માટે અમેરિકા ફર્સ્ટ છે, અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટેરિફ લાદે છે, છતાં "દોસ્ત" ફર્સ્ટ છે !

આજે સંસદમાં પણ ભારત પર ટેરિફ અને પાક. સાથે ટ્રેડ ડીલના ઘેરા પડઘા પડ્યા છે. અને આને મોદી સરકારની વિદેશનીતિની બદહાલી ગણાવાઈ રહી છે. બીજી તરફ ઉદ્યોગ વ્યાપારક્ષેત્ર તથા અર્થશાસ્ત્રીઓ ટ્રમ્પ ટેરિફના કારણે ભારતને કેટલી વિપરીત અસરો થશે, તેના તારણો કાઢી રહ્યા છે. તટસ્થ તજજ્ઞો અમેરિકાની દગાબાજી અને ટ્રમ્પે દુનિયાના ઘણાં દેશો પર લાદેલા ટેરિફની સરખામણી કરવાની સાથે સાથે ભારતના અર્થતંત્ર પર થનારી માઠી અસરો અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે, અને ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર તથા આયાત-નિકાસના આંકડાઓ ટાંકીને જી.ડી.પી. ને કેટલી અસર થશે તેના અનુમાનો પણ લગાવાઈ રહ્યા છે અને વારંવાર બોલીને વારંવાર ફરી જતા ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધવિરામ કરાવવામાં પોતાને મળેલી નિષ્ફળતાને સાંકળીને પેનલ્ટીની વાતો કરી રહ્યા હોવાથી તેને હવે "મિત્ર" કે "મિત્રદેશ" ગણવામાં શાણપણ નથી, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે. ભારત "બ્રિકસ"નું સભ્ય હોવાનું કારણ પણ બતાવાઈ રહ્યું છે.

ઘણાં લોકો એવું માની રહ્યા છે કે નોબેલ પારિતોષિકના ભૂખ્યા ટ્રમ્પને વૈશ્વિક શાંતિદૂત થવાના અભરખા જાગ્યા હોવાથી કોઈપણ બે દેશ વચ્ચેનું યુદ્ધ કોઈપણ કારણે અટકી જાય તો, પણ તેનો યશ ધરાર લેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભારત-પાકિસ્તાનનું યુદ્ધવિરામ ટ્રેડની ધમકી આપીને પોતે કરાવ્યું હોવાનો વારંવાર દાવો કરી રહ્યા ેછે, પરંતુ વડાપ્રધાન મોદીએ ક્યારેય તેને પોતે રદીયો આપ્યો નહોતો, તેથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના વિરોધપક્ષના નેતાઓ મોદીના મુખેથી આ સ્પષ્ટતા થાય, તેવું ઈચ્છતા હતા, પરંતુ મોદી મગનું નામ મરી પાડતા નહોતા. અંતે ઓપરેશન સિંદૂરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાને મંગળવારે લોકસભામાં ટ્રમ્પનું નામ લીધા વગર જ ટ્રમ્પે યુદ્ધવિરામ કરાવ્યું હોવાના દાવાને નકારતા કહ્યું હતું કે વિશ્વના કોઈપણ દેશ કે નેતાના કહેવાથી યુદ્ધવિરામ થયું નથી, અને ટ્રમ્પે બીજા જ દિવસે ૨૫% ટેરિફની ઘોષણા કરી દીધી હતી. જો કે, ગઈકાલે સાંજ સુધી બે માંથી કોઈપણ દેશે આ અંગે સત્તાવાર રીતે કોઈ લેખિત નિવેદન તો આપ્યું નહોતું પરંતુ ટ્રમ્પે પત્રકારો સમક્ષ અને ભારતે મીડિયાના માધ્યમથી જે કાંઈ કહ્યું, તે ગઈકાલે ગ્લોબલ ટોક નો વિષય બન્યો હતો.

એ પછી સરકારે જાહેર કર્યું કે આ મુદ્દે ભારતના હિતો સાથે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપતા એમ.એસ.એમ.ઈ., ખેડૂતો, દેશહિતની પ્રાયોરિટી જાળવીને જ ભારત અમેરિકા સાથે દ્વિપક્ષિય કરાર કરશે. સરકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનની નોંધ લીધી છે અને તેના સંભવિત પરિણામોનો અભ્યાસ થઈ રહ્યો છે. ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુદ્દે વાટાઘાટો કરી રહ્યા છે અને એક વાજબી, સંતુલિત અને પરસ્પર લાભદાયી દ્વિપક્ષિય વેપાર કરાર સુધી પહોંચી શકાય વગેરે...વગેરે...

અમેરિકાએ ભારત પર ૨૫% ટેરિફ લગાવ્યો અને રશિયા સાથે સંબંધો રાખીને તેની સાથે વ્યાપાર ચાલુ રાખવા બદલ એક ટકો પેનલ્ટી પણ લગાવાઈ છે, અને તેમાં વળી ટ્રમ્પ ભારતને દોસ્ત ગણાવે છે અને "આઈ લવ પાકિસ્તાન" પણ કહે છે, અને તે જ કારણે ઘણાં લોકોને ટ્રમ્પ કુણા પડશે, તેવો આશાવાદ છે., બીજી તરફ ટ્રમ્પના  પરિવાર દ્વારા ક્રિપ્ટો કરન્સીનું ગ્લોબલ સેન્ટર પાકિસ્તાનમાં ઊભું કરીને તેમાં મુનિર સહિતના પાકિસ્તાનીઓની ભાગીદારીની સાથે પણ ઘણાં વિશ્લેષકો ટ્રમ્પના ભારત પ્રત્યે બદલાયેલા વલણનું કારણ માની રહ્યા છે, તો ઘણાં લોકો ટ્રમ્પના આ વલણને વર્તમાન સરકરની વિદેશનીતિ તથા કૂટનૈતિક નિષ્ફળતા ગણાવી રહ્યા છે., જેની વૈશ્વિક મીડિયામાં ચર્ચા થઈ રહી છે.

તે પછી ટ્રમ્પના સોશ્યલ મીડિયાના ટ્વિટ પરથી એવું લાગી રહ્યું છે કે ભારત રશિયા પાસેથી યુદ્ધ સામગ્રી, ઉર્જા અને ક્રુડ મોટા પાયે ખરીદે છે, તે ટ્રમ્પને ખટકે છે. એક અભિપ્રાય એવો પણ છે કે મોદીએ અંતે સીઝફાયરમાં દુનિયાના કોઈપણ નેતાની મધ્યસ્થી નહીં હોવાનું જાહેર કર્યું તેનું આ પરિણામ છે. જો કે, ભારત આઝાદ થયું ત્યારથી સોવિયેટ યુનિયન અને રશિયાનું દોસ્ત રહ્યું છે, જ્યારે અમેરિકાને આ મિત્રતા ખટકતી જ રહી છે. એટલું જરૂર કહી શકાય કે આ કદાચ ઉભય "વિશ્વનેતા" બનવાના અભરખાઓનું પણ પરિણામ હોઈ શકે છે, જે હોવું જોઈતું નહોતું...અને તેનું જવાબદાર કોણ ? એ ઓપન સિક્રેટ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"શિક્ષણ"નો વિષય ગૌણ કેમ ? પૂરતા શિક્ષકો ક્યારે મળશે ? કયો મુદ્દો છે ટોક ઓફ ધ ટાઉન ?

                                                                                                                                                                                                      

નગરથી પાટનગર સુધી શિક્ષણ ક્ષેત્રના મુદૃાઓ આજે ચર્ચામાં છે. ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી  અને ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકો અને રેગ્યુલર શિક્ષકોની ભરતી કર્યા પછી પણ ખાલી રહી ગઈ હતી, અથવા તે પછી ખાલી થઈ ગઈ હોય, તેવી જગ્યાઓ માટે વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની સેવાઓ લેવાની છૂટ આપતો પરિપત્ર કર્યો હતો, જેની સામે પ્રચંડ વિરોધ ઉઠયો હતો અને શિક્ષકોના સંગઠનો તથા સંઘોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ વિરોધનો વંટોળીયો રાજ્યની રાજધાની સુધી પહોંચ્યો હતો અને શિક્ષણમંત્રી તથા મુખ્યમંત્રી સુધી આ વિરોધ ના પડઘા પડ્યા હતા.તે પછી રાજ્ય સરકારે પરોઠના પગલા ભર્યા અને જોરદાર વિરોધ પછી આ વિવાદાસ્પદ આદેશ રદ થઈ ગયો હતો.

એક તરફ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૬૭ નવનિયુક્ત શિક્ષકોને ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારીએ નવી નિમણૂકના ઓર્ડર એનાયત કર્યા હતા, તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ અને સામાજિક અગ્રણી દ્વારા દ્વારકા જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ઘટ હોવાથી વધુ જગ્યાઓ મંજુર કરવા અને પ્રવર્તમાન  ખાલી જગ્યાઓ તત્કાલ મંજુર કરવાની પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ હોવાના અહેવાલો આવ્યા છે. દ્વારકા જિલ્લામાં જ જો એક હજારથી વધુ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકોની ઘટ હોય અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ૨૦૦થી વધુ શિક્ષકોની ઘટ હોય તો આખા રાજ્યની સ્થિતિ કેવી હશે ? તેનો અંદાજ લગાડી શકાય છે.

ખુદ સરકારે જ ગયા વર્ષે જુલાઈમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ભરતી માટેનું જે કેલેન્ડર જાહેર કર્યું હતું, તેમાં ૨૫ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવાની થતી હતી, મતલબ કે તે સમયે જ આટલી જગ્યાઓ ખાલી હતી. આ કેલેન્ડરનો અમલ કર્યા પછી પણ જેમ જેમ શિક્ષકો નિવૃત્ત થતા જશે, તેમ તેમ નવી ખાલી જગ્યાઓ ઊભી થશે. આ સાયકલ ચાલતી જ રહેવાની હોવાથી જ જ્યારે ભરતી કેલેન્ડરો નક્કી થાય, ત્યારે તેના અમલીકરણની છેલ્લી તારીખ સુધીમાં વયનિવૃત્ત થનારા શિક્ષકોની પણ ગણતરી કરવાનો કોન્સેટટ રજૂ થયો હતો, પરંતુ વચ્ચે વિવાદાસ્પદ નિર્ણયો લઈને તાજેતરમાં ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની સેવાઓ લેવાની છૂટ આપવા સામે વિરોધનો વંટોળીયો ઉઠતા સરકારે ઝુકવું પડ્યું છે, અને હવે ફરીથી ખાલી જગ્યાઓ પર રેગ્યુલર ભરતી કરવાનું દબાણ વધ્યું છે.

આ તો માત્ર દૃષ્ટાંત છે. રાજ્યભરમાંથી આવી જ પ્રકારની પ્રતિક્રિયાઓ તથા રજૂઆતો થતી રહે છે. સરકાર માટે તો શિક્ષણનો વિષય ગૌણ જ હોય તેમ જણાય છે વગરવિચાર્યા નિર્ણયો લઈને તે પાછા ખેંચવા પડી રહ્યા છે કે પછી આ પણ સમય પસાર કરવાનો તથા શક્ય હોય ત્યાં સુધી ભરતીઓની પ્રક્રિયાઓ ઈરાદાપૂર્વક પાછળ ઠેલવાની તરકીબ છે ? તે પણ ચર્ચાનો તથા સંશોધનનો વિષય  છે. ખરૃં ને ?

ગુજરાતમાં શાળાપ્રવેશોત્સવ યોજીને આંગણવાડી, ધોરણ ૧ અને ધોરણ ૯માં પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશના કાર્યક્રમો તો દર વર્ષે યોજાય છે, પરંતુ ડેટા કલેકશન પછી પણ આંકડાકીય સમીક્ષા કરીને જરૂરી રેગ્યુલર શિક્ષકોની ભરતી નિયમિત ધોરણે કરવામાં આવતી નથી, એટલું જ દર વર્ષે ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્કૂલની જરૂરિયાતો, સાધન-સામગ્રી અને સુવિધાઓમાં જરૂરી સુધારા-વધારા પણ થતા હોતા નથી. આ કારણે જ એવા સવાલ ઉઠી રહ્યા છે કે શું રાજ્ય સરકાર શિક્ષણના વિષયને મહત્ત્વપૂર્ણ ગણતી નથી ? શું એજ્યુક્ેશન ડિપાર્ટમેન્ટને સરકાર જ ગૌણ ગણે છે કે પછી શિક્ષણ વિભાગનું જ ધરમૂળથી નવીનીકરણ કરવું પડે તેમ છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

જામનગરમાં તો શિક્ષણ ક્ષેત્રે એક અલગ જ પ્રકરણ ગુંજી રહ્યું છે. રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘે આંદોલનની ચિમકી આપી હોવાની ચર્ચા ગઈકાલથી ટોક ઓફ ધ ટાઉન બની છે. આ પ્રકરણના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે અને આ મુદ્દે નગરની રાજનીતિ પણ ગરમાઈ રહી છે.

હકીકતે જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના તાબા હેઠળના તંત્રના આદેશ સામે શિક્ષકોનું સંગઠન મેદાને પડ્યું છે. ગત તા. ૨૬ જુલાઈના દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આ મુદ્દો ઉપસ્થિત થયા પછી તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા, જે અંગે ગઈકાલે યુનિયનને કોઈ હૈયાધારણા મળી હતી, તેવી વાત પણ સામે આવી રહી છે.

વાસ્તવમાં નગરની શાળા નં. ૨૯ની બે શિક્ષકા બહેનો તથા એક શિક્ષકનું એક વર્ષનું ઈન્ક્રીમેન્ટ રોકવાના તથા સર્વિસ રેકોર્ડમાં વિરૂદ્ધ નોંધ થાય તે પ્રકારના શાસનાધિકારીના ઓર્ડર સામે શિક્ષકોનું યુનિયન મેદાને પડયું છે., અને આ પ્રકારની કડક સજાની ફેરવિચારણા નહીં થાય તો તેના ઘેરા પડઘા પડશે અને યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવશે.

આ ઉહાપોહ પછી જામનગરની મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં હલચલ થઈ હતી અને યુનિયનોના હોદ્દેદારો તથા સંબંધિત અધિકારી વચ્ચે કોઈ બેઠક યોજીને વિવાદને સમાવવાનો પ્રયાસ કરાયો, અને યુનિયને આ કડક કદમ અંગે ફેરવિચારણા નહીં થાય તો આંદોલનોનો કાર્યક્રમ જાહેર કરવાની ચિમકી આપી હોવાની વાતો વહેતી થઈ હતી. તે પછી તંત્ર કુણુ પડયુ અને ફેરવિચારણાની તૈયારી બતાવાઈ હોવાના દાવાઓ પણ ચર્ચામાં આવ્યા હતા. આ કારણે આ મુદ્દો ગઈકાલે ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો, અને તેના સંદર્ભે આજે જે કાંઈ બની રહ્યું છે તે આપણી સામે જ છે. શિક્ષણ ક્ષેત્રે ઓછામાં ઓછા વિવાદો સર્જાય, અને આ વિવાદોની વિપરીત અસરો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના માનસ પર ન થાય, તેવું ઈચ્છીએ...અંત ભલા તો સબ ભલા...

તાજેતરમાં રાજસ્થાનમાં એક સરકારી સ્કૂલની છત જીવલેણ બની, તેના દેશવ્યાપી પ્રત્યાઘાતો પડયા અને ત્યાનાં મુખ્યમંત્રી ડગમગી રહ્યા છે અને ભાજપ ત્યાંના મુખ્યમંત્રીને ટૂંક સમયમાં બદલવાની વિચારણાચ કરી રહ્યું હોવાના જે અહેવાલો છે, તેમાં રાજ્યની શાળાઓની જર્જરિત સ્થિતિ તથા બનેલી ગમખ્વાર ઘટનાની ભૂમિકા મુખ્ય હોવાનું કહેવાય છે, ત્યારે તેમાંથી બોધપાઠ લઈને ગુજરાતમાં પણ જો આવી રીતે જીવલેણ, જોખમી કે અસુરક્ષિત સ્કૂલો હોય, તો તેનો સર્વે કરાવીને જરૂરી મરામત સમયસર કરાવી લેવી જરૂરી છે, અન્યથા ગંભીરા દુર્ઘટના પછી રાજ્યના પુલોની ગુણવત્તા ચકાસણી કરવા દોડવું પડયું, તેમ ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળવું પડશે. રાજસ્થાન કરતા ગુજરાતમાં સ્કૂલોની ઈમારતો સારી દેખાતી હોય તો પણ દુર્ગમ ટ્રાયબલ તથા પહાડી વિસ્તારોમાં ઘણી શાળાઓની ઈમારતો નબળી હશે, તેની મરામત જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંસદમાં સટાસટી... સડક ગમખ્વાર, સુપ્રિમમાં સુનાવણીઓ, ઘેરાઈ છે સરકાર ?

                                                                                                                                                                                                      

દેશમાં ચોમાસુ બેસી ગયું અને વિવિધ રાજ્યોમાં મેઘમહેર થઈ. ઘણાં વિસ્તારોમાં આંધી, તોફાન સાથે અતિવૃષ્ટિ થતા મેઘમહેર કહેરમાં પણ બદલાઈ ગઈ છે. બીજી તરફ સંસદના ચોમાસુ સત્રમાં પણ પ્રારંભથી જ ચોમાસાની આંધી-તોફાન અને અતિવૃષ્ટિ જેવા દૃશ્યો ઊભા થયા, અને અંતે સરકારે ઓપરેશન સિંદૂર પર વિસ્તૃૃત ચર્ચાની વિપક્ષોની માંગણી સ્વીકારવી જ પડી. ગઈકાલે મધ્યરાત્રિ વીતી ગયા પછી પણ ચાલુ રહેલી આ ચર્ચા આજે પણ ચલાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ અને આજે રાજ્યસભામાં આ જ મુદ્દે ચર્ચા થયા પછી સરકારના જવાબ પર સૌની નજર રહેવાની છે.

ગઈકાલે લોકસભામાં થયેલી ચર્ચા દરમ્યાન વિપક્ષો દ્વારા સરકાર પર આક્ષેપો વરસાવ્યા અને સરકાર પક્ષ તરફથી તેનો પલટવાર થયો, તે ભારે મેઘગર્જના અને આકાશી વીજળી તથા તોફાની પવન સાથે થતા સુપડાધાર વરસાદ જેવા હતા. સણસણતા સવાલો અને તેના જુસ્સેદાર જવાબો વચ્ચે વચ્ચે થતી તેજાબી ટિપ્પણીઓ વચ્ચે પણ બધા જ પક્ષો ભારતીય સેનાની પ્રશંસા કરી રહ્યા હતા, પહલગામમાં આતંકવાદીઓના  કાયરતાપૂર્ણ અને ધર્મ પૂછીને કરાયેલા નિંદનિય હૂમલામાં જીવ ગુમાવનાર પર્યટકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા હતા, એટલું જ નહીં, પડોશી દેશ પાકિસ્તાનના પ્રપંચોને પણ વખોડી રહ્યા હતા, તેમાંથી મતભેદો વચ્ચે પણ દેશભક્તિથી તરબતર એક પ્રકારની એકજૂથતા તથા ભારતીય સંસ્કૃતિની પ્રબળતા દર્શાવી રહ્યા હતા, તે જ ભારતની તાકાત છે.

ગઈકાલે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી, તે દરમ્યાન જ જમ્મુ-કાશ્મીરથી એવા અહેવાલો આવ્યા કે ભારતીય સેનાએ "ઓપરેશન મહાદેવ" માં મોટી સફળતા મેળવી છે અને ત્રણ ખૂંખાર પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ ત્રણ આતંકવાદીઓ પૈકીનો હાશિમ મુસા ઉર્ફે સુલેમાન પહલગામમાં નિર્દોષ પર્યટકોને તેઓના પરિવારજનોની નજર સામે જ ધર્મ પૂછીને બર્બરતાથી હત્યા કરવાના ષડ્યંત્રનો માસ્ટર માઈન્ડ હોવાનું પણ જાહેર કરાયું હતું. જો કે, જે ચાર-પાંચ આતંકવાદીઓએ પહલગામમાં બર્બરતાપૂર્ણ કૃત્ય કર્યુ હતું તેઓની ઓળખ તો થઈ ગઈ છે, પરંતુ તે તમામને મોતને ઘાટ નહીં ઉતારાય, ત્યાં સુધી આ હૂમલામાં જીવ ગુમાવનાર પર્યટકોના પરિવારજનોને ન્યાય મળવાનો નથી અને ભારતીય સેના એ માટે સરહદે પ્રયત્નશીલ જ હશે, પરંતુ આ જ મુદ્દે સંસદમાં જે કાંઈ થઈ રહ્યું છે, તે જોતા મોદી સરકાર સવાલોના ઘેરામાં છે.

ગઈકાલે સંસદમાં જ્યારે ઓપરેશન સિંદૂર અંગે જોરદાર ચર્ચા થઈ રહી હતી ત્યારે સુપ્રિમ કોર્ટમાં પણ કેટલાક મહત્ત્વપૂર્ણ કેસોમાં સુનાવણી દરમ્યાન દલીલો અને અદાલતના સણસણતા સવાલોના કારણે ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી.

હકીકતે સંસદમાં જસ્ટિસ વર્મા સામે તેના સળગેલા ઘરમાંથી મળી આવેલી બળી ગયેલી ચલણી નોટોના કેસમાં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને તેમને જજના હોદ્દા પરથી હટાવવા દોઢસો થી વધુ સાંસદોની સહી સાથેનો પ્રસ્તાવ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ રજૂ થયો છે. તેવી જ રીતે રાજ્યસભામાં પણ નિયમાનુસાર ૫૦થી વધુ સાંસદોની સહી સાથે આ પ્રસ્તાવ મુકાયો છે.

આ પ્રક્રિયા અટકાવવા અને મહાભિયોગની ભલામણને રદ કરવાની જસ્ટિસ વર્માની અરજી સામે સર્વોચ્ચ અદાલતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, અને જસ્ટિસ વર્માના વકીલ કપિલ સિબ્બલને સણસણતા સવાલો કર્યા હતા. અદાલતે પુછયું કે જો તમને સર્વોચ્ચ અદાલતે રચેલી તપાસ સમિતિ સાથે જ વાંધો હતો, તો તમે તેની સમક્ષ શું એવું વિચારીને હાજર થયા હતા કે સમિતિનો ફેંસલો તમારી તરફેણમાં જ હશે ?

વાસ્તવમાં સુપ્રિમ કોર્ટે રચેલી ત્રણ સભ્યોની સમિતિએ તપાસ કરીને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટપણે જસ્ટિસ વર્માને દોષિત ઠરાવ્યા હતા અને તે પછી જ સર્વોચ્ચ અદાલતે આ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને સરકારને મોકલ્યો હતો, તથા મહાભિયોગની દરખાસ્તો રજૂ થઈ હતી, તેથી હવે જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને મહાભિયોગની દરખાસ્તો સંસદમાં પેન્ડીંગ છે, તેવી સ્થિતિમાં સુપ્રિમ કોર્ટ અંતિમ નિર્ણય શું લેશે, તે સંદર્ભે સૌ કોઈની નજર આ કેસમાં આજની સુનાવણી પર મંડાયેલી હતી.

સુપ્રિમ કોર્ટમાં આજે પણ આ મુદ્દે સુનાવણી ઉપરાંત અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ કેસોની ચાલી રહેલી કાર્યવાહીના કારણે સુપ્રિમ કોર્ટ અને સંસદની ગતિવિધિઓની સીધી અસરો રાજકીય ક્ષેત્રમાં પણ પડી રહી છે.

બીજી તરફ ગઈકાલે બિહારમાં મતદાર યાદીના પુનઃ નિરીક્ષણ કરીને નવી મતદાર યાદીઓ પ્રકાશિત કરતા ચૂંટણીપંચને અટકાવવાના કેસમાં સુપ્રિમ કોર્ટે ચૂંટણીપંચને રાહત આપી દીધા પછી તેના રાજકીય પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે., સુપ્રિમ કોર્ટે અરજદારની આ અરજી ફગાવી દેવાની સાથે સાથે ચૂંટણીપંચને કેટલાક સૂચનો પણ કર્યા છે, અને આજે આ મુદ્દે નવી મુદૃત પડશે, તેવું લાગે છે, પરંતુ આ મહત્ત્વપૂર્ર્ણ મુદ્દો હવે રાષ્ટ્રીય બનવાનો છે અને આ અંગે સુપ્રિમ કોર્ટ જે કાંઈ અંતિમ ચુકાદો આપે, તેના પર જ આ પ્રકારે દેશવ્યાપી મતદારયાદી સુધારણાના ચૂંટણીપંચના માસ્ટર પ્લાનનો આધાર રહેવાનો છે.

આ મુદ્દે કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર જૂથ), શિવસેના (યુટીબી), સમાજવાદી પાર્ટી, જેએમએમ, સીપીઆઈ વગેરે પોલિટિકલ પાર્ટીઓએ સુપ્રિમ કોર્ટમાં ધા નાખી છે. બિહારની ચૂંટણી પહેલા એસઆઈઆર એટલે કે મતદારયાદીની ચકાસણી  અને સુધારણાની આ કાર્યવાહીના ટાઈમીંગ સાથે પણ વાંધો ઉઠાવવામાં આવી  રહ્યો છે. કેટલાક વિપક્ષી નેતાઓએ વ્યક્તિગત રીતે પણ આ જ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં અરજીઓ કરી છે, અને તેની વિસ્તૃત સુનાવણીઓ પછી જ સુપ્રિમ કોર્ટનો ફેંસલો આવશે, પરંતુ હાલ સુધી તો ચૂંટણીપંચની આ પ્રક્રિયા યથાવત જ રહેશે, તેવી ચોખવટ થઈ જતા હવે રાજકીય પક્ષો આ મુદ્દે નવેસરથી રણનીતિઓ ઘડી રહેલા હોય તેમ જણાય છે.

હરિદ્વારમાં મનસાદેવીમાં ભાગદોડની ઘટના પછી આજે ૧૮ કાવડિયાઓના મૃત્યુ એક જબરદસ્ત માર્ગ-અકસ્માતમાં થયા હોવાની દુર્ઘટનાએ દેશભરમાં કરૂણાંતિકા સર્જાઈ છે. આ કરૂણ ઘટના પછી શ્રાવણ મહિનામાં દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, સોમનાથ જેવા યાત્રાસ્થળોમાં આગામી તહેવારોમાં માત્ર મંદિરો કે દર્શનીય સ્થળો જ નહીં, પરંતુ ધોરીમાર્ગો પર પણ ગતિમર્યાદા તથા પદયાત્રીઓ માટે પ્રોટેક્શન મળી રહે, તેવી ચૂસ્ત વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે અને જાહેરનામાઓ, હૂકમો, નિયમો, ગાઈડલાઈન્સ તથા સતર્કતા માટે અપાતા જુદા જુદા ક્ષેત્રના વિવિધ એલર્ટ વગેરેનો વાસ્તવમાં પૂરેપૂરો અમલ થાય, તેની તાકેદારી પણ રાખવી જ પડે તેમ છે. આ પડકાર ઝીલવા હવે તંત્રોએ તૈયાર રહેવું પડશે અને આ અંગેની જવાબદારીમાંથી સંબંધિત વિભાગો, આયોજકો કે સરકાર છટકી શકશે નહીં, કારણ કે ન્યાયતંત્ર દ્વારા હવે સુઓમોટો સુનાવણીઓ પણ ગંભીરતાથી થવા લાગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આતંકીસ્તાન સાથે ક્રિકેટ મેચ શા માટે? પૈસાનો ખેલ.. દેશ સાથે ખીલવાડ... ક્રિકેટરો કરે બહિષ્કાર.. ચૂપ કેમ છે સરકાર ?

                                                                                                                                                                                                      

એશિયા કપનું શિડ્યુલ જાહેર થયા પછી ૧૫મી સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં ક્રિકેટ મેચ રમાશે, તેવું જાહેર થતા જ દેશભરમાં વિવાદનો વંટોળ ઉઠ્યો છે અને આ વખતે યજમાની ભારતે કરવાની હતી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી પછી ભારતે પાકિસ્તાન સાથે તમામ સંબંધો તો સ્થગિત કરી દીધા હોવાથી યુ.એ.ઈ.માં ૯ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી (તટસ્થ સ્થળે) આ ટૂર્નામેન્ટ રમાડાશે, જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ ૧૪મી સપ્ટેમ્બરે યોજાશે, અને આ ગ્રુપમેચ પછી એવી સંભાવનાઓ પણ રહે છે કે સુપર ફોરમાં અને ક્વાલિફાય થાય તો ફાઈનલમાં પણ બંને ટીમો સામે સામે આવી શકે છે. એ.સી.સી. દ્વારા આ ટૂર્નામેન્ટનો વિસ્તૃત શિડ્યુલ જાહેર થયા પછી દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, અને વિપક્ષો આને પૈસાનો ખેલ જણાવી રહ્યા છે, અને દેશ સાથે મોદી સરકાર ખીલવાડ કરી રહી હોવાના તીખા તમતમતા આક્ષેપો થઈ રહ્યા છે, અની બી.સી.સી.આઈ.ને આવું કરતું રોકવાના બદલે ગઈકાલ સુધી સરકાર તદૃન ચૂપ શા માટે હતી ? આજે પણ આ મુદ્દે ગોળ ગોળ વાતો શાસક પક્ષોની નેતાગીરી શા માટે કરી રહ્યી છે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે, વિપક્ષો તો ત્યાં સુધી આક્ષેપ કરી રહ્યા છે કે આઈ.સી.સી.ના પ્રમુખપદે કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર જ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જે એક પ્રકારે દેશવાસીઓ જ નહીં, યુદ્ધોમાં પાકિસ્તાન સામે લડતા લડતા શહીદો થયેલા તથા પહલગામમાં જેની ધર્મ પુછીને પાક પ્રેરિત આતંકવાદીઓએ હત્યા કરી, તે દિવ્યાત્માઓનું પણ અપમાન છે, તેવો પ્રચંડ આક્રોશ પણ વિવિધ રાજકીય પક્ષો જ નહીં, કેટલાક અન્ય ગણમાન્ય લોકો તથ વ્યક્ત કી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર પછી વિશ્વના જુદા જુદા દેશોમાં ભારત તરફથી પાકિસ્તાનની અસલિયત દુનિયા સમક્ષ મુકવા ગયેલા સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળો પૈકીના એક ડેલિમેશન માં સામેલ મહારાષ્ટ્રના સાંસદ અને શિવસેના (યુબીટી) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ કહ્યું કે જ્યારે આપણો દેશ કારગીલ વિજય દિવસ ઉજવી રહ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી હતી, ત્યારે જ પાકિસ્તાનના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ ઘમંડ સાથે ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં રમાનાર ક્રિકેટ મેચની ઘોષણા કરી રહ્યા હતા, જે આપણા શહીદોનું અપમાન છે. ઓપરેશન સિંદૂરનું સત્ય દુનિયા સમક્ષ મુકવા, જ્યારે ડેલિગેશનનો વિશ્વના જુદા જુદા દેશોમાં ગયા, ત્યાં ભારત સરકારના સંદેશ મુજબ ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવનું બંધ નહીં કરે, ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર નહીં રાખે, કે વાટાઘાટો પણ નહીં કરે. હવે જો વાતચીત જ નહીં, ક્રિકેટ રમવા માટે  પણ તૈયારી બતાવાઈ રહી હોય, તો તેનો વિરોધ આખો દેશ કરશે, બીજી તરફ એવા પ્રતિભાવો પણ આવ્યા કે પાકિસ્તાન સાથે મેચ નહીં રમવા દેવાની ચર્ચાનું આયોજન કરનાર ભારતીય ન્યુઝ ચેનલો પૈકી કેટલીક ચેનલો વચ્ચેના પણ પાક.ના પ્રતિનિધિઓને ચર્ચામાં સામેલ કરવા ન જોઈએ ?

પ્રિયંકા ચતુર્વેદી જ નહીં, વિપક્ષના અનેક નેતાઓના આક્રોશપૂર્ણ નિવેદનો આવ્યા પછી ટેલિવિઝન ચેનલો પર ચાલતા ડિબેટીંગમાં એન.ડી.એ.ના સાથીદારો સહિત શાસક પક્ષના પ્રવકતાઓ ગેં..ગેં...ફેં...ફેં....કરતા અને ફીફાં ખાંડતા જોવા મળ્યા, કારણ કે આખી દુનિયાની ક્રિકેટ ટૂર્નામેન્ટોનો કંટ્રોલ જેની પાસે હોય છે, તેના અધ્યક્ષ જ કેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર હોય અને ઓપરેશન સિંદૂર હજુ ખતમ ન થયું હોય ત્યારે આ પ્રકારે નફ્ફટ, નમાલા અને નપાવટ પડોશી દગાબાજ દેશની ટીમ સાથે ક્રિકેટ રમવાની ઘોષણા થાય, તે પણ શરમજનક ગણાય, એટલું જ નહીં, આવી ઘોષણા થઈ જ શા માટે ? તેવા સવાલોનો કોઈ જવાબ પણ મળી શક્યો નહોતો.

એવી દલીલ થઈ રહી હતી કે આંતરરાષ્ટ્રીય શિડ્યુલ્સ બે મહિના પહેલા તૈયાર થઈ જતા હોય છે, અને બી.સી.સી.આઈ. સરકારી નથી, તેથી હવે સરકાર કદમ ઉઠાવશે જેથી પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમાય, જેની સામે એવો આક્રોષ થઈ રહ્યો હતો કે સરકારે આ શિડ્યુલ જાહેર થાય, ત્યાં સુધી ઈરાદાપૂર્વક રાહ જોઈ, અને જોયું કે, જન-પ્રતિભાવો કેવા પડે છે...જો આટલો પ્રચંડ વિરોધ ન થયો હોત તો "રમત" ચાલુ રાખવી અને  હવે "જનભાવનાઓને અનુરૂપ" ગણાવીને મેચ રદ કરવાનો "યશ" પણ લઈ લેવાની ગંદી રાજનીતિ અપનાવાઈ રહી છે., અન્યથા ક્ેન્દ્રીય ગૃહમંત્રીના પુત્ર જ આઈ.સી.સી.ના અધ્યક્ષ હોય અને કેન્દ્ર સરકારને શિડ્યુલ જાહેર ન થઈ જાય, તેવું બને જ નહીં ને ?

આ ટૂર્નામેન્ટ રદ થાય કે ભારત નહીં રમે, તો બહુ બહુ તો જંગી નાણાકીય નુકસાન થાય કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમો મુજબ ભારતને ટૂર્નામેન્ટમાં રમવું જ નહીં પડે અને ભારતની ટીમ પાકિસ્તાન સામે ન રમે, તો ભારતીય ટીમને પોઈન્ટનું નુકસાન થાય, તેનાથી વધુ શું થાય ?, પરંતુ આ પ્રકારનું કદમ પાકિસ્તાન અને વિશ્વને આતંકવાદ વિરોધી કડક સંદેશ આપે, અને ભારતની આતંકવાદ વિરોધી રણનીતિની મક્કમતા પૂરવાર થાય, દેશભરમાંથી એવી જનભાવનાઓ પણ ઉઠી રહી છે કે બી.સી.સી.આઈ. કે આઈ.સી.સી. ભલે નિયમો બતાવે અને સરકાર શાહમૃગીવૃત્તિ અપનાવીને ચૂપ રહે, તો પણ ભારતીય ક્રિકેટ ટીમે અને તમામ ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાન સાથે રમવાની ચોખ્ખી ના પાડીને બહિષ્કાર કરી દેવો જોઈએ.

આજે સંસદમાં ઓપરેશન સિંદૂરને સાંકળીને થનારી ચર્ચામાં પણ આ મુદૃો અગ્રેસર રહેવાનો જ છે અને તેથી જ આજે જે કાંઈ બની રહ્યું છે, તે મોદી સરકારની નીતિ વિષયક આલોચનાઓનું પરિણામ ગણાવાઈ રહ્યું છે, પરંતુ એવું કહી શકાય કે "અગર અંત ભલા તો સબ ભલા..."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શ્રાવણી, શાંતિ પ્રયાસો અને શિવ સ્મરણ સાથે, આજે કારગીલ વિજય દિવસની ઉજવણી... ક્યા બે ટચુકડા દેશો શિવ મંદિરો માટે ટકરાયા? હર હર મહાદેવ.. જય જય ભારત માતા...

                                                                                                                                                                                                      

શ્રાવણના પ્રારંભે જ જામનગરમાં એક તરફ તો શિવાલયો ઝળહળ્યા અને બીજી તરફ શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ શિવમંદિરના ડિમોલીશનના અહેવાલો અને તે પછી તેની થયેલી ચોખવટની ચર્ચા ચાલી. હકીકતે અન્યત્ર નવું શિવમંદિર તૈયાર કરીને પૂરેપૂરી ધાર્મિક વિધિ કરીને ત્યાં શિવલીંગની પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી જ જૂના મંદિરનું માળખુ હટાવાયુ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી. જો કે, અખબારોમાં તો આ વિગત ટાઈમીંગને લઈને રજૂ થઈ હતી, પરંતુ સંબંધિત ટ્રસ્ટે ચોખવટ કરી દેતા ગેરસમજ ફેલાતી અટકી ગઈ હતી. એવી ચોખવટ પણ થઈ કે આ પ્રકારની પ્રક્રિયા પહેલેથી જ ચાલતી હતી અને યોગાનુયોગ જ શ્રાવણની શરૂઆતનો દિવસ આવી ગયો હતો. બીજી તરફ ઘણાં લોકો શ્રાવણી મેળાને લઈને હાથ ધરાયેલી કાનૂની કાર્યવાહીને આ ઘટના સાથે સાંકળી રહ્યા છે. આ ઘટનાક્રમ  એ સૂચવે છે કે જે કાંઈ કરો તે પૂરેપૂરૂં વિચારીને કરો, વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય...

યોગાનુયોગ ભારતની નજીક જ બે દેશો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલા યુદ્ધનો પ્રારંભ પણ શ્રાવણ મહિનાને સ્પર્શી ગયો છે અને શ્રાવણના પ્રથમ દિવસે જ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે જંગ વધુ તિવ્ર બની ગયો હતો. એ પણ ગજબનો યોગાનુયોગ છે કે શ્રાવણ મહિનામાં આ બંને ટચુકડા દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાનું મુખ્ય કારણ પણ બે શિવમંદિરો જ હોવાનું કહેવાય છે.

થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદના વિવાદમાં બે શિવમંદિરોની જગ્યાની માલિકીની ખેંચતાણ મુખ્ય છે. આ બે શિવમંદિર લગભગ એક હજાર વર્ષ જૂના છે, જેના પર બંને દેશો દાવો કરી રહ્યા છે. આ બંને દેશો પર જયારે બ્રિટીશરો અને ફ્રાન્સના શાસનો હતા, ત્યારે પણ આ વિવાદ ચાલી જ રહ્યો હતો. તવારીખ જણાવે છે કે ભૂતકાળમાં જયારે વર્ષ-૧૯૦૭માં કંબોડિયામાં ફ્રાન્સનું શાસન હતું, ત્યારે જે સીમાંકન થયું અને ૮૧.૭ કિલોમીટર લાંબી સરહદનો મેપ તૈયાર થયો, ત્યારે પ્રીહ વિહિયર કંબોડિયામાં દર્શાવાયું, તેનો થાઈલેન્ડે જબરદસ્ત વિરોધ કર્યો, તેવી જ રીતે તા મુએન થોમ મંદિર તે થાઈલેન્ડમાં દર્શાવાયું, જેના પર કંબોડિયાનો પહેલેથી જ દાવો હતો. તા મુએન થોમ જ્યાં આવેલું છે, ત્યાં સરહદી વિવાદ હોવાથી એ નક્કી થઈ શકતું નથી કે આ મંદિરની જગ્યા ક્યા દેશમાં ગણવી જોઈએ. થાઈલેન્ડ તરફ આવેલું જણાતુ આ મંદિર કંબોડિયામાં ખમેર સામ્રાજ્ય હતું, ત્યારે બન્યું હોવાનો દાવો કંબોડિયા કરી રહ્યું છે. બંને શિવમંદિરો છે, અને તે મંદિરો જ નહીં, પરંતુ મંદિરોના તાબાની જમીન પર પણ બંને દેશો દાવો કરતા રહ્યા છે, પરંતુ હવે શિવમંદિરો તથા તેની જગ્યાને લઈને બંને દેશો વચ્ચે જંગ શરૂ થઈ ગયો છે. આમ પણ થાઈલેન્ડ અને કંબોડિયાનો હિસ્ટ્રી ખમેર સામ્રાજ્ય અને સિયામ સામ્રાજ્ય એટલે કે વર્તમાન વિવાદની જેમ જ સેંકડો વર્ષોથી ચાલી આવતી સભ્યતાઓના ટકરાવ સાથે સંકળાયેલો છે, અને જે સીમાવિવાદ છે, તેમાં ભાવનાત્મક નહીં, પરંતુ આધિપત્ય અને જમીન-સંપત્તિની માલિકીની ખેંચતાણ વધુ હોય તેમ જણાય છે. જે હોય તે ખરૂં, પણ હવે આ યુદ્ધ ચીન વકરાવશે અને વિશ્વસમુદાય અટકાવશે તે તો યુએનએસસીની ઈમરજન્સી બેઠક પછી જ ખબર પડશે. પરંતુ જો કોઈપણ કારણો જ્યારે યુદ્ધવિરામ થશે, ત્યારે નોબેલ પ્રેમી ટ્રમ્પચાચા જરુર દાવો કરશે કે ટ્રેડ અને ટેરિફની ચેતવણી આપીને યુદ્ધ બંધ કરાવ્યું છે, તે પ્રકારન વ્યંગાત્મક કોમેન્ટો અને કાર્ટુનો પણ ટ્રેન્ડ થઈ રહ્યા છે.

ઈરાન-ઈરાક-ઈઝરાયલ-સીરિયા-પેલેન્ટાઈન વગેરે દેશોમાં લાંબા સમયથી યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, કેટલાક યુદ્ધો થોડા મહિનાઓથી માંડ થંભ્યા છે, તો કેટલાક દેશોમાં ગૃહયુદ્ધો પણ ચાલી રહ્યા છે. આ ઘટનાક્રમો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે, તેવામાં પુતિન-ઝેલેન્સ્કીની મુલાકાતની સંભાવનાઓ અંગે વૈશ્વિક ચર્ચા થવા લાગી છે, તો બીજી તરફ આ બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન વચ્ચેનો બુનિયાદી વિવાદ ઉકેલ્યા વિના પરસ્પર મુલાકાત  યોજાય કે શિખર બેઠક થાય, તેવી સંભાવનાઓ ઘણી જ ઓછી છે, પરંતુ બંને દેશો હવે થોડા ઢીલા તો પડ્યા જ છે., તેથી શ્રાવણ મહિનામાં જ શાંતિસ્થાપન માટેની બુનિયાદ રચાઈ જાય, તેવું ઈચ્છીએ, કારણ કે વિશ્વશાંતિ અને વસુધૈવ કુટુંબકમ્ ને વરેલી આપણી ભારતીય સંસ્કૃતિ માવનસંહાર કે માનવતા વિરોધી હોય તેવા યુદ્ધો, ઘર્ષણો, કે કટ્ટરતાની હંમેશાં વિરોધી રહી છે, રશિયા સામે ચાલાકીપૂર્વક પરોક્ષ યુદ્ધ યુક્રેનના ખભે બંદૂક રાખીને કોણ લડી રહ્યું છે, તે ઓપન સિક્રેટ છે, તદૃુપરાંત હથિયારો-યુદ્ધ સામગ્રીના પ્રોડક્શન અને વેપલા જેવા છુપા સ્થાપિત હિતો પણ વિવિધ દેશો વચ્ચે યુદ્ધો વકરતા હોવાથી બે બિલાડીના વિવાદમાં વાંદરો ફાવી ન જાય, તે પ્રકારની કપટલીલા ભજવાઈ રહી છે.

ઓપરેશન સિંદૂરના વિષય પર સંસદ ખોરવાતી રહ્યા પછી હવે સોમવારથી ચર્ચા શરૂ થતા સંસદની કાર્યવાહી રેગ્યુલર ચાલશે, તેવા આશાવાદ વચ્ચે એક તરફ ભારતમાં રાજનીતિ ઉફાણે આવી છે, અને બિહારથી ચૂંટણી જીતવાના દાવ-પેચ વચ્ચે મતદારયાદી સુધારણાની નવી પદ્ધતિ (કે તરકીબ?) સામે પણ વિપક્ષો મોદી સરકાર સામે પ્રહારો કરી રહ્યા છે, તેવા સમયે માલદીવ્સમાં પણ ભારત અને માલદીવ્સ વચ્ચે કેટલાક કરારો થયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંના સ્વાતંત્ર્ય પર્વમાં મુખ્ય અતિથિ છે, તેની ચર્ચાની સાથે સાથે ભારતે માલદીવ્સને પાંચ હજાર કરોડની લોન સાથે ૭૨ હેવી વ્હીકલ આપવાની પહેલ કરી, તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ભારતની નેબરહૂડ ફર્સ્ટની પરંપરાગત પોલિસી રહી છે, ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનવાની ઊભી થયેલી પ્રબળ સંભાવનાઓ પર ફરીથી ચીનની ચબરાકભરી ચાલનો ઓછાયો ન પડે, તો સારૂં, તેવા પ્રતિભાવો પણ સામે આવી રહ્યા છે. તે પહેલા બ્રિટન સાથે પણ ફ્રી ટ્રેડ સમજૂતિ થઈ રહી છે, જેના કારણે ટ્રમ્પના ભવા તણાયા હોવાની વાત પણ થવા લાગી છે.

આજે આપણો દેશ કારગીલ વિજય દિવસ પણ ઉજવી રહ્યો છે અને એ યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ભારતીય સેનાને બીરદાવાઈ રહી છે, તે ઉપરાંત વાજપેયી સરકાર તે સમયની રાજનૈતિક એકજૂથતાને પણ યાદ કરવામાં આવી રહી છે. યોગાનુયોગ શ્રાવણ મહિનો, કારગીલ વિજય દિવસની સાથે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોને શાંત કરવાના પ્રયાસોનું સંયોજન પણ થયું છે, ત્યારે ભારતના વિવિધ યુદ્ધો તથા સાહસિક સલામતિ માટે વીરગતિ પામનાર તમામ શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ અને યુદ્ધ લડનાર તમામ જાંબાઝોને બિરદાવીએ...સારે જહાં સે અચ્છા, હિન્દુસતાં હમારા...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શ્રાવણ મહિનાનો થયો પ્રારંભ... સ્ટેન્ડીંગ, સેટિંગ, સોગંદનામા અને સંકલન જેવા શબ્દપ્રયોગો... સ્વયં ચકડોળે ચડ્યા શ્રાવણીયા મેળા !

                                                                                                                                                                                                      

આજથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય, હર હર ભોલેના ગુંજરવ સાથે શિવભક્તો દ્વારા વ્રત, ઉપવાસ અને અનુષ્ઠાનો શરૂ થઈ ગયા છે. બીજી તરફ શ્રાવણી મેળાઓ, ઉત્સવો, ઉજવણીઓ અને ધાર્મિક-પ્રાકૃતિક પ્રવાસોની તૈયારીઓ પણ થવા લાગી છે.

"સૌરાષ્ટ્ર સોમનાથમ્" એટલે કે પ્રથમ દ્વાદશ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથમાં આજથી દેશ-વિદેશથી દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં ઉમટશે, તેવી જ રીતે દ્વારકાના નાગેશ્વરમાં પણ શિવભક્તોની ભીડ જામશે. નાનામાં નાના ગામડાથી માંડીને મહાનગરો, નગરો, શહેરોમાં તમામ શિવાલયોમાં ભગવાન શંકર, શિવજી અને મહાદેવના જયઘોષ સાથે આજથી આખો મહિનો શિવભક્તો દ્વારા વ્રતો, અનુષ્ઠાનો, ધાર્મિક કાર્યોની સાથે સાંકળીને કેટલાક માનવસેવાના કાર્યો પણ થતા રહેવાના છે.

દેશમાં એક તરફ છેલ્લા પખવાડિયાથી શિવભક્તિનો સંચાર થયો અને મહાદેવના મંદિરો ઉભરાવા લાગ્યા, તો બીજી તરફ કાવડ યાત્રા, અમરનાથ યાત્રા તથા બદ્રી-કેદારજીની યાત્રાના શ્રેણીબદ્ધ આયોજનો સંપન્ન થવા લાગ્યા. ઉત્તર ભારત, રાજસ્થાન સહિત ઘણાં રાજ્યોમાં એક પૂર્ણિમાથી બીજી પૂર્ણિમા વચ્ચે મહિનાની ગણતરી થાય છે, ત્યાં એક પખવાડિયાથી શ્રાવણના ધાર્મિક આયોજનો થઈ રહ્યા છે, જ્યારે ગુજરાત તથા મહારાષ્ટ્રના કેટલાક ભાગો સહિત દેશમાં ઘણાં સ્થળે આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આપણાં દેશમાં વૈવિધ્યપૂર્ણ પરંપરાઓ તથા ભિન્ન-ભિન્ન માન્યતાઓ વચ્ચે જે રીતે ધાર્મિક કાર્યક્રમો, આધ્યાત્મિક સંદેશ, ઉત્સવોની ઉજવણી અને પ્રવાસ-પર્યટન-મનોરંજન તથા સામૂહિક રોજગારી ઉપાર્જનનું જે સંયોજન કરવામાં આવે છે, તે ખરેખર અદ્ભુત છે, અને આ આયોજનો બહુહેતુક પુરવાર થાય છે તથા આપણને બધાને પરસ્પર જોડે છે, તે જ આપણી ભારતીય સંસ્કૃતિની ખૂબી છે. ભારતીય સંસ્કૃતિ સર્વ-સમાવેશી અને સર્વજન હિતાય, સર્વજન સુખાય, કામ કરનારી છે., જેથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અલગ જ ભાત પાડે છે.

સૌરાષ્ટ્રમાં તો લોકમેળાઓ, તહેવારો, ભક્તિમેળાઓ અને ઉત્સવો-ઉજવણીઓનું વિવિધલક્ષી અને વિશેષ મહત્ત્વ છે. અબાલ-વૃદ્ધ-સૌ કોઈ આ મેળાઓ-ઉત્સવો-તહેવારોની રાહ જોઈને આખું વર્ષ વિતાવ્યા પછી પ્રસંગોચિત ઉજવણીઓ કરે છે, અને તેની સાથે વિપુલ રોજગારી, વ્યાપાર અને નાણાકીય ટર્ન-ઓવર જેવા આર્થિક-સામાજિક વિષયો પણ સંકળાયેલા હોય છે. આ કારણે જ ઉત્સવો, મેળાઓ, ધાર્મિક આયોજનોના વ્યવસ્થાપકો તથા તંત્રોની જવાબદારીઓ અને વ્યસ્તતા પણ વધી જતી હોય છે, કારણ કે મનોરંજન તથા દર્શનના ક્ષેત્રે યોજાતા કાર્યક્રમો-સમયપત્રકો અને અનુરૂપ વ્યવસ્થાઓ એવી રીતે કરવી પડતી હોય છે, જેમાં લોકોની સુરક્ષા-સલામતિ અને સુગમતા-સુવિધાઓ પણ જળવાઈ રહે અને લોકો ઉત્સવો-મેળાઓ તથા ઉજવણીઓ મુક્તમને માણી શકે અને પવિત્ર સ્થળોએ દર્શન-પૂજન-અનુષ્ઠાનો વગેરે નિર્વિઘ્ને કરી શકે.

જામનગરમાં તો છેલ્લા કેટલાક દિવસોથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાના આયોજનના વિષય પર જ ચર્ચાઓ થઈ રહી છે. એવું નથી કે જામનગરનો શ્રાવણી મેળો જ ચગડોળે ચડ્યો છે, પરંતુ રાજકોટમાં પણ રાઈડ્સના મુદ્દે ફરીથી મડાગાંઠ સર્જાઈ ગઈ હતી અને મેળાના આયોજકો, મેળામાં વ્યવસાય કરવા માટે ટેન્ડરો ભરવા ઈચ્છતા લોકો અને રાઈડધારકો વચ્ચે છેક રાજ્ય સરકારની કક્ષાએ વાટાઘાટો દરમ્યાન લેવાયેલા નિર્ણયોનો સરકારના જ વિભાગે અમલ નહીં કરતા ફરીથી રાઈડધારકો તથા તંત્ર વચ્ચે ગુંચવણ ઊભી થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે રાજ્ય સરકાર સાથે થયેલી વાટાઘાટોની તેઓને જાણ જ નહીં હોવાનું જણાવીને રાઈડ્સ-ચગડોળ વિગેરે માટે પૂર્વનિર્ધારિત પ્રક્રિયા જ અપનાવીને પ્રમાણપત્ર મેળવવાનો આગ્રહ રાખતા જે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ હતી, તે કાં તો રાજ્ય સરકારનો તેના જ વિભાગો પર કોઈ અંકુશ નથી અથવા તો રાજ્ય કક્ષાના તંત્રો અને જિલ્લા તંત્રો વચ્ચે કોઈ જ સંકલન નહીં હોવાનું પૂરવાર કરે છે.

બીજી તરફ શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં હજુ મેળાઓના ફાઈનલ આયોજનો તથા પ્રક્રિયાઓ જ ગોટાળે ચડી ગયા હોવાથી આ મેળાઓમાં સ્ટોલ રાખવા માટે જેમ તેમ કરીને તથા ઉધાર-ઉછીના લઈને તૈયારી કરનાર નાના નાના ધંધાર્થીઓ ખૂબ જ ચિંતામાં મુકાયા છે. જાહેર સુરક્ષા અને સલામતિ તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી સામે લોકોના વ્યક્તિગત અને સામૂહિક હિતોનો ટકરાવ થઈ રહ્યો હોવાનો આભાસ થાય છે, જે શાસન અને પ્રશાસનની લાપરવાહી અને નિષ્ફળતા દર્શાવે છે.

જામનગરનો મેળો તો અદાલતની અટારીએ પહોંચ્યો અને સંબંધિતોને નોટીસો ફટકારાયા પછી હવે જામનગરનો મેળો પણ સ્વયં ચગડોળે ચડયો હોય તેમ જણાય છે. કોંગ્રેસે તો જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીને સેટિંગ કમિટી કહી દીધી અને શ્રાવણી મેળો સુખ, શાંતિ અને સલામતિ સાથે યોજાય, લોકો મૂકતમને મોજ માણી શકે, અને તેના કારણે અન્ય વ્યવસ્થાઓ, ટ્રાફિક કે જનસુવિધાઓ ખોરવાઈ ન જાય, તેવી વ્યવસ્થાની જવાબદારી જામ્યુકોની તથા સ્થાનિક તંત્રોની હોવાથી આ મેળાનું આયોજન ફૂલપ્રૂફ તથા સલામત હશે તથા અન્ય તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહેશે, એટલું જ નહીં, જો તેમાં કોઈ અનિચ્છનિય બનાવ, દુર્ઘટના કે અવ્યવસ્થા સર્જાશે, તો તેની જવાબદારી આયોજકો એટલે કે મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ તથા સંબંધિત સરકારીતંત્રોના ઉચ્ચ અધિકારીઓની રહેશે તેવું એફિડેવીટ કોર્ટમાં રજૂ થાય, તેવી માંગણી યથાર્થ છે કે નહી ? તેવી ચર્ચા પણ થઈ રહી છે.

જો જામ્યુકો અને તંત્રોને પૂરેપૂરો વિશ્વાસ હોય કે તમામ વ્યવસ્થાઓ, લોકોની સુરક્ષા-સલામતિ અને સુવિધાઓ જળવાશે અને કોઈ અવરોધ નહીં આવે, તો આ પ્રકારનું એફિડેવીટ કરવામાં વાંધો શું ?

જો આયોજકો અને જવાબદાર તંત્રો જ કોઈ જવાબદારી લેવા તૈયાર ન થાય, તો આ તમામ જવાબદારીઓ જનતા પર ઢોળી દેવી યથાર્થ છે કે નહીં, તેનો નિર્ણય હવે જરૂર પડ્યે ન્યાયતંત્રે સુઓમોટો સુનાવણી કરીને લેવડાવવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિવાસાથી દેવદિવાળી... ઉજવણીઓ, તહેવારો અને અનુષ્ઠાનો... સમસ્યાઓ, વિકલ્પો અને સમાધાનો... જે કરો, વિચારીને કરજો...

                                                                                                                                                                                                      

આજે દિવાસો છે અને આજથી ૧૦૦ દિવસ સુધી વિવિધ અનુષ્ઠાનો તથા તહેવારોની શ્રૃંખલા શરૂ થાય છે. આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થશે અને મહાદેવના મંદિરો હર હર મહાદેવ અને બમ્ બમ્ ભોલે જેવા નાદોથી ગુંજી ઉઠશે. આ વર્ષે જન્માષ્ટમી પર્વ અને સ્વાતંત્ર્ય પર્વનો સુભગ સમન્વય પણ થયો છે. શ્રાવણ મહિનાના સોમવારોના દિવસે યજ્ઞો તથા શિવજીની આરાધનાના વિશેષ કાર્યક્રમો યોજાતા હોય છે. હવે છેક દેવદિવાળી સુધીના ૧૦૦ દિવસો તહેવારોની જે શ્રૃંખલા આવે છે, તેમાં સનાતન સંસ્કૃતિના વિવિધ સ્વરૂપો જોવા મળે છે., રક્ષાબંધન, શિતળા સાતમ, જન્માષ્ટમી, પારણા નોમ ને સાંકળતા ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પૌરાણિક મહાત્મયો પ્રચલીત છે. તે પછી ઘણાં બધા તહેવારો આવે છે, જેમાં મુખ્યત્વે ગણેશોત્સવ, શ્રાદ્ધ, નવરાત્રિ, શરદ પૂર્ણિમા અને દિવાળીના દિપોત્સવી, કાળીચૌદશ, નૂતનવર્ષ, ભાઈબીજ, અને લાભ પાંચમનો સમાવેશ થાય છે. તે પછી તુલસીવિવાહ, અને દેવદિવાળી આવે છે. આ વર્ષે આ ૧૦૦ દિવસ દરમ્યાન આપણા દેશમાં લોકતંત્રના ઉત્સવો સમી કેટલીક ચૂંટણીઓ અને વ્યાપારિક, ઔદ્યોગિક, ડેવલપમેન્ટ, વૈશ્વિક પ્રવાહો, આરોગ્ય, શિક્ષણ અને યુદ્ધો-સંઘર્ષો અને સમાધાનો સહિતના વિવિધ ક્ષેત્રોમાં પણ આગેકૂચ અને નવાજૂની થવાની છે, આ સમયગાળો સાયન્સ, સ્પેસ અને સત્તાપરિવર્તનનોની દૃષ્ટિએ પણ દેશ-દુનિયા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

જામનગરમાં તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનો મુદ્દો ચર્ચાના ચાકડે ચડયો છે.પ્રદર્શન ગ્રાઉન્ડના ત્રીજા ભાગના વિસ્તારમાં હંગામી બસડેપો હોવાથી બાકીના મેદાનમાં મેળો યોજવાનું નક્કી થયું, તે પહેલા અન્ય કેટલાક સ્થળો વૈકલ્પિક દૃષ્ટિએ ચકાસાયા, પરંતુ ત્યાંની જમીન-માટી રાઈડ્સ વગેરે માટે અનુકૂળ નહીં હોય, કે તેની ચકાસણીના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય, કે પછી કોઈપણ સંજોગોમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ આ મેળો યોજવાની રહસ્યમય રણનીતિ હોય, જે હોય તે ખરૃં, પરંતુ અંતે ટેન્ડર પણ બહાર પડી ગયા અને સંલગ્ન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ...!

એ પછી આ મુદ્દે જનમત વિરૂદ્ધમાં જવા લાગ્યો અને દ્વારકા અને નાગેશ્વર જેવા યાત્રાધામો તરફ જતા જન્માષ્ટમી પર્વના યાત્રિકો અને શ્રાવણ મહિનાના તહેવારોનો સંગમ થતા એસ.ટી.ડેપો પણ ટૂંકો પડવાનો છે, અને હંગામી બસડેપોમાંથી સ્પેશ્યિલ બસો પણ નીકળવાની હોવાથી મુસાફરોને લેવા-મુકવા આવતા વાહનો તથા સેંકડો બસોની અવર-જવર થવાની છે, તેથી આ સ્થળે શ્રાવણી મેળો યોજવાથી ભાગદોડ કે ટ્રાફિક જામ થઈ જશે, તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉઠવા લાગ્યા હતા અને જરૂર પડયે અદાલતના દ્વાર ખખડાવવાની તથ તૈયારી હતી તેમ કહેવાય છે.

એ પછી ગઈકાલે આ સ્થળે મેળો યોજવાથી ઊભી થનારી સંભવિત સમસ્યાઓ નિવારવા કેટલાક વૈકલ્પિક માર્ગોની વિચારણા થઈ હોવાનું બહાર આવ્યું, અને મેળા તથા એસ.ટી.બસોના આવાગમન દરમ્યાન પાર્કિંગની વિવિધ વ્યવસ્થાઓ પણ વિચારવામાં આવી, તેથી સવાલ ઉઠ્યો કે અત્યાર સુધી આ દિશામાં કોઈ વિચાર કેમ ન કર્યો ?

સાત રસ્તાથી પાછલા તળાવના માર્ગે વૈકલ્પિક ચારમાર્ગીય રસ્તે ટ્રાફિક વાળવાના વિકલ્પ તથા કોલેજ-આઈટીઆઈના મેદાનોમાં પાર્કિંગ સહિતના વિકલ્પો વિચારાઈ રહ્યા છે, ત્યારે આ કવાયતમાં એસ.ટી.તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર જ નહીં, પરંતુ વિવિધ લોક-સંગઠનો, યાત્રિક યુનિયનો અને આ વિષયે અવાર-નવાર ચિંતા વ્યકત કરતા રહેતા જાગૃત નાગરિકોનેે પણ સાંકળીને અંતિમ નિર્ણયો લેવાય તે જરૂરી છે. મહાનગરપાલિકાએ એ જ સ્થળે ૧૫ દિવસનો મેળો યોજવાનું અને સ્થળ કે સમયગાળામાં કોઈ જ બાંધછોડ નહીં કરવાનો જોખમી નિર્ણય લઈ લીધો છે, ત્યારે હવે તો મેળાના કારણે ઊભી થનારી સ્થિતિને નિવારવા ના વિકલ્પો જ નક્કી કરવાના છે, ત્યારે સૌને સાથે લઈને મેળાના આયોજકો (મનપા અને જિલ્લાતંત્ર) અંતિમ નિર્ણયો લેશે, તેવી આશા રાખીએ...

આ સમગ્ર આયોજન માટે જવાબદારી તો મહાનગરપાલિકાની જ છે, પરંતુ વ્યવસ્થાઓ તથા સુરક્ષા-સલામતીની દૃષ્ટિએ અન્ય તંત્રોની જવાબદારી પણ રહેવાની જ છે, તેથી જે નિર્ણયો લેવામાં આવે, તે મહત્તમ સંભાવનાઓ વિચારીને જ લેવાય, તે જનહિતમાં તો રહેશે જ, પરંતુ આયોજકોના હિતમાં પણ રહેશે, કારણ કે આટલા બધા ઉહાપોહ પછી પણ જે નિર્ણયો લેવાઈ રહ્યા છે, તે જોતા હવે સમગ્ર આયોજનો સુખ-શાંતિ અને સલામતિ સાથે સંપન્ન થઈ જાય, તેની તમામ જવાબદારીનો બોજો પણ હવે આયોજકો એટલે કે મનપા અને સરકારીતંત્રો પર જ રહેવાનો છે ને ?

જામનગર જ નહીં, આ વર્ષે જ્યાં જ્યાં શ્રાવણી મેળાઓ તથા વિશેષ કાર્યક્રમો યોજાવાના છે, ત્યાં ત્યાં આ જ પ્રકારની ચિંતાજનક સ્થિતિની સંભાવના છે. ચોમાસંુ, વરસાદ પછીની કાદવ-કીચડની શક્યતાઓ, ટ્રાફિક જામ, ભાગદોડ, જાહેર આરોગ્ય તથા અનિયમિત સફાઈ વગેરે સમસ્યાઓનો વિચાર પણ કરવો જ પડે તેમ છે.

આ વર્ષે શિતળાસાતમના દિવસે જ ૧૫મી ઓગષ્ટ હોવાથી તેની ઉજવણીઓનું આયોજન પણ કરવું પડે તેમ છે. પોલીસતંત્ર માટે પણ આ વર્ષે પડકારરૂપ પરિસ્થિતિ જણાય છે, તેથી આ અંગે રાજ્ય સરકારની કક્ષાએથી પણ વિશેષ લક્ષ્ય અપાય તે જરૂરી છે.

યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર અને હર્ષદ માતાજી સહિતના સ્થળોમાં પણ આ વર્ષે કલ્પના પણ નહીં કરી હોય તેવી ભીડ થવાની સંભાવનાઓ હોવાથી ત્યાં તો રાજ્યકક્ષાએ થી જ તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ, પરીક્ષણ અને જરૂરી ફેરફારો પહેલેથી જ થઈ જાય તે જરૂરી છે, કારણ કે પડોશી દેશ દ્વારા પ્રેરિત આતંકવાદ ના ઓછાયો (પડછાયો) પણ અદૃશ્ય રીતે આપણાં દેશમાં હજુ પણ મનપી જ રહ્યો હશે.

આ બધી ચિંતાઓ સામાન્ય જનતાની છે, અને માત્ર તહેવારો-ઉજવણીઓ સહી-સલામત રીતે આનંદપૂર્વક સંપન્ન થઈ જાય, તેવું જ સૌ કોઈ ઈચ્છે છે, તેથી લોકોની ઈચ્છા એવી જણાય છે કે તંત્રો-આયોજકોની મુશ્કેલીઓ સમજી શકાય તેવી હોવા છતાં શક્ય તેટલા એવા રસ્તા કાઢે, જે જન-સામાન્યના હિતમાં હોય, આ આયોજનો દરમ્યાન મનપાને થતી આવક કે અન્ય "સ્થાપિત"હિતોને ગૌણ ગણવા જોઈએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

અસંતોષ ફેરવાઈ રહ્યો છે જનાક્રોશમાં...સાવધાન ! કૂવામાં હોય તો હવેડામાં આવે ને ? ખાવાના જુદા અને દેખાડવાના દાંત જુદા ?

                                                                                                                                                                                                      

જામનગરમાં જીવંત પશુ જાહેર માર્ગો, શેરી-ગલી-મહોલ્લા, સોસાયટીઓ કે સંકુલોમાં અડીંગા ન જમાવે અને કેટલ પોલિસી મુુજબ પશુપાલનના નિયમોનું ચૂસ્ત પાલન માટે જામ્યુકોની ટીમો ઘેર-ઘેર ફરીને જનજાગૃતિના પ્રયાસો કરી રહી હોય, અને બીજી તરફ જામનગરની આજુબાજુના ગ્રામ્ય અને વાડી વિસ્તારમાંથી મૃત પશુઓના હાડકા અને અવશેષો મળી રહ્યા હોય, અને મરેલા પશુઓના માંસ-ચામડીના ગોરખધંધા થતા હોવાની આશંકા ઉઠી રહી હોય, ત્યારે સંઘ-ભાજપ પ્રેરિત શાસન અને સંવેદનશીલ સુશાસન-પ્રશાસનના થતા દાવાઓ પોકળ લાગે, તે સ્વાભાવિક છે. બીજી તરફ ભગિનિ સંસ્થાઓ દ્વારા જ થતાં રહેતા વિરોધ-પ્રદર્શનો તથા જનભાવનાઓની પણ બહુ અસર ન થતી હોય, ત્યારે એવું કહી શકાય કે ખાવાના (ચાવવાના) દાંત જુદા છે, અને દુનિયાને દેખાડવાના દાંત કદાચ જુદા જુદા જ છે.

ગુજરાતમાં અત્યારે ત્રિપલ એન્જિનનું શાસન છે, અને વિધાનસભા, મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓમાં મહત્તમ શાસન ભારતીય જનતા પક્ષના હાથમાં જ છે. તાજેતરમાં થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા મહત્તમ સરપંચો પણ ભાજપની વિચારધારા ધરાવતા હોવાનો દાવો કરાયો છે. આ પ્રકારની સ્થિતિમાં ગામડાઓથી ગાંધીનગર સુધી જો લોકોની મૂળભૂત સુવિધાઓ તથા જરૂરિયાતોને લઈને જ જો રજૂઆતોનો રાફડો ફાટતો હોય, આક્ષેપોની આંધી ઉઠતી હોય અને પ્રચંડ પ્રજાક્રોશ પ્રસરી રહ્યો હોય, તો તે નિષ્ફળતા કોની ? તેવો સવાલ ઉઠે અને તે માટે ભારતીય જનતાપક્ષ તથા રાજ્ય સરકારે આત્મમંથન કરવું જોઈએ.

જામનગર સહિત રાજ્યોના આઠ મહાનગરપાલિકાઓને ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાપડની થેલી, વેન્ડીંગ મશીનો અને રિવર્સ વેન્ડીંગ મશીનો દ્વારા પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરવાના સંદર્ભે કરેલા આદેશો ઉપરાંત દ્વારકા-સોમનાથ જેવા પર્યટન સ્થળોમાં નગરપાલિકાઓને પણ આ પ્રકારના મશીનો ભીડભાડવાળા સ્થળોએ સ્થાપિત કરવાનું જે સૂચન કર્યું છે, અને તેના સંદર્ભે સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીનું એફિડેવિટ માંગ્યું છે, તે દર્શાવે છેે કે ગુજરાતમાં પ્રદુષણ અને ગંદકીનું સામ્રાજ્ય કેટલું ફેલાયેલું છે. હાઈકોર્ટે જો આ પ્રકારના મુદ્દે પણ શાસન-પ્રશાસનોને વારંવાર સૂચનાઓ આપવી પડતી હોય તો તે સરકાર તથા રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે શરમજનક જ કહેવાય ને ?

ગુજરાત હાઈકોર્ટે રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરોને સારા શબ્દોમાં ટકોર કરી છે કે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનને માત્ર ફાઈલો-પરિપત્રોમાં મર્યાદિત રાખવાના બદલે હકીકતે તેનો અસરકારક અમલ થવો જોઈએ.

હકીકતે એક એડવોકેટે રાજ્યના મુખ્ય પર્યટન સ્થળો તથા નગરો-મહાનગરોમાં એક જાહેરહિતની અરજી કરી હતી. જેની સુનાવણી દરમ્યાન અદાલતે એમઆરએફનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો અને તેનો ચૂસ્ત અમલ કરવાની અનિવાર્યતા જણાવી હતી. એમઆરએફ એટલે મટીરીયલ રિકવરી ફેસિલિટી, જેમાં મશીનો દ્વારા પ્લાસ્ટિક કચરાને રિસાયકલીંગ કરવાનો પ્લાન...

રાજ્યની વડી અદાલતે તો આ આદેશનો આયોજનપૂર્વક ત્વરીત અને ચૂસ્ત અમલ માટે રાજ્ય મોનીટરીંગ કમિટી, રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરો, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો અને પદાધિકારીઓ તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંતર્ગત નોંધાયેલા પ્લાસ્ટિક કચરાની પ્રક્રિયા કરતા યુનિટોને સાંકળીને રાજ્યકક્ષાએ રાજ્યવ્યાપી સંકલન સાથે ગાઈડલાઈન્સ અને ટાઈમલાઈન (સમયમર્યાદા) નક્કી કરવાની સૂચના પણ આપી છે, અને તેનો ભંગ થયેથી પાલિકા-મહાપાલિકાઓના મુખ્ય અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠરાવવાની ચેતવણી પણ આપી છે. બીજી તરફ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્લાસ્ટિક વેસ્ટનો કારભાર સંભાળતા સેલના ઉચ્ચ અધિકારી દ્વારા પણ અદાલત સમક્ષ એક એફિડેવિટ રજૂ કરીને અમદાવાદ-સુરતમાં કાપડની થેલીના વેન્ડીંગ મશીનોની સ્થાપના તથા પ્લાસ્ટિક બોટલો એકત્રિત કરવાના રિવર્સ વેન્ડીંગ મશીનો મુકવાની શરૂઆત કરી રહ્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેમાં જણાવેલી મશીનોની સંખ્યા મેટ્રોપોલિટન શહેરોના વિસ્તારો તથા વસતિની સરખામણીમાં ઉંટના મુખમાં જીરાની જેમ ઘણાં ઓછા છે. આ જાહેર હિતની અરજીની સુનાવણી ૧૨મી સપ્ટેમ્બરે થવાની છે, ત્યાં સુધીમાં રાજ્યની તમામ પાલિકા-મહાપાલિકાઓ (હાલાર સહિત) આ મુદે કેવા અને કેટલા પગલા ક્યારે અને કેવી રીતે ઉઠાવે છે, તે જોવું રહ્યું...

ગુજરાત હાઈકોર્ટે હમણાંથી અપનાવેલા અભિગમ મુજબ આ પ્રકારના વિષયોમાં રાજ્યવ્યાપી જનહિતને ધ્યાનમાં રાખીને અમદાવાદ કે કોઈ ચોક્કસ પાલિકા-મહાપાલિકાને સાંકળીને જાહેરહિતની અરજી થઈ હોય, ત્યારે તેની સુનાવણી તથા આખરી આદેશો કરે ત્યારે તે સંબંધિત શહેર કે વિસ્તાર પૂરતા મર્યાદિત નહીં રાખતા રાજ્યવ્યાપી આદેશો કરે છે, તો તે આવકારદાયક રહે છે.

રાજ્યમાં શહેરો-નગરોમાં અત્યારે જે અસંતોષ છે, તે ધીમે ધીમે જનાક્રોશમાં બદલી રહ્યો છે અને હવે તો રાષ્ટ્રીયકક્ષાએ વિચારધારા ધરાવતા લોકો પણ નગરો-મોટા શહેરો જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓને લઈને એટલા બધા નારાજ થવા લાગ્યા છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેઓ 'નોટા'માં મતદાન કરીને આ અસંતોષ સામૂહિક રીતે વ્યક્ત કરશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યારે ભાજપ-કોંગ્રેસથી કંટાળેલા લોકો આમઆદમી પાર્ટીનો ત્રીજો વિકલ્પ પસંદ કરે, તેવી સંભાવનાઓ પણ વધી રહી છે, તેવામાં "આપ"ના પ્રદેશપ્રમુખ ઈશુદાન ગઢવીએ આગામી મેયર આમઆદમી પાર્ટીના હશે, તેવો કરેલો દાવો આ બન્ને રાષ્ટ્રીય પક્ષોએ હળવાશમાં લેવા જેવો નથી, કારણ કે લોકો પાસે "મત"ની એ તાકાત છે, જેમણે જરૂર પડ્યે ઘણી વખત દેશની મજબૂત સરકારોને પણ ઘેર બેસાડી દીધી હોવાનો ઈતિહાસ છે !

કોંગ્રેસે ફરીથી અમિત ચાવડાને ગુજરાતનું સુકાન સોંપ્યું, પરંતુ પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક હજુ સુધી થઈ નથી, અને રાષ્ટ્રીય કક્ષાએ પણ એવું જ છે, ત્યારે ધનખડના રાજીનામા પછી તેના સ્થાને હરિવંશને બેસાડાયા છે, રાજનાથસિંહને આ પદ આપીને બંધારણીય સન્માન સાથે પરોક્ષ રીતે વિદાય કરી દેવાય છે કે પછી કોઈ નવો જ ચહેરો ગોઠવાય છે, તેની રાષ્ટ્રીય કક્ષાની સ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ અધ્યક્ષ નિમાયા પછી જ ગુજરાતનો વારો આવશે, તેથી એવી ટકોર પણ થઈ રહી છે કે "કૂવામાં હોય તો હવેડામાં આવે ને ?"

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પત્રકારિત્વ, ઈતિહાસ અને સાહિત્યના ત્રિવેણીસંગમ સમા પૂ. પિતાશ્રી... સ્વ. રતિલાલભાઈ માધવાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ

                                                                                                                                                                                                      

આજે નિડર પત્રકારિત્વ, રજવાડી ઈતિહાસ અને સુગમ સાહિત્યસર્જનના ત્રિવેણીસંગમ સમા અમારા પથદર્શક, પ્રેરણાસ્ત્રોત અને પૂજનીય પિતાશ્રી સ્વ. રતિલાલભાઈ માધવાણીની પુણ્યતિથિ છે.

તેઓએ વર્ષ ૧૯૮૭ની ૨૨ જૂલાઈના દિવસે અંતિમવિદાય લીધી, એ દિવસે અમને વજ્રઘાત થયો હોય, તેવો આંચકો લાગ્યો હતો, અને અમે છત્રછાયા ગુમાવી દીધી હતી. માધવાણી પરિવાર તથા નોબત પરિવારનો આધારસ્તંભ જ જાણે ગુમાવી દીધો હોય, તેવી વેદના અનુભવાઈ હતી.

સેવા, સંઘર્ષ અને સત્યના ત્રિગુણી સંકલ્પો અને નિડર રિપોર્ટીંગ, સ્પષ્ટ અને સચોટ પ્રસ્તૂતિ તથા હાલારના ગામડે-ગામડે જઈને લોકોના અવાજને શાસન-પ્રશાસન અને સર્વોચ્ચ સત્તા સુધી પહોંચાડવાના એ પડકારરૃપ ભગીરથ કાર્યોના પ્રતાપે જ આઝાદીના પહેલા દાયકાથી ટાંચા સાધનો અને અલ્પ સુવિધાઓ સાથે પરિશ્રમના પરસેવાથી સિંચાયેલુ "નોબત" સાંધ્ય દૈનિક આજે ડિજિટલ પાંખે સાત-સમંદર પાર પણ પહોંચ્યુ છે અને ગામડાઓ ગલીઓ તથા શહેરોની શેરીઓ-મહોલ્લાઓમાં મૂળ સ્વરૃપે પણ વધુ ને વધુ પાંગરી રહ્યું છે. તેઓ ખોટું કરનારા માટે અત્યંત કઠોર હતા અને દીન-દુઃખીયા-પીડિતો માટે ખૂબ જ સંવેદનશીલ હતા. ગામડા, ગરીબો અને પીડિતો તેઓના પત્રકારિત્વના કેન્દ્રમાં જ રહેતા હતા, અને તેથી જ દાયકાઓ પહેલાથી તેઓ જન-જનમાં પ્રિય બન્યા હતા.

આજે પણ "નોબત"ની લોકપ્રિયતા અકબંધ છે, અને "નોબત સાંજની સોબત" નું સુત્ર એટલું જ પ્રસ્તુત છે. નવા યુગને અનુરૃપ ઈ-પેપર, બ્રેકીંગ ન્યુઝ, વીડિયો સમાચાર, ફેસબૂક-યુ-ટ્યુબ વેબસાઈટના માધ્યમથી "નોબત" આજે ગ્લોબલ બન્યું છે, તો બીજી તરફ આજે પણ એવા ઘણાં લોકો એવું કહેતા સંભળાય છે કે નોબત ન વાંચ્યુ હોય, ત્યાં સુધી ચેન પડતું નથી. આ પ્રકારની લોકપ્રિયતા તથા પ્રગતિ અમારા પૂ. પિતાશ્રીને જ આભારી છે.

તેઓ સાહિત્યકાર પણ હતા, અને આજે તેઓએ લખેલા પુસ્તકો અને ગ્રંથો દુર્લભ બન્યા છે. જામનગરની યશગાથા અને મહાગુજરાતની યશગાથા જેવા માહિતીપ્રદ ગ્રંથો તે જમાનામાં લખીને પ્રકાશિત કરવા અને તેમાં સચોટ વાસ્તવિકતા લખવી, એ કપરૃં કાર્ય તો રતિલાલભાઈ જ કરી શકે, તેવું તે સમયે પણ ચર્ચાતુ હતું., તેઓ હંમેશા કુદરતી આફતો, યુદ્ધ, ગંભીર અકસ્માતો જેવા સમયે હંમેશાં જરૃરતમંદોની પડખે ઊભા રહેતા હતા અને રક્તદાન કેમ્પ, તથા ખેલકૂદની પ્રવૃત્તિઓને પણ પ્રોસ્તાહિત કરતા રહેતા હતા. જ્ઞાતિઉત્કર્ષ, સમાજસેવા અને માનવસેવા તેઓનો મૂળ મંત્ર હતો. તેઓ અને અમારા પૂ. બા અમારા બધાના પ્રેરકબળ હતા. અખબાર ચલાવતા ચલાવતા અને પરિવારની જવાબદારીઓ સંભાળતા સંભાળતા તેઓએ ઘણો જીવન-સંઘર્ષ કર્યો, પરંતુ તેઓ ક્યારેય અટક્યા નહોતા, થાક્યા નહોતા કે ચમરબંધીઓ સામે પણ ઝુક્યા નહોતા. આજે પણ તેઓ અમારા પ્રત્યેક શ્વાસમાં ધબકે છે. તેઓના ઘડતરના કારણે જ અમે પણ મોટા મોટા પડકારોને પણ પડકારી શકીએ, તેવી ક્ષમતા ધરાવીએ છીએ.

તેઓ દેહસ્વરૃપે દાયકાઓ પહેલાથી વિદાઈ લઈ ગયા, પરંતુ પ્રેરણા, સંસ્કારો અને સદ્ભાવના સ્વરૃપે આજે પણ  અમારી વચ્ચે ધબકે છે., તેઓની સ્મૃતિઓ જ અમારી પ્રેરણા અને તાકાત છે. આજે કોટિ-કોટિ વંદન સાથે તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ.

જામનગર

તા. ૨૨-૦૭-૨૦૨૫

- માધવાણી પરિવાર, નોબત પરિવાર

 

યે તો સોચા ભી નહીં થા...! યે ક્યા હો રહા હૈ...? યે ક્યું હો રહા હૈ... ?

                                                                                                                                                                                                      

ઘણી વખત અપેક્ષા પણ ન હોય, અને કોઈએ વિચાર્યું પણ ન હોય, તેવું બની જાય, કોઈ અણધાર્યો લાભ થઈ જાય કે ધાર્યું ન હોય તેવું નુકસાન થઈ જાય, ઘણી વખત આપણું ધાર્યું ન થઈ શક્યું હોય તે પછીથી આપોઆપ થઈ જાય કે પછી અપેક્ષિત હોય અને બહુ આશાવાદી હોઈએ ત્યારે જ નિરાશા સાંપડે ત્યારે એવો સવાલ ઉઠે કે "યે કયા હો રહા હૈ ? ઐસા તો સોચા ભી ન થા"...!

જ્યારે આર.એસ.એસ.ની વિચારધારાથી પ્રેરિત કહેવાતા હોય તેવા મહાનુભાવ અને બંધારણીય પદ પર બેઠેલા દેશની અગ્રીમ હરોળના પ્રતિષ્ઠિત નેતા એવું કહે કે લોકશાહી એવી ક્યારેય નથી હોતી, જેમાં એક જ પાર્ટી હંમેશાં સત્તા પર રહે. વિકાસમાં સતત નિરંતરતા હોવી જોઈએ. શાસકો અને વિપક્ષો સચનાત્ત્મક રાજનીતિ કરે. આ પ્રકારનું નિવેદન આવે, ત્યારે સવાલ ઉઠે કે, "યે ક્યા હો રહા હૈ ?"

મહારાષ્ટ્રમાં જયારે ભાજપના નેતા અને મુખ્યમંત્રી જાહેરમાં હળવાશથી ઉદ્ધવ ઠાકરેને "આ બાજુ" એટલે કે એન.ડી.એ.માં આવવાનું આમંત્રણ આપે, તેની પહેલા ઉદ્ધવ-રાજ ઠાકરે નજીક આવી જાય, અને તે પછી આદિત્ય ઠાકરે સાથે દેવેન્દ્ર ફડણવીસની ગૂપ્ત લાંબી મુલાકાતની વાતો ઉડે, ત્યારે કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."

વિધાનસભા ગૃહમાં જ રાજ્યના કોઈ મંત્રી વીડિયો ગેઈમ રમતા હોવાના દૃશ્યો વાયરલ થાય, ત્યારે નાગરિકો વિચારે કે, "ઐસા થો સોચા ભી નહીં થા"

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો વણસેલા હોવાથી એક તરફ ગઈકાલે યોજાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લિજેન્ડ્સની મેચ રદ થાય, અને બીજી તરફ મોદી સરકારના જ કોઈ મંત્રી લાલઘૂમ થઈને બળાપો કાઢે કે રમત-ગમતમાં રાજકારણની ભેળસેળ ન કરવી જોઈએ. જ્યારે ત્રીજા દેશ (ઈન્ગલેન્ડ) માં આ રમત રમાવાની હોય, ત્યારે વિપક્ષે પણ તેમાં રાજનીતિ ન રમવી જોઈએ. આવું થાય ત્યારે સવાલ ઉઠે કે "યે કયા હો રહા હૈ ?"

કોંગ્રેસમાંથી જે-તે સમયે ધુમધડાકા સાથે ભાજપમાં ગયેલા દિગ્ગજ નેતા વિસાવદરમાં વિધાનસભાની પેટાયૂંટણીમાં તદૃન નિષ્ક્રિય રહે અને ત્યાં આમઆદમી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા પછી અચાનક જ સક્રીય થઈને ગામડે-ગામડે ફરવા લાગે, ત્યારે એવો સવાલ ઉઠે કે, "યે કયા હો રહા હૈ ?"

સંસદનું સત્ર શરૂ થવાનું હોય અને તેમાં ઓપરેશન સિંદૂર, બિહારમાં ચૂંટણીપંચની મતદારયાદી સુધારણાની ચર્ચાસ્પદ કાર્યવાહી અને ટ્રમ્પના નવા દાવા મુજબ કોના પાંચ વિમાનો ભારત-પાક. વચ્ચે યુદ્ધ દરમ્યાન તોડી પડાયા, તેની ચર્ચા કરવાનો તથા દરેક મુદ્દે વડાપ્રધાનનો જવાબ માંગવામાં આવનાર હોય, તેવા સમયે જ વડાપ્રધાનના સૂચિત વિદેશ પ્રવાસને લઈને "હમ તો ચલે પરદેશ..." જેવા કટાક્ષો થવા લાગે ત્યારે એવું કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."

રાજ્યની કોઈ ફાયરબ્રિગેડના વાહનમાં નશાની હાલતમાં ડ્રાઈવર બે-ત્રણ લોકોને હડફેટે લઈ લ્યે, અને તેમાં બેઠેલા નવી જ નકરી મળી હોય તેવા ચીફ ઓફિસર પણ કોઈ બિલ્ડરને ત્યાં પાર્ટી માણીને નશાની હાલતમાં પકડાય ત્યારે પણ એવો સવાલ ઉઠે કે "યે ક્યા હો રહા હૈ ?"

એક તરફ ટ્રમ્પ અને નાટો દ્વારા ટેરિફ વધારવાની ધમકી આપીને રશિયા પર યુક્રેન સાથે સમાધાન માટે વાતચિત કરવાનું દબાણ વધારાઈ રહ્યું હોય, અને ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડડીલ અદ્ધર લટકી રહી હોય, ત્યારે જ રશિયાના રાષ્ટ્રપતિના ભારતના પ્રવાસની વાતો થવા લાગે ત્યારે એવો સવાલ ઉઠે કે "યે ક્યા હો રહા હૈ ?"

એક તરફ જ્યારે જામનગરમાં ઠેર-ઠેર ગંદકી, ઉકરડા અને તૂટેલા-ફૂટેલા માર્ગોની ફરિયાદો છેલ્લા પાંચેક વર્ષથી સતત વધી રહી હોય, ત્યારે જામનગરને કોઈપણ એન્ગલથી સફાઈની દૃષ્ટિએ અગ્રીમતા મળે કે રાજકોટ-જામનગરને સાંકળતા ટોલ-વેનો કોઈ એવોર્ડ મળે ત્યારે પણ એવો વિચાર આવી જ જાય ને કે, "ઐસા તો સોચા ભી નહીં થા !"

રાજ્ય સરકારે માર્ગ-મરામત માટે ૧૬૭ કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવી હોય, તેમ છતાં લોકો રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે એન.સી.બી.ના આંકડા ટાંકીને ખાડાઓને કારણે મૃત્યુ થવાની સંખ્યામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે હોવાની ચર્ચા થઈ રહી હોય, અને મળતિયા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા હોય, ત્યારે સવાલ ઉઠે કે "યે સબ ક્યા હો રહા હૈ ?"

જામ્યુકો વેરા વસુલાત માટે ઝુંબેશો ચલાવીને અને બાકીદારોની મિલકતો જપ્ત કરીને પોતાની સત્તા વાપરી રહી હોય, પરંતુ હજુ પણ શહેરના ઘણાં વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ પૂરેપૂરી મળી રહી નથી અને મોટી મોટી જાહેરાતો છતાં પણ સામાન્ય પ્રારંભિક વરસાદમાં જ ચારણી જેવા થઈ ગયેલા જામનગરના આંતરિક માર્ગોની મરામત હજુ સુધી થઈ શકી નથી, અને તેના જવાબદારો સામે કાર્યવાહી કરવાના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા ન હોય, ત્યારે સવાલ ઉઠે કે, "યે ક્યા હો રહા હૈ ? યે કયું હો રહા હૈ ?"

દસેક વર્ષ પહેલા ગુજરાતના વિકાસ મોડલની પ્રશંસા કરનારા મુંબઈના હાંસિયામાં ધકેલાઈ ગયેલા કટ્ટર કદાવર મરાઠી નેતા અચાનક જ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓના વિરોધી થઈ ગયા હોય અને તેના પર સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ જેવા મૂળ ગુજરાતના રાષ્ટ્રીય મહાપુરૂષોનું ગુજરાતી હોવાને કારણે અપમાન કરવાના આરોપો લાગી રહ્યા હોય, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે, "ઐસા તો સોચા ભી નહીં થા..."

કોંગી નેતા અને એલ.ઓ.પી. રાહુલ ગાંધીએ જ્યારે સી.પી.આઈ.(એમ) ની તુલના આર.એસ.એસ. સાથે કરીને બંનેની વિચારધારા સમાન હોવાની વાત કરતા સી.પી.આઈ. નેતા ડી. રાજાએ આ નિવેદન ભ્રમ ફેલાવતું હોવાનું મંતવ્ય કરતા એવી લાગણી વ્યક્ત કરી હતી કે, "ઐસા તો સોચા ભી નહીં થા !"

અને છેલ્લે, જામનગરના નગરજનોમાંથી મળેલા વિરોધના પ્રતિભાવો, પ્રેસ-મીડિયાના વિશ્લેષણો, સોશ્યલ મીડિયાના માધ્યમથી મળેલા મંતવ્યો, જનમત અને જનભાવનાઓને ધરાર અવગણીને શ્રાવણી મેળાના આયોજન માટે "રહસ્યમય" જીદ સાથે લેવાયેલા નિર્ણયો પછી નગરજનો વિચારી રહ્યા હશે કે "ઐસા તો સોચા ભી નહીં થા...યે સબ ક્યા હો રહા ?"

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મેળાઓ, ઉજવણીઓ, પ્રસંગો, કાર્યક્રમો માટે ચોક્કસ જવાબદારી નક્કી કરવી જરૂરી... પહેલેથી જાહેર થવું જોઈએ કે, જવાબદાર (રહેશે) કોણ ?

                                                                                                                                                                                                      

જામનગરમાં પડેલા ખાડાઓ હવે જીવલેણ બન્યા છે, અને એક યુવાનનો ભોગ લેવાયો હોવાની ચર્ચા પછી રાજ્યવ્યાપી ખાડાઓ બુરવાની ઝુંબેશ સામે પ્રશ્નો ઉઠયા છે, તો બીજી તરફ શ્રાવણી મેળાઓને લગતા નીતિનિયમો હળવા કરાયા હોવાની ચર્ચા દરમ્યાન ધંધાર્થીઓના લાભાર્થે તંત્રો લોકોના જીવ જોખમમાં મુકવાનું કદમ ન ઉઠાવે, તેવી જનલાગણીઓ પણ ઉભરી રહી છે. જો સરકાર કે તેના તંત્રો લોકલાગણીઓને અવગણીને જનસલામતિ સાથે બાંધછોડ કરશે, તો તે પગ પર કૂહાડો મારવા જેવું હશે, તેવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. બીજી તરફ શ્રાવણી મેળાઓમાંથી અડધા વર્ષની રોજગારી મેળવતા સામાન્ય ધંધાર્થીઓના હિતોને પણ જાળવવા જરૂરી હોવાથી બંને બાજુ સમતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે., અને ધંધાર્થીઓને બિનજરૂરી અડચણોનો સામનો ન કરવો પડે તે રીતે લોકોની સલામતિ તથા જોખમી પ્રવૃત્તિઓ, રાઈડ્સ અને અન્ય સંલગ્ન બાબતોમાં નક્કર નિયમો, નિયંત્રણો કે અંકુશો મુકવા જોઈએ, તેવો જનસામાન્ય નિષ્કર્ષ નીકળે છે. રાઈડ્સ માટે આર.સી.સી. ફાઉન્ડેશન ભલે મરજીયાત કરી દેવાયો હોય, પરંતુ એકંદરે જમીન ચકાસણી પછી રાઈડ્સની મંજુરી માટે નિયમ પ્રમાણપત્ર કે મંજુરી આપનાર અધિકારીઓને સંભવિત દુર્ઘટના માટે જવાબદાર ગણવા જોઈએ, તેવો અભિપ્રાય પણ વ્યક્ત થઈ રહ્યો છે, જે ધ્યાને લેવો જ પડે તેમ છે.

હકીકતે તો કોઈપણ પ્રસંગ, સેમિનાર, સમારોહ, મેળાઓ, મેળાવડાઓ, સામૂહિક પ્રવાસો, ઉજવણીઓ કે કાર્યક્રમો જાહેર સ્થળો કે ખાનગી સ્થળે થતાં હોય, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોય, ભીડ થવાની હોય કે કોઈપણ પ્રકારનું નાનું-મોટું ગેધરીંગ, સમૂહભોજન કે ખાણી-પીણી-મનોરંજનની પ્રવૃત્તિઓ યોજાનાર હોય, તેની જવાબદારી પ્રાથમિક રીતે તેના આયોજકોની જ (પૂરેપૂરી) ગણાય, તે માટે એડવાન્સમાં "જવાબદાર" ની નોંધણી થવી જોઈએ., આ રીતે જવાબદાર સંસ્થા, સંગઠન, તંત્ર કે વ્યક્તિગત હોય, તેની સ્પષ્ટ જવાબદારી ચોક્કસ વ્યક્તિઓની ગણાય, તે પ્રકારે રજિસ્ટ્રેશન કરાવીને તેમાં એ પ્રકારની બાહેંધરી પણ લેવાવી જોઈએ કે "આ સંપૂર્ણ કાર્યક્રમ, ઈવેન્ટ કે મેળા-મેળાવડા-સમારંભ વગેરેમાં કોઈપણ રીતે જનસલામતિ કે લોકોની માલ-મિલકતને નુકસાન થાય, તો તેની જવાબદારી અમારી વ્યક્તિગત રહેશે...વગેરે".

બેંગલુરૂમાં આઈ.પી.એલ.માં વિજયની ઉજવણીની જવાબદારીની ફેંકાફેંકી થઈ અને અંતે આર.સી.સી.ની જવાબદારી નક્કી થઈ, તે જોતા ઉપર મુજબની જોગવાઈ પહેલેથી જ થવી જરૂરી છે. તેમજ આ આયોજનોની મંજુરી આપનાર, રાઈડ્સ વગેરેની ચકાસણી કરીને પ્રમાણપત્ર આપનાર અધિકારી, આયોજનો મંજુર કરનાર અધિકારી તથા કાયદો-વ્યવસ્થા જાળવવા અને દુર્ઘટના ટાળવા, લોકોની આવાગમન-ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા, તબીબી સેવાઓ-દુર્ઘટના નિવારણ સેવાઓ અને દુર્ઘટના સમયે રાહત બચાવ માટે પૂરતા પ્રમાણમાં જગ્યા અને ઈમરજન્સી એકઝીટની પણ પર્યાપ્ત વ્યવસ્થા જાળવવાની સરકાર અને તેના તાબાના સંબંધિત તંત્રો, પાલિકા-મહાપાલિકાઓ તથા તેના તંત્રોની પણ એટલી  જ રહેવી જોઈએ. ટૂંકમાં આયોજકો જેટલી જ જવાબદારી સંબંધિત જવાબદાર તંત્રો તથા મંજુરીઓ આપનાર અધિકારીઓની પણ વ્યક્તિગત રીતે થવી જોઈએ. જાહેર વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અને નાગરિકોના હક્કોનું રક્ષણ , જાહેર-આરોગ્ય, સફાઈ અને તબીબી વ્યવસ્થાઓની જવાબદારીમાંથી તંત્રો પણ છટકી શકે નહીં.

આયોજકો તથા તંત્રો જવાબદારીપૂર્વક આયોજનો પાર પાડે અને જાહેર સુરક્ષા-સલામતિ અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તેની એકંદરે જવાબદારી તો શાસન અને પ્રશાસન, એટલે કે સરકારની જ ગણાય. ટૂંકમાં જ્યાં લોકોના જીવનની સલામતિ, સુરક્ષા અને સુવિધાઓ સંકળાયેલી હોય, ત્યાં કોઈ દુર્ઘટના કે અનિચ્છનિય ઘટના બને તો તેના ચોક્કસ જવાબદારોની વ્યાખ્યા પહેલેથી નક્કી હોવી જોઈએ, જેથી જવાબદારીની ફેંકાફેંકી કરવાની મનોવૃત્તિ કામિયાબ જ ન થઈ શકે.

જામનગરમાં અંતે અડધા પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણીઓ મેળો યોજવાનું નક્કી જ થઈ ગયું હોય, તો ન કરે નારાયણ ને કોઈપણ અનિચ્છનિય સ્થિતિ ઊભી થાય, તો તે માટે જવાબદાર કોણ રહેશે, તે અત્યારથી જ નક્કી થઈ જવું જોઈએ, અને તે માટે જામ્યુકો કે જિલ્લા વહીવટી તંત્રના ક્યા ક્યા ચોક્કસ અધિકારીઓ અને પદાધિકારીઓની જવાબદારી રહેશે, તે અત્યારથી જ નક્કી અને જાહેર થઈ જવું જોઈએ, તેમ નથી લાગતું ?

માત્ર જામનગર નહીં, જ્યાં જ્યાં લોકમેળાઓ યોજાવાના છે ઉજવણીઓ થવાની છે અને તહેવારોના મેળાવડા થવાના છે, ત્યાં તમામ સ્થળે જાહેર વ્યવસ્થાઓ માટે તો સરકાર અને તંત્રો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પહેલેથી જ જવાબદાર છે, પરંતુ જ્યારે જવાબદારી નક્કી કરવાની થાય, ત્યારે હોદ્દાની રૂએ કે આયોજક તરીકે અથવા વ્યક્તિગત રીતે કોણ કોણ જવાબદાર રહેશે, તે પહેલેથી નક્કી થવું જોઈએ. અને તે પબ્લિક ડોમેનમાં હોવું જોઈએ.

આપણે બધા એવું જ ઈચ્છીએ કે મેળાઓ સહિતના તમામ પ્રસંગો-તહેવારો-ઉજવણીઓ-કાર્યક્રમો વિનાવિઘ્ને અને આનંદપૂર્વક સંપન્ન થાય, પરંતુ તાજેતરની અને ભૂતકાળની કેટલીક ગમખ્વાર ઘટનાઓને લક્ષ્યમાં લઈને હવે ચોક્કસ જવાબદાર નક્કી કરવાની નક્કર વ્યવસ્થા થવી અત્યંત જરૂરી છે. આશા રાખીએ કે શ્રાવણી મેળો, તહેવારોનો ટ્રાફિક અને કામચલાઉ બસડેપોની વ્યવસ્થાઓ પ્રજાને પરેશાન કર્યા વિના સુચારૂ ઢબે સફળ નિવડે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટાણે થાય તે નાણે ન થાય, અને 'પરાણે' તો કાંઈ જ ન થાય... સમજદાર કો ઈશારા બહોત...

                                                                                                                                                                                                      

"વિકાસ"ના વાયદા હોય કે નેતાઓની "નિમણૂક" હોય, પ્રોજેક્ટોની "ટાઈમલાઈન" હોય કે યોજનાઓનું "પ્લાનીંગ" હોય, શાસન-પ્રશાસન, નેતાગીરી દ્વારા ભાગ્યે જ ટાઈમલાઈન જળવાતી હોય છે, અને ટ્રમ્પની જેમ બોલીને ફરી જતા કે જાહેરાતો કરીને મૌન થઈ જતા પલાયનવાદી નેતાઓ-અધિકારીઓની આપણાં નગર અને નેશનમાં પણ કોઈ કમી નથી, જેના અનેક દૃષ્ટાંતો પૂર્વ નવાનગર સ્ટેટની રાજધાની (જામનગર) થી દેશની રાજધાની દિલ્હી સુધી મળી રહે છે. નગરનો ઓવરબ્રિજ જૂન સુધીમાં બની જશે, તેવો દાવો પોકળ નીકળ્યો, તેવી જ રીતે દેશમાંથી જૂન મહિના સુધીમાં નકલસલવાદ ખતમ થઈ જશે, તેવો રાષ્ટ્રીયકક્ષાનો દાવો પણ હજુ સુધી પૂર્ણપણે યથાર્થ ઠર્યો નથી, અને નકસલી અથડામણો થતી રહે છે. આ પ્રકારના "વાદાઓ" અને દાવાઓના સંદર્ભે એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે જૂન મહિનાની ટાઈમલાઈન જાહેર કરી હતી તે ખરૃં, પરંતુ મહિનાની સાથે સાલ (વર્ષ) ની વાત ક્યાં કરી હતી ? તેથી કદાચ આ દાવાઓ જૂન-૨૦૨૬ના પણ હોઈ શકે !

જો કે, કટાક્ષમાં આ ટકોર કરવા માટે આ પ્રકારની વાતો થતી હશે, પરંતુ હકીકતે તો ચાલુ વર્ષ જ જૂન મહિનાની ટાઈમલાઈન અપાઈ હોય, અને તે મુજબ ન થયુ હોય, તેવા અન્ય ઘણાં દૃષ્ટાંતો પણ નગરથી નેશન સુધી મળી શકે છે.

એવું નથી કે જાહેર કરેલી સમયમર્યાદાનું સરકારી કામોમાં જ પાલન થયું ન હોય, પરંતુ રાજકીય પક્ષોની આંતરિક સિસ્ટમમાં પણ કાંઈક એવું જ હોય છે. કોંગ્રેસે તો વિધાનસભાની પેટાચૂંટણી પછી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધા પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે અમિતભાઈ ચાવડા અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે તુષાર ચૌધરીની નિમણૂક કરી દીધી, પરંતુ ભારતીય જનતાપક્ષ તો રાષ્ટ્રીય કક્ષાએ જે.પી.નડ્ડા અને ગુજરાત પ્રદેશ  ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલનો વિકલ્પ હજુ સુધી શોધી શક્યો નથી, તેથી આ બંને નેતાઓ કેન્દ્રીયમંત્રી અને પક્ષના હોદ્દેદાર તરીકે બબ્બે ભૂમિકા નિભાવી રહ્યા છે !

કોંગ્રેસે તો પ્રદેશપ્રમુખ બદલતા પહેલા જિલ્લા-શહેરકક્ષાના પ્રમુખો-હોદ્દેદારોને બદલવાનો કે ફેરફાર કરવાનો ગંજીપો ચીપ્યો અને હવે પ્રદેશ કોંગ્રેસની કક્ષાએ થયેલા આ બદલાવ પછી વિધાનસભાની વર્ષ-૨૦૨૭ની ચૂંટણી અને તે પહેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરી જ દીધી છે, અને વિસાવદરના વિજય પછી રાજ્યમાં આમઆદમી પાર્ટી પણ જોરમાં છે, ત્યારે આ બેવડા પડકારો ઉપરાંત ભાજપના ઘણાં જિલ્લા સંગઠનો તથા રાજ્યકક્ષાના આંતરિક અસંતોષ જૂથવાદ અને ખેંચતાણના પડકારોને ઝીલી શકે, તેવા માતબર પ્રાદેશિક નેતાની પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરવી પડે તેમ છે.

તાજેતરની પ્લેન દુર્ઘટના, ગંભીરા પુલ દુર્ઘટના તથા પે પહેલા ગોડાઉન અગ્નિકાંડોથી લઈને ટી.આર.પી. ઝોન અગ્નિકાંડો, મનરેગા ફેઈમ ભ્રષ્ટાચારની ફરિયાદો અને ગામડાઓ, નગરો અને મોટા શહેરોની મૂળભૂત સુવિધાઓને સંબંધિત સમસ્યાઓના કારણે ભાજપની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો હોવાથી પ્રદેશ પ્રમુખની સાથે સાથે પ્રદેશ ભાજપના માળખામાં પણ ધરમૂળથી ફેરફાર તથા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં પણ બદલાવ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે.

રાજ્યમાં રખડતા ઢોર બેફામ બન્યા છે અને વયોવૃદ્ધ લોકોને ટાર્ગેટ બનાવીને કચડીને જીવ લઈ રહ્યા છે, અને આવારા કૂતરા નાના બાળકોને ઢસડીને  અને બચકાં ભરીને જીવલેણ બની રહ્યા છે. રાજ્યમાં માત્ર ધોરીમાર્ગ જ નહીં, ગામો-શહેરોના આંતરિક માર્ગો તથા શેરી-ગલીઓ મગરની પીઠ જેવા બની ગયા હોવાની ચોતરફથી રાવ ઉઠી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવું કાંઈ રહ્યું જ નથી અને લોકોની મૂળભૂત જરૂરિયાતોને પણ સંતોષી શકાઈ રહી નથી, ત્યારે મોટા મોટા વિકાસ પ્રોજેકટો તથા વિવિધ કોરિડરો-રિવરફ્રન્ટોની ઝળહળતી ઝાકઝમાળની લોકો પર વિપરીત અસર પણ પડતી હોઈ શકે છે., તેથી ભ્રમમાં રહેવા જેવું નથી. વિરાટ વિકાસની સાથે લોકોની પાયાની જરૂરિયાતો પણ સંતોષવી જ પડે...

કોંગ્રેસમાં તાજેતરના થયેલા ફેરફારોને પણ ઘણાં લોકો નવી બોટલમાં જૂના સરબતની ઉપમા આપી રહ્યા છે, તો કેટલાક લોકો દિવ્યાંગ ઘોડા, લગ્નના ઘોડા, રેસના ઘોડા વગેરે વર્ગીકરણ કરીને કટાક્ષ કરી રહ્યા છે. ઘણાં લોકો કહે છે કે કોંગ્રેસમાં પરિવારવાદ જ પરિણામલક્ષી બની શકતો હોવાથી જે ફેરફારો થયા છે, તે યોગ્ય છે., તુષાર ચૌધરીનું ભાજપ સાથે સેટીંગ હોવાની પણ ચર્ચા છે, ટૂંકમાં ગુજરાતમાં કોંગ્રેસે મૂળિયા ઉંડા ઉતારવા હવે એડીચોટીનું જોર લગાવવું પડે તેમ છે, અને આંતરિક એકજૂથતા, રૂઢ બનાવવી જ પડે તેમ છે.

આમઆદમી પાર્ટીને ત્રીજા વિકલ્પ તરીકે રાજ્યની જનતા સ્વીકારશે કે કેમ ? તેવા સવાલો પહેલા એ પણ વિચારવુ પડે તેમ છે કે આમઆદમી પાર્ટીનું રાજયવ્યાપી સંગઠન મજબૂતીથી વિસ્તારવું પડે તેમ છે, અને માત્ર મિસકોલ અભિયાન નહીં ચાલે, ગામેગામ અને શહેરોની શેરી-ગલીઓ સુધી પાર્ટીના વિસ્તરણ માટે અથાગ મહેનત કરવી પડે તેમ છે, પરંતુ તે માટે પહેલા રાજ્યકક્ષાએ મજબૂત માળખુ જરૂરી છે, આથી આમઆદમી પાર્ટી માટે પણ ગુજરાતમાં એકદમ ત્રીજો વિકલ્પ બનવાનું સપનુ સાકાર કરવું એ એક મોટો પડકાર જ છે ને ?

એક નવી કહેવત છે કે "ટાણે થાય, તે નાણે ન થાય, અને પરાણે તો કાંઈ પણ ન થાય"-તે મુજબ ત્રણેય પાર્ટીઓએ ગુજરાતના લોકોના દિલમાં ટકી રહેવા કે સ્થાન મેળવવા હવે મથવું જ પડશે, કારણ કે હવે જનતા જાગી ગઈ છે...સમજી ગઈ છે...હવે છેતરાય તેમ નથી !

જો વિકાસના કામો સમયસર નહીં થાય, ગુણવત્તાવાળા નહીં થાય, સમસ્યાઓ હલ નહીં થાય, લોકોની મૂળભૂત જરૂરિયાતો નહીં સંતોષાય અને પાયાની સુખ-સુવિધાઓ પ્રાપ્ત નહીં થાય તો તમામ પક્ષો-નેતાઓ અને તંત્રોએ સમજી લેવાની જરૂર છે. સમજદાર કો ઈશારા બહોત...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવો, નગરને નેશનનું પેરિસ, હાલારને ગ્લોબલ હેવન બનાવીએ...

                                                                                                                                                                                                      

હાલારમાં હરખની હેલી જોવા મળી રહી છે અને આવી રહેલા તહેવારોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જામનગરમાં શ્રાવણી મેળાનું સ્થળ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.

"નોબત" હંમેશાં જનતાની વાચા બન્યું છે, તેથી જન્માષ્ટમી પર્વે જામનગરમાં મેળો આ વર્ષે ક્યાં યોજાશે, તે અંગે જન-જનના અભિપ્રાયો તથા તંત્ર, નેતાઓ તથા સ્ટેક હોલ્ડરોની હિલચાલને સાંકળીને તેનો નિચોડ છેલ્લા એકાદ અઠવાડિયાથી વિશેષ સ્વરૂપે નોબતના માધ્યમથી પ્રસિદ્ધ થતો રહે છે, અને તદ્વિષયક ફિડબેક પણ મળતા રહે છે. જામનગરમાં આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં કામચલાઉ બસડેપો હોવાથી મેળો ક્યાં યોજાશે, અને ક્યાં યોજવો જોઈએ તે અંગે ભિન્ન ભિન્ન મંતવ્યો, પ્રક્રિયા અને તંત્રની કામગીરી, નિરીક્ષણો તથા મિટિંગોમાં થતી ચર્ચાના અહેવાલો લગભગ દરરોજ પ્રસ્તુત થતા જ રહે છે, પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો યોજવાથી ઊભી થનારી સમસ્યાઓ, વિકલ્પો તથા લોકોના સૂચનોને સાંકળીને "નોબત"માં વિવિધ વિચારો-પ્રતિક્રિયાઓ સહિતના ઉલ્લેખો છેલ્લા અઠવાડિયા દરમ્યાન તંત્રી લેખો, વિશેષ લેખો તથા બોક્સન્યુઝમાં વિશ્લેષણોના સ્વરૂપમાં કરાયા છે, અને તેના કારણે જામ્યુકોના વર્તુળોમાં હલચલ મચી હોવાના સંકેતો પણ મળે છે. આજે પણ શ્રાવણી મેળાના સ્થળનો મુદૃો "ટોક ઓફ ધ ટાઉન" બન્યો છે. જોઈએ, શું થાય છે તે...

અત્યારે મહાનગરપાલિકાના શાસકો પાસે જે સત્તા છે, જે નગરજનો (મતદારો) એ જ તેમને સોંપી છે, તેથી જનમતનો આદર કરવાની શાસકોની ફરજ છે. જ્યારે પ્રેસ-મીડિયાના માધ્યમથી પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાના આયોજન અંગે આશંકાઓ વ્યક્ત થઈ રહી હોય અને જનમત વિરૂદ્ધમાં હોય કે વહેંચાયેલો હોય ત્યારે મિટિંગોમાં લેવાયેલા નિર્ણયો કે (ટેન્ડર સહિતની ?) થયેલી પ્રક્રિયાઓ અંગે પૂનર્વિચારણા પણ કરવી જ પડે...

શ્રાવણી મેળા ઉપરાંત નગરમાં ચાલી રહેલા માર્ગ-મરામતના કામોનો વિષય પણ ચર્ચામાં છે. મ્યુનિસિપલ કમિશ્નર અને તેની ટીમ તો ક્યારેક તૂટેલા-ફૂટેલા માર્ગો, ક્યારેક પુલો, ક્યારેક અન્ય વિકાસના કામો તો ક્યારેક ગૌશાળાની મુલાકાત લેતા હોય છે, પરંતુ લોકોએ ઢગલાબંધ મતો આપ્યા છે, તે પદાધિકારીઓ અને કોર્પોરેટરો ભાગ્યે જ મુસીબતના સમયે સમયોચિત જનસંપર્ક કે નિરીક્ષણ કરવા નીકળતા હોવાની જનવ્યથા જોતા જામ્યુકો કોઈ પણ નિર્ણયો, નિરીક્ષણો કે આયોજનો જનમતને અવગણીને કરશે, તો તેના ઘેરા પ્રત્યાઘાતો છેક આગામી ચૂંટણી સુધી પડઘાશે, તે ભુલવુ ન જોઈએ. જો કે, કેટલાક કોર્પોરેટરો જાગૃત છે, તો પદાધિકારીઓ પણ વખતોવખત જનતાની વચ્ચે દેખાય છે. પરંતુ માત્ર ઉજવણીઓ ઉદ્ઘાટનો કે વધામણાઓના કાર્યક્રમને જ પ્રાયોરિટી આપવી અને જનતાની વ્યથા નિવારવા તથા નગરવ્યાપી સમસ્યાઓ ઉકેલવાને ગૌણ ગણવાની માનસિકતા ન રાખવી જોઈએ. આ પ્રકારની માનસિકતાને લોકો ડ્રામેબાજી ગણાવે છે !

જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને ટેસ્ટમેચમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ આપેલા અભિનંદન તથા જામનગરને "પેરિસ" બનાવવાના સૂચિત પ્રોજેકટની ચર્ચા સાથે અટકળોનું બજાર ગરમ છે, અને અદાણી ગ્રુપ ક્યા-ક્યા સ્થળોનો કેવી કેવી રીતે વિકાસ કરશે, તેની કલ્પનાઓ પણ થવા લાગી છે. જામસાહેબ બાપુની આ પહેલ પછી હકીકતે જામનગરના કેટલાક વિસ્તારોનો વિકાસ થશે તો જામનગર હવે મહત્ત્વપૂર્ણ ગ્લોબલ મેપમાં સ્થાયી સ્થાન મેળવશે અને સમગ્ર હાલાર પણ વૈશ્વિક વિકાસના નકશામાં વધુ મહત્ત્વનું સ્થાન મેળવશે તેમ જણાય છે. જામનગરમાં પહેલેથી જ ભારતીય સેનાની ત્રણેય પાંખો છે. તે ઉપરાંત આ રજવાડી નગરમાં ઘણાં બધા જોવાલાયક સ્થળો આવેલા છે. મંદિરોની નગરી ગણાતું જામનગર છોટી કાશી પણ કહેવાય છે. બ્રાસપાર્ટ ઉદ્યોગ તથા અન્ય ઔદ્યોગિક સંસ્થાનો તથા વ્યાપારક્ષેત્રે પણ જામનગરનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

સમગ્ર હાલારમાં ઔદ્યોગિક વિકાસ ઉપરાંત પ્રવાસન ઉદ્યોગ પણ વિકસી રહ્યો છે. યાત્રાધામ દ્વારકા કોરિડોરના વિકાસ સાથે રિલાયન્સ, નયારા ઉપરાંત હવે ઓ.એન.જી.સી.ની કોઈ રિફાઈનરીની સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે. ભુજીયો કોઠો, તળાવની પાળ અને રંગમતી રિવરફ્રન્ટ જેવા વિકાસ સંકુલોના નિર્માણ તથા નવનિર્માણના કારણે હાલાર વાયબ્રન્ટ થઈ રહ્યું છે. સુદર્શન બ્રિજ, સૂચિત સુદામાસેતુનું નવીનીકરણ, શિવરાજપુર-ઓખામઢી-હર્ષદના બીચ, બેટ દ્વારકા-નાગેશ્વરથી હર્ષદ સુધીના યાત્રાધામોનો વિકાસ વગેરે થકી હાલાર પણ ગ્લોબલ બની રહ્યું છે.

જો જામનગર સહિત હાલારની આ ગરિમા વધુ ઝળકાવવી હોય, ભવ્ય ઐતિહાસિક અને રજવાડી વારસો જાળવી રાખવો હોય, હાલારના તમામ બંદરોને વધુ ધમધમતા કરવા હોય અને ખાસ કરીને જામનગરને "પેરિસ" બનાવવાના સપનાઓ સાકાર કરવા હોય તો પહેલા તો સિસ્ટમો સુધારવી પડશે, નેતાગીરીએ સિલેકટીવ માનસિકતા બદલવી પડશે અને નગરજનો તથા હાલારની જનતાએ પણ નિયમ-કાયદાને અનુરૂપ રહીને સંગઠીત થવું પડશે...

જામનગરને પેરિસ અને હાલારને હેવન બનાવવા માટે બિનરાજકીય તથા સમર્પિત પ્રયાસો જરૂરી છે, અને તેમાં આપણે શ્રાવણી મેળા યોજવા જેવી બાબતે પણ ગુંચવાયેલા રહીશું, પ્રચંડ જનમતને અવગણીને મનસ્વી વલણ દાખવતા રહીશું અને લોકોએ જ આપેલી સત્તાનો ઉપયોગ જનમતનો અનાદર થાય, તેવી રીતે કરતા રહીશું તો હવેલી લેવા જતાં ગુજરાત ગુમાવવા જેવો ઘાટ સર્જાશે, તે ભૂલવું ન જોઈએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટાયા પછી બધાના પ્રતિનિધિ, જન-પ્રતિનિધિઓ નિભાવે

                                                                                                                                                                                                      

કોઈપણ પ્રકારની ચૂંટણીમાં વિજય મળ્યા પછી જન-પ્રતિનિધિ તેના મત વિસ્તારોના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી એક વખત ચૂંટાઈ ગયા પછી ચૂંટણી સમયે ઓછું સમર્થન મળ્યું હોય તેવા વિસ્તારો, વિચારધારાનો મતભેદ ધરાવતા લોકો કે પછી કોઈપણ પ્રકારના મત-મતાંતરોને લક્ષ્યમાં લીધા વગર "જનસેવા" કરવી જોઈએ. અને શાસક પક્ષના નેતાઓએ સમાન ધોરણે વિકાસ અને લોક-કલ્યાણના કાર્યો કરવા જોઈએ, તથા વિપક્ષના નેતાઓએ પણ લોકોની સમસ્યાઓ તથા જરૂરિયાતોને લઈને પોતાના મત વિસ્તારના તમામ લોકો માટે અવાજ ઉઠાવવો જોઈએ, અને ચૂંટણીમાં પ્રતિસ્પર્ધીઓને વધુ મતો આપ્યા હોવાની આશંકા કે પ્રચાર દરમ્યાન પોતાને કે પોતાના પક્ષને ઓછું સમર્થન મળ્યું હોય તેવા વિસ્તારો પ્રત્યે દુર્લક્ષ ન સેવવું જોઈએ.

દેશની આઝાદી મળી ત્યારથી જ આ બંધારણીય વિભાવના રહી છે, છતાં પંચાયત, પાલિકા, મહાપાલિકા, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષા સુધીના જન-પ્રતિનિધિઓ ચૂંટણી આધારિત રાજનીતિ કરતા રહ્યા છે, અને તેના આધારે વિકાસ અને જન-કલ્યાણના કામો થતા રહ્યા છે, એટલું જ નહીં, વિપક્ષો પણ આ જ રીતે "સિલેકટીવ" એપ્રોચ (વલણ) અપનાવતા રહ્યા છે, જે લોકતાંત્રિક ભાવનાઓ તથા આપણાં દેશની બંધારણીય જોગવાઈઓને અનુરૂપ નથી, આ મુદ્દે રાજકીય પક્ષો આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરતા રહે છે, પરંતુ આત્મ નિરીક્ષણ કરતા નથી, અથવા જાણી જોઈને પોતાના સમાન પ્રકારના વલણ અંગે ડ્રામેબાજી કરે છે.

તાજેતરમાં પડેલા વરસાદ પછી રાજ્યમાં તૂટી-ફૂટી ગયેલા માર્ગોને તત્કાળ થીગડાં મારવાની જે ઝુંબેશ ચાલી રહી છે, તેમાં પણ વહાલા-દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાની રાજ્યના કેટલાક સ્થળે ચર્ચા થવા લાગી છે. બીજી તરફ વિપક્ષો દ્વારા પણ "સિલેકટીવ" વિસ્તારો માટે જ અવાજ ઉઠાવાઈ રહ્યો હોવાની છાપ પણ ઉપસી રહી છે.

મહાનગરપાલિકાઓમાં એક વોર્ડ દીઠ એક થી વધુ કોર્પોરેટરો ચૂંટાયા હોય, તો તે તમામ કોર્પોરેટરોની જવાબદારી આખા વોર્ડ માટેની જ ગણાય., અને કોઈપણ વિકાસ કે લોકકલ્યાણના કામો માટે જો આખા વોર્ડમાં સમાન જરૂરિયાત કે સ્થિતિ હોવા છતાં માત્ર કેટલાક વિસ્તારોમાં જ વધુ ધ્યાન અપાય, અને બીજા વિસ્તારોની અવગણના થાય, ત્યારે એવી આશંકાઓ ઉઠે કે આવું થવા પાછળ ક્યાંક ચૂંટણી સમયે મળેલા મતો કે સમર્થનના માપદંડોને તો ધ્યાને લેવાયા નહીં હોય ને ?

એવી જ રીતે વિપક્ષના નગરસેવકો (કોર્પોરેટરો) જો પોતાના વોર્ડમાં ચારે તરફ માર્ગોની મરામત, ભૂગર્ભ ગટરના કામો કે અન્ય માળખાકીય સુવિધાઓની સમાન જરૂરિયાત હોવા છતાં જો માત્ર કેટલાક વિસ્તારો માટે જ "સિલેકટીવ" અવાજ ઉઠાવે, અને ખૂબજ તત્કાળ જરૂરિયાત હોય તેવા કેટલાક વિસ્તારોનો તેમાં ઉલ્લેખ જ ન કરે, ત્યારે પણ એવી જ આશંકાઓ ઉઠે કે ક્યાંક ચૂંટણી ટાણે પૂરૃં સમર્થન ન મળ્યું હોય, પોતાની વોટબેંક ન ગણાતી હોય કે તે વિસ્તારમાંથી પોતાને ઓછા મત મળ્યા હોવાનો ડંખ રહી ગયો હોય, તેવા માપદંડો તો અપનાવાઈ રહ્યા નથી ને ?

ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓનો પણ ઉભયપક્ષે આ જ પ્રકારના શંકાસ્પદ વલણો જોવા મળતા હોય કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ વોટબેંક કે વિચારધારા આધારિત ભેદભાવો રખાતા હોય, તો તે બંધારણીય ભાવનાઓને અનુરૂપ તો નથી જ, પરંતુ અમાનવીય અને અનૈતિક પણ ગણાય.

આપણો દેશ વિવિધતામાં એકતા અને વસુધૈવ કુટુંબકમ્ની પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે, જેનો પ્રભાવ આપણા દેશના લિખિત બંધારણ તથા સામાજિક-સાંસ્કૃતિક પરંપરાઓ પર પણ પડયો છે. આ સંજોગોમાં ભેદભાવથી ગ્રાસિત રાજનીતિ, શાસન કે પ્રશાસન વજર્ય ગણાય, પરંતુ આ સિદ્ધાંતો હવે ધીમેધીમે વિસરાઈ રહ્યા હોય અને માત્ર રોકડીયા પાકની જેમ મતો લણવાની લ્હાયમાં ફળદ્રુપ જમીન જેવી આપણી લોકશાહીની વેરાનભૂમિની જેમ દૂર્દશા કરવામાં આવી રહી હોય, તેવો આભાસ ઊભો થાય છે.

એક કેસમાં સુપ્રિમ કોર્ટે પણ ટકોર કરી છે કે જ્ઞાતિ-જાતિના ભેદભાવ યોગ્ય નથી. દેશમાં જ્ઞાતિ-જાતિના નામે થતી રાજનીતિ સામે લાલબત્તી ધરતા સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે આ પ્રકારની રાજનીતિ દેશ માટે ખતરનાક પૂરવાર થઈ શકે છે. એ.આઈ.એમ.આઈ.એમ.નું રજીસ્ટ્રેશન રદ કરવાના કેસની સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી, અને અરજદારની માંગણી ફગાવતા કહ્યું હતું કે કોઈ એક પક્ષ માટે નહીં, સર્વગ્રાહી ટ્રાન્સપરન્ટ પિટિશન હોય, તો વિચારી શકાય, આ સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે અવલોકન કર્યું હતું કે દેશમાં કેટલાક રાજકીય પક્ષો એવા છે કે જેઓ જાતિના નામે રાજનીતિ કરે છે, જે દેશની બંધારણીય વિભાવનાને અનુરૂપ નથી, સુપ્રિમ કોર્ટનું આ અવલોકન દેશની રાજનીતિની વરવી વાસ્તવિકતા છે, અને આ ટકોર દેશના રાજનેતાઓ તથા રાજકીય પક્ષો સામે લાલબત્તી સમાન છે.

મૂળ વાત એ છે કે મતદારો પોતાના જનપ્રતિનિધિને ચૂંટે છે અને તેના આધારે શાસકપક્ષ અને વિપક્ષની ભૂમિકામાં જનસેવકોએ કોઈપણ ભેદભાવ કે પૂર્વગ્રહ રાખ્યા વિના પોતાના સમગ્ર વિસ્તારમાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિ માત્ર પોતાના મતક્ષેત્ર નહીં, પરંતુ જનતાના પ્રતિનિધિ ગણાય. પ્રત્યેક કોર્પોરેટર સમગ્ર મહાનગરપાલિકા વિસ્તાર એટલે કે આખા શહેરની જનતાનો અવાજ ઉઠાવી શકે છે. પ્રત્યેક જનસેવકો પોત-પોતાના મતક્ષેત્રનો સામૂહિક રીતે અવાજ ઉઠાવે તેનો પ્રભાવ પણ વજનદાર હોય છે.

કેટલાક નેતાઓ એવા પણ હોય છે, જેઓ વૈચારિક રીતે સમર્પિત મતદારો કે વિસ્તારોના મત પોતાને મળવાના જ છે, તેમ માનીને અન્ય વિસ્તારો પર વધુ ધ્યાન આપે, ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ પોતાના સમર્પિત વિસ્તારોને તદૃન ભૂલી જાય કે અવગણના કરે, તે પણ યોગ્ય નથી. આવું વલણ રાખનાર જન-પ્રતિનિધિઓ ઘણી વખત તરત ફેંકાઈ પણ જતા હોય છે, કારણ કે કાયમ માટેે બધાને મૂર્ખ બનાવી શકાતા હોતા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નગરથી નેશન સુધી, હોટ પેચ અને "હેટ સ્પીચ"ની ચર્ચા

                                                                                                                                                                                                      

જામનગરને "ખાડે ગયેલું શહેર" ગણાવીને કોંગ્રેસે શાસકપક્ષ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું, અને સદ્બુદ્ધિ યજ્ઞ કરીને નગરમાં માર્ગોના કામોમાં ભયંકર ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસે "હિસાબ દો, જવાબ દો" કાર્યક્રમ રજૂ કરીને નગરમાં રસ્તાઓ તથા ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારની તપાસ માંગી. બીજી તરફ મ્યુનિસિપલ કમિશ્નરના નેતૃત્વમાં એન્જિનિયરોની ટીમ રાજકોટ તરફ જતા ધોરીમાર્ગમાંથી સાત રસ્તા સુધીના આંતરિક માર્ગોનું નિરીક્ષણ કર્યા પછી "હોટ પેચ" એટલે કે ડામરથી ખાડા પુરવાની ઝુંબેશ શરૂ થવાનું હોવાના સંકેતો મળ્યા. નગરમાં આવેલા નાના-મોટા બે ડઝનથી વધુ પુલ-પુલીયાનું નિરીક્ષણ પણ થયું અને કાલાવડ નાકા બહારનો પુલ તો બંધ જ કરી દેવાયો. નગરમાં એક માતા પોતાના બાળક સાથે મનપાની કુંડીમાં પડી ગઈ, તે ખાડા પાસે મુકાયેલી આડસો કોઈએ ખસેડી નાંખી હોય, તો તેવા લોકોને પણ સદ્બુદ્ધિની જરૂર છે. આ દરમ્યાન કેટલાક કોર્પોરેટરોએ સુત્રોચ્ચાર સાથે મહાનગરપાલિકામાં પહોંચીને પદાધિકારીઓની ઓફિસો બહાર આવેદનપત્રો ચોંટાડી દીધા. આ તમામ ઘટનાક્રમો ગંભીરા દુર્ઘટના પછી રાજકીય પક્ષો જર્જરિત પુલો તથા બિસ્માર થઈ ગયેલા માર્ગોને લઈને જાગૃત થઈ ગયા હોય તેમ જણાય છે. જો કે, જામ્યુકોના સંકુલમાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે થયેલી કથિત જીભાજોડી પણ "ટોક ઓફ ધ ટાઉન" બની છે, અને "હોટ પેચ"ની સાથે "હેટ સ્પીચ"ની ચર્ચા પણ વ્યાપક બની છે.

કોઈ પણ મુદ્દે મતભેદ ઊભા થાય, તે સ્વાભાવિક છે અને વિચારભેદ કે મતભેદ વ્યક્ત થાય તેને પ્રોત્સાહિત કરવા માટે જ લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હોય છે. આપણાં દેશના બંધારણે પણ અભિવ્યક્તિની આઝાદી દરેક નાગરિકને આપી છે, અને વાણી-સ્વાતંત્ર્ય જ આપણાં દેશના લોકતંત્રને વધુને વધુ મજબૂત બનાવે છે, પરંતુ આ આઝાદી કોઈને ગાલી-ગલોચ કરવાની, કોઈનું સ્વમાન હણવાથી અથવા અપમાન કરવાની કે વ્યક્તિગત, ધર્મ-વર્ગ-રંગ-સમાજ-જ્ઞાતિ કે સમૂહને લઈને મનફાવે તેવા અયોગ્ય, અનૈતિક કે અભદ્ર શબ્દપ્રયોગ કરવાની છૂટ આપતી નથી. આવા શબ્દપ્રયોગ, પોસ્ટર, ચિત્રો, કાર્ટૂન વગેરેને હેટ સ્પીચ કહેવાય છે.

આ જ વાત એક સુનાવણી દરમ્યાન દેશની સર્વોચ્ચ અદાલતે પણ કરી છે, એટલું જ નહીં. સપ્રિમકોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને સોશ્યલ મીડિયા દ્વાર થતી "હેટ સ્પીચ" એટલકે કે નફરતભર્યા શબ્દપ્રયોગો, દૃશ્યો કે ચિત્રો-કાર્ટૂનો સાથેની કોમેન્ટો અને પોસ્ટપર સ્વનિયંત્રણ માટે ગાઈડલાઈન્સ ઘડવાના આદેશો પણ આપ્યા છે. આખો કિસ્સો કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયને હેટ સ્પીચના મામલે વચગાળાનો આદેશ કે આગોતરા જામીન આપવાના કેસનો છે, જેમાં સુપ્રિમકોર્ટે માલવિયને તત્કાલ રાહત આપી નહીં, પરંતુ આ મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારોને સોશ્યલ મીડિયાના માધ્યમથી મુકાતી હેટ સ્પીચને નિયંત્રણમાં લેવા ગાઈડલાઈન્સ તૈયાર કરવા સરકારોને આદેશ આપ્યો છે, એટલું જ નહીં, સોશ્યલ મીડિયાના તમામ યુઝર્સને પણ આ પ્રકારની હરકતો કરવા સામે લાલબત્તી ઘરી છે. સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોનો દુરૂપયોગ થઈ રહ્યો હોવાનો સ્પષ્ટ અભિપ્રાય પણ સુનાવણી દરમ્યાન સ્વીકૃત થયો છે.

સરકારો પણ આ મુદ્દાનો રાજકીય ઉપયોગ કરીને સોશયલ મીડિયા પર અંકુશ રાખવાના બહાને અભિવ્યક્તિની બંધારણીય આઝાદીને નિયંત્રિત કરવાનો પ્રયાસ ન કરી શકે, તેવી જોગવાઈ પણ અદાલતે કરી છે. અદાલતે કહ્યું છે કે સરકાર કે રાજ્યો સોશ્યલ મીડિયાને અંકુશમાં રાખે, તેવું કોઈ ઈચ્છતું નથી કે તેમાં કોઈ હસ્તક્ષેપ કરવા માંગતું નથી, કે સેન્સરશીપ લાદવાની છુટ આપતું નથી, પરંતુ આ વ્યવસ્થા (જનસહયોગથી) લોકોની સ્વયંભૂ સમજ સાથે સ્વયં શિસ્તથી કેળવાવી જોઈએ.

જો કે, સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાજમાં ભાગલા પડે, નફરત ફેલાય તેવી સામગ્રીને અલગ તારવીને તેના પર અંકુશ લાદવાની અદાલતે તરફેણ પણ કરી હતી. હેટ સ્પીચ માટે સેન્સરશીપ ન ગણી શકાય તેવી સ્વનિયંત્રિત વ્યવસ્થા ઊભી કરવાની જરૂર જણાવતા સર્વોચ્ચ અદાલતે આવી સ્પીચ અંગે લોકોને પણ આકરો સવાલ પુછ્યો હતો. અદાલતે લોકોને (જનતાને) ઉદૃેશીને પણ એવો સવાલ કર્યો છે કે લોકોને આ પ્રકારની હેટ સ્પીચ ધરાવતી સામગ્રી અનુચિત કે અપ્રિય શા માટે લાગતી નથી ? અદાલતે શાસકીય સેન્સરશીપના સ્થાને સ્વનિયંત્રિત સિસ્ટમની તરફેણ કરી હતી, અને લોકોને આ પ્રકારની અભદ્ર, અયોગ્ય અને ધૃણાસ્પદ સામગ્રી લાઈક, શેર કે ફોરવર્ડ કરવાથી દૂર રહેવું જોઈએ. આ વિષય પર બંને પક્ષકારોના વકીલો પાસેથી સુપ્રિમકોર્ટ સૂચનો માંગ્યા હોવાથી હવે અંતિમ ચુકાદો શું આવે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે, પરંતુ આ મુદ્દે સુપ્રિમકોર્ટ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે હેટ સ્પીચ પર અંકુશ જરૂરી છે, પરંતુ તે ગાઈડલાઈન્સ આધારિત સ્વયંશિસ્તના સ્વરૂપમાં હોવો જોઈએ, અને આ બહાને સરકાર અભિવ્યક્તિની આઝાદીમાં કાપ પણ નહીં મૂકી શકે.

સુપ્રિમકોર્ટે અભદ્ર અને નફરત ફેલાવનારી હેટ સ્પીચ પર જે ટિપ્પણી કરી છે તે માત્ર શબ્દપ્રયોગો નહીં, પરંતુ પોસ્ટર, ચિત્રો, તસ્વીરો, વીડિયો, કાર્ટૂન વિગેરે કૃતિઓને પણ લાગુ પડે છે, તેવું સમજાય છે. હવે આખરી ચૂકાદો જે આવે તે ખરો, પરંતુ એ સ્પષ્ટ છે કે સોશ્યલ મીડિયા સહિત વિવિધ રીતે ફેલાવાતી નફરત અને હેટ સ્પીચને લઈને દેશની સર્વોચ્ચ અદાલત પણ ગંભીર છે, અને આજે પણ એ જ દિશાનિર્દેશો અપેક્ષિત છે.

દેશમાં હેટ સ્પીચ જેટલી જ ચર્ચા નગર અને હાલારમાં "હોટ સ્પીચ"ની થઈ રહી છે, તેમાં પણ તાજેતરમાં બનેલા માર્ગો ધોવાઈ ગયા હોય તો તેના કોન્ટ્રાકટરો તથા તે કાર્યોને મંજૂર કરનાર અધિકારીઓ-પદાધિકારીઓને પણ સખ્ત નશ્યત થવી જોઈએ અને માત્ર નાણાકીય દંડ જ નહીં, પ્રજા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને સરકારી નાણાના દૂરૂપયોગ બદલ ફોજદારી રાહે કડકમાં કડક સજા થવી જોઈએ. ખરૃં ને ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પૂ. બા ને ભાવભરી શ્રદ્ધાંજલિ...

 

મમતાની મૂર્તિ, સંસ્કારોની સરવાણી,

સ્નેહનો શિતળ છાંયડો,

માધવાણી પરિવારનો શિતળ છાંયડો વર્ષ-૨૦૦૭ની ૧૩મી જુલાઈના દિવસે ઝુંટવાઈ ગયો, ત્યારે અમે બધા આપની હૂંફ ગુમાવીને સ્તબ્ધ થઈ ગયા હતા. માતાના સ્નેહનું ઝરણું સદૈવ વહેતુ રહે છે. સંસ્કારોની સરવાણી વહાવતી મમતાની મૂર્તિ સમી માં એટલે સાક્ષાત ઈશ્વરનું જિંવંત સ્વરૃપ...

પૂ. બા એ અમારા પિતા સ્વ. રતિલાલ માધવાણીના કદમ સાથે કદમ મિલાવીને નોબત પરિવાર અને માધવાણી પરિવાર પર અપાર મમતા અને સ્નેહ વરસાવ્યા હતા. તેઓ હંમેશાં હસતા મૂખે સૌને આવકારતા હતા, અને સરળ, સાદગીભર્યા જિવનની સાથે હંમેશાં ક્રિયાશીલ રહેતા હતા. તેઓનું સમગ્ર જિવન અમારા માટે પ્રેરણા અને આશીર્વાદરૃપ રહ્યું હતું, અને આજે પણ તેઓ આપણી બધાની વચ્ચે જ હોય તેવી અનુભૂતિ થાય છે.

પૂજ્ય બા...આજે પણ આપની સ્મૃતિ અમોને પ્રેરણા આપે છે અને આપનો સ્નેહાળ હસતો ચહેરો અમને હંમેશાં હસતા રહેવાનું શિખવે છે. આપની સૌ કોઈને મદદરૃપ થવાની ભાવના, મળતાવડો સ્વભાવ અને સૌના મન જીતી લેતી મમતાના કારણે આપ સૌ કોઈને અત્યંત પ્રિય હતા. આપ આજે પણ અમારા સૌના દિલમાં ધબકી રહ્યા છો...

આપ ભલે દેહસ્વરૃપે અમારી વચ્ચે નથી, પરંતુ સ્મૃતિઓ અને હૂંફાળી પ્રેરણાના સ્વરૃપમાં આપ આજે પણ અમારા દિલોદિમાગમાં જિવંત જ છો. આપે અનંત વિદાય લીધી ત્યારે અમોને કારમો આઘાત લાગ્યો હતો, પરંતુ ઈશ્વરની ઘટમાળ સામે આપણું કાંઈ ચાલતુ નથી. આપ આજે પણ વૈકુંઠમાંથી અમારા બધા પર અમિભર્યા આશીર્વાદ વરસાવી જ રહ્યા છો....

પૂજ્ય બા...આપ અમારી ચેતના છો, અમારી પ્રેરણા છો...આપના પથદર્શન પર જ, અમો આજે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છીએ.

શ્રીજી ના ચરણોમાં વંદન સાથે અમો આપને પુષ્પાંજલિ અને સ્મરણાંજલિ સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.

જામનગર

તા. ૧૪-૭-૨૦૨૫

- માધવાણી પરિવાર

- નોબત પરિવાર

દુર્ઘટના સે દેર ભલી, માનવજિંદગી થી મૂલ્યવાન કાંઈ જ નથી... તમામ એંગલથી દુર્ઘટનાઓની તપાસ જરૃરી...

                                                                                                                                                                                                      

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની ગમખ્વાર દુર્ઘટનાના કારણોની આજે ફરીથી ચર્ચા થઈ રહી છે અને એ.એ.આઈ.બી.ના પ્રાથમિક તપાસ રિપોર્ટનું વિશ્લેષણ થઈ રહ્યું છે, અને ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. એવું કહેવાયું છે કે વિમાનના બંને એન્જિનને ઈંધણ નહીં પહોંચતા બંધ પડી ગયા હતા, જેને ચાલુ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ મુદૃે હવે ટેકનિકલ તપાસ પછી અન્ય એંગલોથી તપાસ ચાલુ રહેશે અને આવુ કેમ થયું ? તેનો જવાબ મેળવવાનો પ્રયાસ થશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગઈકાલે આ અંગે ૧૫ પેઈઝનો રજૂ કરેલો રિપોર્ટ ચર્ચામાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રીને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ દુર્ઘટનાની ઉંડી તપાસ તમામ દૃષ્ટિકોણથી (એંગલથી) કરાશે, જેમાં ષડ્યંત્ર કે તોડફોડની સંભાવનાઓનો પણ સમાવેશ થાય છે, એટલે કે આ વિમાન દુર્ઘટના પાછળ કોઈ કાવતરૃં હોય તેવી શક્યતા ને નકારાઈ નથી. એન્જિન ફેઈલર, ફ્યુઅલ પુરવઠાની સમસ્યા, બીજી કોઈ ટેકનિકલ ખામી, માનવીય ભૂલ તથા તમામ એંગલથી તપાસ કરીને ત્રણ મહિનામાં વિગતવાર રિપોર્ટ આવવાની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે તો તમામ ચર્ચાનો મુદ્દો "રન" માંથી "કટ ઓફ" માં ફ્યુલ કટ ઓફ સ્વીચ કેવી રીતે પહોંચી ગઈ અને પાઈલોટો વચ્ચે થયેલી વાતચીત જ છે, અને તેના પરથી જ આ દુર્ઘટના પાછળ કોઈ કાવતરૃં પણ હોઈ શકે છે, તેવી આશંકાઓ પ્રગટ થઈ છે.

આ પ્રાથમિક રિપોર્ટ મુજબ અત્યારે જે કારણો સામે આવ્યા છે, તેના જુદા-જુદા અર્થઘટનો થઈ રહ્યા છે, અને ફ્યુલ સ્વીચ જો વિમાન જમીન પર હોય, ત્યારે જ ઓન-ઓફ કરાતી હોય, તો તે કોણે કરી ? તેવો સવાલ પણ ઉઠે છે. જે હોય તે ખરૃં, પણ આ બાબતની તલસ્પર્શી અને તમામ એંગલથી તપાસ થાય, અને ફાઈનલ રિપોર્ટ બહાર આવે, તે પછી જ બધી વાતો કલીયર થાય તેમ છે, તેથી ત્રણ મહિના પછી વિગતવાર રિપોર્ટ આવે, તેની રાહ જોવી રહી...

અમદાવાદના પ્લેન ક્રેશની તપાસમાં તો બ્લેકબોક્સ અને અન્ય રેકોર્ડીંગ, જરૃર પડે તો એરપોર્ટ, રન-વે ના સી.સી.ટી.વી. કેમેરા તથા તેમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તેમાં ઉંડુ ઉતરવું પડે તેમ છે, અને તેથી તેમાં ત્રણેક મહિનાનો સમયગાળો જોઈએ, પરંતુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તો જવાબદારોને છાવરવા ન હોય, તો કારણો અને તારણો સ્પષ્ટ જ છે, આ બ્રિજ જર્જરિત હોવા છતાં કેમ ચાલુ રખાયો અને જાગૃત નાગરિકોએ ઘણાં મહિનાઓ પહેલા રજૂઆતો કરવા છતાં આ બ્રિજની મજબૂતિને કલીનચીટ અપાઈ હોય, તો તેની પાછળના કારણો ક્યા હોઈ શકે, તેની ઉંડી તપાસ પણ કરવી જરૃરી છે, અને ભાંગફોડ કે સ્થાપિત હિતોના કોઈ ષડયંત્રની સંભાવનાઓ પણ ચકાસી લેવી જોઈએ, ખરૃં ને ?

અમદાવાદની પ્લેન દુર્ઘટના પછી સંબંધિત એરલાઈન્સ કે ડ્રીમલાઈનર પ્લેનના ઉત્પાદકો તેનો બચાવ કરે અને દુર્ઘટનાના અર્થઘટનોમાંથી જ પોતાની એઈફ સાઈડ બતાવવાનો પ્રયાસ કરે, તે સમજાય, પરંતુ કોના સંદર્ભે સરકાર, અધિકારીઓ કે કોઈ રાજનેતા અથવા પાર્ટી તેના બચાવ કે વિરોધમાં ઉતરે, તો દાળમાં કાંઈક કાળુ હોવાની આશંકાઓ જાગે, તે પણ હકીકત છે. કોઈ પણ બચાવ અથવા વિરોધ સાથે મજબૂત પ્રમાણો, આધાર કે પુરાવા ન હોય, તો તેનો કોઈ મતલબ પણ નથી.

જો કે, આ દુર્ઘટના થયા પછી અન્ય કંપનીઓના વિમાનોની ચકાસણી કરવાની પ્રક્રિયા પણ વધુ ચૂસ્ત-દૂરસ્ત થઈ ગઈ છે અને ઉડ્ડયન દરમ્યાન પણ જો કોઈ નાની-સરખી ખામી કે શંકા જણાય તો તરત જ તેના પર લક્ષ્ય અપાય છે, અને તે કારણે જ ઈમરજન્સી લેન્ડીંગની ઘટનાઓ પણ વધી રહી છે, જે સારા સંકેત છે, કારણે માનવ જિંદગીથી વિશેષ મૂલ્યવાન કોઈ ચીજ નથી.

એવી જ રીતે ગંભીરા પુલની દુર્ઘટના પછી અન્ય જર્જરિત પુલોની ગણતરી પણ થવા લાગી છે, અને ખંભાળીયાના જર્જરિત બ્રિજ જેવા માત્ર કાગળ પર બંધ કરાયેલા તેમજ અન્ય પ્રતિબંધ મુકવા જેવા પુલોની તસ્વીરો પણ અખબારોના પાને ચમકવા લાગી તથા મીડિયા-સોશ્યલ મીડિયામાં વાયરલ થવા લાગી છે. જો કે, મોરબી ઝુલતા પુલની દુર્ઘટના તથા તે પછીની પુલ દુર્ઘટનાઓમાંથી પણ કોઈ કાયમી બોધપાઠ લેવાયો હોય તેમ લાગતું નથી.

જે બ્રિજ અને માર્ગો સામાન્ય વરસાદમાં પણ તૂટી-ફૂટી જાય તેના જવાબદારો સામે માત્ર ગડકરી ફેઈમ જુસ્સેદાર નિવેદનોથી નહીં ચાલે, પરંતુ વાસ્તવમાં કડક પગલાં લેવાય તે જરૃરી છે. એટલું જ નહીં, જ્યારે કોઈપણ નવા માર્ગ કે પુલનું લોકાર્પણ થાય, ત્યારે તેના ઉદ્ઘાટન પહેલા જ ઉદ્ઘાટન કરનાર મહાનુભાવોએ તેની મજબૂતી, ગુણવત્તા તથા કોન્ટ્રાકટર સાથે થયેલા કરારોની ચકાસણી કરવાનું ફરજીયાત હોવું જોઈએ, જેથી ઉદ્ઘાટન પછીના ગેરંટી પીરિયડમાં જો માર્ગ કે પુલને લઈને કોઈ ફરિયાદ ઊભી થાય કે દુર્ઘટના સંભવ હોય તો સંબંધિત કોન્ટ્રાકટરો, તે કામોને પ્રમાણિત અધિકારીઓ અને તે પુલ કે માર્ગનું ઉદ્ઘાટન કરનાર મહાનુભાવોને પણ સાંકળીને ઉચિત કાર્યવાહી સરકાર, તંત્ર અને પાર્ટીની કક્ષાએથી પણ થઈ શકે.

હવે તંત્રો સાથે સાઠગાંઠ કરીને ભ્રષ્ટાચારને સિસ્ટોમેટિક સ્વરૃપ આપનાર પદાધિકારીઓ તથા નેતાઓને પણ કાનૂની રીતે જવાબદાર ગણવાની ક્રાન્તિકારી પહેલ કરવાની જરૃર છે, અને એ પ્રકારની ત્રેવડ હોય, તેને જ સત્તામાં રહેવાનો અધિકાર છે, તેવો નવો કોન્સેપ્ટ પણ આકાર લેવા લાગ્યો છે, તેથી ભ્રષ્ટ અદૃશ્ય ગેંગોએ પણ હવે ચેતી જવાની જરૃર છે, અન્યથા આપણાં દેશમાં મજબૂતમાં મજબૂત સરકારોને પણ આ જ જનતાએ ઘરભેગી કરી છે, તે ભૂલવા જેવું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ટ્રેડ ડીલ માટે ટેરિફ ૧૦% થી નીચે રાખવા અમેરિકા સામે ભારતની માંગણી.

તહેવારોમાં તકેદારી જરૂરી... તંત્રો તિકક્ડમ ન ચલાવે... મેળાઓને લઈને મુંઝવણ ? જનપ્રતિનિધિઓ જાગો...

                                                                                                                                                                                                      

ગઈકાલે ગુરૂપૂર્ણિમાની ધામધૂમ અને પૂજ્યભાવ સાથે ગુરૂપૂજન કરીને ઉજવણી થઈ, તો શાળા-કોલેજોથી લઈને ધર્મસ્થળો, ધાર્મિક સંસ્થાઓ અને યાત્રાધામોમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાયા. આ દરમ્યાન એક તરફ ભક્તિગંગા ઉભરાવા લાગી હતી, તો બીજી તરફ યાત્રાસ્થળો-યાત્રાધામોમાં પણ માનવ મહેરામણ પૂર્ણિમાની ભરતીની જેમ ઉભરાઈ રહ્યો હતો.

યાત્રાધામ દ્વારકામાં પૂનમ ભરવા માટે નિયમિત ભાવિકો આવે છે, તે ઉપરાંત ગઈકાલે ગુરૂપૂર્ણિમા હોવાથી યાત્રિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા ગઈકાલે દ્વારકાના જગતમંદિરની છપ્પન સીડી તરફ જે સ્થિતિ સર્જાઈ હતી, તે દ્વારકા દેવસ્થાન (મંદિર વ્યવસ્થાપન) સમિતિ, વહિવટીતંત્ર, પોલીસતંત્ર અને પૂજારીવર્ગ તથા મંદિરને સંલગ્ન શારદાપીઠ માટે પણ એક પ્રકારે વોર્નિંગ એલાર્મ જેવી ગણાય, કારણ કે આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી તથા શ્રાવણ મહિનામાં યાત્રાધામ દ્વારકા-બેટદ્વારકા-નાગેશ્વરના પ્રવાસે અકલ્પ્ય સંખ્યામાં યાત્રિકો આવવાની સંભાવના છે, અને તમામ ભાવિકો-યાત્રિકો જગતમંદિરમાં દર્શન કરવા તો આવવાના જ છે, તેથી ધક્કા-મુક્કી ટાળવા અને દર્શનાર્થીઓનું સ્વમાન જળવાઈ રહે અને શાંતિથી દર્શન-વ્યવસ્થા સંપન્ન થાય, તેનું સમતુલન જાળવવું અત્યંત પડકારરૂપ બનવાનું છે.

એવું કહેવાય છે કે અષાઢી પૂર્ણિમાના દિવસે જગતમંદિરમાં હૈયે હૈયુ દળાય, તેવી ભીડ હતી. અને થોડા સમય માટે કેટલાક ભાવિકોને ભીડની વચ્ચે મુંઝારો થતો હતો. કૃષ્ણકૃપા કહો કે ભક્તોના નસીબ કહો, પણ જેમ-તેમ કરીને વ્યવસ્થા જળવાઈ અને કોઈ અનિચ્છનિય ઘટના સર્જાઈ નહીં, પરંતુ આમાંથી ધડો લઈને આગામી તહેવારોમાં સંબંધિત તંત્રો તકેદારી રાખશે તેવું ઈચ્છીએ...

આખો શ્રાવણ મહિનો સોમનાથ-નાગેશ્વરના દર્શને આવતા દેશ-દુનિયાના ભાવિકોમાંથી મોટા ભાગના લોકો દ્વારકા તથા બેટ દ્વારકાના દર્શને અવશ્ય જતા હોય છે, પરંતુ આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી ખેડૂતો સહિત  સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ છે, તેથી સ્થાનિક ભાવિકોનો ધસારો મંદિરોમાં પણ વધવાનો છે અને મેળાઓમાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડવાના છે, ત્યારે આ વખતે જ્યાં જ્યાં મેળાઓ યોજાય છે, ત્યાં ત્યાં સુરક્ષા અને સલામતિ ઉપરાંત વ્યવસ્થિત દર્શન તથા ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવાની દૃષ્ટિએ પણ વધુ પડકારરૂપ સ્થિતિ ઊભી થઈ શકે છે.

જામનગરમાં ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ પછી પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ મેળો યોજાશે, તેવી જાહેરાત તો થઈ ગઈ, પરંતુ આ વખતે એક તરફ મેળામાં ભીડ વધવાની શક્યતાઓ છે, અને બીજી તરફ અડધુ પ્રદર્શન ગ્રાઉન્ડ જ ઉપલબ્ધ છે, તે ઉપરાંત બાજુમાં જ કામચલાઉ એસ.ટી. ડેપો હોવાથી ટ્રાફિક-નિયમન, વ્યવસ્થાઓ, સુરક્ષા-સલામતિ ઉપરાંત ચોમાસાની ઋતુ હોવાથી ભીડ નિયમન ઉપરાંત આગ-અકસ્માત-પડવા-વાગવા જેવી દુર્ઘટનાઓ અંગે પણ સાવચેત રહેવું પડે તેમ છે.

જામનગરમાં તો આખુ પખવાડીયું શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડના અડધા ટૂકડામાં યોજાનાર હોવાથી ઊભી થનારી સ્થિતિની ધ્રુજાવનારી સ્થિતિનો અંદાજ કરીને તંત્રો તિક્કડમ ન ચલાવે, શાસકો સૂસ્ત ન રહે અને લોકો પણ  ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તેવી આશા જ રાખવી રહી...

નગરમાં પૂર્ણતાના આરે આવીને લટકેલી તથા અટકેલી ફલાયઓવર બ્રિજની કામગીરી, તેની ગુણવત્તા સામે ઉઠેલા સવાલો અને ખાડાઓમાં ગાયબ થઈ ગયેલા માર્ગો તથા ચોમાસાના કારણે વરસાદ-વાવાઝોડાની સંભાવનાઓ વચ્ચે શ્રાવણ મહિનો તથા અન્ય તહેવારોમાં મુશ્કેલી તો પડવાની જ છે, અને પરિણામલક્ષી પગલાં લેતા પહેલા જ (આદત સે મજબૂર) પ્રચાર-પ્રસિદ્ધિ કરતી સ્થાનિક શાસકો અને તંત્રોની જુગલબંધીના ભરોસે પણ રહેવાય તેમ નથી, ત્યારે ટ્રાફિક અને અન્ય નીતિ-નિયમ-કાયદા-કાનૂનને નેવે મૂકીને તહેવારો ટાણે ઉફાણે આવી જતા તત્ત્વો-પરિબળોને અંકુશમાં રાખવાની તકેદારી પણ "ઉચ્ચ" કક્ષાએથી સાર્વત્રિક રાખવી પડે તેમ છે.

શ્રાવણી મેળાઓ તથા તહેવારોમાં મેળાઓ તથા યાત્રાધામોમાં બેફામ નફાખોરી અને ઉઘાડી લૂંટ ન થાય, અને સ્થાનિક તથા રાજ્યવ્યાપી પરિવહનમાં ટિકિટ-ભાડા, રિક્ષાભાડા અને ભોજન-નિવાસની સવલતો આપતા ક્ષેત્રો પર પહેલેથી જ અંકુશ રહે તે અત્યંત જરૂરી છે.

રેલવે તંત્રે પણ જનરલ બુકીંગ સમયે ટ્રેનની ક્ષમતાને અનુરૂપ જ ટિકિટો આપવી જોઈએ, તેથી પહેલેથી બુકીંગ કરાવ્યું હોય, તેવા પ્રવાસીઓ પોતાની સીટ સુધી સમયસર અને સલામત રીતે સરળતાથી પહોંચી શકે.

રેલેવે તંત્ર દ્વારા લાંબા અંતરની ટ્રેનોમાં ચાલુ ટ્રેને કોઈ પણ મુસાફરની સામાન્ય બીમારીમાં પ્રાથમિક સારવાર થઈ શકે, અને દવાઓ આપી શકાય, તેવી વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે વિચારવું જોઈએ, જેથી રેલવેસ્ટેશનો પર કે નજીકના સ્થળે દવા લેવા જતા મુશ્કેલીમાં મુકાવા, ટ્રેન ચૂકી જવા કે મુસાફરી અડધેથી છોડી દેવા જેવી મજબૂરીમાં મુસાફરોને મુકાવું પડે નહીં. ખાસ કરીને યાત્રાધામો તથા મોટા શહેરોને જોડતી લાંબા અંતરની ટ્રેનોમાં આ પ્રકારની વ્યવસ્થા થવી જરૂરી છે.

દર વર્ષે એસ.ટી. દ્વારા જન્માષ્ટમી પર્વે દ્વારકા અને અન્ય તહેવારો પર પ્રાસંગિક ધોરણે અન્ય સ્થળો માટે પણ વિશેષ બસો દોડાવવામાં આવે છે, તેમાં સુધારો વધારો થવો જરૂરી છે, અને લાંબા અંતરની બસોમાં પણ કોઈ મુસાફરને સામાન્ય તકલીફ થાય, તો બસમાં જ ફર્સ્ટ એઈડ કે સારવાર થઈ શકે, તેવી વ્યવસ્થા થઈ શકે અને કેટલાક વ્યૂહાત્મક સ્થળે બસમથકો પર પણ આ પ્રકારની સુવિધાઓ રાખવી જોઈએ. ખાસ કરીને તહેવારોમાં ભારે ભીડ હોય, ત્યારે તો કેટલીક વિશેષ વ્યવસ્થાઓ ઊભી થવી જ જોઈએ ને ?

આપણે ઈચ્છીએ કે તમામ તહેવારો-મેળાઓ ખૂબ જ આનંદ-ઉલ્લાસપૂર્વક અને નિર્વિઘ્ને સંપન્ન થાય, અને એવું ત્યારે જ થશે, જ્યારે આપણે બધા પહેલેથી જ આ માટે જાગૃત રહીશું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જાપાને ઈન્ટરનેટની દુનિયામાં નવો રેકોર્ડ બનાવ્યો, પ્રતિ સેકન્ડ ૧૦ લાખ જીબીની સ્પીડ પ્રાપ્ત કરી.

ગુરૃઃ બ્રહ્મા, ગુરૃઃ વિષ્ણુ, ગુરૃઃ દેવો મહેશ્વર, ગુરૃઃ સાક્ષાત્ પર બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

                                                                                                                                                                                                      

આજે ગુરૂપૂર્ણિમા છે, અને જામનગર-હાલાર સહિતના વિશ્વભરમાં ભારતીયો જ નહીં, અન્ય દેશોના સનાતનીઓ પણ આજે ગુરૂપૂજન કરી રહ્યા છે. જૂના જમાનામાં શિક્ષણ વ્યવસ્થાઓ આપણાં દેશમાં ઋષિ-મૂનિઓ પાસે હતી, જે અત્યારે શાસન હસ્તક છે., પરંતુ જે શિક્ષણ આપે કે સંસ્કારો આપે, તે તમામ ગુરૂજનોનો આજે મહિમાગાન થાય છે.

અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરૂવર્ય વેદવ્યાસજીની જયંતીને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે, અને આ દિવસે ગુરૂ પ્રત્યે સન્માન-આદર અને જીવન-શિક્ષણ-સંસ્કાર આપવા બદલ આભારદર્શનનો હોવાથી તેનું ભારતીય સંસ્કૃતિમાં અદકેરૃં મહત્ત્વ છે. વેદવ્યાસજીએ અઢાર પુરાણ, શ્રીમદ્ ભાગવત, મહાભારત અને બ્રહ્મસુત્ર સહિતના ગ્રંથોની રચના કરી હતી, જે સનાતન ધર્મની બુનિયાદ છે.

ગુરૂપૂર્ણિમા એટલે ગુરૂ-શિષ્ય પરંપરાનો ઉત્સવ...આ દિવસે શિષ્યો પોતાના ગુરૂજનોના આશીર્વાદ મેળવે છે અને શિક્ષકો, પ્રોફેસરો તથા શિક્ષણ આપનાર મહાપુરૂષોનું બહુમાન કરાય છે; તેવી જ રીતે આધ્યાત્મિક-ધાર્મિક પથદર્શન કરતા ધર્મગુરૂઓનું પૂજન પણ આજના દિવસે થાય છે. એક દૃષ્ટિએ આ દિવસ પ્રાચીનકાળથી લઈને અર્વાચીન કાળના ગુરૂજનોને સમર્પિત છે, અને શિષ્યો તથા શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ તથા અનુયાયીઓ પારંપરિક ગુરૂપૂજન તથા પોતાના પ્રવર્તમાન ગુરૂજનો પ્રત્યે પણ આદર અને આભાર વ્યક્ત કરે છે.

આજે યુગ બદલાયો છે. શિક્ષણ પદ્ધતિ પણ બદલાઈ રહી છે. ગુરૂ-શિષ્ય પરંપરા જળવાઈ પણ રહી છે અને તેમાં આધુનિકતા પણ આવી રહી છે. આજે શાળા-કોલેજના ગુરૂજનો, યોગગુરૂઓ, ડીજિટલ ક્ષેત્રના ગુરૂજનો તથા વિવિધ ક્ષેત્રના તજજ્ઞ ગુુરૂજનોને યાદ કરીને તમામના યોગદાનને બિરદાવવુ જ જોઈએ.

બીજી દૃષ્ટિએ જોઈએ, તો આજે ગુરૂ-શિષ્ય પરંપરા પહેલાની જેમ જળવાઈ રહેલી જણાતી નથી., ધર્મ-સંપ્રદાયો અને આધ્યાત્મિક ક્ષેત્રે તો ગુરૂજનો તથા અનુયાયીઓની પારંપારિક પ્રથાઓ, રિત-રિવાજો તથા આદર-માન સન્માન કાંઈક અંશે જળવાઈ રહ્યા છે, પરંતુ આધુનિક શિક્ષણ પ્રણાલિમાં એ પારસ્પરિક માન-સન્માન-આદર તથા વહાલ-વાત્સલ્ય જળવાઈ રહ્યા છે ખરા ? તે પ્રશ્નનો જવાબ શોધવો પડે તેમ છે અને ચિંતન કરવું પડે તેમ છે.

ઘણી પ્રાચીન પરંપરાઓમાં સુધારણાઓ જરૂરી હતી, જે થઈ રહી છે, તેવી જ રીતે અર્વાચીન પરંપરાઓમાં પણ મૂળભૂત સંસ્કારો અને સંસ્કૃતિ વિસરાવી ન જ જોઈએ, પરંતુ વાસ્તવમાં તેવું બની રહ્યું છે ખરૃં ?

પહેલા ધર્મ, આધ્યત્મ, શિક્ષણ અને સંસ્કારોનું સિંચન ઋષિ-મુનિઓ કરતા, જે આજે ધર્મ-આધ્યાત્મ તથા શિક્ષણ-તાલીમના અલગ-અલગ ક્ષેત્રોમાં વહેંચાઈ ગયા છે, અને જીવનલક્ષી શિક્ષણ હવે કારકીર્દિ અથવા વ્યવસાયલક્ષી બન્યું છે, તેવી ચર્ચાઓમાં પણ વજૂદ છે, યુગ બદલાયો છે, તેની સાથે પરંપરાઓ અને પદ્ધતિઓ પણ બદલી ગઈ છે.

આપણે માતાને જીવનનો સર્વપ્રથમ અને જીવનપર્યંતનો સર્વોચ્ચ ગુરૂ માનીએ છીએ. એમ પણ કહી શકાય કે જન્મ દેનાર માતા-પિતા જીવનના પ્રારંભિક ગુરૂ છે. તે પછી પૂર્વ-પ્રાથમિક થી લઈને ઉચ્ચ-સર્વોચ્ચ કક્ષાઓ સુધીના શિક્ષણ આપનાર તમામ શિક્ષકો, પ્રોફેસરો, ફેકલ્ટીઓ તથા તજજ્ઞોને પણ ગુરૂજનો ગણાવી શકાય. તે ઉપરાંત જે આધ્યાત્મિક ગુરૂ આપણને નૈતિકતા અને સામાજિક મૂલ્યો સમજાવે અને આધ્યાત્મિક શિક્ષણ આપે, અને દીક્ષા આપે તે દીક્ષાગુરૂઓ કહેવાય. તે ઉપરાંત યોગ ગુરૂ, બ્રહ્મોનિષ્ઠ ગુરૂ, તંત્ર-મંત્ર શિખવનાર ગુરૂ, ચંદન ગુરૂ, યોગી ગુરૂ વગેરે ધર્મ-આધ્યાત્મ-વિદ્યાઓ ક્ષેત્રના ગુરૂઓ તથા આધુનિક યુગમાં શિક્ષક, પ્રોફેસર, વિશેષજ્ઞ, માર્ગદર્શક, એડવાઈઝર, એડ ગુરૂ, ડીજિટલ ગુરૂ તથા કલા ગુરૂ જેવા પ્રકારો પણ ગુરૂની શ્રેણીમાં ગણાવાય છે.

આપણાં શાસ્ત્રો મુજબ ચંબક ગુરૂ, ચંદન ગુરૂ, પારસ ગુરૂ અને ભૃંગી ગુરૂ એવા ચાર પ્રકાર ગણાવ્યા છે. તે ઉપરાંત વર્તમાન યુગમાં સંગીત ગુરૂ, નૃત્ય ગુરૂ, આધ્યાત્મ ગુરૂ, ધર્મ ગુરૂ જેવા પ્રકારો પણ આ શ્રેણીમાં ગણાવાય છે. શાળા-કોલેજોમાં શિક્ષણ આપતા અધ્યાપકો, પ્રાધ્યાપકોને સૂચક ગુરૂ, કથાકારો, વ્યાખ્યાનકારોને વાચક ગુરૂ, ધર્મ-આધ્યાત્મનું પ્રાસંગિક જ્ઞાન આપતા વક્તાઓને બોધક ગુરૂ અને કેટલાક નકારાત્મક હેતુઓ માટે તાંત્રિક વિદ્યા શિખવનારને નિષિદ્ધ ગુરૂ કહેવાય છે; નિષિદ્ધ ગુરૂથી અંતર રાખવાની સલાહ પણ અપાતી હોય છે. આપણાં શાસ્ત્રો મુજબ વશિષ્ઠ, વિશ્વામિત્ર, કશ્યપ, અત્રિ,ગૌતમ, મહર્ષિ, જમદગ્નિ અને ભારદ્વાજ ઋષિને સપ્તર્ષિ ગણાવાયા છે. એ ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ રાજગુરૂઓ હોય છે, જે રાજા-રજવાડાઓને પથદર્શન કરતા હતા. લોકતાંત્રિક વ્યવસ્થામાં રાજકીય પાર્ટીઓના સ્થાપકો વગેરેને પણ રાજકીય ગુરૂ ગણવામાં આવે છે.

કેટલાક સંપ્રદાયોમાં ગાદીપ્રથા મૂજબ ગુરૂજનો ગાદી સંભાળે છે, તો જગદ્ગુરૂઓની પરંપરા પણ છે, ગુરૂજનોનો આદર કરવાના આજના દિવસે તમામ પાવન ગુરૂઓને વંદન...

આજનો યુગ પ્રોફેશનાલિઝમ તથા પેકેજીસ આધારિત થઈ ગયો છે, ત્યારે ગુરૂ-શિષ્ય પરંપરા પ્રમાણો અને આયામો પણ બદલી રહ્યા છે અને માન, સન્માન, આદર તથા ગુરૂત્વના માપદંડો પણ બદલાઈ ગયા છે.

ત્યાગની બુનિયાદ પર ગુરૂપરંપરા પ્રસ્થાપિત થઈ હોય, ત્યાં વાદ-વિવાદને જગ્યા જ ન હોય. આજના યુગમાં તો ગુરૂઓ અને શિષ્યોની પરિભાષા જ જાણે બદલી રહી હોય તેવું જણાય છે.

રાજકીય અને વ્યાપાર-ઉદ્યોગ-કોર્પોરેટ ક્ષેત્રે તો એવા ઘણાં દૃષ્ટાંતો મળી આવશે, જેમાં ગુરૂની આંગળી પકડીને આગળ વધેલા શિષ્યો એ જ ગુરૂઓને હાસિયામાં ધકેલી દેતા હોય. આજના યુગમાં ગુરૂત્વ ની ગરિમા જાળવી રાખવાની જવાબદારી ગુરૂજનોની છે, તેવી જ રીતે શિષ્યત્વની ગરિમા તથા પવિત્રતા જાળવી રાખવાની જવાબદારી પણ સૌ કોઈની છે.

આજે ગુરૂપૂર્ણિમાના પાવનપર્વે ગુરૂજનોને વંદન કરીને વિશ્વકલ્યાણ તથા સર્વજન હિતાય, સર્વજન સુખાયની ભાવના વ્યક્ત કરીએ...

ગુરૃઃ બ્રહ્મા, ગુરૃઃ વિષ્ણુ, ગુરૃઃ દેવો મહેશ્વર,

ગુરૃઃ સાક્ષાત્ પર બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'મેઘ' કા નામ બદનામ ના કરો કોણે ખંખેરી નાંખી જવાબદારી ? 'ગંભીરા'ની ગંભીર દુર્ઘટના... જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

આ વર્ષે ચોતરફ શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પૂરથી નુકસાન થતા મેઘરાજાએ મહેર જ કરી છે, તેથી જ જનતા અને જગતનો તાત ખુશ છે. કેટલાક ખેતર-વાડીઓમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું છે, પરંતુ એકાંદરે અત્યાર સુધી મેઘરાજા મહેરબાન થઈને અમૃતવર્ષા કરી રહ્યા છે, તેમ કહી શકાય.

જામનગર સહિત ગુજરાતના ઘણાં શહેરોમાં ભારે વરસાદના કારણે માર્ગો ધોવાઈ ગયા છે, પરંતુ જામનગરમાં તો આક્રમક વરસાદ થયો જ નથી, ત્યાં માર્ગો તૂટી-ફૂટી ગયા છે, જે નબળી ગુણવત્તા દર્શાવે છે, પરંતુ ચાલાકીપૂર્વક દોષનો ટોપલો મેઘરાજા પર ઢોળવામાં આવ્યો છે, તેથી એવું કહી શકાય કે, "શરમ કરો...શરમ કરો... મેઘ કા નામ બદનામ ના કરો"...

જામનગરમાં કોંગ્રેસ દ્વારા આ હકીકતને ઉજાગર કરવા "ખાડાપૂજન" કરીને વિરોધ વ્યક્ત કરવાની નવતર પદ્ધતિ અપનાવીને જે તસ્વીર પ્રસિદ્ધ કરાવી છે, તે આંબેડકર બ્રિજનું ઈ-લોકાર્પણ મુખ્યયમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૨૨માં જ કર્યું હતું, અને આટલા જ સમયગાળામાં આ બ્રિજની આવી દૂર્દશા થઈ હોય, અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ થતી હોય, તો જામનગરમાં નિર્માણ થઈ રહેલા ફ્લાઈઓવર બ્રિજની ગુણવત્તા કેવી હશે, તે અંગે પણ આશંકાઓ વ્યક્ત થવા લાગી છે. એવું કહેવાય છે કે આ બ્રિજમાંથી પણ થોડા વરસાદમાં જ "ચૂવાક" થવા લાગ્યો છે. જો કે, આંબેડકર બ્રિજનો ખાડો તો કામચલાઉ ધોરણે બુરી દેવાયો છે, પણ થીગડાં ક્યાં સુધી ચાલશે ?

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે જોડતા ગંભીરા બ્રિજની ગંભીર ઘટનાના અહેવાલો પછી સરકાર હચમચી ગઈછે, અને જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

જામનગરનો કોઈ વિસ્તાર ખાડામાર્ગોથી બાકાત નથી. ભૂગર્ભ પાઈપલાઈનના કારણે ખોડીયાર કોલોનીથી એરફોર્સ તરફ જતા માર્ગે મસમોટા ખાડા સર્જાયા છે. બ્રિજ પર બરાબર ઢાળ પર પડેલા મોટા મોટા ખાડાઓ ગમે ત્યારે અકસ્માત નોતરી શકે છે. નગરમાં પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાય, ત્યારે તો રોડ દેખાતો જ નહીં હોવાથી જળમગ્ન મોટા ખાડાઓના કારણે ભયંકર દુર્ઘટનાની સંભાવનાઓ વધી જતી હોય છે. લોકો રજવાડી જામનગરને ખાડાનગર કહીને કટાક્ષ કરતા હોવાથી કેટલાક આદરણીય મહાપુરૂષોનું દિલ દુભાતુ હશે, પણ શું થાય ?

જામનગરમાં હાપા જી.આઈ.ડી.સી. માટે જે નવો ડામર રોડ મંજુર થયો છે, ત્યાં પાકો આરસીસીનો સિમેન્ટ રોડ બનાવવાની માંગણી પણ ઉઠી રહી છે, કારણ કે મસમોટા ટ્રકોને તકલાદી ડામર રોડ ખમી નહીં શકે. એવી જ રીતે સમર્પણ હોસ્પિટલથી બેડીબંદર તરફ જતા રીંગરોડનું વિસ્તૃતિકરણ પણ આરસીસી સિમેન્ટ કોંક્રીટ રોડથી થાય, તે જરૂરી છે, કારણ કે બેડીબંદર તરફ ભારે ભરખમ વજન સાથે લાંબા અને તોતીંગ ટ્રકો તથા ટેન્કરો મોટી સંખ્યામાં દરરોજ પસાર થાય છે.

એક તરફ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સરકાર પર તડાપીટ બોલાવે છે, તો બીજી તરફ ભાજપના જ કોઈ ધારાસભ્યે ભાજપના જ કાર્યકરને તકલાદી માર્ગોના મુદ્દે ઉદ્ધત જવાબ આપ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ તૂટેલા-ફૂટેલા માર્ગો માટે અપનાવેલા અભિગમ મુજબ કોન્ટ્રાકટરોને જ જવાબદાર ગણવાની ચર્ચા હવે બૂમરેંગ પુરવાર થઈ રહી છે. જામનગર સહિત રાજ્યભરના નાના મોટા શહેરોમાં તૂટેલા-ફૂટેલા માર્ગો પર વરાપ નીકળતા જ થીગડા મારવાની તૈયારી થઈ રહી હોવાના સંકેતો પણ તંત્રોની હડિયાપટ્ટી પરથી મળી રહ્યા છે, પરંતુ "અબ પછતાને સે ક્યા ફાયદા... જબ ચિડિયા ચુભ ગઈ ખેત..."

એક તરફ વિપક્ષો દ્વારા સરકારી તૂટેલા-ફૂટેલા રોડની મરામતની માંગણી ઘણાં સમયથી ઉઠી રહી હોવા છતાં રાજ્ય સરકારે યોગ્ય કદમ ઉઠાવ્યા નહીં, અને હવે ગુતવત્તાવિહોણા માટે કોન્ટ્રાક્ટરોને જવાબદાર ગણવાની ઘોષણાઓ કે આદેશો થતા હોય, તો તે જવાબદારીમાંથી છટકવાની એક ચાલાકીભરી ડ્રામેબાજી જ નથી ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

જામનગરમાં તો વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. એક તરફ રક્ષાબંધન, સ્વાતંત્ર્યદિન થી લઈને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, તો બીજી તરફ ધીમીધારે વરસેલા વરસાદમાં જ નગરના મોટા ભાગના રોડ તૂટી-ફૂટી ગયા છે, જેની મરામત માટે પણ વરાપ નીકળે તેની લાંબો સમય રાહ જોવી પડે તેમ છે, તેવા સંજોગોમાં શ્રાવણી મેળો કેવી રીતે યોજાશે ? તેવી આશંકાઓમાં પણ વજૂદ છે.

જામનગરમાં તો હજુ ગઈકાલ સુધી શ્રાવણી મેળો ક્યાં યોજાશે ? તે પણ નક્કી થયું નથી. અડધા પ્રદર્શન ગ્રાઉન્ડ અને સામેની એમ.પી.શાહ કોલેજના મેદાનમાં અડધો-અડધો મેળો યોજાવાનો કેટલો વ્યવહારૂ છે, તેની ચર્ચા પણ થઈ રહી છે, કારણ કે અહીં જ એસ.ટી.ડેપો ખસેડાયો છે, અને કેટલીક પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસો પણ એ જ રોડ પરથી ઉપડે છે, અને નીકળે છે. આ બસોની અવર-જવર ઉપરાંત સરકીટ હાઉસ, લાલબંગલો તથા કોર્ટનો પણ આ મુખ્ય માર્ગ છે, બીજી તરફ ફલાયઓવર બ્રિજનું કામ પણ હજુ પૂરૃં નથી થયું, તેથી આ પ્રકારની તમામ સંભાવનાઓ ધ્યાનમાં લેવી જ પડે તેમ છે, તેથી જો કોલેજના એક જ ગ્રાઉન્ડમાં મેળો થઈ શકે, તેવી સંભાવના પણ ચકાસવી જોઈએ.

જો કે, જામનગર સહિતના રાજ્યના મહાનગરો જ નહીં, નાના શહેરોના આંતરિક માર્ગો તથા ગામડાઓને જોડતા એપ્રોચ રોડથી માંડીને સ્ટેટ અને નેશનલ હાઈ-વે પર પણ જ્યાં જ્યાં ભારે વરસાદના કારણે માર્ગો તૂટી ગયા છે, ત્યાં ત્યાં થોડો વરાપ નીકળતા જ કામચલાઉ મરામત કરીને ચોમાસા પછી (કોન્ટ્રાકટરોના ખર્ચે ?) તમામ માર્ગોનું ટકાઉ અને મજબૂત પુનઃનિર્માણ થાય, તે અત્યંત જરૂરી છે... હવે જે માર્ગો અદ્યતન બને, તે એક દાયકાની ગેરેંટીવાળા બને, અને તેની જવાબદારી પણ નક્કી હોય, તે અનિવાર્ય છે.

યાત્રાધામ દ્વારકા હોય કે બેટ દ્વારકા, જળાશયો નજીકના માર્ગો હોય કે મહાકાય કંપનીઓ તથા બંદરોને જોડતા માર્ગો હોય, ઘણાં માર્ગો તદૃન તૂટી-ફૂટી ગયા છે, અને જે માર્ગોનું નિર્માણ તાજેતરમાં જ થયું હોય, અને ટૂંક સમયમાં જ તેની દૂર્દશા થઈ ગઈ હોય તો સંબંધિત કોન્ટ્રાકટરો પાસે તેના ખર્ચે પુનઃનિર્માણ ઉપરાંત ભારે દંડ પણ ફટકારવો જોઈએ, તેમ નથી લાગતું ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જો ગુણવત્તા વગરના કામો માટે વાસ્તવિક જવાબદારો સામે કદમ ઉઠાવવા માંગતા હોય, તો વિધાનસભામાં કાયદો પસાર કરીને ગુણવત્તાવાળા વિકાસકામો માટે કોન્ટ્રાકટરો તથા સંબંધિત અધિકારીઓને પ્રોત્સાહનની સાથે નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટરો અને તે કામો મંજુર કરનાર અધિકારીઓને દંડ અને સજા થાય, અને ફોજદારી રાહે કાર્યવાહી થાય, તેવા પ્રબંધો કરાવે, અન્યથા આવી જાહેરાતોને જનતા માત્ર ડ્રામેબાજી જ ગણશે તે હકીકત છે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 

જમીન એ અધિકાર છે, જેલ એ અપવાદ... સત્ય મેવ જયતે...

                                                                                                                                                                                                      

આપણાં દેશમાં અદાલતોના માધ્યમથી ન્યાય મેળવવાનો દરેક નાગરિકને બંધારણીય અધિકાર છે અને આરોપીઓને પણ કેટલાક બંધારણીય અધિકારો અપાયા છે, તથા, જ્યાં સુધી આરોપી પર લગાવેલા આરોપો અદાલતની સંપૂર્ણ હિયરીંગ અને ન્યાયિક પ્રક્રિયા પછી પુરવાર ન થઈ જાય, ત્યાં સુધી તેને અપરાધી નહીં, પરંતુ આરોપી કહેવામાં આવે છે., પરંતુ એ જ બંધારણે સામાન્ય ન્યાય તથાા કાયદો-વ્યવસ્થા અને જન-સામાન્યના હિતમાં તથા સાક્ષી-પૂરાવાઓને સુરક્ષિત રાખવા માટે ગૂન્હાના ઈન્વેસ્ટીગેશન તથા ઈન્ક્વાયરી માટે ઈન્વેસ્ટીગેશન એજન્સીઓ, પોલીસતંત્ર તથા ફરિયાદીઓને પણ કેટલાક અધિકારો આપ્યા છે. આ બંને તરફના અધિકારોનું નિયમન, નિયંત્રણ અને સમતુલન ન્યાયતંત્ર કરતું રહ્યું છે, તથા ઘણી વખત કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને ચોક્કસ કેસના સંદર્ભે ન્યાયોચિત નિર્ણય લેવા અંગેનું સમતુલન પણ આપણી હાઈકોર્ટો તથા સર્વોચ્ચ અદાલતો દ્વારા અપનાવાયુ છે.

આપણાં દેશમાં ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ ટકી રહ્યો છે, પરંતુ વિલંબીત પ્રક્યિાઓ, કેસોનો ભરાવો તથા વર્ષોના વર્ષો સુધી ચાલતી સુનાવણીઓના કારણે "તારીખ પે તારીખ" જેવા ડાયલોગો પણ સંભળાતા રહે છે.

બીજી તરફ આઝાદી મળી ત્યારથી આજપર્યંત ગરીબી ઘટી નહીં, અને અમીરો વધુ અમીર થતા રહ્યા છે, તથા દેશની આર્થિક પ્રગતિના લાભો માત્ર અમીરોને મળતા રહે અને ગરીબો ગરીબ જ રહે છે, તે પ્રકારનું કડવું સત્ય નીતિન ગડકરી અનાયાસે બોલી ગયા કે તેની પાછળ કોઈ ચોક્કસ ગૂપ્ત રણનીતિ છે કે પછી આર.એસ.એસ.નો મોદી સરકારને સંદેશ છે, તે પ્રકારની ચર્ચા બે દિવસથી થઈ રહી છે, ત્યારે એવું પણ કહી શકાય કે ગરીબી અને ન્યાયમાં વિલંબ-એ બંને એવી સમસ્યાઓ છે, જેને આઝાદી પછી કોઈપણ સરકાર કે બંધારણીય સંસ્થાઓ હલ કરી શકી નથી.

ગરીબો માટે ન્યાય મોંઘો છે. ન્યાયતંત્રમાં ગરીબ તો ઠીક, કસાબ જેવા આતંકવાદીને પણ બચવાની તક મળી રહે, તે માટે સરકારી વકીલનો પ્રબંધ થઈ શકે તેવી વ્યવસ્થા આપણા બંધારણ હેઠળ છે, અને આ જોગવાઈઓનો લાભ ઘણાં ગરીબોને મળી રહ્યો છે, તેમ છતાં આપણાં દેશમાં ધીમે-ધીમે એવી છાપ પણ ઊભી થવા લાગી છે કે કોર્ટમાં કેસ લડીને જીતવા માટે વકીલોની ફોજ ઊભી કરવા તથા સંલગ્ન ખર્ચાઓ ઉઠાવવાની તાકાત માત્ર ધનાઢયો પાસે જ છે., અને તેથી જ ધનવાન આરોપીઓ તથા ગરીબ આરોપીઓ જેવા વર્ગીકરણો પણ હવે થવા લાગ્યા છે. જો કે, આપણાં દેશના તટસ્થ અને જનલક્ષી ન્યાયતંત્રના કારણે ન્યાય આપવામાં ભેદભાવ રખાતો નથી, પરંતુ અદાલતો સુધીની પહોંચ માટે ગરીબો ધનવાન પક્ષકારોથી પાછળ રહી જતા હોવાની વાસ્તવિકતા પણ હવે ઊભરીને સામે આવી રહી હોય તેમ જણાય છે.

આપણાં દેશમાં ઘણાં એવા કેદીઓ હશે, જેને જામીન નહીં મળતા લાંબો સમય સુધી જ્યુડિશ્યલ કસ્ટડીમાં રહેવું પડ્યું હશે. દેશના ચિફ જસ્ટિસ સી.આર.ગવઈએ એક કાર્યક્રમ દરમ્યાન આ મુદ્દે જે કાંઈ કહ્યું છે, તે હકીકતે દેશના ન્યાયતંત્ર અને સામાન્ય જનતા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

વાસ્તવમાં કેરળની હાઈકોર્ટમાં જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયર મેમોરિયલ લેકચરમાં ચિફ જસ્ટિસ ગવઈએ જસ્ટિસ કૃષ્ણ ઐયરના એ સિદ્ધાંતને યાદ કર્યો હતો, તેઓ માનતા હતા કે અંડર ટ્રાયલ લોકોને લાંબો સમય જેલમાં રાખવા જોઈએ નહીં. તેઓ કહેતા કે જામીન એ અધિકાર છે, જ્યારે જેલ એ અપવાદ છે.

સી.જે.આઈ.એ કહ્યું કે "જસ્ટિસ કૃષ્ણ ઐયરે ઘણી એવી ચીજો બદલી હતી જે પરંપરાઓની જેમ ચાલી આવતી હતી. તેઓએ જામીન મેળવવાનો લોકોનો અધિકાર ગણાવ્યો હતો અને જેલનો વિકલ્પ માત્ર અપવાદરૂપ કિસ્સામાં જ અપનાવાય, તેના પર ભાર મૂક્યો હતો. તેમણે એવી ટકોર પણ કરી કે અદાલતો ભલે આ સિદ્ધાંત ભૂલવા લાગી હોય પરંતુ પ્રબિર પુરકાયસ્થ, કે.કવિતા અને મનિષ સીસોદીયાના કેસોમાં મેં આ સિદ્ધાંત યાદ કરાવ્યો, તેનો મને આનંદ છે. એ કેસની સુનાવણી વખતે પણ જસ્ટિસ કૃષ્ણ ઐયરનો સિદ્ધાંત યાદ કરાવ્યો હતો."

સી.જે.આઈ. ગવઈએ જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયરે લિંગ અસમાનતા દૂર કરવા લીધેલા પગલાં  તથા કેદીઓની સ્થિતિ તથા ગરીબોને સરળતાથી જામીન નહીં મળવા જેવી સમસ્યાઓ માટે અપનાવેલા અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ હંમેશાં એ વાતનું ધ્યાન રાખતા કે લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થાય. લોકોેને પૂરતી આઝાદી મળે અને ગરીબો ગરીબીમાંથી બહાર આવીને ગરિમા સાથે જીવન વ્યતિત કરે. તેઓ હંમેશાં કહેતા કે એવા સમાજની રચના થાય, જ્યાં ઉત્પીડનની સમસ્યા જ ન હોય. તેઓ એવા જજ હતા, જેમણે નિયમોની વચ્ચેથી પણ વચલો રસ્તો શોધી કાઢીને ગરીબોને જામીન આપ્યા હતા.

દેશના ચિફ જસ્ટિસે જસ્ટિસ બી.આર.કૃષ્ણ ઐયરે ગરીબીમાંથી ગરીબો બહાર આવે, તે અંગે અપનાવેલા અભિગમની વાત કરી હોય, ત્યારે પ્રવર્તમાન કેન્દ્ર સરકારના જ વરિષ્ઠમંત્રી ગરીબીની સમસ્યા વધી રહી હોવાનો એકરાર કરતા હોય, તે ગજબનો યોગાનુયોગ છે, નહીં ?

હકીકતે નીતિનભાઈ ગડકરીના સત્યવચનો પછી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયો છે, પણ શું થાય ? સત્યમેવ જયતે..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ક્રિકેટમાં ભારતની ઐતિહાસિક જીત... રાજનીતિમાં નેતાઓનો સેલ્ફ ગોલ... તહેવારોનો ત્રિવેણી સંગમ...

                                                                                                                                                                                                      

ઈંગ્લેન્ડના જે મેદાન પર ભારત જ નહીં, એશિયાના કોઈપણ દેશની ટેસ્ટ ક્રિકેટ ટીમે વિજય મેળવ્યો નહોતો, અને આ મેદાનમાં ભારતે અત્યાર સુધી મેચો પૈકી એક જ ડ્રો ગઈ, અને બાકીની તમામ મેચો ભારતીય ટીમ હારી ગઈ હતી. આ મેદાન પર ભારતીય ટીમે ગઈકાલે શાનદાર વિજય મેળવ્યો, અને ૩૩૬ જેટલા જંગી અંતરથી ઈંગ્લેન્ડની ટીમને પરાજય આપ્યો, ખાસ કરીને બંને ઈનિંગમાં શુભમન ગીલે સદીઓ ફટકારી અને પ્રથમ ઈનિંગમાં અઢી સદીથી પણ ઉંચો પહાડ ખડકીને કુલ મળીને ૪૩૦ રન બનાવ્યા, તો બૂમરાહના વિકલ્પે ટીમમાં લેવાયેલ આકાશદીપે ૧૦ વિકેટ લીધી. ટીમ એફર્ટ અને બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગ (કેટલોક અપવાદ બાદ કરતા) તમામ ખેલાડીઓએ કરેલા ઉત્કૃષ્ટ દેખાવના કારણે આ મેદાન પર એક જ ટેસ્ટમાં ૧૦૦૦ થી વધુ રન બનાવવાનો કીર્તિમાન પણ ટીમે સ્થાપિત કર્યો છે, અને શુભમન ગીલે તો અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે., તેથી આ ઐતિહાસિક વિજયને આપનો દેશ બીરદાવી રહ્યો છે, અને આ ટેસ્ટ મેચમાં જામનગરના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પણ પહેલી ઈનિંગમાં ૮૯ રન અને બીજી ઈનિંગમાં ભારતે દાવ ડિકલેર કર્યો ત્યારે અણનમ ૬૯ રનો બનાવ્યા હતા, તો સિરાજે પણ બંને ઈનિંગમા મળીને કુલ ૭ વિકેટ લીધી હતી, આમ, આ વિજયમાં સમગ્ર ટીમનું યોગદાન ગણાય.

ભારતે સમગ્ર ટેસ્ટમેચમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, તેની પાછળ બેટધરોના ચોકા-છક્કા, બોલરોની કાતિલ બોલીંગ અને ફિલ્ડીંગમાં વ્યૂહાત્મક બદલાવની સાથે કેટલાક અસાધારણ કેચ લઈને ભારતીય ટીમે એ પૂરવાર કરી દીધું છે કે રોહીત શર્મા, વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓઓ વારસો યુવા ટીમે શાનદાર રીતે નિભાવ્યો છે.

આજે એક તરફ દેશમાં આ ઐતિહાસિક વિજયની જ ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, તો બીજી તરફ મેઘાની મહેર તથા કહેર અને આવી રહેલ ચૂંટણીઓને લઈને ગરમાયેલી રાજનીતિ વચ્ચે ગુજરાતમાં આમઆદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ પછી રાજકીય માહોલ ગરમાયો છે, તો દેશના કેટલાક સ્થળે અશાંતિ ઊભી થઈ હોવાના કારણે દેશમાં જાણ કે "કહીં ખુશી કહીં ગૂમ" જેવી સ્થિતિ સર્જવા પામી છે.

ગુજરાતમાં આમઆદમી પાર્ટીના એક ધારાસભ્યની ધરપકડ અને તે પછી તંત્ર સાથે બીજા ધારાસભ્યનો વાદ-વિવાદ જોતા એ પૂરવાર થાય છે કે ગુજરાતમાં આમઆદમી પાર્ટીનો નવો પડકાર ઊભો થઈ ગયો છે. તાજેતરમાં ઈશુદાન ગઢવીના નિવેદનો, મિસ-કોલ દ્વારા ભાજપ ફેઈમ સભ્ય નોંધણી ઝુંબેશ અને ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં ઈન્ડિયા ગઠબંધન તરીકે નહીં, પરંતુ સ્વતંત્ર રીતે ઝંપલાવશે, તેવા સંકેતો અરવિંદ કેજરીવાલે આપ્યા પછી ગુજરાતમાં ત્રિપાંખીયા રસાકસીભર્યા રાજકીય જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે, અને ભારતીય બેટધરોની ફટકાબાજી જેવા આમઆદમી પાર્ટીના નિવેદનો દેશના બંને મુખ્ય રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પડકારોને પડકારી રહ્યા હોય તેમ જણાય છે.

આમ પણ, સત્તા પરિવર્તનનો વાવડો હંમેશાં ગુજરાતમાંથી જ ફૂંકાતો રહ્યો છે, વર્ષ ૧૯૭૫ ની કટોકટી સમયે પણ ગુજરાતમાં જનતા મોરચાની સરકાર હતી, અને કટોકટી પછી ગુજરાતની તર્જ પર જ જયપ્રકાશ નારાયણે ઈંદિરા ગાંધી સામે તમામ વિપક્ષોને અકજૂથ કરીને જનતાપાર્ટીથી મોરારજી દેસાઈની સરકાર રચી હતી. તે પછી વર્ષ ૧૯૯૫ પછી ગુજરાતમાં કેશુબાપાની સરકાર આવ્યા પછી રાજકીય કક્ષાએ એન.ડી.એ.ની વાજપેયી સરકાર રચાઈ હતી. જો કે, તે પછી તમામ સમયે કોંગ્રેસે વાપસી કરી હતી, પરંતુ ફરીથી ગુજરાત મોડલના આધારે જ અત્યારે કેન્દ્રની એન.ડી.એ. ની સરકાર સત્તામાં છે. તે પહેલાં પણ આઝાદી મેળવવા માટે બે સદી જેટલા સંઘર્ષમાં અનેક રાજ્યોમાંથી સ્વાતંત્ર્ય ચળવળનું જુદાજુદા સમયે નેતૃત્વ સંભાળ્યું હતું, પરંતુ જયારે આઝાદી મળી, ત્યારે ગુજરાતના જ ગાંધીજી સર્વસર્વો હતા, પરંતુ સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ક.મા.મુનશી જેવા ગુજરાત નેતૃત્વનો સિંહફાળો રહ્યો હતો. ટૂંકમાં દેશની રાષ્ટ્રીય રાજનીતિ ની દશા અને દિશા બદલવાની બુનિયાદ ગુજરાતમાંથી રચાઈ હોવાના અનેક દૃષ્ટાંતો ઈતિહાસ અને વર્તમાનમાં જોવા મળે છે, ત્યારે ગુજરાતમાં ફરીથી એકવખત ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા પક્ષનો ઉદય થશે અને તે સત્તા મેળવશે કે પછી ભૂતકાળના દૃષ્ટાંતોની જેમ થોડા સમયના ચળકાટ પછી ત્રીજો પક્ષ ગાયબ થઈ જશે, તે જોવું રહ્યું...

ગુજરાત અને ગુજરાતીઓનો વિરોધ કરતા પરિબળોને પણ ગુજરાતની આ તવારીખ સાવધ કરે છે અને દેશની એકતા, અખંડીતતા અને આપણી સંસ્કૃતિની વસુધૈવ કુટુંબકમની ભાવનાને પ્રજ્વલિત રાખવાની પ્રેરણા આપે છે, કારણ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત... તેવી ખુમારી ગુજરાતના કવિઓની કવિતાઓમાં પણ સંભળાય છે...

કેટલાક કેન્દ્રીયમંત્રીઓ પણ હમણાંથી સેલ્ફ ગોલ કરતા હોય તેમ લાગે છે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ હિંમતપૂર્વક વાસ્તવિકતા સ્વીકારીને કહ્યું કે ભારતની સમૃદ્ધિ તો વધી રહી છે, પરંતુ ગરીબો ગરીબ જ રહે અને અમીરો વધુ ને વધુ અમીર થતા જાય, તે યોગ્ય નથી. આ વાસ્તવિકતા સ્વીકારતુ તેમનું નિવેદન એન.ડી.એ. સરકાર માટે સેલ્ફ ગોલ જેવું બની ગયું છે., કારણ કે આ જ વાત કોંગી નેતા રાહુલ ગાંધી અવાર-નવાર અલગ શબ્દોમાં કરતા હોય છે...!

તેવી જ રીતે પોરબંદરની ગુંડાગીરી છાપના કારણે વિકાસ પ્રક્રિયા અવરોધાતી હોવાનું કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાનું નિવેદન પણ કાંઈક સેલ્ફ ગોલ જેવું જ છે. અને તેના સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જે પ્રત્યાઘાતો આપ્યા છે, તે પણ આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે.

ક્રિકેટમાં ઐતિહાસિક વિજય મેળવ્યો, તેથી ક્રિકેટરસીયાઓ ખુશખુશાલ છે. અને કેટલાક સ્થળે નુકસાન થવા છતાં સાર્વત્રિક વરસાદની ખુશી પણ લોકોમાં જોવા મળી રહી છે, અને મહોર્રમની શાનદાર ઉજવણી પછી હવે આવી રહેલા રક્ષાબંધન, સ્વાતંત્ર્યદિન અને જન્માષ્ટમી સહિતના શ્રેણીબદ્ધ તહેવારો ઉજવવાની તૈયારી કરીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કુદરતી કે માનવસર્જીત આફત ? પ્રકૃતિએ કોની ખોલી પોલ ? સમજદાર કો ઈશારા બહોત...

                                                                                                                                                                                                      

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તારાજી સર્જી છે અને ઘણાં લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદને કારણે ત્યાંની ચારધામ યાત્રા સ્થગિત કરવી પડી હોવાના અહેવાલો છે. ઠેર-ઠેર લેન્ડસ્લાઈડના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે, ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને માળખાકીય સુવિધાઓ તબાહ થઈ જવાથી હિમાચલપ્રદેશમાં હાહાકાર વ્યાપ્યો છે, ત્યારે ત્યાંના સાંસદ કંગના રનૌત પોતાના મતવિસ્તારમાંથી ગાયબ હોવાની આલોચના ત્યાંના ભાજપના જ કોઈ નેતાએ કરી હોય તો, કહી શકાય કે કાચના ઘરમાં રહેતા લોકોએ બીજાના ઘર પર પથ્થર ફેંકવો ન જોઈએ. જો કે, કંગનાબેને પણ પોતે ટૂંક સમયમાં પોતાના મતવિસ્તારમાં પહોંચી જશે, તેવા અહેવાલો પણ આવ્યા છે, ત્યારે મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વહેતી થયેલી આ વાતોની અસર ક્યાંક ને ક્યાંક પોતાના મતવિસ્તારમાંથી ખરા સમયે ગાયબ રહેતા સાંસદો અને ધારાસભ્યોને પણ થવાની જ છે, કારણ કે આવી વાતો પબ્લિક તરત જ ગ્રહણ કરી લેતી હોય છે, અને પોતાના મતવિસ્તારના જન-પ્રતિનિધિઓ જો લાંબા સમયથી દેખાયા ન હોય, તો સ્થાનિક કક્ષાએ અવાજ પણ ઉઠાવવામાં આવતો હોય છે.

ગુજરાતમાં પણ ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં માઠી અસરો પડી રહી છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી હોવાથી તંત્રો પણ સાબદાં થઈ ગયા છે. આ વખતે દેશમાં ચોમાસું એકાદ અઠવાડિયુ વહેલું બેસી જતા ચોતરફ વરસાદ પડી રહ્યો છે, અને સૌરાષ્ટ્રમાં તો ૪૦% જેવો વરસાદ વરસી ગયો છે. લગભગ ૬૦% જેવો જળસંગ્રહ થયો છે અને મોટાભાગનું વાવેતર પણ થવા આવ્યું છે, ત્યારે હવે જ્યાં ભારે વરસાદથી તબાહી મચી છે, ત્યાં મેઘરાજા વિરામ લ્યે અને ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ પણ થવા લાગી છે.

જામનગરમાં હજુ તો અતિભારે વરસાદ થયો જ નથી, ત્યાં નગર જળબંબાકાર થઈ ગયું, રંગમતી ડેમના દરવાજા ખોલ્યા પછી કેનાલો દ્વારા લાખોટા તળાવમાં સડસડાટ પાણી પહોંચવાના બદલે ભર ચોમાસે ચાલી રહેલી પ્રિ-મોન્સુનની કામગીરી તથા દીવાલ પડી જવાથી અવરોધ ઊભો થતાં અણધારી મુશ્કેલીઓ સર્જાઈ ગઈ. શહેરના લાલબંગલો સર્કલ, જિલ્લા પંચાયત પાસે તથા ટાઉનહોલ સુધીના માર્ગે તો થોડી વારમાં જાણે સરિતાઓ વહેતી થઈ હોય અને કચેરીઓના મેદાનોમાં સરોવરો ભરાયા હોય, તેવા દૃશ્યો સર્જાયા, જે નગરના શાસકો, તંત્રવાહકો અને જન-પ્રતિનિધિઓ માટે બોધપાઠ લેવા જેવા છે. જલભરાવના કારણો શોધીને હવે તેના કાયમી ઉપાયો કરવાનો સમય આવી ગયો છે, અને કુદરતી જલપ્રવાહોને અટકાવતા હોય તેવા સિમેન્ટના જંગલો હટાવવા તથા જ્યાં સ્કોપ હોય ત્યાં હરિયાળા વૃક્ષોના જંગલો ઊભા કરવાનો સમય આવી ગયો છે. લોકજીવનને ખોરવી નાખતા વિકાસના માચડાઓ અંગે પણ પૂનર્વિચાર કરવો પડે તેમ છે.

હિમાચલપ્રદેશમાં તો તોફાની વરસાદે તબાહી મચાવી અને માર્ગો તૂટી ગયા, પરંતુ જામનગરમાં તો માત્ર પ્રારંભિક વરસાદ થયો ત્યાં જ તંત્રવાહકોના તકલાદી કામોની પોલ ખૂલી ગઈ. જામનગરમાં ઠેર-ઠેર જલભરાવ થતાં તેના દૃશ્યો ટેલિવિઝન ન્યુઝ ચેનલોમાં નિહાળીને જામનગરમાં રહેતા કેટલાક લોકોને તો તેના ચિંતાગ્રસ્ત સગા-સંબંધી-સ્નેહીમિત્રોના ફોન આવવા લાગ્યા હતા અને ક્ષેમકુશળ પુછીને કાંઈ નુકસાન તો થયું નથી ને ? બધા સહી-સલામત છે ને ? તેવા સવાલો વ્હોટ્સએપ ચેટીંગના માધ્યમથી પણ પુછાવા લાગ્યા હતા. જો કે, એકાદ કલાકમાં વરસાદ ધીમો પડી ગયા પછી પાણી ઓસરવા લાગતા ગભરાયેલા નગરજનોને પણ નિરાંત થઈ હતી, અને છેક સુધી સબ સલામતની કેસેટ વગાડતા રહેતા તંત્રોનો શ્વાસ પણ હેઠો બેઠો હશે, કારણ કે જો થોડોક વધારે જોરદાર વરસાદ પડ્યો હોત તો સ્થિતિ વધુ વણસી ગઈ હોત.

આવું જ હાલારના અન્ય નગરોમાં પણ થયુું હતું, જામનગર સહિત હાલારના શહેરોના માર્ગો પ્રારંભિક વરસાદમાં જ તૂટીફૂટી ગયા છે અને રોડ પર ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં ક્યાં ખાડો છે અને ક્યાં રોડ છે, તે જ ખબર નહીં પડતી હોવાથી ઘણાં વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

જામનગર સહિત હાલારમાં ઘણાં સ્થળે કલાકો ના કલાકો સુધી વીજપૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને મોડી રાત્રિ સુધી વીજળી ગૂલ રહેવાથી પણ જનજીવન ખોરવાયું હતું, અને દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

હજુ તો ચોમાસું બઠું છે, અને રોજ-બ-રોજ ભારે થી અતિભારે વરસાદની આગાહીઓ થઈ રહી છે. કેટલાક લોકો તો ડરામણી ભાષામાં આગાહીની વાતો કરતા હોય છે, ત્યારે આ સ્થિતિને કુદરતનો ખેલ માનીને સ્વીકારી લેવાની શિખામણ પણ અપાતી હોય છે. એવી ચર્ચા પણ થતી હોય છે કે ઠેર-ઠેર જલભરાવ, લેન્ડ સ્લાઈડ, જલપ્રવાહમાં અવરોધ અને ઘરોમાં પાણી ભરાઈ જવાની  સમસ્યાને કુદરતનો કહેર ગણવો કે માનવસર્જીત આફત ગણવી ?

ભારે વરસાદ થાય, નદીઓ બે કાંઠે વહેવા લાગે અને જળાશયો છલકાઈ જાય, આકાશી વીજળી થાય તથા દરિયો તોફાની બને, તે બધી કુદરતી ઘટનાઓ છે, જેના પર આપણો કોઈ અંકુશ નથી, પરંતુ જલભરાવ, જલપ્રવાહમાં અવરોધ અને પ્રકૃતિનું દોહન તથા પ્રકૃતિ સાથે ખિલવાડ કરવાના મૂળ કારણોસર ઊભી થતી આફતોને માનવસર્જીત જ ગણી શકાય. તેમાં પણ પ્રિ-મોન્સુનના નામે ચાલતી બોગસ અને ભ્રષ્ટ રીત-રસમોના પાપે પણ ઘણાં સ્થળે આ પ્રકારની અણધારી મુસીબતો જનતાને પરેશાન કરતી હોય છે, ત્યારે જન-પ્રતિનિધિઓ આફતના સમયે જોવા ન મળે, ત્યારે સવાલો ઊભા થતાં હોય છે. આ માત્ર હિમાચલપ્રદેશ કે કોઈ એકાદ ચોક્કસ જન-પ્રતિનિધિની નહીં, પરંતુ જનતાના દિલને દુભાવતી દેશવ્યાપી "આહ" છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘર ફૂટે ઘર જાય... આભ ફાટે ત્યાં થીગડું ક્યાં મારવું ?... મેળો ક્યાં, ક્યારે, અને કેટલા દિ' યોજાશે ?

                                                                                                                                                                                                      

હાલાર અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ગઈકાલે ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગીલ બર્મિંગહામમાં ચોક્કા-છક્કા સાથે રનોનો વરસાદ વરસાવી રહ્યો હતો. તેમણે ઈંગ્લેન્ડની ધરતી પર બેવડી સદી કરીને એક વ્યક્તિગત રેકોર્ડ પણ સર્જયો હતો. બીજી તરફ તે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રન નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે, અને સુનિલ ગાવસ્કરનો ૨૨૧ રનનો રેકોર્ડ તોડ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી વટાવીને ૨૬૯ રન કરનાર તથા ૨૫૦ થી વધુ રન કરનાર છઠ્ઠો ભારતીય બેટધર પણ બન્યો છે. ક્રિકેટની ચર્ચા વચ્ચે પાકિસ્તાનની ટીમ હોકી રમવા ભારતના પ્રવાસે આવનાર હોવાની સંભાવનાએ એક નવી જ ચર્ચા જગાવી છે.

મેઘરાજાની મહેરથી જગતનો તાત ખુશ છે, અને રાજ્યમાં હરખની હેલી ફેલાવા પામી છે, પરંતુ દેશના કેટલાક વિસ્તારોમાં મેઘો મુસીબત બનીની ત્રાટક્યો છે, અને ભારેપૂર તથા લેન્ડસ્લાઈડના કારણે જાનમાલની હાનિ થઈ રહી છે, ત્યારે એવું કહી શકાય કે સિક્કાની બે બાજુ હોય છે, ક્યાંક કુદરત મહેર કરે છે, તો ક્યાંક અતિવૃષ્ટિ થતા કહેર પણ વર્તાય છે. જામનગરમાં પણ રંગમતી ડેમના પાટીયા ખોલાતા કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ છે.

જલવર્ષા અને રનવર્ષાના ખુશીવર્ધક સમાચારોની સાથે સાથે મેઘગર્જના તથા વીજળીના ચમકારા સાથે ઘનઘોર માહોલમાં થતા વરસાદને પણ પાછળ છોડી દ્યે તેવા દાવાઓ, આક્ષેપો, પ્રતિઆક્ષેપો અને નિરર્થક બફાટ સહિતના કેટલાક તથ્યપૂર્ણ નિવેદનોનો પણ ગુજરાતમાં જાણે કે વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં મનરેગા કૌભાંડ હવે રાજ્યવ્યાપી બની રહ્યું છે અને જામનગર સહિતના રાજ્યના જિલ્લાઓમાંથી મનરેગાના કામોની પંચવર્ષિય વિજિલન્સ તપાસ બેસાડવાની માંગણી ઉઠી રહી છે, તેવામાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા અને આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની નિવેદનબાજી ગાજવીજ અને તોફાની આંધી સાથેના મેઘપ્રકોપ જેવો જ રાજકીય માહોલ સર્જી રહી છે.

હકીકતમાં ભાજપના સંસદસભ્ય મનસુખભાઈ વસાવાએ કહ્યું હતું કે વિપક્ષના નેતાઓ પણ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે, અને કૌભાંડ કરનારી એજન્સીની યાદીમાં દરેક પક્ષોના નેતાઓને રૂપિયા અપાયા હોવાનો ઉલ્લેખ તેમણે જોયો હતો.

આમઆદમી પાર્ટીના ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવાના ટીકાકાર ચૈતરભાઈ વસાવાએ વ્યંગમાં મનસુખભાઈ વસાવાના વખાણ કરતા કહ્યું છે કે જિલ્લાથી ગાંધીનગર સુધી ધારાસભ્યો અને સાંસદોને પણ હપ્તા પહોંચે છે, ત્યારે મનસુખભાઈ વસાવાએ જે કહ્યું છે, તે સાચી વાત છે. તેઓ પોતાના જ પક્ષોની સરકારના શાસનમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ચૈતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવાને આ નિવેદન બદલ અભિનંદન પણ આપ્યા છે.

જો કે, તે પછી કૌભાંડ કરનારી એજન્સીને નર્મદા જિલ્લામાં મનુખભાઈ વસાવા જ લાવ્યા હોવાનો આક્ષેપ કરીને પડકાર ફેંક્યો કે જો હિંમત હોય તો મનસુખભાઈ કટકી ખાનારાઓના નામ જાહેર કરે, ચૈતરભાઈ વસાવાએ દાદાનું બુલડોઝર માત્ર નાના લોકો પર જ ફરે છે, અને માલેતુજારો મોજ કરે છે, તથા રાજ્યના ગૃહમંત્રી માત્ર ફાંકા ફોજદારી જ કરે છે, તેવા કડક કટાક્ષો પણ કર્યા છે.

આમ, ભારતીય જનતા પક્ષના જ સાંસદ જ્યારે બધા પક્ષોને હપ્તા મળતા હોવાની વાત કરતા હોય અને ચૈતરભાઈના આક્ષેપોમાં વજુદ હોય તો મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીને મક્કમતાથી નિર્ણય લઈને મનરેગાના મુદ્દે વહેલાસર રાજવ્યાપી તપાસની ઘોષણા કરી દેવી જોઈએ, કારણ કે જો આ મુદૃો ઉચ્ચ કે સર્વોચ્ચ અદાલતો સુધી પહોંચશે, અને ત્યાંથી આદેશ થયા પછી તપાસ કમિટી નિમવી પડશે, તો તે ઝટકા સમાન હશે, જ્યારે સવેળા સર્વગ્રાહી તપાસની જાહેરાત થશે, તો રાજ્ય સરકાર અને ખુદ મુખ્યમંત્રીની વિશ્વસનિયતાને ડાઘ લાગતો બચી જશે, તેવા અભિપ્રાયોમાં દમ છે.

ભારતીય જનતા પક્ષના કેટલાક નેતાઓ વિપક્ષનું કામ કરે છે. તો કેટલાક વિપક્ષના નેતાઓ ભાજપ સરકારની વાહવાહી કરે છે. તો સુરતમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂંટણીના ચક્રવ્યૂહને ભૂલીને ચોક્કસ મુદૃે એકજૂથ થઈ જાય, ત્યારે એવું પણ કહી શકાય કે કાં તો લોકતંત્ર પુખ્ત બની ગયું છે, અથવા તો તદૃન સૂસ્ત થઈ ગયું છે, અને સગવડિયું રાજકારણ રમાઈ રહ્યું છે.

ભાજપના ધારાસભ્ય જ જો ભાજપના જ કોર્પોરેટરોનો જૂનાગઢમાં અઠવાડિયામાં ખુલાસો માંગતા હોય અને ભરૂચમાં સાંસદ મનરેગાની ગોબાચારીમાં તમામ પક્ષો (ભાજપ સહિત) ના નેતાઓની સંડોવણી સ્વીકારતા હોય કે અમદાવાદમાં યુવા ભાજપના નેતા ભાજપના જ ધારાસભ્ય પર ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ કરતા હોય, એટલું જ નહીં, ભાજપના કેટલાક નેતાઓ ગૃહમંત્રીના નામનો દુરૂપયોગ કરીને પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરતા હોવાના તથા પબ્લિકનો અવાજ દબાવી દેવાના આક્ષેપો કરતા હોય ત્યારે એવું કહી શકાય કે ઘર ફૂટે ઘર જાય...આભ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવા ક્યાં જવું ?

જે હોય તે ખરૃં, પરંતુ ગુજરાતમાં આવીને અરવિંદ કેજરીવાલે જે રીતે આગામી વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંક્યું છે, તે જોતા દિલ્હીમાં થયેલા પરાજયનો બદલો લેવા તેઓ ગુજરાતમાં ભાજપની સત્તા ખૂંચવી લેવાની તૈયારી કરી રહ્યા હોય, તેમ જણાય છે. જો કે, અત્યારે તો તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને લલકાર્યા છે, ત્યારે જોઈએ, આગે આગે હોતા હૈ ક્યા ?

અત્યારે તો મેઘાવી માહોલ અને મોહર્રમની તૈયારીઓ વચ્ચે જામનગરમાં એક જ સવાલ અગ્રીમતાથી પુછાઈ રહ્યો છે કે જામનગરમાં આ વખતે જન્માષ્ટમીનો મેળો ક્યાં, કેવો અને કેટલા દિવસ માટે યોજાશે, જસ્ટ વેઈટ એન્ડ વોચ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બેગલેસ ડે કયાંક યુઝલેસ ડે ન બની જાય... ઉઘાડી લૂંટનું ષડયંત્ર... થર્ડ પાર્ટી તૈયાર !

                                                                                                                                                                                                      

ગુજરાત સરકાર આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સમરસતાથી નવા ચૂંટાયેલા હજારો સરપંચોનું સન્માન કરવાની છે, ત્યારે તેમાં ઘણાં સરપંચો હાલારથી પણ જવાના છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ હાજર રહેવાના છે, અને તેઓ હાલમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ હોવાથી આ સરકારી કાર્યક્રમને સાંકળીને ભાજપ દ્વારા કોઈ રાજકીય એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે અને ગ્રામ પંચાયતોની આ ચૂંટણીઓ પછી આવતા વર્ષ સુધીમાં થનારી અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વ્યૂહાત્મક બુનિયાદ અત્યારથી જ રચાઈ રહી હોવાની વાતો પણ વહેતી થઈ છે. એક બીજી વાત એવી પણ છે કે આ અઠવાડિયાના અંતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કક્ષાએ જે.પી.નડ્ડાના વિકલ્પોની આગામી બે-ત્રણ દિવસમાં જાહેરાત પણ થઈ શકે છે.

બીજી તરફ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ફટાફટ નવી-નવી જાહેરાતો કરી રહી છે, અને ખાસ કરીને મધ્યમવર્ગ તથા નોકરિયાત વર્ગને સંબંધિત લોકલક્ષી નવી યોજનાઓ જાહેર થઈ રહી છે, તે જોતાં રાજ્યમાં રાજકીય સમિકરણોમાં બદલાવ, આમઆદમી પાર્ટીની લોકપ્રિયતા વધવાની સંભાવના તથા કોંગ્રેસમાં થઈ રહેલા સુધારાઓ સામે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ પાણી પહેલા પાળ બાંધવામાં સરકારને માધ્યમ બનાવી રહી હોય, તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

આજે રાજ્યમાં રાજ્ય સરકારે જાહેર કરેલી નવી યોજનાઓ તથા કરેલી જાહેરાતોમાંથી સ્ટેમ્પ ડ્યુટીની રાહત, બેલિફના ભથ્થામાં વધારો, યાત્રી સહાય યોજના અને બેગલેસ ડે ની સર્વાધિક ચર્ચા થઈ રહી છે.

ભૂતકાળમાં આ કોન્સેન્ટ ઘણી સ્કૂલોમાં સ્થાનિક કક્ષાએ હતો જ, પરંતુ તેને હવે સિસ્ટોમેટિક તથા અદ્યતન સ્વરૂપે લાગુ કરવામાં આવી રહ્યો છે. દાયકાઓ પહેલા પણ શનિવારે અડધો દિવસ માટે શાળાએ જવાનું રહેતું, તે દરમ્યાન બાલસભા, વ્યાયામ અથવા પી.ટી., રમતગમત, અંતાક્ષરી જેવી બુદ્ધિગમ્ય સ્પર્ધાઓ કરવામાં આવતી અને મહિને એકાદ શનિવારે ટૂંકો પગપાળા પ્રવાસ યોજાતો, જેમાં મોટા ભાગે નદીકાંઠો, હરિયાળી, લીલાછમ ખેતરો, નૈસર્ગિક વાતાવરણ હોય તેવા આસ્થાના સ્થળો અને નજીકમાં કોઈ મોટા સંકૂલો કે યાત્રાસ્થળ હોય, તો તેનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રવૃત્તિઓ કેટલીક શાળાઓ દ્વારા સ્વૈચ્છિક ઢબે સ્થાનિક કક્ષાએ થતી હતી. તેથી આ "બેગલેસ ડે"નો કોન્સેપ્ટ તરત જ સર્વસ્વીકૃત અને આવકારવાદાયક બન્યો છે.

જો કે, સિક્કાની બીજી બાજુ પણ છે. દાયકાઓ પહેલાં ગામડાઓમાં મોટા મોટા મેદાનો સ્કૂલોની નજીકમાં જ હતા, અને ઘણી શાળાઓ પોતાના મોટા મેદાનો ધરાવતી હતી, જ્યાં આજે શિક્ષણનો વ્યાપ વધવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ નવા ઓરડાઓ તથા અન્ય સુવિધાઓ માટે બાંધકામો થઈ ગયા. જમીન માફિયાઓએ પણ ગૌચર સહિતની ઘણી જમીનો દબાવી લીધી, જેથી આઉટડોર ગેઈમ્સ, વ્યાયામ કે ઈત્તર પ્રવૃત્તિઓ યોજવાની જગ્યા જ બચી નહીં હોવાથી બેગલેસ ડે ના દિવસે જે અન્ય પ્રવૃત્તિઓ કરવાનો ઉદૃેશ્ય જાહેર કરાયો છે, તે પૂરેપૂરો સિદ્ધ થાય, તેમ જણાતુ નથી.

એવું કહેવાય છે કે રાજ્યની લગભગ સાતેક હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં તો યોગ્ય મેદાનો જ નથી. જો મેદાનો જ નહીં હોય, તો વ્યાયામ, રમતગમત અને અન્ય આઉટડોર ઈત્તર પ્રવૃત્તિઓ ક્યાં કરાવશે ? અત્યારે તો ઘણાં ગામો પણ એવા છે, જ્યાં રમતગમત તો ઠીક, ગૌચરની ખૂલ્લી જમીન પણ બચી નથી, તેથી બેગલેસ ડે ના દિવસે માત્ર ઈન્ડોર પ્રવૃત્તિઓ જ કરાવવી પડશે, જે બેગલેસ ડે ના મૂળ ઉદૃેશ્યને અનુરૂપ નહીં હોય અને બાળકોનો શારીરિક, માનસિક અને નૈસર્ગિક વિકાસનો કોન્સેપ્ટ તો માત્ર સપનું જ બની જશે, ખરૃં ને ?

ઈન્ડોર પ્રવૃત્તિમાં કલાત્મક કૌશલ્ય વિકસાવવા બાળકોને પેઈન્ટીંગ, ભરત-ગુંથણ, ગીત-સંગીત વગેરે તજજ્ઞ શિક્ષકો પણ હોવા જરૂરી છે. રાજ્યમાં પી.ટી. ટિચર (વ્યાયામ શિક્ષકો), સંગીત શિક્ષક, ચિત્ર શિક્ષક વગેરેની દોઢેક દાયકાથી ભરતી જ ન થઈ હોય, અને આમ પણ હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય, ત્યારે નિષ્ણાત માનવબળ અને જરૂરી સુવિધાઓ તથા મેદાનો વગર બેગલેસ ડે ના દિવસે બાળકો કરશે શું ? તેવો યક્ષપ્રશ્ન આજે ગામેગામ ચર્ચાઈ રહ્યો છે. એવી ચર્ચા થઈ રહી છે કે સરકારે આ બધો વિચાર કરીને તથા લોકોના સૂચનો મેળવીને આવી જાહેરાત કરવી જોઈતી હતી. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે બેગલેસ ડે ક્યાંક બાળકો માટે "યુઝલેસ ડે" તો નહીં બની જાય ને ? કહેવત છે ને કે વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય...

રાજ્ય સરકારે તગડી ફી લેતા તથા કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરૂદ્ધ જઈને વેકેશનમાં એક પણ કિલોમીટર દોડાવ્યા વિના સ્કૂલબસનું પૂરેપૂરૃં ભાડુ વસુલતી શૈક્ષણિક સંસ્થાઓ તથા ખાનગી વાહન ચાલકો-રિક્ષા ચાલકો પર અંકુશ લગાવવો જોઈએ, અને વિવિધ ચાર્જીસના નામે ઉઘાડી લૂંટ ચલાવતી શાળાઓને ખૂલ્લી છૂટ ન મળવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો પણ વાલીવર્ગમાં પડી રહ્યા છે. આજે ટોક ઓફ સ્ટેટ બનેલો બીજો મુદે સ્કૂલ ઓફ એકસલન્સનો પણ છે. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે મળતિયાઓ સંચાલિત ખાનગી સ્કૂલોને ફી વધારવા એટલે કે એફ.આર.સી.માંથી મૂક્ત કરી દઈને વાલીઓને લૂંટવાની છૂટ આપવાનું આ ગૂપ્ત સરકારી ષડયંત્ર છે !

લોકોમાં ચર્ચાઓ થાય, લોકોના પ્રતિભાવો આવે, રાજકીય પક્ષો, એન.જી.ઓ. કે જાગૃત નાગરિકોના પ્રત્યાઘાતો સામે આવે કે સ્થાનિક તંત્રો કે ગ્રામ્ય-તાલુકા-જિલ્લાકક્ષાએથી સૂચનો આવે, તો તેનું સંકલન કરીને જરૂરી સુધારા-વધારા કરવા અને આ તમામ ચર્ચાઓ-પ્રત્યાઘાતો પૈકી જરૂર જણાય ત્યાં તૂર્ત જ જરૂરી ખુલાસાઓ કરીને સત્ય હકીકત લોકો સમક્ષ રજૂ કરવાની જવાબદારી પણ સ્થાનિક થી રાજ્યકક્ષા સુધીના શાસકો, તંત્રો તથા પ્રચારતંત્રોની છે, પરંતુ તેવું થતું નથી. રાજ્યકક્ષાનું પ્રચારતંત્ર માત્ર ને માત્ર સરકારની વાહવાહી કરતું રહેશે, આજે જરૂરી સ્પષ્ટતાઓ કે ખુલાસાઓ નહીં કરે અને સરકાર જરૂરી સુધારા-વધારા નહીં કરે, તો ભ્રમ ફેલાતો જ રહેશે, જે રાજ્યમાં સત્તા પરિવર્તન સુધી પહોંચશે, એટલું જ નહીં, કોંગ્રેસ હવે સંપૂર્ણપણે સક્રિય નહીં થાય તો ત્રીજો પક્ષ તૈયાર જ બેઠો છે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાતથી ગ્લોબ સુધી, ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ... બે શિવકુમારો બન્યા, ટોક ઓફ ધ નેશન...

                                                                                                                                                                                                      

ગુલઝાર રચિત અને રાહુલદેવ બર્મન તથા સપન ચક્રવર્તીના સંગીતમય કંઠે ગવાયેલું "ગોલમાલ" ફિલ્મનું ગીત "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ" ગીત એટલું બધું પ્રચલિત થયું કે તેના પરથી ટેલિવિઝન સિરિયલો બની, આલ્બમ બન્યું, આ ગીતની પંક્તિઓને ટાંકીને કાર્ટુનો રચાયા અને સાહિત્ય સિયાસત અને સાપરાધિક ષડયંત્રો સંદર્ભે પણ આ ગીતનો ભરપૂર ઉપયોગ અને પ્રયોગ થવા લાગ્યો.

આજે પણ ગુજરાતથી ગ્લોબ અને નગરથી નેશન સુધી કેટલીક ગોલમાલની જ વાતો થઈ રહી છે. "ગુજરાતમાં ગોલમાલ"ની શ્રેણીમાં એક નવો એપિસોડ ઉમેરાયો છે., અને પ્રેસ-મીડિયામાં થતી ચર્ચા મુજબ હવે જામનગર જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં સંભવિત ભ્રષ્ટાચારની તપાસ વિજિલન્સ દ્વારા કરાવવાની માંગણી ઉઠી છે.

દાહોદ થી શરૂ કરીને વાયા-જુનાગઢ થઈને ભરૂચ સુધી પહોંચેલી મનરેગાના ભ્રષ્ટાચારની સરવાણી રાજ્યના અન્ય ક્યા ક્યા જિલ્લાઓ સુધી પહોંચી છે, તેની વણમાગ્યે જ તપાસ રાજ્ય સરકારે કરાવી લેવી જોઈએ અને તેમાં જો ભાજપના જ નેતાઓ સંડોવાયા હોય, તો તેને છાવરવાના બદલે તેની સામે કડક પગલા લઈને અને તેઓ કોઈપણ પદ પર હોય તો તેને બરખાસ્ત કરીને દૃષ્ટાંત બેસાડવું જોઈએ, તેવા પ્રતિભાવો પણ પડવા લાગ્યા છે.

જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ-છ વર્ષમાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની વિજિલન્સ તપાસ કરાવીને તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તો તેમાં સંડોવાયેલા કોન્ટ્રાકટરો, એજન્સીઓ, સરકારી અધિકારી-કર્મચારીઓ, એડમિનિસ્ટ્રેટરો અને પદાધિકારીઓ સામે કાનૂની રાહે પગલાં લેવાની માંગણી કરતો પત્ર આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે, અને જો આંખ આડા કાન કરીને તપાસ નહીં થાય, તો આંદોલન સહિતના કદમ ઉઠાવવાની સરકારને ચિમકી પણ આપવામાં આવી હોય તો હવે મનરેગા કૌભાંડનો રેલો જામનગર-હાલાર સુધી પહોંચી શકે છે, અને જો સરકાર તરફથી આ મુદ્દે ચુપકીદી સેવવામાં આવે, તો તેના કારણે પ્રવર્તમાન શાસકોની છાપ ખરડાઈ જવાની પૂરેપૂરી સંભાવના પણ રહે છે.

ગુજરાતના ભારતીય જનતાપક્ષના કદાવર નેતા અને રાજ્ય સરકારમાં મંત્રીના દીકરાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તેને છાવરવા કે બચાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તે પછી જૂનાગઢ તરફના વિપક્ષના એક કદાવર નેતા અને તેના દીકરાની ધરપકડ થયા પછી મનરેગાના કૌભાંડનો રેલો ભરૂચ જિલ્લા સુધી પહોંચ્યો છે, અને તેની સરવાણી અન્ય જિલ્લાઓ તરફ પણ નીકળી શકે છે. આથી, જો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વાસ્તવમાં ટ્રાન્સપરન્ટ રહેવા માંગતી હોય અને આ કૌભાંડમાં ભાજપ કે તેના મળતીયા સંડોવાયેલા નીકળે, તો તેની સામે પણ ન્યાયોચિત કડક પગલાં લેવાની તૈયારી હોય તો હવે મનરેગાના છેલ્લા પાંચ વર્ષના કામોની રાજ્યવ્યાપી અથવા તો જ્યાંથી માંગણી ઉઠે તે જિલ્લામાં વિશ્વસનીય અને ઝડપી તપાસના આદેશો કરી દેવા જોઈએ.

ગુજરાતમાં મનરેગા કૌભાંડની ચર્ચા વચ્ચે ભાજપના ધારાસભ્યના દીકરાને કેન્દ્રીય આવાસ યોજના હેઠળ ગરીબોને મળવાપાત્ર ફલેટ ફાળવી દેવાયો હોવાના અહેવાલો પણ રાજ્યવ્યાપી બની જતા એવો કટાક્ષ પણ થવા લાગ્યો છે કે ગોલમાલ હૈ, ભાઈ, સબ ગોલમાલ હૈ...

રાષ્ટ્રીયકક્ષાથી વિશ્વકક્ષા સુધી પણ અત્યારે ઘણી જ ગોલમાલો ચાલે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એકસરખા મતો બે ઉમેદવારોને મળતા સરપંચપદની ચૂંટણી માટે ચિઠ્ઠી નાખવી પડી હતી, તેવું જ અમેરિકાને સેનેટમાં થયું છે. જો કે, ત્યાં ટ્રમ્પના બ્યુટિફૂલ બિલને પાસ કરાવવા માટે શાસક પક્ષ અને વિપક્ષના સરખે સરખા મતો પડતા અધ્યક્ષને કાસ્ટીંગ (નિર્ણાયક) મત આપવાની જોગવાઈ હોવાથી તેમનો મત ટ્રમ્પના પક્ષને મળી જતા બિલ પાસ થઈ ગયું, હવે આ બિલ ત્યાંની સંસદના બીજા ગૃહમાં મુકાશે. આ બિલ પણ "ગોલમાલ હૈ" વાળી પંક્તિમાં ગવાતા "ટેઢી ચાલ" જેવું જ છે, અને "ેગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ" ના આખા ગીતના સારાંશ મુજબ (વ્યાપાર અને) પૈસાને જ કેન્દ્રમાં રાખીને પાસ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીયકક્ષાની વાત કરીએ તો અત્યારે મીડિયા ડિબેટીંગમાં બે શિવકુમારો ચર્ચામાં છે, એક કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર અને બીજા ઈન્ડોનેશિયાના ભારતીય દુતાવાસના ભારતીય સૈન્ય અધિકારી કેપ્ટન શિવકુમાર...

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં સખળડખળના અહેવાલોને કાઉન્ટર કરવા બેંગ્લુરૂ પહોંચેલા કોંગ્રેસ પાર્ટીના કર્ણાટકના પ્રાભારી સુરજેવાલાએ ગઈકાલે ઉપમુખ્યમંત્રીને હાજર રાખીને પ્રેસ-કોન્ફરન્સ કરી અને કહ્યું કે મુખ્યમંત્રી બદલવાના નથી, અને સિદ્ધારમૈયા જ રહેશે. ડી.કે.શિવકુમારે પણ હકારમાં માથું હલાવ્યું, પરંતુ તેના હાવભાવ અલગ હોવાની વાતો ચાલી, પરંતુ શિવકુમારે  અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું, અને બંને નેતાઓએ અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવી લીધા હોય તેમ જણાયું. જો કે, કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને તેઓનો અસંતોષ પાર્ટીના પ્લેટફોર્મ પર જ કરવા અને નિવેદનબાજી નહીં કરવા જણાવ્યું હોવાથી એવું કહી શકાય કે આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી...

બીજી તરફ  ઓપરેશન સિંદૂરને લઈને ઈન્ડોનેશિયામાં ઈન્ડિયન એમ્બેસીના ડિફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે જકાર્તાની એક યુનિવર્સિટીમાં ઓપરેશન સિંદૂરમાં ભારતે કેટલાક વિમાન રાજકીય નેતૃત્વ દ્વારા અપાયેલી સૂચનાઓના કારણે ગુમાવ્યા હોવાના કરેલા કથીત નિવેદન પછી હોબાળો થતા તેની ચોખવટો કરવી પડી રહી છે, અને શિવકુમારે જુદા સંદર્ભમાં આપેલા નિવેદનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યુ છે. આપણાં દેશની યુદ્ધનીતિ મુજબ યુદ્ધ દરમ્યાન આપણા પક્ષે થતા નુકસાનની વિગતો તત્કાળ જાહેર કરાતી હોતી નથી, કારણ કે તેથી સરહદે લડતા સૈનિકો તથા દેશવાસીઓના જુસ્સા પર અસર પડતી હોય, અને ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, તેવી દલીલ પણ થઈ રહી છે.

આમ, નગરથી નેશન અને ગુજરાતથી ગ્લોબ સુધીના આ ઘટનાક્રમો "ગોલમાલ" ફિલ્મનું એ ગીત યાદ કરાવે છે, જેમાં કહેવાયું છે કે "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ"...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

રાઈટ ઓફ એજ્યુકેશન... પ્રધાનમંત્રી આવાસ યોજના... ટોક ઓફ ધ ટાઉન... ટોક ઓફ ધ નેશન... મેરા ભારત મહાન... જય જય ગરવી ગુજરાત...!

                                                                                                                                                                                                      

હમણાંથી રોજે રોજ શાળા પ્રવેશોત્સવના સમાચારો આવી રહ્યા છે અને ગામેગામ પહોંચેલા મંત્રીઓ-સચિવો-સનદી અને પોલીસ અધિકારીઓ તથા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાતા પ્રવચનો દરમ્યાન સરકારની વાહવાહીની સાથે સાથે કેટલીક નવી નવી વાતો પણ જાણવા મળી રહી છે. ગામેગામ પહોંચેલા તમામ મહાનુભાવો મારફત રાજ્ય સરકાર પ્રત્યેક સરકારી શાળા તથા ગામની સ્થિતિ, જરૂરિયાતો અને લોકપ્રશ્નોની સચોટ માહિતી સાથેના ફિડબેક મેળવીને તેના આધારે જરૂરી સુધારા-વધારા કરાવશે, તો તે પબ્લિકના હિતમાં તો રહેશે જ, પરંતુ તેના કારણે રાજ્ય સરકારની છાપ પણ પબ્લિકમાં સારી પડશે, અને મેલી મથરાવટી ધરાવતા તંત્રોને પણ સુધરવાની તક મળશેે. હકીકતે આ પ્રકારના કાર્યક્રમોનો ઉદૃેશ્ય મર્યાદિત ન રહે અને બહુહેતુક પૂર્વાયોજનાઓ થાય, તે પણ અત્યંત જરૂરી હોય છે.

હાલાર સહિત રાજ્યભરમાં ઘણાં સ્થળે શાળા પ્રવેશોત્સવમાં પહોંચેલા મહાનુભાવો સમક્ષ સ્થાનિક લોકોએ સમસ્યાઓ, માંગણીઓ અને પ્રશ્નોની સામૂહિક રજૂઆતો કરી, તો કેટલાંક સ્થળે તો અન્ય સરકારી સ્કૂલની બદહાલી કે જૌખમી સ્થિતિ નિહાળવાનો આગ્રહ કરાયો હોવાના અહેવાલો ચર્ચાસ્પદ બન્યા. ઘણાં સ્થળોએ સ્કૂલની ખુટતી સુવિધાઓ મહાનુભાવોએ નજરે નીહાળી, તો ઘણાં ગામોને જોડતા માર્ગો, વીજસુવિધા અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ફરીયાદો સંભળાવી હોવાના અહેવાલો પણ ચર્ચામાં આવ્યા. શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી રથનું ભ્રમણ થતું હોવાનું પણ જાહેર કરાયુ છે, પરંતુ મહાનુભાવોના ભાષણોમાં ઉત્કર્ષની વાત ભાગ્યે જ થતી સંભળાય છે. હકીકતે કન્યા કેળવણી રથોના ભ્રમણ સાથે સાંકળીને જ શાળા પ્રવેશોત્સવનું આયોજન હાલના  વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કર્યું હતું, પરંતુ અત્યારે કન્યા કેળવણી રથ કદાચ માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ નથી લાગતું ?

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપના શિક્ષણ મોડલની ટીકા કરતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં સરકાર ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર છીનવી લેવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. તેમણે ભાજપના વિકાસ મોડલ પર પણ પ્રહારો કર્યા છે.

ભાજપનું વિકાસ મોડલ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સહિતના ગરીબોના બાળકો પાસેથી શિક્ષણનો હક્ક આંચકી રહ્યું હોવાનું જણાવી રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં પાંચેક હજાર સહિત દેશમાં વર્ષ ૨૦૧૪ પછી એટલે કે મોદી સરકારના શાસનમાં ૮૪ હજારથી વધુ સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. મોટા ભાગની સ્કૂલો ઉત્તરપ્રદેશ, આસામ, અને મધ્યપ્રદેશ જેવી ભાજપ શાસિત સરકારોના શાસનમાં જ બંધ થઈ હોવાનો ગંભીર આરોપ  પણ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ એવો દાવો પણ કર્યો કે યુ.પી.એ. સરકારે રાઈટ ઓફ એજ્યુકેશન આપીને દરેક બાળકને શાળાએ લાવવાની જોગવાઈ કરી હતી, પરંતુ બંધારણમાં આપેલા શિક્ષણના અધિકાર અને યુ.પી.એ.ના રાઈટ ઓફ ઈન્ફર્મેશન સામે શાળાઓ બંધ કરીને ભાજપ સરકારે પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.

કેટલાક રિપોર્ટરોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સરકારી શાળાઓની સંખ્યામાં ૮%નો ઘટાડો થયો છે, જ્યારે ખાનગી શાળાઓમાં લગભગ ૧૫% જેટલો વધારો થયો છે, તેવી જ રીતે પછાતવર્ગોના સ્ટુડન્ટ્સની સંખ્યામાં પણ ઘણો જ ઘટાડો થયો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીના અભિપ્રાય મુજબ શિક્ષણનો હક્ક છીનવીને ભાજપ સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરે બંધારણ મારફત આપેલા નાગરિક અધિકારોનું હનન કરી રહી છે. શિક્ષણ પદ્ધતિ નબળી પડી રહી છે. ઉત્તરપ્રદેશમાં પચાસ થી ઓછા બાળકો ધરાવતી સ્કૂલોને નજીકની શાળાઓમાં મર્જ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, તેને ટાંકીને રાહુલ ગાંધીએ કરેલા પ્રહારોથી તમતમી ઉઠેલા ભાજપના નેતાઓ યુ.પી.એ. સરકારના શાસનકાળની સ્થિતિ અને સુવિધાઓ વર્ણવીને વળતો જવાબ  આપી રહ્યા છે, પરંતુ ઘણી ખાનગી શાળાઓ દ્વારા થતી ઉઘાડી લૂંટની સામે પ્રચંડ જનાક્રોશ કોંગ્રેસના નિવેદનોને યથાર્થ પૂરવાર કરી રહ્યો છે.

આ તરફ ગુજરાતમાં રાઈટ ઓફ એજ્યુકેશન હેઠળ કરાયેલી પ્રક્રિયાના આંકડાઓમાં સુસંગતતા નહીં હોવાનું બહાર આવ્યા પછી રાજ્યમાં આર.ટી.ઈ.ના અમલીકરણમાં સંભવિત ગરબડ-ગોટાળાની આશંકાઓ વધુ ઘેરી બની છે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓએ પણ તડાપીટ બોલાવી છે.

જે ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ બસની પેઈડ સુવિધા આપે છે, તેના સંદર્ભે પણ ગંભીર ફરિયાદો ઉઠવા લાગી છે. શાળાઓ વેકેશન સહિતનું બસભાડુ એડવાન્સમાં વાલીઓ પાસેથી ઉઘરાવી લીધા પછી સ્કૂલ્ બસોમાં સલામતી, સુવિધાઓ તથા બાળકો અને વાલીઓ સાથે વ્યવહારના મુદ્દે હંમેશાં સવાલો ઉઠતા રહ્યા છે. જામનગરમાં તો ખાલી સ્કૂલ બસનું વ્હીલ જ નીકળી જતાં ખાંગી થઈ ગઈ હોવાના અહેવાલો પછી એવા સવાલો ઉઠયા કે આ દુર્ઘટના હાઈ-વે પર થઈ હોત, અને તેમાં વિદ્યાર્થીઓ બેઠેલા હોત તો શું થાત ?

એક તરફ ગરીબોના બાળકોને આર.ટી.આઈ.નો લાભ સરળતાથી મળતો નહીં હોવાની કાગારોળ થઈ રહી છે, ત્યારે બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ સુખી-સંપન્ન પરિવારના સભ્ય અને ભાજપના ધારાસભ્યના દીકરાને સરળતાથી મળી ગયો હોવાની ચર્ચા આજે જામનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે, અને રાહુલ ગાંધીના સરકાર પરના પ્રહારો ટોક ઓફ ધ નેશન બન્યા છે...મેરા ભારત મહાન...જયજય ગરવી ગુજરાત...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

બદલાતા સમીકરણો વચ્ચે ગુજરાતમાં નવા જૂનીના એંધાણ ?

                                                                                                                                                                                                      

ગુજરાતમાં વર્ષ-૨૦૧૫માં અનામત મુદ્દે પાટીદાર આંદોલન થયું હતું. અને તે સમયની આનંદીબેન પટેલની ભાજપ સરકાર હચમચી ગઈ હતી. એ સમય એવો હતો જ્યારે આ આંદોલને કારણે રાજ્યમાં શાસનવિરોધ લહેર દોડી ગઈ હતી. તે પછી વર્ષ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ ભાજપે જેમ તેમ કરીને પાતળી બહુમતી થી બચાવી લીધી હતી, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, જેઓ આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે, અને તેના અનુગામી બનીને મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપનાર વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે રહ્યા નથી, અને અમદાવાદની ગોઝારી પ્લેન દુર્ધટનામાં દિવંગત થઈ ગયા છે.

તે સમયે પાટીદાર આંદોલનના હીરો તરીકે ઉભરી આવેલા યુવાનેતા હાર્દિક પટેલ આજે ભાજપના ધારાસભ્ય છે, તેવી જ રીતે તાજેતરમાં વિસાવદરથી ભાજપ તથા કોંગ્રેસને હરાવીને આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પણ એ સમયે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા હતા. સરદાર પટેલ ગ્રુપના લાલજીભાઈ પટેલ તથા પાટીદાર અનામત સમિતિના હાર્દિક પટેલના નેતૃત્વમાં આંદોલન ચાલ્યું હતું, જેમાં કે.ડી. શેલડિયાની અખિલ ભારતીય પાટીદાર સેવા સમિતિ, પાટીદાર સંકલન સમિતિ, પાટીદાર આરક્ષણ સમિતિ, સરદાર પટેલ સેવાદળ વગેરે પણ સામેલ રહ્યા હતા, પરંતુ છેલ્લે હાર્દિક પટેલની "૫ાસ" દ્વારા સામૂહિક નેતૃત્વ કરાયું હતું.

તે સમયે રાજ્યવ્યાપી બનેલા પાટીદાર આંદોલનમાં ડિવિઝન તથા જિલ્લાઓમાંથી ઘણાં બધા કન્વીનરો બન્યા હતા., જેમાંથી કેટલાક અત્યારે સક્રિય રાજકારણમાં છે, તો કેટલાક અન્ય સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાક વિસરાઈ ગયા છે.

હવે ફરીથી પાટીદાર યુવાનો એકઠા થઈને નવી જ માંગણીઓ સાથે સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મુકવાના છે અને પૂર્વ કન્વીનરોની એક મિટિંગ (સંમેલન) પણ વાદ-વિવાદોની વચ્ચે યોજાઈ ગયું તથા આ ચળવળને સામાજિક ગણાવીને સરકાર સમક્ષ કેટલીક સામાજિક સુધારણાઓ સહિતની રજૂઆતો થઈ રહી છે, તે જોતાં કંઈક જવાજૂનીના એંધાણ ઘણાં લોકોને દેખાઈ રહ્યા છે. આ નવેસરથી શરૂ થનારી ચળવળ અંગે ભિન્ન ભિન્ન અટકળો શરૂ થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પક્ષના રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના અધ્યક્ષોની સાથે સાથે ભાજપ શાસિત રાજ્યોમાં કેટલાક મુખ્યમંત્રીઓ બદલવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે, ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ કે હરિયાણા જેવા રાજ્યો સાથે ગુજરાતનો વારો પણ આવી ન જાય, તેવો કટાક્ષ કરતી કોમેન્ટો પણ થવા લાગી છે, જોઈએ, હવે શું થાય છે તે...

બીજી તરફ આમઆદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા પછી રાજકીય સમીકરણો ગુંચવાયા છે., સામાન્ય રીતે ભાજપ કે કોંગ્રેસમાં વિદ્રોહ થાય ત્યારે ભારતીય જનતાપક્ષના ઈશારે થતું કૃત્ય ઠરાવવામાં આવે છે, પરંતુ અહીં ઉલટી ધારા વહેતી થઈ હોય તેમ ઉમેશ મકવાણાએ જ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતનું આમઆદમી પાર્ટીનું આખેઆખુ માળખું ભાજપના ઈશારે ચાલે છે., તેમણે પોતે હજુ પણ આમઆદમી પાર્ટીમાં જ હોવાનો દાવો કરીને કહ્યું છે કે પાર્ટીના પ્રદેશ એકમને પોતે રાષ્ટ્રીય નેતા હોવાથી સસ્પેન્ડ કરવાનો અધિકાર જ નથી. તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું  આપવાનો ઈન્કાર કરીને અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો છે, ત્યારે, જોઈએ હવે શું થાય છે તે...

ગુજરાત ભાજપમાં પણ આંતરિક ખેંચતાણ ચાલી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. વિસાવદરમાં નિષ્ફળતા પછી હવે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ના કોઈ દિગ્ગજ નેતાને જવાબદારી  સોંપાય અને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા મહત્વાકાંક્ષી અસંતુષ્ટ નેતાઓ, ભાજપના જૂના સંનિષ્ઠ એવા નેતાઓ કે જેની સતત અવગણના થઈ રહી હોય તથા એવા અસંતુષ્ટો, જેઓ તાજેતરમાં આમઆદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા, પરંતુ તેઓને મનવાંચ્છિત ફળ (ટિકિટ) મળી ન હોય, તેવા નેતાઓને "સાચવી લેવા" ની કવાયત હાઈકમાન્ડ કક્ષાએથી હાથ ધરાય, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે. ટૂંકમાં પ્રદેશ ભાજપમાં ઉકળતો ચરૂ જોતા મોટા ફેરફારો સાથે નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી નૈતિક કારણોસર શક્તિસિંહ ગોહિલના રાજીનામા પછી હવે આ કાંટાળો તાજ કોને પહેરાવવો તેની મથામણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે કોંગ્રેસની હાઈકમાન્ડે આ અંગે આ વખતે કેટલાક ફિડબેક મેળવ્યા છે. એવી ચર્ચા પણ ચાલે છે કે રાહુલ ગાંધીની વ્યાખ્યા મુજબ દિવ્યાંગ ઘોડાઓ અને લગ્નના ઘોડાઓ તથા યુદ્ધના ઘોડાઓની તારવણી થઈ રહી છે. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે એમાંથી વધે તેને પ્રદેશ કોંગ્રેસની ઘોડાગાડીમાં જોડી દેજો !

ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઘમાસાણ મચ્યું છે અને ત્રણેય મુખ્ય પક્ષોના પ્રદેશકક્ષાના એકમોમાં આંતર્યુદ્ધ છેડાયું છે, તેવા સમયે ત્રણેય પક્ષોના અસંતુષ્ટો સાથે મળીને કોઈ નવું જન આંદોલન છેડવાના વ્યૂહો રચાયો નથી ને ? તેવો અણિયાળો સવાલ સ્વયં જવાબ શોધી રહ્યો છે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઘોંઘાટ, કૌભાંડ, કટોકટી... કોણ છે બંધારણ વિરોધી ? જામનગરમાં એક વધુ રિફાઈનરી ?

                                                                                                                                                                                                      

અમદાવાદ અને જગન્નાથપુરીમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ સંપન્ન થઈ ગઈ અને આજે સાંજે દ્વારકાના જગતમંદિરની અંદર અષાઢી બીજની રથયાત્રા પરિક્રમા કરશે. અમદાવાદની રથયાત્રામાં બે-ત્રણ ગજરાજો બેકાબૂ થયા, તે ઘટનાએ આપણને બધાને એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. એ ગજરાજો કદાચ ડી.જે. તથા અન્ય ઘોંઘાટ સહન નહીં થઈ શકતા બેકાબૂ બન્યા હોવાનું તારણ નીકળી રહ્યું હોય તો એમ કરી શકાય કે વાર-તહેવારે ખૂબ જ મોટા અવાજે ડી.જે.વગાડતા લોકોને અંકુશમાં રહેવા ઈશ્વરે સંકેત આપ્યો છે. સંગીત હંમેશા કર્ણપ્રિય હોઈ શકે, કર્ણતોડ (કાન ફાડી નાખે તેવા અવાજ કરતું) હોવું ન જોઈએ, તેવો સંદ્ેશ આ ઘટનામાંથી મળે છે.

જાહેર માર્ગો પર ખૂબ જ મોટા અવાજે ડી.જે. કે અન્ય રીતે ઘોંઘાટ કરવાથી બીમાર વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, તથા બુઝુર્ગોને તો તકલીફ થતી જ હોય છે, પરંતુ નાના-મોટા વાહનોના હોર્ન નહીં સંભળાતા નાના-મોટા અકસ્માતો થવાનો ભય પણ રહેતો હોય છે, અને હાનિકર્તા-અવરોધરૂપ ઘોંઘાટ થતો હોય, ત્યારે તેને કોણ અટકાવે ? આથી આ બદી દૂર કરવા સ્વયં ધનપતિઓ, નેતાગીરી, સંસ્થાઓ તથા ઈવેન્ટ મેનેજરોએ જ આગળ આવવું પડશે.

ડી.જે. ના ઘોંઘાટ કરતા યે વધુ તિવ્રતાથી હમણાંથી રાજકીય ક્ષેત્રે થતા વાદવિવાદોનો ઘોંઘાટ ફેલાઈ રહ્યો છે, અને બંધારણને લઈને ચાલી રહેલી ચર્ચાઓનો ઘોંઘાટ તો ૨૫મી જૂન પછીથી વધુ વ્યાપક બની ગયો છે, અને તેમાંથી ઊભી થતી રસપ્રદ ચર્ચાઓમાંથી રાજકીય ક્ષેત્રે એક નવો જ ઘોંઘાટ વધુ ને વધુ પડઘાઈ રહ્યો છે.

હકીકતે કટોકટીના ૫૦ વર્ષના સંદર્ભે ભારતીય જનતાપક્ષે તા. ૨૫મી જૂનથી ઈંદિરા ગાંધીએ વર્ષ ૧૯૭૫માં લાદેલી કટોકટીનો અધ્યાય ખોલી નાખ્યો છે અને તેના કારણે કટોકટીની કહાનીઓ વર્ણવવામાં આવી રહી છે. કોંગ્રેસે પણ ભાજપના આ અભિયાન સામે બંધારણ બચાવવાની સાંપ્રત સ્થિતિમાં જરૂરિયાત હોવાનું જણાવી પ્રતિપ્રહાર કર્યો છે કે ઈંદિરા ગાંધીએ તો કટોકટી ઉઠાવ્યા પછી ફરીથી જનાદેશ પ્રાપ્ત કરી હતી, અને તે પછી જીવનપર્યત શાસન કર્યું હતું, પરંતુ ભાજપના હાથમાં સત્તાના સુત્રો આવ્યા પછી છેલ્લા ૧૧ વર્ષથી દેશમાં અઘોષિત કટોકટી જ છે ને ?

કટોકટીની કથા-વાર્તાઓ વચ્ચે તાજેતરમાં આર.એસ.એસ. ના મહામંત્રી દત્તાત્રેય હોંસબોલેએ કટોકટી કાળ દરમ્યાન ઈંદિરા ગાંધીની સરકારે બંધારણના આમુખમાં ઉમેરેલા ધર્મનિષ્પેક્ષતા ને સમાજવાદ જેવા શબ્દો હટાવવાની માંગણી કરી અને તેને કેન્દ્રીયમંત્રીઓએ સમર્થન આપતા નિવેદનો કર્યા પછી કોંગ્રેસે ભાજપને આડેહાથ લેતા કહ્યું છે કે આર.એસ.એસ. અને ભાજપનો ગૂપ્ત એજન્ડા હવે ખૂલ્લો પડી ગયો છે. તેઓ બંધારણને ધરમૂળથી બદલીને ગોડસેની વિચારધારા અમલમાં મુકવા માંગે છે, અને તેથી જ ચૂંટણીઓમાં ૪૦૦ ને પારની નારેબાજી કરી હતી, જેને જનતાએ ઠુકરાવી દીધી હતી, વગેરે...વગેરે...

ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાષ્ટ્રીયકક્ષાએ કટોકટીને લઈને તનાતની ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં યોજનકીય કૌભાંડોમાં ભારતીય જનતા પક્ષના નેતાઓ પછી હવે કોંગ્રેસના કહેવાતા કેટલાક નેતાઓ પણ સંડોવાઈ રહ્યા હોવાથી અલગ જ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મનરેગા કૌભાંડ રાજ્યવ્યાપી બન્યું છે, અને ઉત્તર ગુજરાતમાં એક વર્તમાન મંત્રીના દીકરાઓ પછી હવે સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસના મોટા નેતા તથા તેના દીકરાની ધરપકડ તથા ભરૂચમાં પણ મનરેગા કૌભાંડને લઈને તપાસ થઈ રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે, તે જોતાં ટૂંક સમયમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ સ્થિતિમાં આમઆદમી પાર્ટી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસને કૌભાંડીયાઓ સાથે સાંકળીને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતની જનતા આમઆદમી પાર્ટીને જનાદેશ આપશે, તેવો આશાવાદ સેવી રહી છે. આ કૌભાંડીયો ઘોંઘાટ હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને તેનો અવાજ હવે ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચ્યો છે, અને પાંચ દેશોના પ્રવાસે જતા પહેલા ખુદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓનો મુદ્દો વડાપ્રધાન કાર્યાલયના માધ્યમથી આ મુદ્દે હસ્તક્ષેપ કરશે, તેવી અટકળોનું બજાર પણ ગરમ થઈ ગયું છે.

એવું પણ કહેવાય છે કે અમદાવાદની રથયાત્રાના ગજરાજોએ એવો સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં દાયકાઓના ભાજપ-કોંગ્રેસના શાસનોને અપનાવી ચૂકેલી રાજ્યની જનતા હવે બહુજન સમાજવાદી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વ્યાપક જનાદેશ આપવાની છે, અને એ પછી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી બહુજન સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ પણ પડઘાવાનું છે !

જામનગરમાં આ બધા ઘોંઘાટ વચ્ચે પણ એક અલગ જ ચર્ચા થઈ રહી છે. એવા ઉડતા ઉડતા સમાચાર આવ્યા છે કે ભારત સરકારે સાઉદી અરબ તથા ખાડીના દેશો સાથે કરેલી સમજૂતી મુજબ ગુજરાતના દરિયાકાંઠે ઓ.એન.જી.સી. એક જાયન્ટ ગ્રીનફિલ્ડ રિફાઈનરી સ્થાપવાની છે, જે મોટાભાગે જામનગર જિલ્લામાં જ સ્થપાશે. જામનગરમાં રિલાયન્સ અને નયારા પછી જો ઓ.એન.સી.જી. ત્રીજી રિફાઈનરી સ્થાપશે, તો જામનગર જિલ્લો પેટ્રોલિયમ હબ બની જશે. જો કે, ભાવનગર જિલ્લાનો ધારૂકા વિસ્તાર પણ આ માટે વિચારણા હેઠળ છે, પરંતુ મહત્તમ સંભાવના જામનગર (હાલાર) માં આ નવી ગ્રીનફિલ્ડ રિફાઈનરીની જણાવાઈ રહી છે. આ અંગે ઓ.એન.સી.જી. કે સરકાર તરફથી અધિકૃત નિવેદન આવ્યું નથી, પરંતુ આ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ તો બની જ ગઈ છે. શું આ હાથીકાય (જાયન્ટ) રિફાઈનરીનો સંકેત પણ ઈશ્વરે અષાઢી બીજે આપી દીધો હશે ?

જે હોય તે ખરૃં, પરંતુ હકારાત્મક અભિગમ દાખવીએ, તો ઘોંઘાટના કારણે ભડકેલા ગજરાજોએ જો બહુ નુકસાન પહોંચાડ્યા વિના કોઈ શુભ સંકેતો આપ્યા હોય તો તેને ભગવાન જગન્નાથની કૃપા જ ગણવી પડે. જો કે, ઘોંઘાટીયા પ્રદુષણ સામે તકલાદી તંત્રો કે મત લાલચુ પક્ષો તો દેખાવ ખાતરની કાર્યવાહી જ કરશે, પરંતુ આ મુદ્દે જો લોકો જ સ્વયંશિસ્ત જાળવશે, તો તે વ્યાપક જનહિતમાં ઉમદા અભિગમ જણાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી, જય જગન્નાથ, જય જગન્નાથ સબ કો સન્મતિ દે ભગવાન...

                                                                                                                                                                                                      

અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન આજે બે ગજરાજો બેકાબૂ થયા પછી નિયંત્રીત થયા છે. આજે અષાઢી બીજ છે. હિન્દુ ધર્મના ચાર પવિત્ર મહાધામ પૈકીના એક પાવનધામ જગન્નાથપુરી તથા ગુજરાતના અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. આજે ેદેશના અન્ય ઘણાં શહેરો તથા મંદિરો-યાત્રાધામોમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે વિશેષ દર્શન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

અષાઢી બીજ દેશના જુદા-જુદા ભાગોમાં જુદી-જુદી પરંપરાઓ તથા સ્વરૂપો સાથે ઉજવાતી હોય છે. આજે કચ્છી પરંપરા મુજબ નવું વર્ષ ઉજવાય છે. વિક્રમ સંવત ૧૨૩૧માં જામ-રાયઘણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી, તે દિવસે અષાઢી બીજ હતી. વિક્રમ સંવત મુજબ નવું વર્ષ કારતક સુદ એકમના દિવસે મનાવાય છે, પરંતુ કચ્છી પરંપરા મુજબ કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ એટલે કે વિક્રમ સંવતના નૂતનવર્ષ કરતા ચારેક મહિના પહેલા આવે છે. એવું કહેવાય છે કે કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથિને સાંકળીને કચ્છી પંચાંગની શરૂઆત કરી હતી અને રાજાશાહીના સમયમાં અષાઢી બીજે નવું પંચાંગ તથા નવા ચલણી સિક્કાઓ બહાર પડતા હતા.

અષાઢી બીજથી ખેડૂતો સામાન્ય રીતે ખરીફ પાક માટેનું ખેતીકામ વેગીલુ બનાવતા હોય છે. અખાત્રીજ થી કરેલી તૈયારીઓ પછી વાવણીલાયક વરસાદ થાય, અને તે પછી નવું કૃષિવર્ષ ઉત્તમ નિવડે, તે માટેની પ્રાર્થનાઓ પણ અષાઢી બીજની ઉજવણી દરમ્યાન થતી હોય છે.

આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબક્મ્ની ભાવના ધરાવે છે અને પ્રાચીનકાળથી વિધિકલ્યાણની પ્રવૃત્તિઓ ભારતવર્ષમાં કરતું રહયું છે. ભારતે ઘણાં વિદેશી આક્રમણો ખમ્યા છે અને કેટલીક વિદેશી સલ્તનતો સેંકડો વર્ષ સુધી ભારત પર શાસન કરી રહી હતી, અને કેટલાક કટ્ટર શાસકોએ આપણી સર્વમાંગલ્ય, માંગલ્યે તથા વસુધૈવ કંુટુંબકમ્ ની સહિષ્ણુ ઉદાર અને સર્વસમાવેશી સંસ્કૃતિનું નિકંદન કાઢવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે અને વિશ્વને સત્ય, અહિંસા અને માનવતા માટે મરી મિટવાની તત્પરતાનો પાઠ શીખવી રહી છે, એટલું જ નહીં અસૂરો અથવા માનવવિરોધી દૂષ્ટોને પૂરેપૂરી તકો આપવા છતાં સુધરે નહીં, તો તેના અંજામ સુધી પહોંચાડવાની તાકાત પણ બતાવી રહી છે.

આપણો પડોશી દેશ પાકિસ્તાન માનવતા વિરોધી છે, તો બીજો પડોશી દેશ સ્વાર્થી, સામ્રાજ્યવાદી તથા વધુ દગાબાજ છે. આ બંને દેશોને ભારતની સહિષ્ણુતા, માનવતા, પ્રગતિ અને એકજૂથતા આંખમાં કણાની જેમ ખટકે છે. આ કારણે ભારતમાંથી જુદો પડેલો દેશ પાકિસ્તાન પોતાની કાયરતા, અને કમજોરીના કારણે ભારત સાથે સીધી લડાઈમાં ક્યારેય જીતે તેમ નહીં હોવાથી આતંકવાદનો સહારો લઈ રહ્યો છે...આતંકવાદની ફેક્ટરી જેવા આ દેશનો સમય-સમય પર ચીન અને અમેરિકા જેવી શક્તિશાળી અને ઘમંડી સત્તાઓ મહોરાની જેમ ઉપયોગ કરીને પોતાને ઉલ્લુ સિદ્ધ કરી રહી છે. આ કારણે પાકિસ્તાનની પ્રજા પાયમાલ થઈ રહી છે અને લોકતાંત્રિક દેશ હોવા છતાં ત્યાં મોટા ભાગે સેનાધ્યક્ષોનું શાસન જ રહ્યું છે. ચૂંટાયેલા વડાપ્રધાનો ત્યાં સેનાની કઠપૂતળી જેવા જ રહ્યા છે, અને ત્યાં રાષ્ટ્રપતિ પદનું કોઈ બહુ મહત્ત્વ રહ્યું નથી. આ માયકાંગલા પડોશી દેશનો ભારતીય પ્રતિનિધિઓ યુનોમાં નકાબ ચીરી નાખ્યા પછી ચીનમાં સર્જાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારતના રક્ષામંત્રીએ પાકિસ્તાનને રોકડુ પરખાવ્યુ અને સંયુક્ત ઘોષણાપત્રમાં પહલગામ આંતકી હૂમલાનો ઉલ્લેખ નહીં કરાતા તેમાં હસ્તાક્ષર ન કર્યા, તે પછી હવે ભારતની ઓપરેશન સિંદૂર ફેઈમ કાર્યવાહીથી ફફડતું પાકિસ્તાન વૈશ્વિક સંસ્થાઓ પાસે રહેમની ભીખ માંગવા હડિયાપટ્ટી કરવા લાગ્યું છે.

બીજી તરફ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સામેલ થયા પછી બે-ત્રણ દિવસમાં જ અમેરિકાએ યુદ્ધ આટોપી લીધું, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જાય, તે માટે બહુ પ્રયત્નો કરવાના બદલે માત્ર પ્રોપાગન્ડા કર્યો, તેની પાછળ ટ્રમ્પના બિઝનેસ માઈન્ડની બૂ આવે છે. હકીકતે હથિયારો તથા યુદ્ધસામગ્રીના અમેરિકન ઉત્પાદકોના હિતાર્થે અમેરિકા પહેલા કોઈપણ મુદ્દે વિવાદગ્રસ્ત બે દેશો વચ્ચે પહેલા યુદ્ધ ભડકાવે છે, અને તે બંને દેશોને અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવા દેશોનેે હથિયાર સામગ્રી યુદ્ધ જહાજો વગેરે વેચે છે ને તેમાંથી મબલખ કમાણી કરે છે. તેથી વિશ્વ સમુદાયમાં એક કોન્સેપ્ટ એવો પણ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે કે જો દુનિયામાં કાયમી શાંતિ રાખવી હોય તો વિશ્વના તમામ દેશોેએ માત્ર પરમાણુ બોમ્બ જ નહીં, પરંતુ દરેક પ્રકારના હથિયારો, યુદ્ધ સામગ્રી, તથા યુદ્ધ જહાજો-વિમાનોનું ઉત્પાદન જ બંધ કરી દેવું જોઈએ, અને મોજુદ પુરવઠાનો યોગ્ય રીતે નાશ કરી નાખવો જોઈએ. અત્યારે જે સ્થિતિ છે, તે જાળવી રાખીને તમામ પ્રકારના વિવાદાસ્પદ મુદૃાઓ માટે યુદ્ધ નહીં પરંતુ એક વૈશ્વિક પ્લેટફોર્મ કે દ્વિપક્ષીય વાટાઘાટો કરીને ઉકેલવા જોઈએ. જો વિસ્ફોટક યુદ્ધ સામગ્રી, હથિયારો કે સાધનોનું ઉત્પાદન જ નહીં થાય, તો યુદ્ધ જ નહીં થાય, ન રહેગા બાંસ, બજેગી હી નહીં બાંસુરી !!

જો કે, કોન્સેપ્ટ ભલે સ્વીકારવા જેવો લાગતો હોય, પરંતુ તેનો અમલ કરવો અઘરો છે. હથિયારોનું ઉત્પાદન માત્ર દેશો વચ્ચેના યુદ્ધો માટે નહીં, પરંતુ બદમાશો, માફિયાઓ, ગુંડાઓ, ગુનાખોરો, ઉગ્રવાદીઓ તથા ત્રાસવાદીઓ સામે લડવા માટે પણ થતો હોય છે. ખુદ ભગવાનને પણ માનવ અવતાર ધારણ કર્યો, ત્યારે તીર-કામઠાથી લઈને સુદર્શનચક્ર સુધીનો ઉપયોગ કરવો પડયો હતો, તેથી શસ્ત્રોનું ઉત્પાદન સદંતર બંધ થઈ જાય તે સંભવ જણાતું નથી, કારણ કે આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે આ શસ્ત્ર સરંજામ જરૂરી પણ હોય છે, તેથી આ પ્રકારના ઉત્પાદનો તદૃન બંધ કરી દેવાના બદલે તેને અંકુશિત કે નિયંત્રિત કરવા માટે અમેરિકા, રશિયા, ચીન જેવી મહાસત્તાઓ સ્વયંશિસ્ત જાળવવુ જોઈએ, અને તે માટે પોતાના સ્વાર્થે બેવડા ધોરણો અપનાવવાની નીતિ સમાપ્ત થવી જોઈએ.

ઈરાન પર હમાસ, હુથી, હીઝબુલ્લાહ જેવા સંગઠનોને આતંકી ગણાવીને પરમાણુ ઉર્જા ઉત્પાદન પર પ્રતિબંધો લગાવતું અમેરિકા એ ત્રણેય સંગઠનોથી પણ ઘણું જ ખતરનાક જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુઝાહિદિન જેવા આતંકી સંગઠનોનું પાલન-પોષણ કરતા પાકિસ્તાનને જ્યારે "પ્રિય દેશ" ગણાવીને ટ્રમ્પ તેની પીઠ થાબડે, ત્યારે તેના બેવડા વલણોનો પર્દાફાશ થઈ જાય છે, તેવી જ રીતે ભારતમાં થયેલા પહલગામના આતંકી હૂમલાનો ઉલ્લેખ જ કર્યા વગર પાકિસ્તાનની ટ્રેન પર હૂમલાની ઘટનાનો ઉલ્લેખ સંયુક્ત ઘોષણાપત્રમાં કરવાના ચીન અને પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ પણ થઈ ગયો છે, ત્યારે ભારતે હવે ચારેય મોરચે લડવાની તૈયારી રાખવી પડશે...

આજે ભગવાનને પ્રાર્થના કરીએ એ આસૂરી મનોવૃત્તિ ધરાવતા દેશોના વડાઓને સદ્બુદ્ધિ આપે...

રઘુપતિ રાઘવ રાજા રામ, ...સબકો સન્મતિ દે ભગવાન..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વરસાદી માહોલ, વૈશ્વિક શાંતિ, શ્રાવણીયા મેળાઓના પડઘમ... તહેવારોનો ત્રિવેણી સંગમ... ચોમાસા વચ્ચે પણ પ્રિ-મોન્સુન ?!

                                                                                                                                                                                                      

ગુજરાતમાં અમદાવાદની વિમાન દુર્ઘટના પછી શોકનો માહોલ હતો અને દેશ દુનિયામાં યુદ્ધ અને અશાંતિના કારણે વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેમાં હવે રાહત થઈ છે. કમનસીબ દુર્ઘટનાના મૃતકોની ઓળખ કરીને સોંપી દેવાયા પછી તેઓની અંતિમક્રિયાઓ થઈ ગઈ છે, અને ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સમી ગયા પછી હવે રશિયા-યુક્રેન યુદ્ધ પણ ખતમ થાય, તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે હવે દુનિયા શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ તરફ આગળ વધી રહી છે, પરંતુ ડોમેસ્ટિક પોલિટિક્સમાં પુનઃ ઉછાળો આવ્યો છે. દેશમાં વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીનો વિજય થતાં થોડા સમય માટે હેડલાઈન્સમાંથી અલિપ્ત થઈ ગયેલા કેજરીવાલ ફરીથી પ્રગટ થઈ ગયા છે અને ભાજપ તથા કોંગ્રેસ પર સહિયારા પ્રહારો કરીને આમઆદમી પાર્ટીને ગુજરાતમાં વિજયનો વિકલ્પ ગણાવવા લાગ્યા છે. એક તરફ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં પણ આગામી વર્ષે થવાની છે. આમઆદમી પાર્ટી આ બંને ચૂંટણીઓમાં પૂરી તાકાતથી ઝંપલાવવાની હોવાથી ભાજપ અને કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોએ તે માટે તૈયાર રહેવું પડશે. ચૂંટણીઓના ચક્રવ્યૂહ વચ્ચે એક તરફ રાજકીય માહોલ ગરમાયો છે, તો બીજી તરફ વરસાદ, પૂર, તથા નવી આગાહીઓ વચ્ચે મેઘાવી માહોલ પણ જામ્યો છે. ઠેર-ઠેર જલભરાવ, સડકો પર પાણી, ટ્રાફિકજામ અને વરસાદી મોસમની વિડંબણાઓના સમાચારો ચોતરફથી આવી રહ્યા છે.

આ પ્રકારની પરિસ્થિતિઓ વચ્ચે આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાઓ તથા યાત્રાધામ દ્વારકા તથા બેટદ્વારકામાં જન્માષ્ટમી પર્વે દર્શન માટે ઉમટી પડનારા લાખો ભાવિકોના સંદર્ભે જરૂરી તમામ વ્યવસ્થાઓને લઈને તંત્રોએ અત્યારથી જ તૈયારીઓ કરવા લાગવું પડશે. અત્યાર સુધી તંત્રો વિવિધ પ્રકારની ઘટનાઓના સંદર્ભે તથા ચૂંટણીઓ પછી હવે વરસાદી મોસમના સંદર્ભે વ્યસ્ત રહ્યા છે, અને તેમાંથી ટાઈમ કાઢીને સાતમ-આઠમના મેળાઓ, શ્રાવણી મેળાઓ તથા છેક ભાદરવી પૂર્ણિમા સુધી વિવિધ સ્થળે તબક્કાવાર યોજાતા રહેતા લોકમેળાઓ, ધાર્મિક મેળાવડાઓ અને પ્રવાસ-પર્યટનના સ્થળો પર ઉમટતી ભીડના પૂર્વ-આયોજનો પણ તંત્રોએ કરવા પડશે. અત્યારે અષાઢી બીજની રથયાત્રાઓનો પણ ઠેર-ઠેર થનગનાટ છે.

રાજકોટમાં ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સદ્ગત વિજયભાઈ રૂપાણીની અનંતયાત્રાનો આઘાત ખમી લઈને લોકો કુદરતની ઘટમાળને અનુરૂપ રોજીંદી જિંદગીમાં આગળ વધી ગયા છે, અને આગામી તહેવારોની તૈયારીમાં લાગી ગયા છે. મોહરમ અને જન્માષ્ટમી સુધીના તહેવારોને સાંકળીને જરૂરી પ્રબંધો કરવા અંગેની મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, અને લોકમેળાઓની તૈયારીઓ પણ થવા લાગી છે.

તાજેતરના ઘટનાક્રમો તથા પ્રવર્તમાન પ્રાકૃતિક અને માજવસર્જીત સંજોગો-ઘટનાઓને ધ્યાને રાખીને આ વખતે તમામ પ્રકારના આયોજનો તથા ભગવાન જગન્નાથજીની ઠેર-ઠેર નીકળનારી રથયાત્રાઓ થી લઈને જન્માષ્ટમી-નવરાત્રિ પર્વ સુધીના તહેવારોની શ્રૃંખલા દરમ્યાન કોઈ  પણ પ્રકારની ભાગદોડ કે અનિચ્છનીય ઘટના બને નહીં, તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તેવા પ્રબંધોની સાથે સાથે ચોમાસાની ગતિવિધિ, આગાહીઓ તથા પૂર-પાણી અને નદી-નાળા-ડેમો છલકાયા પછીની પરિસ્થિતિનું આલંકન કરીને તંત્રો તથા શાસકોએ સંકલન કરવું પડશે.

શરમજનક સ્થિતિ એ ગણાય કે અત્યારે ચોમાસુ બેસી ગયું, વરસાદની આગાહીઓ થવા લાગી, કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડયો, રણજીતસાગર જેવા મોટા ડેમો છલકાવા લાગ્યા, તેવા સમયે પણ ઘણાં તંત્રો તથા પાલિકા-મહાપાલિકાઓમાં હજુ "પ્રિ-મોન્સુન"ની કામગીરી ચાલી રહી છે. અન્ય જિલ્લાઓમાં લોકમેળાઓના આયોજનો સુનિશ્ચિત થયા પછીની વહીવટી અને તાંત્રિક પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે હાલારમાં હજુ ચોમાસા પૂર્વેની કામગીરીઓ પૂરી થઈ રહી નથી, અને જામનગરમાં તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં કામચલાઉ એસ.ટી. ડેપો આવ્યા પછી આ વર્ષે અને આવતા વર્ષે શ્રાવણીયો લોકમેળો ક્યાં યોજવો, તેનું સ્થળ પણ નક્કી થઈ શક્યું નથી. આ વર્ષે અદ્યતન ટેકનોલોજી આધારિત ફોરકાસ્ટ મેળવીને વરસાદી ઋતુને અનુરૂપ તમામ આયોજનો થાય, અને અત્યારથી જ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ માટે સંયોજીત, સુદૃઢ અને ફુલપ્રૂફ માસ્ટર પ્લાન અમલી બને, તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

ચોમાસાની ઋતુ હોય, નદી-નાળા, ચેકડેમો-તળાવો-ડેમો છલકાવાના છે, ત્યારે યુ-ટ્યુબ માટે વીડિયો ઉતારવા કે સેલ્ફી લેવા માટેે જીવ-સટોસટની બાજી ખેલતા લોકોને અટકાવવા તંત્રે પણ કડક પ્રબંધો કરવા પડશે, અને એનજીઓઝ, વિવિધ સમાજો, જ્ઞાતિસંગઠનો, અને ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ ગામડાઓ અને શહેરોમાં સર્વવ્યાપી અને અસરકારક જન આંદોલન ચલાવવું પડશે, અન્યથા અત્યારે છૂટક-છૂટક સ્થળે બનતી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી જ રહેશે અને લોકોને પોતાના વહાલસોયા સ્વજનો સેલ્ફી કે રીલ પાછળ જીવ ગુમાવ્યા પછી રોતા જ રહેવું પડશે..

આ પ્રકારની અનિચ્છનિય અને આઘાતજનક ઘટનાઓ અટકાવવા પ્રત્યેક પરિવારોએ પણ આગળ આવવું પડશે. જો મોટેરાઓ આ પ્રકારના શોખને ગાંડપણમાં ફેરવવા લાગશે, તો યુવાપેઢીને મોકળું મેદાન મળી જવાનું છે, અને કુમળી પેઢી પણ વગર વિચાર્યે અઘટિત સાહસો કરવા પ્રેરાશે. આથી આવી રહેલા આ મહાભયાનક ખતરાને ટાળવા સૌએ અત્યારથી જ જાગૃત થઈ જવું પડશે.

આ વર્ષે સારો વરસાદ થશે અને વર્ષ સારુ જશે, ખેતી સારી પાકશે અને વિપુલ જળસંગ્રહ થશે, તેવી આગાહીઓ થઈ છે, ત્યારે સૌ કોઈના જીવનમાં આનંદ-મંગલ રહે, તહેવારો ભવ્ય રીતે ઉજવાય, ક્યાંય કોઈ અનિચ્છનિય ઘટના ન બને, લોકો સ્વયં જાગૃત બને અને નવા ચૂંટાયેલા તથા પહેલાના તમામ જનપ્રતિનિધિઓ વાસ્તવમાં લોકસેવામાં લાગી જાય, તેવું ઈચ્છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચૂંટણીઓ થઈ ગઈ, મતગણતરી પૂર્ણ થઈ, હવે સાથે મળીને કામે લાગી જઈએ...

                                                                                                                                                                                                      

આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી થયા પછી પરિણામો આવ્યા છે. ગામેગામ વિજયોત્સવો મનાવાઈ રહ્યા છે, અને વિજેતા પેનલો તથા સરપંચો મતદારોનો આભાર માનીને તેમણે કરેલા વાયદાઓ પૂરા કરવાના વચનો આપી રહ્યા છે.

સરપંચો તથા ગ્રામ પંચાયતોના સભ્યોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી, પરંતુ રાજકીય પક્ષો પોતાની વિચારધારા ધરાવતા સરપંચો અને સભ્યો વધુ ચૂંટાયા હોવાના દાવાઓ કરતા હોય છે, અને તેવું જ કંઈક આ વખતે થઈ રહ્યું છે.

આ પહેલા ઘણી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, અને ઘણાં સરપંચો અને સભ્યો બિનહરીફ પણ થયા છે. હવે જયાં ચૂંટણી થઈ હતી, ત્યાં પરિણામો આવી ગયા પછી ચૂંટણીમાં થયેલી સ્પર્ધા પછી આવેલા જનાદેશને સ્વીકારીને બધાએ ગામના વિકાસ અને લોકકલ્યાણના કામે લાગી જવાનું છે, તથા મતદાન પ્રક્રિયા દરમ્યાન કે તેના સંદર્ભે કોઈ નાની-મોટી રકઝક કે ખેેંચતાણ થઈ હોય તો ભૂલીને સૌ કોઈએ સાથે મળીને  ગ્રામસેવા અને જનસેવામાં લાગી જવાનું છે., કારણ કે ચૂંટણી લડવાનો ઉદૃેશ્ય પણ ગ્રામસેવા તથા જનસેવાનો જ હોય છે ને ? હવે, જીતેલા ઉમેદવારોએ પરાજીત ઉમેદવારોને પણ સન્માનપૂર્વક સાથે રાખીને લોકોની સેવા કરવાની છે, એ ભૂલાય નહીં.

ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ક્રિકેટ ટેસ્ટમેચ  સંપન્ન થઈ ગઈ છે, અને ભારતીય ટીમનો પરાજય થયો છે. મોટાભાગના સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં કેટલાક સિનિયર અને કેટલાક નવા ચહેરાઓના સંયોજન છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એકંદરે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને સદીઓની જાણે હોડ લાગી હોય, તેમ બંને ટીમોના ખેલાડીઓએ સેન્ચ્યુરી ફટકારી, તેથી ક્રિકેટ રસીયાઓને ભરપૂર મનોરંજન મળ્યું. ભારતે તેમની ફિલ્ડીંગમાં વિશેષ સુધારા કરવાની જરૂર છે, તથા કેપ્ટનશીપમાં શુભમન ગીલને વધુ અનુભવની જરૂરિયાત હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. આ ક્રિકેટ મેચ પૂરી થયા પછી જે રીતે જીતેલી ટીમે હારેલી ટીમ સાથે સન્માનભર્યો વ્યવહાર કર્યો અને ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને અભિનંદન આપ્યા, તે દૃશ્યો ક્રિક્ેટ રસીયાઓએ જોયા જ હશે.

લગભગ દરેક ક્રિકેટ મેચ પછી આ જ રીતે હારેલી ટીમો તથા જીતેલી ટીમો પરસ્પર આદર બતાવતા હોય છે અને બંને ટીમોના મેદાન પર રહેલા ખેલાડીઓ વ્યક્તિગત રીતે પણ પરસ્પર ભેટી પડતા હોય છે, તેવી જ ખેલદીલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી દરેક જીતેલા અને હારેલા ઉમેદવારો પણ બતાવતા હોય જ હોય છે, પરંતુ ઘણી વખત સ્થાનિક ચૂંટણીઓના કારણે વેરઝેર ઊભા થવાની ક્ષુલ્લક ઘટનાઓ પણ બનતથી હોય છે, જો કે, એ પ્રકારની ચૂંટણીના વેરઝેરની માનસિકતા હવે ધીમે-ધીમે ઘણી જ ઘટવા લાગી છે અને ચૂંટણીઓ પછી ગ્રામ વિકાસના કામે તમામ લોકો સાથે મળીને લાગી જતા હોય છે, જે આપણાં દેશની લોકતાંત્રિક સંસ્કૃતિને વધુ ને વધુ સુદૃઢ બનાવે છે. એ ચૂંટાયેલા ઉમેદવારો ગ્રામસેવા તથા પંચાયતોના વહીવટમાં હારેલા ઉમેદવારો સહિત તમામ લોકોને સહભાગી બનાવશે, તેવું ઈચ્છીએ.

આ જ પ્રકારની આશા ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા પછી રાજકીય પક્ષો તથા ઉમેદવારો પાસેથી લોકો રાખે છે. મતદારોએ આપેલો જનાદેશ માથે ચડાવીને હવે આગળ વધવાનું છે.

કડીની બેઠક ભાજપે જીતી, તે અપેક્ષિત હતુ, પરંતુ વિસાવદરની બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા, તેથી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા પછી આ બેઠક પર વિપક્ષના ઉમેદવારો જીતતા હતા, પરંતુ ભાજપ પ્રેરિત ઓપરેશન લોટસ અથવા ઓપરેશન કમળ ચલાવીને ચૂંટાયેલા વિપક્ષ ધારાસભ્યોને રાજીનામા અપાવીને ખેલ ખેલ્યો, તે મતદારોને પસંદ નથી આવ્યું, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે. જો કે, આ બેઠક પર પેટા ચૂંટણી પ્રચાર સમયે જ આંતરિક ખેંચતાણ તથા ત્રિપાંખીયા જંગને કારણે ભાજપને જનાદેશ મળવાનો નથી, તેવા અંદાજો થવા લાગ્યા હતા, પરંતુ તેનો લાભ "આપ" ને મળ્યો જે કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો છે, કારણ કે હવે ગુજરાતમાં સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓમાં મુખ્ય મુકાબલો ભાજપ અને આમઆદમી પાર્ટી વચ્ચે જ થવાનો છે, તેવી ભવિષ્યવાણી અરવિંદ કેજરીવાલે કરી દીધી છે. !

માતૃતુલ્ય-મમતાની મૂર્તિ સમા

                                                                                                                                                                                                      

 

માધવાણી પરિવારના પથદર્શક અને માતૃતુલ્ય સ્વ. ઉર્મિલાબેનની આજે પુણ્યતિથિ છે. 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના કદમ સાથે કદમ મેળવીને પ્રેરણાસ્ત્રોત બનનાર સ્વ. ઉર્મિલાબેનની સ્મૃતિઓ કયારેય વિસરી શકાય તેમ નથી.

તેઓ સ્નેહાળ, શાંત અને સહૃદયી સ્વભાવ ધરાવતા હતા. અને સાદગી, સૌમ્યતા અને સરળતા સાથે તેઓએ નવી પેઢીને સારા સંસ્કાર અને સદ્ગુણોનું સિંચન કરીને હંમેશાં પ્રેરક પ્રદર્શન કર્યું હતું. તેઓ હંમેશાં જીવનના ઉતાર-ચઢાવ અને બદલતી રહેતી સ્થિતિ સામે હિંંમતથી લડતા રહ્યા હતા અને પરિવારનો અડીખમ સ્તંભ બની રહ્યા હતા. તેઓએ અનેક પડકારોનો સામનો કર્યો હતો.

માતાનો શિતળ છાંયડો ત્યારે છીનવાઈ ગયો, ત્યારે વર્ષ ૨૦૧૯ની ૨૪મી જૂને તેઓએ અચાનક અંતિમ વિદાઈ લઈ લીધી, ત્યારે આખો પરિવાર તો ખૂબજ દુઃખી થયો હતો, પરંતુ નોબત પરિવાર, માધવાણી પરિવાર તથા આ બંને પરિવાર સાથે સંકળાયેલા તમામ સ્નેહીજનોએ પણ ઉંડો આઘાત અનુભવ્યો હતો. હવે તેઓની મીઠી યાદો અને પ્રેરણાત્મક પળોની સ્મૃતિઓને યાદ કરીને તેઓને સ્મરણાંજલિ અર્પીએ.

ઈશ્વરની ઘટમાળ પાસે આપણું કાંઈ ચાલતુ નથી, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધીન છે, એ સનાતન સત્ય છે, એ સ્વીકારીને અંતરની ઉર્મીઓ સાથે સ્વ. ઉર્મિલાબેનને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પીએ.

જામનગર તા. ૨૪-૦૬-૨૦૨૫

-માધવાણી પરિવાર

-નોબત પરિવાર

વિસાવદરમાં ભાજપને ઝટકો, કડીમાં ખિલ્યું કમળ..... ચૂંટણીનો ચક્રવ્યૂહ... પરિણામોનું પોસ્ટમોર્ટમ... જગતનો તાત ખૂશ... જીવલેણ જોખમ સામે લાલબત્તી

                                                                                                                                                                                                      

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈકાલે મતદાન સંપન્ન થયું અને તેની મતગણતરી ૨૫મી જૂને થવાની છે, પરંતુ ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી આજે થઈ છે. તે ઉપરાંત ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં વરસાદ થયો છે, અને હજૂ પણ વરસાદની જૂદી-જૂદી આગાહીઓ સાથે વિવિધ એલર્ટ અપાઈ રહ્યા છે. આ તમામ પોઝિટિવ ન્યૂઝની વચ્ચે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવીને ઈરાનના ત્રણ પરમાણૂ મથકો પર હૂમલો કર્યા પછી ઊભી થયેલી સ્થિતિએ વૈશ્વિક ચિંતા ઊભી કરીને નેગેટિવીટી ફેલાવી દીધી છે., તેવા સમયે ભારે વરસાદથી ઘણાં સ્થળે પૂર આવ્યા, તો કેટલાક સ્થળે તણાઈ કે ડૂબી જવાથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચારોએ પણ ગ્લાનિ ઉત્પન્ન કરી દીધી છે. ગામડાઓની ગતિવિધિથી લઈને ગ્લોબલ ગોલમાલની અપડેટેડ આંધી વચ્ચે ચૂંટણીઓના ચક્રવ્યૂહની ચર્ચા પણ આજે ગામડાઓના ચોરે અને ગાંધીનગરના ગલિયારાઓમાં થઈ રહી છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી જૂદા-જૂદા વિસ્તારોમાં ઝાપટાં થી લઈને ભારે વરસાદ વરસી રહ્યો હતો, અને ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસતા ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હોવાથી ખેડૂતો વાવણીના કામે લાગી ગયા છે, તો બીજી તરફ કેટલાક જળાશયોમાં નવા નીર આવ્યા, તો કેટલાક ડેમો ઓવરફ્લો થવાના અહેવાલો આવવા લાગ્યા છે, અને રાજ્યમાં અત્યાર સુધીમાં જુદા-જુદા જિલ્લાઓમાં સરેરાશ ૧૪ થી ૨૧% વરસાદ પડી ગયો હોવાથી હવે કિસાનજગત માટે ખરીફ સિઝનની શરૂઆત સારી થઈ છે, તેમ કહી શકાય. જામનગરના રણજીતસાગર અને વાગડીયા ડેમ છલોછલ ભરાઈ ગયા છે, તથા ઓવરફલો થયા છે. હાલાર સહિત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં ૨૦૦થી વધુ ડેમોમાં જળસ્તર વધ્યું છે, તો ૧૫ જેટલા જળાશયો છલોછલ ભરાઈ જતાં હાઈ એલર્ટ પર છે, અને આજે પણ મેઘાડંબર વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, તેથી ઘણાં ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, તો ઘણાં સ્થળે ગમખ્વાર ઘટનાઓ પણ બની છે.

કેટલાંક સ્થળોએ સોશ્યલ મીડિયા માટે વીડિયો ઉતારવા અને સેલ્ફી લેવાની લ્હાયમાં કેટલાક લોકોએ જીવનું જોખમ વ્હોરી લીધું છે, અને યુવાવર્ગ જ નહીં, હવે તો નાના-નાના બાળકોથી લઈને કેટલાક બુઝુર્ગો પણ આ પ્રકારના જોખમો લેવા લાગ્યા હોવાથી હવે આ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, એટલું જ નહીં, આ પ્રકારના જોખમો વ્હોરી લેનાર પર કાનૂની સકંજો વધુ કસાય, અને લોક શિક્ષણ તથા કાયદાનાં ડર હેઠળ આ જીવલેણ શોખ સામે જંગ લડવાનો સમય હવે પાકી ગયો છે, ખરૃં ને ?

ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એવરેજ ૭૦% થી વધુ મતદાન થયું અને કેટલાક સ્થળોએ તો ઘણું જ જંગી મતદાન થયું, એ મતદારોનો લોકતંત્રમાં વિશ્વાસ દર્શાવે છે, પરંતું ગ્રામ પંચાયતોમાં સ્થાનિક જાગૃતિ વધુ રહેતી હોવાથી આગામી સમયમાં ૯૦ કે ૯૫%થી વધુ મતદાન થાય, તેવા પ્રયાસો જાહેર જીવનમાં પડેલા નેતાઓ, આગેવાનો તથા રાજ્યના ચૂંટણીપંચે પર કરવા જોઈએ.

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પણ કેટલાક સ્થળે ફેર મતદાન કરાવવું પડી રહ્યું છે, જે વિચારવા જેવો મુદ્દો છે. જો મર્યાદિત મતદાન તથા સીમિત મતક્ષેત્ર માટે પણ કોઈપણ કારણે ફેર મતદાન કરાવવુ પડતું હોય, તો તેના કારણોનું વિશ્લેષણ કરીને જરૂરી સુધારાત્મક કદમ ઉઠાવવા જોઈએ.

હવે મતગણતરી થઈ જાય, તે પછી ઉભયપક્ષે જ નહીં, ગ્રામજનોમાં પણ અત્યારે ચૂંટણી સમયે હતી, તેવી જ જાગૃતિ જળવાઈ રહે, અને જે સરપંચ અને પેનલો ચૂંટાય, તે ચૂંટણીના પરિણામો પછી હવે સૌ સાથે મળીને ગ્રામ વિકાસ અને લોકકલ્યાણના કામો કરતા રહેશે, તેવું ઈચ્છીએ.

આજે ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદરની બેઠકોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, ત્યારે વિસાવદરમાં આમઆદમી પાર્ટીએ પહેલા બે રાઉન્ડમાં લીડ મેળવી અને તે પછીના રાઉન્ડમાં પાછળ રહી ગઈ હતી, જ્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ મોટી લીડ મેળવી લીધી હતી. વિધાનસભાની આ પેટા ચૂંટણીના પરિણામો રાજ્યની રાજનીતિ પર વ્યાપક અસર કરશે તેમ જણાય છે.

આજે સવારથી મતગણતરી શરૂ થઈ, ત્યારથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા આગળ હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં ભાજપના કિરીટ પટેલે લીડ લીધી હતી, પરંતુ બે-ત્રણ રાઉન્ડ પછી રસાકસી વધુ તિવ્ર બની હતી અને ૧૦ રાઉન્ડના અંતે તો ગોપાલ ઈટાલીયાએ ચાર હજારથી વધુ મતોની લીડ મેળવી લીધી હતી, જે ભાજપ માટે ઝટકા સમાન હતું. અહીં કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં હોય તેમ જણાતું નહોતું અને નીતિન રાણપરીયા પહેલેથી જ પાછળ હતા, પરંતુ આમઆદમી પાર્ટીએ પહેલા ૧૦ માંથી ૬ રાઉન્ડમાં સરસાઈ મેળવી હતી, અને તે પછી આમઆદમી પાર્ટીની સરસાઈ વધતી રહી હતી. બીજી  તરફ કડીમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો સતત પાછળ રહ્યા હતા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સતત સરસાઈ મેળવતા હતા, તેઓ ૧૦ રાઉન્ડના અંતે પાંચ હજાર જેટલા મતે આગળ હતા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડા સતત પાછળ રહ્યા હતા.

આ પેટા ચૂંટણીનું પોસ્ટમોર્ટમ કરીએ, તો વિસાવદરમાં આ વખતે ભાજપને આંતરિક અસંતોષના કારણે પ્રારંભથી જ ફટકો પડયો હોય તેમ જણાતું હતું. આ પહેલા પણ કેશુબાપા પછી આ બેઠક પર વિપક્ષનું વર્ચસ્વ રહ્યું હતું, પરંતુ ભાજપે વિપક્ષના જીતેલા ઉમેદવારોના રાજીનામા અપાવીને પક્ષપલટાનો જે ખેલ રચ્યો હતો, તેમાં ધાર્યા મુજબની સફળતા મળી હોય તેમ લાગતું નથી.

૧૫-૧૬ રાઉન્ડ ગણાયા પછી વિસાવદરમાં ગોપાલ ઈટાલીયા અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની લીડ કપાય તેમ નહીં હોવાથી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું, અને આ પરિણામો ભાજપ માટે આ વખતે પણ વિસાવદરમાં ઝટકા સમાન અને કડીમાં રાહતરૂપ રહ્યા હોય, ભલે રાજ્ય સરકારની બહુમતિને કોઈ મોટી અસર કરે તેમ નહીં હોવા છતાં આમઆદમી પાર્ટી માટે પ્રોત્સાહક છે, જ્યારે કોંગ્રેસને મનોમંથનનો સમય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ... સ્વાસ્થ્યની સારસંભાળ જરૂરી પણ...!? યોગા ફોર વન અર્થ...વન હેલ્થ

                                                                                                                                                                                                      

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની  વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. આજે હાલારમાં પણ ગામડાઓ તથા શહેરોમાં વિશ્વ યોગ દિન ના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપણે જાણીએ જ છીએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિનની વૈશ્વિક ઉજવણી શરૂ કરાવવામાં ભારતનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જામનગરમાં પણ આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તળાવની પાળ સહિતના ઘણાં સ્થળોએ યોગદિન ઉજવાઈ રહ્યો છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "યોગા ફોર વન અર્થ...વન હેલ્થ" છે. આ વિષય "એક પૃથ્વી....એક સ્વાસ્થ્ય" ના કોન્સ્ેપ્ટને પ્રોસ્તાહિત કરે છે. સંસાર સ્વસ્થતાથી ચાલે અને ટકાઉ ભવિષ્ય તથા મજબૂત બુનિયાદ સાથે જીવન વાસ્તવમાં સુખી બને તે માટે સમગ્ર વિશ્વ (પૃથ્વી)માં સ્વાસ્થ્યની સુરક્ષા માટે સહિયારા, સતત અને પરિણામલક્ષી પ્રયાસો થતા રહે, તે અત્યંત જરૂરી છે, અને તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતની વૈશ્વિક સંસ્થાઓ આજે જે રીતે યોગદિવસ ઉજવી રહી છે, તેમ જ દુનિયાના મહત્તમ દેશોમાં એક સાથે યોગાભ્યાસ થઈ રહ્યો છે, તે ભારત માટે ગૌરવની વાત છે, અને વિશ્વકલ્યાણની દિશામાં આખી દુનિયાનું સહિયારૂ આવકારદાયક કદમ છે.

આ થીમ માત્ર જીવસૃષ્ટિના સ્વાસ્થ્યનો સંદેશ નથી આપતું, પરંતુ આપણે જે ગ્રહ પર રહીએ છીએ, તે પૃથ્વીના સ્વાસ્થ્યનો પણ સંદેશ આપે છે. આપણું સમગ્ર જીવસૃષ્ટિનું અને પૃથ્વીનું સ્વાસ્થ્ય પરસ્પર સંકળાયેલું છે, અને તેની સુરક્ષા માટે હવે માનવીએ (આપણે) જાગવાની જરૂર છે, પરંતુ એ માટે વાસ્તવમાં આપણે જાગૃત છીએ ખરા ?

યોગાભ્યાસ આપણાં શારીરિક, માનસિક અને સામૂહિક સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. વર્ષ ૨૦૧૪માં યુનોએ દર વર્ષે ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી, ત્યારથી આપણે દર વર્ષે આ ઉજવણી કરતા રહ્યા છીએ, અને હવે દશ વર્ષ થયા હોવાથી એક વૈશ્વિક સર્વે કરવાની જરૂર છે, કે આ ઉજવણીના કારણે માનવજીવન, સ્વાસ્થ્ય અને વૈશ્વિક સુખ-શાંતિમાં કેટલો વધારો થયો છે ?

ભારતમાં આ વર્ષે યોગસંગમ સહિત ૧૦ (દસ) જેટલા મુખ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. માનવી, જીવસૃષ્ટિ અને પૃથ્વીના સ્વાસ્થ્યને સાંકળીને વૈશ્વિક જનજાગૃતિ ફેલાવવા તરફ આ એક ઉપયોગી કદમ છે.

યોગાભ્યાસ પછી યોગાને જીવનનો હિસ્સો બનાવવો જરૂરી છે. યોગાની શારીરિક, માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે હવે યોગશિક્ષણનો વ્યાપ વધતા તે આર્થિક ઉપાર્જનનું, રાજગારીનું માધ્યમ પણ બન્યું છે, તે ઉપરાંત આધ્યાત્મિક ઉત્થાન, માનસિક સુદૃઢતા, ભાવનાત્મક લોકકલ્યાણ, પરિણામલક્ષી વિશ્વસનિય ચિકિત્સાના વ્યાપમાં વધારો, સુદૃઢ આત્મબળ ઉપરાંત માનવકલ્યાણ સાથે પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક સદ્ભાવ જેવી અનેક ફલશ્રુતિઓનું માધ્યમ પણ બન્યું છે.

આજે યોગ સંગમ, યોગાસનો, યોગાભ્યાસ, યોગબંધન, યોગ પાર્ક, યોગ અનપ્લગ્ડ તથા યોગ-પ્રદર્શનો જેવા વિવિધાસભર કાર્યક્રમો દેશ-દુનિયામાં યોજાઈ રહ્યા છે, ત્યારે આવો, આપણે પણ તેમાં જોડાઈએ, અને યોગા ને રોજીંદી જીવનશૈલીનો હિસ્સો બનાવી લઈએ...

આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી વડનગરમાં થઈ રહી છે. આજે ૧૧મો યોગદિવસ યોગા ફોર વન અર્થ-વન હેલ્થની થીમ હેઠળ ઉજવાઈ રહેલો હોઈ ભૂજંગાસન મુદ્રામાં યોગા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જવા જઈ રહ્યો છે.

ગુજરાતમાં ૧૮૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતો, ૨૫૦ થી વધુ તાલુકા પંચાયતો, પાલિકા-મહાનગરપાલિકાઓ, સરકારી વિભાગો, નિગમો-કાર્પોરેશનો, રાજ્યની ૪૫૦૦૦ પ્રાથમિક શાળાઓ, ૧૨૦૦૦ થી વધુ હાઈસ્કૂલો, ૨૫૦૦ થી વધુ કોલેજો, ૨૫૦ થી વધુ આઈટીઆઈ, ૧૫૦૦ જેટલા આરોગ્ય કેન્દ્રો, ૬૫૦૦ જેટલા વેલનેસ સેન્ટર, જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ, પોલીસ મથકો, જેલો, સામાજિક-સેવાભાવી સંસ્થાઓ, અને સરહદો પર સ્થિત સૈન્યમથકો થી માંડીને પહાડો, નદીઓ, ટાપુઓ, સમુદ્ર અને અમૃત સરોવરો સહિત ઠેર-ઠેર સામૂહિક યોગાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે આપણી વૈદિક સંસ્કૃતિની હેલ્થકેર તથા "સર્વમંગલ માંગલ્ય" ની વિભાવનાને ઉજાગર કરે છે.

આપણાં રાજ્ય અને દેશમાં યોગાદિવસની ઉજવણી થાય, તે સ્વાભાવિક છે, પરંતુ આજે આખી દુનિયામાં યોગાભ્યાસ થઈ રહ્યો છે, અને આજના એક દિવસ માટે નહીં, પરંતુ હવે તો વિશ્વના ઘણાં દેશોમાં કાયમી યોગાભ્યાસના વર્ગો તથા કેન્દ્રો પણ ધમધમવા લાગ્યા છે, જે આપણી વસુધૈવ કુટૂંબકમ્ ની સદ્ભાવનાને પણ ઉજાગર કરે છે.

યોગાભ્યાસ અને વ્યાયામ તંદુરસ્તી અને મન-દુરસ્તી માટે અત્યંત ઉપયોગી છે, અને આપણી ખાન-પાનની ગરબડો, અનિયમિત જીવનશૈલી તથા તનાવયુક્ત જિંદગીના કારણે ઉદ્ભવતા અનેક રોગોનો રામબાણ ઈલાજ પણ યોગા, આયુર્વેદ તથા મેડિટેશનના સંયોજનમાંથી મળી રહે છે.

ઘણાં લોકો ખાન-પાન, વ્યસનો તથા અનિયમિત કે અપ્રાકૃતિક જીવનશૈલીને છોડી શકતા નથી. પરંતુ તે દિશામાં પ્રયત્નો કરે છે, તેઓને યોગ, આયુર્વેદ, મેડિટેશન વગેરે ઉપચાર પદ્ધતિઓ તરફ વાળવા જોઈએ, તેવી એડવાઈઝ પણ અપાતી જ હોય છે.

સ્વાસ્થ્યની સારસંભાળ રાખવી અત્યંત જરૂરી છે, અને તેના ઉપાયો કરવાની સાથે-સાથે સંયમ અને નિયમપાલન પણ અત્યંત જરૂરી હોય છે. યોગા-મેડિટેશન-વ્યાયામ વગેરે કર્યા કરીએ, પરંતુ જો ખાન-પાનમાં ધ્યાન ન રાખીએ, કે નિયમ-સંયમ કે નિયમિતતાનું પાલન ન કરીએ, વ્યસનને ન છોડીએ, પુરતી ઊંઘ ન લઈએ કે ભાગદોડ ભરી જિંદગીમાં તન-મન પ્રત્યે ઉદાસિન રહેતા હોઈએ, તો યોગા-વ્યાયામ મેડિટેશન વગેરેનો પૂરેપૂરો ફાયદો થતો હોતો નથી, તેથી આ બધી બાબતોને સમન્વય કરીને આવો, આપણે સાથે મળીને આપણું, વિશ્વનું અને પૃથ્વીનું સ્વાસ્થ્ય વધુ ને વધુ સુદૃઢ બનાવીએ...

નોબત પરિવાર અને માઘવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો સહિત સૌ કોઈને આજે વિશ્વ યોગદિનની શુભેચ્છાઓ પાઠવે છે અને પૃથ્વી, પ્રકૃતિ તથા સમગ્ર જીવસૃષ્ટિના સુદૃઢ સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યક્ત કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

"ઠગલાઈફ" અને "ડિમોલિશન" અદાલતોની અટારીએથી...

                                                                                                                                                                                                      

કમલ હસનની ફિલ્મ "ઠગલાઈફ" ને સુપ્રિમકોર્ટે લીલીઝંડી તો આપી, પરંતુ તેની સાથે સાથે કમલ હસનને કોઈની માફી માંગવાનું દબાણ ન કરી શકાય, તેવું વલણ લઈને કર્ણાટક હાઈકોર્ટના વલણ સામે પણ સવાલો ઊભા કર્યા, તે જોતા અભિવ્યક્તિની આઝાદી અને કલા નિર્દેશનને દાદાગીરી, ધમકીઓ કે લોકલાગણી દુભાવવાના બહાને અટકાવી શકાય નહીં, તેવો દૂરગામી સંદેશ પણ આપી દીધો, એ કારણે આપણા દેશમાં અવાર-નવાર કોઈને કોઈ ફિલ્મ, નાટક કે અન્ય કલાનિદર્શન સામે વિરોધ કરવા માટે હિંસક અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કે હરકતો થતી રહેતી હોય છે, તેની સામે રક્ષણ મળશે. સિનેમાઘરો કે ફિલ્મ સ્ટુડિયોમાં તોડફોડ કરવી, આગજની કરવી અને કલાકારો કે નિર્માતાઓને ધાક-ધમકી આપીને કાયદો હાથમાં લેવાની અવાર-નવાર થતી હરકતો સામે સુપ્રિમકોર્ટે લાલબત્તી ધરી છે, એટલું જ નહીં કોઈપણ રાજ્યની હાઈકોર્ટ કે રાજ્ય સરકાર પણ આ પ્રકારની હરકતો અટકાવવાના બદલે લોકલાગણીઓને ધ્યાનમાં લઈને કોઈપણ વ્યકિત કે કલાકારને માફી માંગવાની સલાહો આપે, કે પછી નિદર્શન પર પ્રતિબંધો મૂકવાના સરકારી કદમને યથાર્થ ઠરાવાય, તેની સામે પણ સખ્ત નારાજગી દર્શાવી છે અને ઉક્ત મામલામાં કર્ણાટક સરકારનો જવાબ પણ માંગ્યો છે. સુપ્રિમકોર્ટના આ નિર્દેશો દેશવ્યાપી અને દૂરગામી અસરો ઊભી કરવાના છે.

આપણા દેશમાં લોકલાગણીઓનું પણ મહત્ત્વ છે અને કોઈની પણ લાગણી દુભાતી હોય તો તેની સામે કાનૂની ધોરણે પગલાં લેવા જોઈએ, પરંતુ જેને વાંધો હોય, તેવા લોકો ટોળાબંધી કરીને કાયદો હાથમાં લઈ લ્યે, અને કોઈપણ પ્રકારના હૂમલા કે હિંસા કરે, ધાક-ધમકી આપે કે તોડફોડ, આગજની કરે તો, તે અન્ય નાગરિકોના બંધારણીય હક્કોનું હનન ગણાય, અને તે કોઈપણ રીતે સ્વીકૃત નથી, તેવી સુપ્રિમકોર્ટની સ્પષ્ટ ટિપ્પણી કર્ણાટક સરકાર માટે ચાબુક જેવી પૂરવાર થઈ હશે.

આપણો દેશ સહિયારા અસ્તિત્વ અને સમભાવના સંસ્કારો ધરાવતો હોવાથી લોકલાગણીઓ અને બંધારણીય જોગવાઈઓ વચ્ચે સમન્વય અને સમતુલન જાળવવું અત્યંત જરૃરી હોય છે. લોકોની જ સુવિધા માટે થતા વિકાસના કામો માટે બંધારણીય જોગવાઈઓ મુજબ જયારે જ્યારે કોઈની ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવે, ત્યારે ત્યારે  જેની જમીન કે ખાનગી મિલકત સંપાદન કરવામાં આવે, તેઓની પ્રવર્તમાન સ્થિતિ, તેઓના બંધારણીય હક્કો અને સંલગ્ન ધારા-ધોરણો તથા નીતિ નિયમોનું પાલન થવું પણ એટલું જ જરૃરી હોય છે. બીજી તરફ જો સરકારી જમીન પર દબાણ થયેલા હોય, તો તેને હટાવવાનો તંત્રોનો અધિકાર વાપરતી વખતે પણ માનવીય અને નૈતિક દૃષ્ટિએ વિચારતું હોય છે. પરંતુ અવાર નવાર નોટીસો અને કાનૂની કાર્યવાહીને પણ દાદ ન દેતા હોય તેવા ચંડોલા તળાવ ફેઈમ જમીન માફિયાઓ કે ડોન-દબંગો સામે અત્યંત કડક કદમ ઉઠાવવા પણ પડતા હોય છે., આમ, સંવેદના, સહાનુભૂતિ, સમતુલન અને સમજદારી સાથે કદમ ઉઠાવવું જોઈએ, જેથી અસલ ઉદૃેશ્ય પણ સિદ્ધ થઈ જાય, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વિકાસપ્રક્રિયા પણ વિના વિરોધે અથવા વિના અવરોધે ચાલતા રહે...

આવો જ એક અદાલતી ચૂકાદો આજે જામનગરમાં "ટોક ઓફ ધ ટાઉન" બન્યો છે. તાજેતરમાં ડી.પી. કપાતને લઈને થયેલા ડિમોલિશનના મુદૃે હાઈકોર્ટે કરેલો આદેશ આજે જામનગરમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશો રાજવ્યાપી અસરો ઊભી કરનારા છે.

જામનગર મનપાએ પૂરેપૂરી પ્રક્રિયાને અનુસરીને ૧૨ મીટરના ડીપી રોડ કાઢવા ડિમોલિશન કર્યું, પરંતુ હવે હાઈકોર્ટ આ મુદ્દે ૫૩ અસરગ્રસ્ત અરજદારોને જીપીએમસીના કાયદા મુજબ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો આવ્યા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે જામનગર મનપાને આ વળતર ચૂકવવું મોંઘું પડી જવાનું છે, કારણ કે આ ડિમોલિશનમાં ૩૩૧ બાંધકામો તૂટ્યા હોવાથી હવે જંગી રકમનું વળતર ચૂકવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવું કહેવાય છે કે ૨૦૦ જેટલા અસરગ્રસ્તોએ તો વળતર માટે ગઈકાલ સુધીમાં અરજીઓ પણ કરી દીધી છે.

ગુજરાત હાઈકોર્ટ જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એકટની કલમ-૨૧૬ હેઠળ અસરગ્રસ્ત અરજદારોને મળવાપાત્ર વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો પછી અદાલતના આદેશનો વિગતવાર અભ્યાસ ઉભય પક્ષે થઈ રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એકટ-૧૯૪૯ના એકસઆઈવી ચેપ્ટરમાં કલમ-૨૦૨થી મ્યુનિસિપાલિટી દ્વારા રસ્તાઓના વિકાસ માટે જમીન કે મિલકત સંપાદનની સમગ્ર પ્રક્રિયાઓની જોગવાઈઓ છે.

આ જોગવાઈઓમાં કલમ ૨૧૬ હેઠળ વળતરનો હૂકમ હાઈકોર્ટે કર્યો હોવાથી તેના તરફ સૌનું ધ્યાન ખેંચાયુ છે.

અહીં એક એવું સૂચન પણ થઈ રહ્યું છે કે આ પ્રકારના ડિમોલિશન પહેલા નોટીસો આપવાની શરૃઆત થાય, ત્યારે જ સંબંધિત ખાનગી જગ્યા-મિલકતનું નિયમાનુસાર વળતર આપવાની કામની કાર્યવાહી પણ એડવાન્સમાં થઈ જવી જોઈએ, અને વળતર પણ ડિમોલિશન પહેલા જ અપાઈ જાય, તો પોતાની જમીન-મિલકત વિકાસ કે લોકહિત માટે સરકારની નિયમો મૂજબ સુપ્રત કરતા તેના માલિકો માટે સુગમ રહે અને નિરર્થક વિવાદ પણ ઘટી જાય, વિચારવા જેવું ખરૃં...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જાનમાં કોઈ જાણે નહી ને, હું વર ની ફોઈ જાનમાં કોઈ બેસાડે નહીં ને, હું દોડી દોડી મૂઈ... કૌન સચ્ચા...કૌન જૂઠ્ઠા ?

                                                                                                                                                                                                      

જૂના જમાનામાં ગામડાઓમાં જાન જતી હતી. એક શણગારેલા ગાડામાં વરરાજો આગળ બેસે, તેની પાછળ લુણગૌરી હોય, અને ગીત ગાતી બહેનો તેની પાછળ બેસે. બીજા જાનૈયાઓ બીજા ગાડાઓમાં બેસે, અને બળદગાડામાં જાન ઉતારે પહોંચે, અને સામૈયા થયા પછી માંડવે જાય, એવા દૃર્શ્યો અત્યારના બુઝુર્ગોએ જોયા જ હશે. હજુ પણ આ પરંપરા કેટલાક વિસ્તારોમાં નિભાવાઈ રહી છે.

ગુજરાતમાં તે સમયે એક કહેવત પ્રચલીત થઈ હતી, જે આજે પણ વ્યંગાત્મક ટકોર કરવા માટે વપરાય છે...તેના સંદર્ભે એક દૃશ્ય વર્ણવવામાં આવે છે. ગાડામાં જતી જાનની પાછળ એક મહિલા દોડી રહી હોય અને તેને પુછતા તે જવાબ આપે કે "જાનમાં કોઈ જાણે નહીં, ને હું વર ની ફોઈ, જાનમાં કોઈ બેસાડે નહીં ને હું દોડી દોડી મૂઈ".

આ કહેવત અત્યારે વૈશ્વિક રાજનીતિમાં આબેહૂબ લાગુ પડે છે., તાજેતરમાં જ જી-૭ ની બેઠક યોજાઈ. આ જી-૭ ની બેઠક મૂળ તો સાત સમૃદ્ધ દેશોનું સંગઠન છે, જે પહેલા ૮ દેશોનું હતું અને તેને જી-૮ કહેવામાં આવતું હતું, પરંતુ રશિયા આક્રમણકારનો આક્ષેપ મૂકીને હટાવી દેવાયા પછી, તે સંગઠન જી-૭ તરીકે ઓળખાય છે. આ સાત દેશોના સમૂહની નિયત સમયાંતરે બેઠક યોજાય, ત્યારે અન્ય દેશોના વડાઓને આમંત્રિત તરીકે બોલાવવામાં આવતા હોય છે. આ વર્ષે આ બેઠક કેનેડામાં યોજાઈ હતી, અને તેમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અધવચ્ચેથી અમેરિકા પરત જવા નીકળી ગયા હતા.

હમણાંથી કેનેડાના પૂર્વ વડાપ્રધાન ટ્રુડોની ભારતવિરોધી નીતિના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હોવાથી જી-૭માં ભારતને આમંત્રણ મળ્યું નહીં.

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંગઠનના આમંત્રિત સભ્ય તરીકે ઉપસ્થિત રહેતા હોવા છતાં પ્રારંભમાં યજમાન દેશ કેનેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું નહોતું, તે સમયે "જાનમાં કોઈ જાણે નહીં" વાળી તળપદી કહેવત સુસંગત જણાવાઈ હતી. જો કે, તે પછી વડાપ્રધાનને આમંત્રણ મળ્યું, અને તેઓ આ બેઠકમાં હાજરી આપવા ગયા, ત્યારે તે પહેલા જ ટ્રમ્પ અમેરિકા પાછા ચાલ્યા ગયા, તે સમયે પણ આ જ તળપદી કહેવત બંધબેસતી હોવાની ટિપ્પણીઓ ચર્ચાઈ હતી, અને ટ્રમ્પની પણ ટીકા થઈ હતી.

તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ૩૫ મિનિટની જે વાત થઈ, તેની માહિતી આપણા દેશના વિદેશ સચિવ મિસરીએ આપી, જેમાં એવું કહ્યું છે કે પી.એમ. મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કહી દીધું કે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ માત્ર પાકિસ્તાનની વિનંતીથી રોકાયું હતું અને તેમાં કોઈની મધ્યસ્થી નથી, કે વ્યાપારની પણ કોઈ વાત થઈ જ નથી, ભારતે ક્યારેય ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી નથી કે સ્વીકારશે પણ નહીં...ભારત પાકિસ્તાન પ્રેરિત હવે પછીની કોઈપણ આતંકી ઘટનાને યુદ્ધ ગણીને જ વળતો પ્રહાર કરશે, અને ગોળી નો જવાબ ગોળાથી દેશે, વગેરે....વગેરે....

વિદેશ સચિવ મિસરીએ આપેલી આ વિગતોને હજુ ૨૪ કલાક પણ વિત્યા નથી, ત્યાં ટ્રમ્પે ફરીથી એવો દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાન-ભારતનું યુદ્ધ અટકાવ્યું હતું, તેમણે એમ પણ કહ્યું કે "આઈ લવ પાકિસ્તાન".

તેમણે પી.એમ.મોદીને શાનદાર વ્યક્તિ ગણાવીને ડબલ ઢોલકી વગાડી, તેની સાથે સાથે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત ટૂંક સમયમાં વ્યાપાર સમજૂતિ કરશે. આ પ્રકારે બે દેશોના સર્વોચ્ચ નેતાઓના વિરોધાભાસી નિવેદનો પછી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સવાલ ઉઠ્યો કે, કૌન સચ્ચા, કૌન જુઠ્ઠા ?

ભારતના વિપક્ષોએ પણ મોટાભાગે સમતુલિત પ્રત્યાઘાતો આપ્યા. એવું કહેવામાં આવ્યું કે, આપણે તો આપણા વિદેશ સચિવની વાત માની ને વડાપ્રધાને ટ્રમ્પને જે કહ્યું હોય, તેને જ સત્ય માનવું જોઈએ, પરંતુ આ ઘટનાક્રમ મોદી સરકારની વિદેશનીતિ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને એકલું-અટુલું પાડીને પાઠ ભણાવવાની રાષ્ટ્રીય પોલિસીની નિષ્ફળતા તો દર્શાવે જ છે ને ? કોઈ બ્યુરોક્રેટ ના બદલે સ્વયં મોદી એ ફરીથી સ્પષ્ટપણે કહેવું જોઈએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પની કોઈ ભૂમિકા જ નથી, તેવી એડવાઈઝ પણ અપાઈ રહી છે.

ગઈકાલે ટ્રમ્પે જે ફરીથી કહ્યું તેમાં ભારતના વડાપ્રધાનને આતંકવાદને પોષનારા પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીફ મુનિર સાથે સરખાવ્યા, ત્યારે ઘણાં વિશ્લેષકોને ટ્રમ્પ પરિવારની પાકિસ્તાનમાં ગ્લોબલ ક્રિપ્ટો સેન્ટર તથા અન્ય બિઝનેસની ભાગીદારીની વહેતી થયેલી વાતોમાં પણ તથ્ય જણાયુ, અને તેની સાથે જ ટ્રમ્પ-મુનિરની બંધબારણે ડિનર ડિપ્લોમસી પાછળનું રહસ્ય પણ પ્રકાશમાં આવ્યું હોવાના દાવાઓ થયા. તે પછી આજે આ સંદર્ભે જે અહેવાલો આવી રહ્યા છે, તે પણ ચોંકાવનારા જ ગણાય ને ?

હકીકતે, ભારત-પાકિસ્તાન સહિત યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કરતા ટ્રમ્પ વાસ્તવમાં માત્ર નિવેદનબાજી  કરતા હોય તેવું લાગે છે અને વિશ્વમાં ચાલતુ એક પણ યુદ્ધ તેઓ અટકાવી શક્યા નથી, તેવો દાવો પણ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો કરી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી બીજી વખત જીત્યા, તે પહેલા તેમણે હુંકાર કર્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ બનશે, તો થોડા જ સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધને થંભાવી દેશે. તે પછી તેમણે કરેલા તમામ પ્રયાસો વિફળ રહ્યા....એ જ રીતે વડાપ્રધાન મોદીએ પણ એ યુદ્ધ થંભાવવાના પ્રયાસો કર્યા હતા, જે સફળ રહ્યા નહોતા, પરંતુ ટ્રમ્પ છાતી ઠોકીને જે દાવો કરતા હતા, તે ડંફાસો પૂરવાર થઈ હતી, તેથી હવે ટ્રમ્પના નિવેદનોને કોઈ ગંભીર ગણતુ નથી. ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટી પર હૂમલાઓ થયા પછી તેમાં હસ્તક્ષેપનો ટ્રમ્પનો પ્રયાસ સફળ રહ્યો નહીં. ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઈરાનને અનેક ધમકીઓ ટ્રમ્પે આપી, પરંતુ ઈરાનના સુપ્રિમ લીડરે આ લખાય છે, ત્યાં સુધી તો મચક આપી જ નથી. વારંવાર બોલીને ફરી જતા, ગોળ-ગોળ વાતો કરતા રહેતા અને ડંફાસો હાંકતા રહેતા નેતાઓની વિશ્વસનિયતા તો રહેતી જ નથી, અને લોકપ્રિયતા પણ ક્રમશઃ ઘટતી જતી હોય છે. ટ્રમ્પ જેવા તમામ નેતાઓ માટે ગુજરાતની તળપદી કહેવત "જાનમાં કોઈ જાણે નહીં, ને હું વરની ફોઈ"...એ આબેહૂબ લાગુ પડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કૂછ બડા હોને વાલા હૈ...? ટ્રમ્પ-મોદીની ટેલિફોનિક વાતચીત ચર્ચામાં... ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વકરશે, તો મોંઘવારી ફાટી નીકળશે...?

                                                                                                                                                                                                      

અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, તે પછી ઘણાં બધા વિમાનોમાં ખામી નીકળી, બીજુ બ્લેકબોકસ મળ્યું, જી-૭ની બેઠકમાંથી ટ્રમ્પ અધવચ્ચેથી પરત ફરતા કંઈક મોટું કદમ ઉઠાવશે, તેવી સંભાવના તથા ગુજરાતમાં વરસી રહેલા વરસાદના અહેવાલો વચ્ચે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની આપણા જનજીવન પર કેવી અસરો પડશે, અને ભારતની રણનીતિ શું હશે, તેની આજે ચર્ચા થઈ રહી છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વિસ્તરે, તો ઈરાનનું ન્યુક્લિયર સ્ટેટ બનવાનું સપનું અધુરૂ રહી જાય, કે ઈઝરાયલને પણ મોટું નુકસાન થાય, એ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એ કારણે ઈરાનનો ટ્રેડ ભાંગી પડે, નિકાસ અટકી જાય અને સપ્લાઈ ચેન તૂટી જાય, તો ક્રૂડના ભાવ વધે, અને તેના કારણે તમામ પેટ્રોલિયમ પેદાશો મોંંઘી થઈ જાય, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાવેલીંગ મોંઘું થઈ જાય, જેથી વૈશ્વિક કક્ષાએ મોંઘવારી વધે, જેની અસરો આપની ભારતીય માર્કેટ પર પણ થાય અને મોંઘવારી ફાટી નીકળે, તેવા તારણો નીકળી રહ્યા છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વકરે તો વૈશ્વિક રાજકારણના સમીકરણો પણ બદલી જાય અને તેમાં ભારતના સંબંધો ઈઝરાયલ તથા ઈરાન સાથે સારા હોવાથી ભારતની ભૂમિકાને લઈને પણ વિવિધ પ્રકારના અનુમાનો થઈ રહ્યા છે.

આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે અને સાંજ સુધીમાં ટ્રમ્પ દ્વારા કોઈ મોટું કદમ ઉઠાવાય તેવા સંકેતોના કારણે આખી દુનિયામાં વિસ્મય સાથે ચિંતા વ્યાપી ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે તો તેની પરોક્ષ અસરો ભારત સહિત આખી દુનિયાને થાય તેમ છે.

જો કે, જી-૭ ની બેઠકમાં કેનેડાના નવા વડાપ્રધાનનું વલણ જોતા ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો ફરીથી પૂર્વવત થઈ જાય અને બન્ને દેશોમાં હાઈકમિશ્નરોની કચેરીઓ પુનઃ પહેલાની જેમ જ ધમધમતી થાય, તેવી ઉજળી સંભાવનાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો સુધરતા તેની હકારાત્મક અસરો પણ બંને દેશોના પરંપરાગત અને કોમર્શિયલ તથા એજ્યુકેશનલ વ્યવહારો પર પડશે, તે નક્કી જણાય છે. ભારત અને કેનેડાએ બન્ને દેશોમાં પોતપોતાના રાજદૂતોની પુનઃ નિમણૂક કરવાનું જાહેર કરતા ગુજરાત અને પંજાબ જેવા ભારતીય ક્ષેત્રોના લોકોમાં ખુશી વ્યાપી ગઈ હશે, કારણ કે, ભારતના કેટલાક રાજ્યોના લોકો કેનેડામાં વસવાટ કરે છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસાર્થે જતા હોય છે. તે ઉપરાંત ભારત અને કેનેડા વચ્ચે વ્યાપારિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ ઘનિષ્ઠ રહ્યું છે. આ પહેલાના કેનેડાના વડાપ્રધાન વોટબેંકની રાજનીતિના પ્રભાવ હેઠળ ભારત વિરોધી પરિબળોને પ્રોત્સાહિત કરતા હોવાથી ભારત અને કેનેડાના સંબંધો ખૂબજ બગડી ગયા હતા. હવે નવા વડાપ્રધાન માર્ક કાર્નીના બદલેલા વલણો તથા ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો પૂર્વવત કરવાની તત્પરતા જોતા ભારત અને કેનેડા પહેલાની જેમ જ મિત્રદેશો બની જશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

ભારતના વિદેશ સચિવે તો બંને દેશોમાં હાઈકમિશ્નરોની નિયુક્તિ ઉપરાંત ટ્રેડટોક એટલે કે વ્યાપારક્ષેત્રની વાટાઘાટો ફરીથી ઝડપભેર શરૂ કરવાના સંકેતો પણ આપ્યા છે. આ અહેવાલોએ ભારતના ઘણાં રાજયોના લોકોમાં નવી આશાનો સંચાર પણ કર્યો છે.

એ ઉપરાંત કેનેડાથી વહેલા અમેરિકા તરફ નીકળી ગયેલા અમેરિકાના રાપ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા, તે દરમ્યાન લગભગ ૩૫ મિનિટ સુધી વિસ્તારપૂર્વક જે કાંઈ વાતચીત કરી, તેની વિગતો પણ ભારતના વિદેશ સચિવે આજે જાહેર કરી છે, અને આ ટેલિફોનિક વાતચીત આજે "ટોક ઓફ ધી ગ્લોબ" બની છે.

બંને સર્વોચ્ચ નેતાઓ વચ્ચે ઓપરેશન સિંદૂર અને તે પછીના ઘટનાક્રમો, રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ-ઈરાન યુદ્ધ તથા અન્ય ઘણી બધી વાતો થઈ અને કેનેડાથી અમેરિકાની મુલાકાત લેવાના ટ્રમ્પના પ્રસ્તાવ પ્રત્યે અસમર્થતા વ્યક્ત કરી નજીકના ભવિષ્યમાં મૂલાકાત ગોઠવવાની બંને નેતાઓની તૈયારી તથા કવોડની મિટિંગ સંદર્ભે ભારતના પ્રવાસે આવવા ટ્રમ્પને મોદીએ આપેલા આમંત્રણનો સ્વીકાર, વગેરે અંગે વિદેશ સચિવે આપેલી વિગતો પછી આ ટેલિફોનિક ચર્ચા ગ્લોબલ ઈસ્યુ બની રહી છે અને સાંપ્રત વૈશ્વિક તંગદિલી તથા આતંકવાદ સામે સહિયારી લડતના સંદર્ભે તેના વ્યાપક પ્રત્યાઘાતો પણ પડવા લાગ્યા છે. ખાસ કરીને હવે પાકિસ્તાન પ્રત્યેના અમેરિકાના (ટ્રમ્પના) કૂણા વલણમાં કાંઈ ફેર પડશે કે પછી દરરોજ વલણ બદલતા રહેતા ટ્રમ્પ પલટી મારીને બેવડા ધોરણો અપનાવશે, તે જોવું રહ્યું...

એક તરફ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે, તો બીજી તરફ પહેલેથી મીડિયામાં થતી ચર્ચા મુજબ અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના સૈન્ય વડા આસીફ મુનિર સાથે આજે જ અમેરિકાના રાષ્ટ્રપતિ લંચ કરવાના છે. શું આ અમેરિકાના બેવડા ધોરણો નથી ? જો ટ્રમ્પ કોઈ અન્ય દેશના પોતાને સમકક્ષ એટલે કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના બદલે ત્યાંના સેનાધ્યક્ષ સાથે પોતાની જ કેબિનેટ કેબિનમાં લંચ કરે, તો તે પાકિસ્તાન માટે ગૌરવ ગણાય કે તે દેશના વડાઓનું અપમાન ગણાય, તે પાકિસ્તાન જાણે, પરંતુ પ્રોટોકોલની દ્રષ્ટિએ ટ્રમ્પ માટે તો યોગ્ય ન જ ગણાય, તેવી ચર્ચા પણ અમેરિકામાં થવા લાગી હતી. જો કે, આ લંચ હકીકતે થશે કે પછી પબ્લિસિટી સ્ટંટ જ છે, તે આજે જ ખબર પડશે.

જો અમેરિકાના રાષ્ટ્રપતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હોય કે ભારત આતંકવાદ સામે ઝુકશે નહીં, ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, અને હવે આતંકી હૂમલાને ભારત યુદ્ધ ગણીને જ વળતો પ્રહાર કરશે, એટલું જ નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામમાં કોઈની મધ્યસ્થી નહોતી, તો તે ભારતીય સાર્વભૌમત્વ તથા એક લોકતાંત્રિક દેશની ગરિમા માટે યોગ્ય ગણાય, પરંતુ ભારતના વિદેશ સચિવે કરેલા આ દાવાઓનો જવાબ ટ્રમ્પ પ્રશાસન અને પાકિસ્તાન કેવી રીતે આપે છે તે જોવું રહ્યું...

એક વાત વિચારવા જેવી છે કે ઈરાનના વર્તમાન શાસકોને આતંકવાદના પ્રેરક ગણવતું અમેરિકા પાકિસ્તાનને પંપાળે, તેની પાછળનું રહસ્ય શું છે ? ટ્રમ્પના સગા-સંબંધી કે પરિવારના વ્યાપારિક હિતો કારણભૂત છે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આવ્યો ઝમાઝમ વરસાદ, ભીની માટીની મીઠી મહેંક... વાવણી શરૂ...પૂરપ્રકોપ... શહેરી સમસ્યા યથાવત... વેલકમ... મેઘરાજા...

                                                                                                                                                                                                      

ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં ગઈકાલે ઝમાઝમ વરસાદ પડ્યો અને બાળકો આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, જેવો કિલ્લોલ કરતા કરતા પહેલા વરસાદમાં પલળવાનો લહાવો લેતા જોવા મળ્યા. પ્રથમ વખત મેઘાના મસ્ત માહોલમાં વરસાદથી પલળવાની મજાની સાથે સાથે મોટેરાઓ પણ ભીની માટીની મીઠી મહેંક માણતા જોવા મળ્યા, જ્યારે જગતનો તાત ધરતીમાંથી અન્ન સ્વરૂપી સોનુ ઉગાડવા વાવણીની તૈયારીમાં લાગી ગયો...ચો તરફ ઠંડક પ્રસરી અને માહોલમાં પ્રસન્નતા વ્યાપી ગઈ.

જો કે, કેટલાક સ્થળે જલભરાવ થયો, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ તો તલગાજરડા જેવા ગામમાં શાળાના બાળકો પૂરના પાણીમાં સપડાઈ જતા તંત્ર દ્વારા ખાસ રેસ્ક્યુ કરાયું, તો કેટલાક સ્થળે પરિવહન ખોરવાયુ અને જનજીવન પર વિપરીત અસર પણ પડી, ઘણાં સ્થળે વિકટ પરિસ્થિતિ પણ સર્જાઈ.

ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેઠું અને આ વરસાદે આહ્લાદક ઠંડક આપી, અબાલવૃદ્ધ, તમામ વયજૂથના તથા તમામ વર્ગના લોકોને આ વરસાદે આનંદિત તો કરી જ દીધાં છે...હવે, આ ઠંડક જળવાઈ રહે અને સંતોષકારક વરસાદ સમયસર પડતો રહે તેવું ઈચ્છીએ.

હવામાન વિભાગે પણ આજથી ત્રણ દિવસ માટે ભારે થી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે., ગઈકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલોએ જન-જનમાં ખુશીની લહેર દોડાવી દીધી છે., જ્યારે આજે પણ ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યવ્યાપી વરસાદ પડ્યો અને કેટલાક સ્થળે તો ૧૦ થી ૧૧ ઈંચ જેવો વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. જામનગરમાં પણ ગઈકાલે રાત્રે ઝરમરીયો વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ હતી. આજે પણ વાદળછાયું વાતાવરણ છે. હાલારમાં ઘણાં સ્થળે મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા બે દિવસમાં શ્રીકાર વરસાદ પડ્યો છે.

ગઈકાલે હાલાર, ઝાલાવાડ, ગીર, સોરઠ, ગોહિલવાડ એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાથી રાજ્યમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. જો કે, કેટલાક સ્થળે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, તો કેટલાક શહેરોમાં થોડાક વરસાદમાં પણ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. કેટલાક સ્થળે પૂરમાં ફસાયેલા લોકો તથા પશુઓનું રેસ્ક્યુ પણ કરાયું હતું. તથા કિસાનો માટે અમૃતવર્ષા લઈને આવ્યો છે, અને વરસાદ આવતો હોય તો કેટલીક તકલીફો વેઠવા લોકો તૈયાર હોય છે.

ઘણાં સ્થળે ભારે વરસાદ થતા પરિવહન ખોરવાઈ જતા લોકોને હાલાકી પણ પડી રહી છે. કેટલાક સ્થળે થાંભલા અને વૃક્ષો ધરાશયી થઈ જતા પણ જનજીવન પ્રભાવિત થયું હતું. લોકો આ તમામ મુશ્કેલીઓથી ટેવાઈ ગયેલા છે અને પગાર લઈને પોતાની ફરજો બજાવતા તંત્રો પબ્લિસિટી કરીને તાગડધિન્ના કરી રહ્યા છે. ઘણી નદીઓમાં ભારે પૂર આવતા વિકટ સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે.

જો કે, ૧૨મી જૂને અમદાવાદમાં થયેલી ગમખ્વાર વિમાન દુર્ઘટના અને સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધનનો આઘાત ખમી જઈને લોકો મોન્સુન અથવા ચોમાસાના પડઘમ એવા વરસાદને વધાવી રહ્યા છે, અને સદ્ગતની સ્મૃતિઓને સાંકળીને જીવનમાં આગળ વધવાની હિંમત દાખવી રહ્યા છે. કુદરતની ઘટમાળને સ્વીકારીને તથા ફરીથી આવી ગમખ્વાર દુર્ઘટના ન બને તેવી તકેદારીની તરફદારી કરીને લોકો હાવે એ ગોઝારી દુર્ઘટના થવાના સાચા કારણો બહાર આવે, અને સિસ્ટમ ધરમૂળથી સુધરે, તેવું ઈચ્છી રહ્યા છે. બીજી તરફ છેલ્લા બે દિવસમાં એર ઈન્ડિયાની બે-ત્રણ ફ્લાઈટો ટેકનિકલ ખામીના કારણે રદ કે લેઈટ થઈ છે. આજે પણ કોલકાતામાં એવું જ થયું છે.

આ વખતે ચોમાસુ વહેલું બેસી જશે, એવી આગાહીઓ તથા વચ્ચે ચોમાસુ અટવાયુ હોવાના કારણે જે અનિશ્ચિતતાઓ ઊભી થઈ હતી, તે હવે સમાપ્ત થઈ ગઈ છે અને ચારેબાજુથી વરસતા વરસાદના સમાચારો આવી રહ્યા છે., અને કેટલાક સ્થળે ભારે વરસાદના કારણે વિકટ સ્થિતિના અકળાવનારા અહેવાલો પણ આવી રહ્યા છે. હવામાન ખાતાએ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી હોવાની વિધિવત જાહેરાત કર્યા પછી તંત્રો હવે પ્રિ-મોન્સુનની માનસિકતામાંથી બહાર આવીને વાસ્તવિકતાનો સામનો કરે અને ભૂલો સુધારે, તે જરૂરી છે.

નૈઋત્યનું ચોમાસુ આ વખતે વહેલું આવ્યું અને મુંબઈમાં ૨૬મી મે ના આગમન પછી ત્યાં જ અટવાઈ ગયું હતું, પરંતુ હવે ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હવોના અહેવાલો પણ લોકોના દિલોદિમાગ અને તન-મનને ઠંડક પહોંચાડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત પર જ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું અને લો-પ્રેશર ના કારણે વરસાદની ગઈકાલની હવામાન ખાતાની આગાહી યથાર્થ ઠરી છે, અને આ સિસ્ટમ હવે પવન અને ગાજવીજ સાથે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદના સોહામણા સંજોગો સર્જાયા છે.

જામનગરમાં વરસાદનું પાણી લાખોટા તળાવમાં લાવતી કેનાલોની પૂરેપૂરી સફાઈ થઈ નથી, ગઈકાલ સુધી અનેક સ્થળે આ કેનાલોમાં ગંદકી જોવા મળી હોવાની ચર્ચા વચ્ચે સોશ્યલ મીડિયાના માધ્યમથી તમામ વીડિયો વાયરલ કરીને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલવાના અભિયાનની આહટ પણ સંભળાઈ હતી. વોર્ડ નં.૬ તો જાણે અણમાનીતો હોય, તેમ અહીંથી નીકળતી આ કેનાલોની સફાઈ તો ભાગ્યે જ થતી હોય છે, તેમાં પણ વામ્બે આવાસ પાછળ તથા યાદવનગરના વિસ્તારમાં તો પારાવાર ગંદકીનું સામ્રાજ્ય કાયમ માટે જોવા મળતું હોય છે., આ કેનાલો તથા ગટરો તો કચરાના ડમ્પીંગ પોઈન્ટ હોય, તેવા દૃશ્યો કાયમ માટે જોવા મળતા હોય છે. આ વિસ્તારોમાં તો સામા પ્રવાહે ચાલીને લોકોએ મહાનગરપાલિકામાં વિપક્ષને મજબૂત રાખવા માટે મહત્તમ વિપક્ષના કોર્પોરેટોને જનાદેશ આપ્યો હોવા છતાં તેઓ પણ આ વરવી વાસ્તવિકતાના મુદ્દે ચુપકીદી સેવી રહ્યા છે, અને બહુ બહુ તો એકાદ-બે નિવેદનો કે પ્રદર્શનો યોજીને ગૂપચુપ બેસી જાય છે, તે નવાઈની વાત છે. અહીંના મતદારોમાં એવી ચર્ચા થતી રહે છે કે શું શાસકો સાથે "સેટીંગ" કરવા સામા પ્રવાહે ચાલીને વિપક્ષને આપણે "સાહસિક" જનાદેશ આપ્યો હતો ?

માત્ર વોર્ડ નં.૬ જ નહીં, અન્ય વોર્ડ તથા વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. અત્યારે પણ જો જુદા-જુદા વિસ્તારોમાં ઈજારેદારો મંથર ગતિથી પ્રિ-મોન્સુન કામગીરી કરી રહ્યા હોય તો કહી શકાય કે આગેવાન આંધળો તેનું કટક કૂવામાં !

"ચાર છાંટા પડે ને લાઈટ જાય" તેવી માન્યતા પણ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. ગઈકાલે રાત્રે જામનગરમાં ઝરમરીયો વરસાદ શરૂ થતા જ ઘણાં વિસ્તારોમાં વીજપુરવઠો અવારનવાર ખોરવાઈ ગયો હતો. હાલારના બાકીના વિસ્તારોમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો વીજતંત્રની પોલ પણ ખોલે જ છે.

પ્રારંભિક વરસાદમાં જ જલભરાવની સમસ્યા ઊભી થાય, ગંદી ગટરો છલકાઈ જાય, નદી-નાળાં ચેકડેમો છલકાતા કોઈ સ્થળે લોકો ફસાઈ જાય, તો તેના રેસ્ક્યુ માટે કલાકો સુધી રાહ જોવી પડે, તેવી સ્થિતિ ઈચ્છનીય નથી, અને તેના કાયમી ઉકેલો શોધવા પડે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે હવે જિલ્લાવાર દેશવ્યાપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રોજેક્ટ અથવા પ્રબંધો કરવાની જાહેરાત કરી છે, તેથી આવતા ચોમાસા સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરીનું સમર્યાદિત, પારદર્શક, અને પ્રામાણિક આયોજન થાય, અને તેમાં થતા કરપ્શન સામે કડક કદમ ઉઠાવાય, તેવું ઈચ્છીએ.!

ચોમાસાના રૂડા આગમનને વધાવીએ, અને મેઘાવી માહોલની મજા માણીએ, તથા પોતપોતાના વિસ્તારોમાં ઊભરાતી ગટરો, ઉકરડાઓવાળી કેનાલો, ગંદો જલભરાવ કે સ્વાસ્થ્યને હાનિકર્તા ગંદકી દેખાય, તો તેના વીડિયો ઉતારીને સોશ્યલ મીડિયાનો સદ્બુદ્ધિથી સદુપયોગ કરીએ...વેલકમ...મેઘરાજા...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દુનિયામાં દુર્ઘટનાઓ-આફતોની ઘટમાળ... પ્રચંડ પ્રલય નો સંકેત ?

                                                                                                                                                                                                      

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દિગ્ગજ નેતા દિવંગત વિજયભાઈ રૂપાણીની આજે રાજકોટમાં અતિમક્રિયા થનાર છે, ત્યારે આજે રાજ્યમાં, રાજકીય શોક જાહેર કરાયો છે., તે પછી રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થનાસભાઓ યોજાનાર છે, અને આ ગોઝારી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યાત્રીઓ તથા સ્થાનિકોને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે.

આ વિમાન દુર્ઘટના પછી એક તરફ તો એક રહસ્યમય સવાલો ઊઠી રહ્યા છે અને વિશ્વવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો બીજી તરફ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, એક રાજનેતાએ તો વિમાન, રેલવે-પુલ અને રેલવે દુર્ઘટનાઓને સાંકળીને ત્યાં સુધી કહી દીધું કે ભાજપના રાજમાં કોઈપણ પ્રકારનો પ્રવાસ સલામત રહ્યો નથી. આ પ્રકારના આક્ષેપોના જવાબમાં ભૂતકાળની સરકારોમાં થયેલા અકસ્માતો અને અન્ય દુર્ઘટનાઓ યાદ કરાવાઈ રહી છે, તો વિમાનમાં પોર્ટુગલ, કેનેડા અને બ્રિટનના યાત્રિકો પણ સવાર હોવાથી વિદેશની ટીમો પણ ઈન્વેસ્ટીગેશનમાં જોડાઈ હોવાનું જાણવા મળ્યું. હવે બ્લેકબોક્સ તથા અન્ય રેકોર્ડીંગ પરથી અંતિમ તારણો પરથી દુર્ઘટના થવાના સાચા કારણો બહાર ન આવે, ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવી રહી...

અમદાવાદની વિમાન દુર્ઘટના પછી પણ હેલિકોપ્ટર ક્રેશ, ક્યાંક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંંગ તો ક્યાંક ટેકનિકલ કારણોસર ફ્લાઈટ મોડી થવાની ઘટનાઓ તથા દુર્ઘટનાઓ બનતી રહી છે, તો બીજી તરફ દુનિયામાં અશાંતિ, આક્રમણો અને વિદ્રોહની ઘટનાઓ વચ્ચે ભૂકંપ, અતિવૃષ્ટિ, આકાશીય વીજળી અને પુલ ધરાશાયી થવા અને ગમખ્વાર અકસ્માતોના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે., કોરોનાનો વધી રહેલો વ્યાપ પણ હવે ધીમે-ધીમે ચિંતાજનક બની રહ્યો છે, તો તકરારમાં કોઈ જવાન પોતાના સિનિયર સાથીદારને જ ગોળીઓથી વિંધી નાંખે, તેવી ઘટનાઓ પણ વિચલિત કરી રહી છે. નાઈઝીરીયામાં તો ૧૦૦ લોકોને જીવતા સળગાવી દેવાયા છે...શું આ પ્રલય કે કયામતની આહટ છે ?

એ ઉપરાંત ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી વિશ્વની શાંતિ ફરી એક વખત જોખમમાં મુકાઈ ગઈ છે, અને રશિયા-યુક્રેન યુદ્ધ તથા નવા યુદ્ધો શરૂ થઈ જતા ક્યાંક વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ તો ધકેલાઈ રહ્યું નથી ને ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે.

પડોશી દેશ પાકિસ્તાનમાં પણ બ્લુચ વિદ્રોહીઓ પાકિસ્તાનની સેનાનો ખુરદો બોલાવી રહ્યો છે, અને સિંધ તથા પીઓકેમાં થતો સળવળાટ જોતા એમ લાગે છે કે પોતાની પ્રજાને ભૂખે મારીને આતંકવાદીઓને પોષણ આપતા આ પ્રપંચી દેશના પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને ગમે ત્યારે આંતરિક વિદ્રોહથી જ તૂટી પડશે, આ એક દેશ એવો છે કે, જે દુનિયાભરના આતંકવાદીઓનું કાં તો જન્મસ્થળ છે, અથવા તો આશ્રયસ્થાન છે. આ દેશ એટલો પરાવલંબી છે કે તેને હંમેશા વૈશ્વિક સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે. આ દેશ હંમેશા ચીન, અમેરિકા અને કેટલાક ખાડીના દેશોનું પ્યાદુ બનતો રહ્યો છે, અને ત્યાંની સેના, જાસૂસી સંસ્થા તથા રાજનેતાઓ ત્યાંની પ્રજાને ભરમાવીને છેતરતા રહ્યા છે, અને ત્યાંના યુવાવર્ગને વૈજ્ઞાનિક કે બ્યુરોક્રેટ બનાવવાના બદલે આઈએસઆઈ અને આતંકી સંગઠનોના ઈશારે જેહાદી આતંકવાદી બનાવવાના ત્યાંની સેનાના કાવતરાઓમાં સામેલ થતા રહ્યા છે.

પાકિસ્તાનની સેના પણ હવે બિઝનેસમેન ગ્રુપ જેવી બની ગઈ છે, અને ત્યાંની સેનાના મોટા-મોટા અધિકારીઓ મોટા-મોટા વ્યાપાર-ઉદ્યોગો ધરાવતા હોવાનું કહેવાય છે, ત્યારે ભારત સાથે જ આઝાદ થયેલા પાકિસ્તાનની બરબાદી હવે નક્કી છે અને પોતાના જ ભાર થી આ દેશ વેરવિખેર થઈ જશે, તેવા સંકેતો પણ વર્તાઈ રહ્યા છે. ભારતે હવે પડોશી દેશોમાં બેલેન્સ બનાવવું પડશે, કારણ કે એક કહેવત છે ને કે, પહેલો સગો પડોશી...

જો કે, પડોશી વાયડો હોય તો તેને પહેલા સમજાવવો પડે, અને પછી જરૂર પડ્યે પાઠ ભણાવવો પડે, પરંતુ એકાદ-બે પડોશી સાથે સંબંધો સારા ન હોય, ત્યારે આજુ બાજુના અન્ય પડોશીઓ, મહોલ્લા કે સોસાયટીના લોકો સાથે સંબંધો વધુ શુદૃઢ બનાવવા પડે...એક બીજી કહેવત પણ છે કે તમે આખી દુનિયાને એક સાથે ખુશ રાખી શકતા નથી, કે એક સાથે આખી દુનિયાને હરાવી પણ શકતા નથી.

અત્યારે વૈશ્વિક રાજનીતિ જાણે ટ્રમ્પની આજુબાજુ ઘુમી રહી હોય, તેમ અમેરિકાની રણનીતિ જેમ બદલે, તેમ વૈશ્વિક રિ-એકશન આવી રહ્યું છે. ટ્રમ્પના મનઘડંત નિર્ણયોથી ત્યાંની પ્રજા પણ પરેશાન છે. અમેરિકામાં પણ અત્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં ટ્રમ્પ વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળે તો લોકો સડક પર ઊતરી પડ્યા છે, અને ત્યાંની સ્ટેટ ગવર્નમેન્ટ અથવા શહેરોના મેયર પણ ટ્રમ્પની નીતિઓ સાથે સહમત નથી, તેથી ત્યાંનું ફેડરલ સ્ટ્રક્ચર પણ જોખમમાં જણાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવવાના દાવા કરતા ટ્રમ્પ ઈરાનને પરમાણુશક્તિ બનતુ અટકાવવા ઈઝરાયલ મારફત હૂમલા કરાવીને અને તેને ખૂલ્લેઆમ પ્રોત્સાહિત કરીને બેવડા ધોરણો અપનાવી રહ્યા છે., બીજી તરફ ચીન જૈવિક ઝેરી શસ્ત્રો દ્વારા દુશ્મન દેશોની ખેતી અને જિંદગીઓ બરબાદ કરવાની ફિરાકમાં છે, અને ચો તરફ હાહાકાર મચ્યો છે; શું આ પ્રલયનો પ્રારંભ છે ? તેવા સવાલો નો જવાબ કોઈ પાસે નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઉકળાટ ખમાતો નથી, હવે ક્યારે આવશે વરસાદ ? પ્રિ-મોન્સુનની કામગીરી અને વાસ્તવિકતા... જનતા સ્વયં જાગે તે જરૂરી...

                                                                                                                                                                                                      

બળબળતી ગરમી અને અકળાવી રહેલા બફારા વચ્ચે અત્યારે સૌના મનમાં એવો જ પ્રશ્ન છે કે હવે વરસાદ ક્યારે પડશે ? ચોમાસું કયારે બેસશે ? અસહ્ય ગરમીમાંથી છૂટકારો ક્યારે મળશે ?

બીજી તરફ ખેડૂતો પણ વાવણીની પૂરેપૂરી તૈયારી કરીને બેઠા છે અને વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, પહેલા ચોમાસું વહેલું બેસી જશે, તેવી આગાહીઓ થયા પછી અધવચ્ચે અટવાયેલા ચોમાસાની ખબરો આવી, અને હવે ફરીથી નવી આગાહીઓ થઈ છે. બે દિવસ પહેલાની અંબાલાલ પટેલની આગાહી મુજબ તો આજ થી આવતીકાલ સુધીમાં ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થઈ શકે છે અને તા. ૧૮ થી ૨૪ જૂન સુધીમાં રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના પણ તેમણે દર્શાવી છે.

હવામાન ખાતું તો ૨૪ કલાકમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છાંટા કે ઝાપટાં પડે, તેવા અનુમાનો કરે છે, અને ખાનગી હવામાન નિષ્ણાતોની આગાહીઓ જોતાં હવે થોડા દિવસોમાં વરસાદ પડશે, તેવું લાગે છે, જો કે, પ્રારંભમાં માત્ર છાંટાછુટી થાય અને માત્ર મિલિમિટરના માપમાં એક ઈંચથી પણ ઓછો વરસાદ થાય તો બફારો વધી પણ શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું ૨૦મી જૂનથી બેસતું હોય છે, તેથી એ જ કુદરતી ક્રમ આ વર્ષે ચોમાસું જાળવશે કે, બે-ચાર દિવસ વહેલું આગમન થાય છે, તે જોવું રહ્યું...

અત્યારે તો અમદાવાદની વિમાન દુર્ઘટના અને ઈઝરાયલ ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળે, તેવા સંજોગોની ચો તરફ ચર્ચા થઈ રહી છે, પરંતુ તેથી સાથે-સાથે ખેડૂતવર્ગ અને ભયંકર ગરમીથી ત્રસ્ત લોકો વરસાદની સંભાવના તથા ચોમાસાની વર્તમાન સ્થિતિની ચિંતા કરતા પણ જોવા મળી રહ્યા છે, અને તેના સંદર્ભે કેટલીક આશંકાઓ પણ અત્યારથી જ વ્યક્ત થવા લાગી છે.

અત્યારે તો વરસાદની આગાહીઓ અને આશાવાદના અહેવાલો આવશે, પરંતુ જેવો થોડોક વરસાદ પડશે, ત્યાં જામનગર સહિતના શહેરોમાં ઠેર-ઠેર જલભરાવ તથા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક માર્ગો પરથી અવર-જવરમાં અવરોધ થવાના અહેવાલો પણ આવવા લાગશે. લોકોને ગાઈડલાઈન્સ આપીને તંત્રો ઊંચા હાથ કરી લેતા જોવા મળશે, તો નગરજનોને વરસાદી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા નહીં ખોલવાની સલાહ આપ્યા પછી જ્યાં જલભરાવ થયો હોય, ત્યાં બે ત્રણ દિવસમાં ગંદા ખાબોચીયા કે લઘુસરોવરો જેવી સ્થિતિ ઊભી થાય, ત્યાં સુધી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ નહીં થાય, અને તે પછી નાછૂટકે લોકો જો ગટરના ઢાંકણા ખોલશે, તો વરસાદી પાણી સાથે માટી, કચરો અને ઝાડની તૂટેલી ડાળીઓના ડાળખા પણ જતા રહેશે, અને તે પછી ગટરો ઊભરાવા કે જામ થઈ જવા ની સમસ્યાઓ વધી જશે. જો  આ તમામ રોજીંદી સમસ્યાઓ ઊભી જ ન થાય, તે માટે સ્વયં નગરજનો તથા ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનોએ અત્યારથી જ તંત્રો અને પોત-પોતાના વિસ્તારના જન-પ્રતિનિધિઓને સતર્ક રાખવા પડશે અને અત્યારે "સબ સલામત" નો ઢોલ પીટતા અધિકારીઓ અને નેતાઓને થોડોક વરસાદ પડતા જ વિકટ સ્થિતિ ઊભી થઈ જાય તો ત્યાં લઈ જઈને વાસ્તવિકતા બતાવવાની તૈયારી પણ સ્વયં જનતાએ જ રાખવી પડશે, ખરૃં ને ?

આ પ્રકારની વેદના એટલા માટે વ્યક્ત થઈ રહી છે કે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે ઊભી થતી હોવા છતાં તંત્રો જુની ફાઈલો જોઈને માત્ર પેપરવર્ક કરતા હોય છે, જ્યારે નેતાઓ મોટા મોટા દાવાઓ તથા તંત્રોએ શીખવેલા નિવેદનો કરતા હોય છે, પરંતુ જમીન પરની સ્થિતિ દર વર્ષની જેમ એવી ને એવી જ રહેતી હોય છે.

હવે સોશ્યલ મીડિયાનો યુગ છે, ત્યારે લોકો જ્યાં જ્યાં જલભરાવ થાય, વિકટ સ્થિતિ ઊભી થાય કે ઘરોમાં પાણી ઘૂસી જાય, ત્યારે તેના વીડિયો ઉતારીને વાયરલ કરવા લાગતા હોય છે, અને તેની પૂરેપૂરી ખરાઈ કરીને કે સ્થળ મુલાકાત લઈને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાવાળા પણ તે સ્થિતિને પ્રકાશિત અને પ્રસારિત કરતા હોય છે, જેથી હવે તંત્રો તથા નેતાઓની પોલ ઝડપથી ખુલી જવાના સંજોગો વધી ગયા છે, અને એકંદરે આ જનજાગૃતિની અસરો જનમત પર પડીને છેક કોઈપણ પ્રકારની ચૂંટણીઓના મતદાન સુધી પહોંચતી હોય છે, તે પણ ભુલવું ન જોઈએ. સમજદાર કો ઈશારા બહોત...

જામનગરમાં ઘણાં એવા સ્થળો છે, જ્યાં દર વર્ષે ચોમાસામાં જલભરાવ રહેતો હોવા છતાં તંત્રો તેનો કોઈ કાયમી ઉપાય લાવી શકયા નથી.

તે ઉપરાંત આ વર્ષે દબાણ હટાવ ઝુંબેશો ચાલી, તેના નહીં હટાવાયેલા કાટમાળ કે ધૂળ-માટીના ઢગલાથી વધારાના જલભરાવની સંભાવનાઓ પણ વધી ગઈ છે.

આ વર્ષે જામનગરના બસપોર્ટનું કામ ચાલી રહ્યું હોવાથી બસડેપો કામચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયેલો છે, જ્યાં પૂરતી વ્યવસ્થાના અભાવે મુસાફરોને પલળવું ન પડે, તે માટે વધારાના શેડ (છાપરા), ઊભા કરવા જરૂરી છે, તેમજ ગ્રાઉન્ડમાં ડામર પેચવર્ક કરવું જરૂરી છે, તે ઉપરાંત સામાન્ય રીતે પણ પ્રદર્શન ગ્રાઉન્ડની આજુબાજુ ચોમાસામાં જલભરાવ અને કાદવ-કીચડ થતો હોય છે, જેનું અત્યારથી જ અનુમાન તથા સર્વે કરીને જરૂરી કદમ ઉઠાવવા પડે તેમ છે. જામનગરમાં ચાલી રહેલા ફ્લાયઓવર બ્રિજનું કામ જૂનમાં પુરૃં થઈ જશે, તેવા દાવા સાચા પડે તેમ જણાતુ નથી, તેથી સંભવિત અન્ય અધુરા કામો તથા દર વર્ષે થતા જલભરાવની હિસ્ટ્રીને અનુરૂપ આગોતરા પગલાં અત્યારથી જ અપનાવવા પડે તેમ છેઃ ખંભાળીયામાં પણ વૈકલ્પિક માર્ગો સૂચવ્યા વિના હાલાકીની સંભાવના જણાવાઈ રહી છે, ત્યારે તંત્રો અને જનપ્રતિનિધિઓ "સબ સલામત" નો ઢંઢેરો પીટવાના બદલે જરૂરી કદમ ઉઠાવશે તેવી આશા આપણે રાખીએ..

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મુસાફરોને ઈશ્વર શાંતિ અર્પે... પ્લેન ક્રેશનું પોસ્ટમોર્ટમ...હવે શું ? નગરથી નેશન સુધી શોક...વિશ્વ સ્તબ્ધ

                                                                                                                                                                                                      

જામનગરના બક્ષી પરિવાર ના દીકરી જમાઈ અને રાજકોટમાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાનમાં સવાર ૨૪૧ લોકો ઉપરાંત પ્લેન ક્રેશ થયું, તેની આજુબાજુના પચાસ થી વધુ રહીશોને ભરખી જતી ગોઝારી દુર્ઘટનાથી ગઈકાલે બપોરે અરેરાટી સાથે દેશ-દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અને ૨૪૨માંથી બચી ગયેલા એક મૂસાફરને નિહાળીને એ સુત્ર યાદ આવી ગયું કે રામ રાખે તેને કોણ ચાખે અથવા જાકો રાખે સાઈયાં...માર શકે ના કોઈ...

રંગુનમાં જન્મેલા, રાજકોટમાં રહીને રાજ્યની રાજધાની ગાંધીનગર સહિત દેશભરમાં સેવારત રહેલા અને અમદાવાદના આકાશમાંથી જે સ્વર્ગે સિધાવ્યા, તેવા મૃદુભાષી રાજનેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની  આ અંતિમયાત્રા બની ગઈ, તેથી રાજકોટ અને ચણાકા સહિત સૌરાષ્ટ્રમાં ગમગીની છવાઈ ગઈ, તેવી જ રીતે જામનગરથી અમદાવાદ થઈને લંડન જવા રવાના થયેલા નેહલબેન અને શૈલેષભાઈ પરમારના નિધનથી જામનગરમાં પણ શોકનો માહોલ છે. ઈશ્વરને પ્રાર્થીએ કે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોના આત્માને ઈશ્વર ચિર શાંતિ બક્ષે અને તેઓના પરિવારજનોને આ કઠુરાઘાત સહન કરવાની શક્તિ અર્પે...

આ વિમાન દુર્ઘટનામાં જુદા-જુદા ક્ષેત્રોના દિગ્ગજો અને કેટલાક અગ્રગણ્ય નાગરિકોના સ્વજનોની આ આખરી યાત્રાની વિવિધ ખબરો આવી રહી છે અને આટલી ભીષણ આગ લાગી હોવા છતાં તત્કાળ કુદકો મારનાર એક વ્યક્તિ બચી ગઈ, તેની પણ અલગથી ચમત્કારિક એંગલ તથા સાયન્ટિફિક સ્થિતિ વર્ણવતી ચર્ચાઓ થઈ રહી છે, તો બીજી તરફ એર ઈન્ડિયાના સંચાલક ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા સહાય ઉપરાંત અન્ય મદદની જાહેરાત કરી છે. આ દુર્ઘટનાથી શેર બજારમાં કડાકો બોલ્યો, તેના અહેવાલો વચ્ચે આ વિમાન ટેક-ઓફ થતાં જ ક્રેશ થયું જ કેવી રીતે ?... તેવા પ્રશ્નો સાથે તેના કારણો અને અનુમાનિત તારણોની ચર્ચા પણ ગઈકાલથી જ થઈ રહી હતી, પરંતુ અસલ કારણો તો મળી આવેલા બ્લેકબોક્સને તપાસ્યા પછી જ બહાર આવશે...

એર ઈન્ડિયાનું બોઈંગ એ-૧-૧૭૧ આ વિમાન એ હકીકતમાં ૧૨ વર્ષ જુની એવી ફ્લાઈટ હતી, જેને ડબલ એન્જિનવાળી ખૂબ જ સુરક્ષીત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એર ઈન્ડિયાના ફ્લાઈટો આ પહેલા પણ અવાર-નવાર એટલા માટે કેન્સલ કે રિશિડ્યુલ કરવી પડતી હતી કે તેમાં છેલ્લી ઘડીએ ખામી હોવાનું માલુમ પડતું હતું, તેમાં પણ બોઈંગ કંપનીના ડ્રીમલાઈનર વિમાનોમાં ખામીઓ દેખાયા પછી પણ ધ્યાન અપાતું નહીં હોવાની વાતો પણ થવા લાગી છે. જો કે, આ બધી અટકળો અને અનુભવીઓ કે તદ્વિષયક તજજ્ઞોના તારણોનો જવાબ તો બ્લેકબોક્સના તથ્થો મળ્યા પછી જ સામે આવશે, જેનો ઈન્તેજાર કરવો રહ્યો...

એર ઈન્ડિયા પાસે જૂના બોઈંગ વિમાનોનો મોટો કાફલો હોવા છતાં ટાટા ગ્રુપે વધુ સેંકડો વિમાનોનો ઓર્ડર આપ્યો છે, તેવા રિપોર્ટ ને સાંકળીને હવે આ સોદાઓ રદ થશે કે પછી ખામીરહિત અને વધુ સુરક્ષીત વિમાનો તથા એરબસના નિર્માણ માટે કડક શરતો રખાશે, તે અંગે હવે એર ઈન્ડિયાના મેનેજમેન્ટે નવેેસરથી વિચારવું પડશે, તેમ જણાય છે.

આ દુર્ઘટના પછી દેશ-દુનિયાના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું હતું તો અમિતભાઈ શાહે આ વિમાનમાં ઈંધણના જંગી જથ્થાનો આ દુર્ઘટના પછી પોતાની અમદાવાદની મુલાકાત દરમ્યાન ઉલ્લેખ કર્યો, તેને સાંકળીને એવી ચર્ચા પણ થવા લાગી છે કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની એરસ્પેસ ભારત માટે બંધ હોવાથી ઘણાં વિમાનોને ફરીને જવું પડે, અને તેથી વધુ ઈંધણ ભરવું પડે છે, તે પણ આ પ્રકારની દુર્ઘટનાનું કારણ બની રહ્યું છે, વગેરે...

બોઈંગ એ-૧-૧૭૧ની આ દુર્ઘટના પછી ઘણાં લોકો જામનગરથી જુદા જુદા સ્થળે જવા માટે ઉપડતી ફ્લાઈટોમાં કઈ કઈ ઉડાનો માટે બોઈંગ વિમાનોનો ઉપયોગ થાય છે, તેનું સંશોધન પણ કરવા લાગ્યા છે અને તેથી કદાચ બોઈંગનો ઉપયોગ થતો હોય, તેવી ફ્લાઈટોથી મુસાફરો અંતર રાખશે અને તેમાં જવાનુ ટાળશે, તેવી વાતો પણ વહેતી થઈ હતી., જ્યારે મોટા ભાગના લોકો બોઈંગ એ-૧-૧૭૧ની દુર્ઘટનાની તપાસ પછી તેના તથ્યાત્મક કારણો ઝડપથી બહાર આવી જાય, તેવું ઈચ્છી રહ્યા છે.

ગઈકાલે પ્લેન ક્રેશ થતા અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના કેટલાક તબીબો સહિત જે સ્થાનિક લોકોના મૃત્યુ થયા છે, તેઓને પણ પૂરતી મદદ, નાણાકીય સહાય તથા હોસ્ટેલના પુનઃનિર્માણ કે રિનોવેશન જેવી ખાતરીઓ કંપની તરફથી આપાઈ રહી છે, પરંતુ જે જિંદગીઓ ગઈ, તેની ખોટ કેમ પૂરાશે ? તેનો જવાબ કોઈ પાસે નથી. જો ખામી ભરેલા વિમાનો પેસેન્જર સેવાઓ માટે લાપરવાહી પૂર્વક કે આંખ આડા કાન કરીને ચલાવતા હોય, તો તેના માટે સંચાલક કંપની, તેના તંત્રો ઉપરાંત કેન્દ્રના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત કાર્યરત સંબંધિત તંત્રો પણ એટલા જ જવાબદાર ગણાય ને ?

જો એક મહિના પહેલા પણ આ વિમાનમાં ક્ષતિ ઊભી થતાં ઉડાન ભરી શકાઈ નહી હોવાની ખબરો સાચી હોય અને છેલ્લા બે દિવસથી આ જ વિમાન અમદાવાદના એરપોર્ટ પર રિપેર થવા માટે પડ્યુ હતુ, તેવા અહેવાલોમાં તથ્ય હોય, તો આ પ્રકારની તમામ ઘટનાઓને સાંકળીને ઊંડી તપાસ થવી જ જોઈએ, કારણ કે જો તેવું જ લોલંલોલ ચલાવાયુ હોય, તો તે ગંભીર લાપરવાહી જ નહીં, પણ ગૂન્હાહિત કૃત્ય પણ ગણાય... જો કે, હવે તો બ્લેકબોક્સ વગેરેની તપાસ થયા પછી સાચા કારણો જાહેર થાય, તેની રાહ જ જોવી રહી...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh