Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટા ભાગનું ફર્નિચર સળગી ગયું:
જામનગર તા. ૩૦: ધ્રોલની એક સોસાયટીમાં ગઈરાત્રે મકાનમાં કોઈ કારણથી આગ ભભુકી ઉઠી હતી. સ્થાનિકો તેમજ ફાયરબ્રિગેડની ટુકડીએ આગ બુજાવી હતી, પરંતુ તે પહેલા આગના કારણે મોટા ભાગની ઘરવખરી સળગી ગઈ હતી.
ધ્રોલમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા અશરફભાઈ ઈકબાલભાઈ નગરીયા નામના આસામીના મકાનમાં ગઈરાત્રે આગ ભભૂકી ઉઠી હતી, તેની જાણ થતાં હાજર વ્યક્તિઓ બહાર દોડી ગયા હતા.
તે દરમ્યાન કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. અને ફાયરબ્રિગેડની ટુકડી ધસી આવી હતી. આ વિસ્તારના નાગરિકોએ આગ બુજાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા અને ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબુમાં લેવામાં આવી તે પહેલા ઘરમાં રહેલ ફર્નિચર તેમજ એ.સી. વગેરેમાં મોટું નુકસાન થયું છે. આગ લાગ્યાનું કારણ જાણવા મળ્યું નથી.
ધ્રોલમાં આવેલા કેટલાક કોમર્શીયલ કોમ્પલેક્ષ તેમજ કેટલીક ઈમારતોમાં અગ્નિ સુરક્ષાના સાધનો નથી ત્યારે નિયમોની અવગણના થવાથી આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial