Advertisement
Author: નોબત સમાચાર

નાણા રોકવા સમજાવી રોકાણ કરાવ્યા પછી પરત ન આપનાર મહિલાના જામીન મંજૂર

પોલીસમાં કરાઈ છે બે જુદી જુદી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના એક મહિલાએ નાગરિકોને નાણા રોકવા માટે સમજાવી, વિશ્વાસમાં લઈ તે આસામીઓને નાણા પરત આપવામાં ગલ્લાતલ્લા કર્યાની જુદી જુદી બે ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. આ બંને ગુન્હામાં અદાલતે મહિલા આરોપીને જામીનમુક્ત કરવાનો આદેશ કર્યાે છે.

જામનગરની શ્રીજી એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં કેટલાક વ્યક્તિઓને નાણા રોકાણ કરવા માટે સમજાવી આ આસામીઓને ટીવી, એસી સહિતની ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ સસ્તા ભાવમાં મળે અને નફો પણ મળે તેવી લાલચ બતાવી નાહેલાબાનુ મુસ્તાકઅલી મેમણ દ્વારા નાણા મેળવી લેવાયા હતા.

ત્યારપછી આ આસામીઓને તેઓની રકમ પરત ચૂકવવામાં ગલ્લાતલ્લા કરાતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૪૦૬, ૪૦૯ હેઠળ એક ફરિયાદ તથા બીએનએસની કલમ ૩૧૬ (૪) (પ) તથા ૬૧ (ર) હેઠળ બીજી ફરિયાદ કરવામાં આવી હતી.

ઉપરોક્ત ગુન્હામાં પોલીસે નાહેલાબાનુ મુસ્તાકઅલીની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. આ બંને ગુન્હામાં જામીનમુક્ત થવા નાહેલાબાનુએ બે જામીન અરજી કરી હતી. અદાલતે આરોપીના વકીલ કપિલ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આ મહિલાને જામીન પર મુક્ત કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh