Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાતેલ ગામના આશાપુરા માતાજીના મંદિરના સાનિધ્યમાં
ખંભાળીયા તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના ભાતેલ ગામે જામનગરના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી તથા રાજપૂત અગ્રણી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા આશાપુરા માતાજીના સાનિધ્યમાં પ્રથમ નોરતાથી નવરાત્રિ અનુષ્ઠાન શરૂ કરાયું છેે.
સતત તેર વર્ષથી અનુષ્ઠાન આઠમના હવન
હકુભા જાડેજા દ્વારા આશાપુરા માતાજીના મંદિર પાસે સતત તેર વર્ષથી નવરાત્રિ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિ દરમ્યાન અગિયાર લાખ મંત્રોના જાપ વિદ્વાન બ્રાહ્મણો કરે છે તથા હવન અષ્ટમીના ....યજ્ઞ સવાલાખ આહુતિનો યોજાય છે.
વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દર વર્ષે યજ્ઞમાં બપડી, કમળ કાકડી, બિલ્વપત્ર તથા કમળફળની પૂજાથી યજ્ઞ કરવામાં આવે છે. આ વખતે બિલ્વપત્રથી પૂજા યજ્ઞ થશે. ભાતેલ ગામ, ખંભાળીયા, તથા જામનગર અને સૌરાષ્ટ્ર ભરમાંથી આ નવરાત્રિ અનુષ્ઠાનનો લાભ લેવા અગ્રણીઓ ભાતેલ આવે છે. તથા આ ધાર્મિક કાર્યનો ધર્મલાભ મેળવે છે. વિશ્વશાંતિ તથા માનવસમાજના કલ્યાણ માટે તથા ભાતેલ ગામના કલ્યાણ માટે તેર વર્ષથી પ્રતિ વર્ષ નવરાત્રિમાં આ અનુષ્ઠાન તથા હવન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial