Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની શાળા નંબર ર૯ ના આચાર્યની અંતે બદલી કરાઈ

બે ઈજાફા અટકાવવા સામે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩ઃ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર ર૯ ના વિવાદાસ્પદ શિક્ષક અને આચાર્યની અંતે વ્યાપક ફરિયાદો પછી બદલી કરી નાખવામાં આવી છે, અને તેના બે ઈજાફા પણ અટકાવી દેવાયા છે.

બે માસ પહેલા શાળા નંબર ર૯ ના ત્રણ શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. આથી વિવિધ પ્રકારની અન્ય ફરિયાદો ઉઠવા પામી હતી. કેટલીક ફરિયાદો પછી જે વાલી, શિક્ષકો વિગેરે દ્વારા કરવામાં આવ્યા પછી આ શાળાના આચાર્યા અને હેડ શિક્ષક દિપાબેન મહેતાની ગત્ શનિવારે શાસનાધિકારી દ્વારા શાળા નંબર ૧૭ માં બદલી કરી નાખવામાં આવી હતી.

આ ઉપરાંત તેના બે ઈજાફા પણ રોકવામાં આવ્યા છે. જો કે, અમુક શિક્ષકોને તો આ સજાથી પણ સંતોષ નથી તેઓ ઉચ્ચકક્ષાએ વધુ રજૂઆતો કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh