Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત્ વર્ષે ૮૩ મો નંબર હતો, પ૪ અંકનો જમ્પઃ
જામનગર તા. ૧૮: ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરનો ર૯ મો નંબર આવ્યો છે, જે ગત્ વર્ષે ૮૩ મો નંબર હતો. આમ જામનગર મહાનગરપાલિકાએ પ૪ અંકનો જમ્પ લગાવ્યો છે.
ભારત સરકાર દ્વારા દેશના તમામ શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, અને તેમાં તમામ સુવિધાને ધ્યાનમાં રાખીને ત્યારપછી કેટેગરી મુજબ શહેરને ક્રમાંક આપવામાં આવે છે.
૩ થી ૧૦ લાખની વસ્તી ધરાવતા દેશના શહેરમાં કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર ર૯ મા નંબરે આવ્યું છે. આમ ગત્ વર્ષે ૮૩ નંબરે રહેલ જામનગરે પ૪ નંબરનો જમ્પ માર્યો છે.
આ વખતની થીમ રી-ડ્યુઝ, રી-યુઝ, રી -સાયકલ હતી શહેરમાં સ્વચ્છતા કેવી છે? ભૂગર્ભ ગટર, એસ.ટી.પી.ની સુવિધા, સફાઈ કામગીરી, કચરા પોઈન્ટનો નિકાલ, માર્ગેજ કનેક્શનનો સાયન્ટિફિક રીતે નિકાલ વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લેવાયા પછી પરિણામ જાહેર થયા છે. આમ જામનગરે પોતાની છબિમાં અંશતઃ સુધારો કર્યો હોય તેવું પરિણામ જાહેર થયું છે, તેમ છતાં હજુ ઘણું કરવાનું બાકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial