Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાદ્ય પદાર્થમાં ભેળસેળની તપાસ અંતર્ગત
જામનગર તા. ૩: ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી. મહેતા એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળ અને શૈલજા વીમેન્સ એમ્પાવર ગ્રુપ, જામનગરના સંયુક્ત ઉપક્રમે રોજિંદા જીવનમાં લેવાતા મસાલા ખાદ્ય પદાર્થોનું ઘરેલુ પ્રાપ્ય સામગ્રીમાંથી ઘર બેઠા સરળ રીતે જાતે જ મહિલા બહેનો પરીક્ષણ કરતા થાય તે ઉદ્દેશથી 'કોણ અસલી, કોણ નકલી' કાર્યક્રમનું એસ.વી.એમ. ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, આણદાબાવા સંસ્થા, લીમડાલાઈન, જામનગર સ્થળે તા. ૪-૧૧-ર૦રપ ના સાંજે ૪ થી પ-૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.
આ ટ્રેનિંગ કાર્યક્રમ નિઃશુલ્ક છે. જામનગર શહેરના મહિલા મંડળ જુથો કે ગૃહિણીઓ આ કાર્યક્રમમાં સામેલ થઈ પોતાના ઘર કુટુંબ સમુદાયને ભેળસેળ મુક્ત ખોરાક આપતી થઈ શકશે. કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે કેન્દ્રના ડો. સંજય પંડ્યા જરૂરી માર્ગદર્શન આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial