Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળતા કરી હતી આત્મહત્યાઃ
જામનગર તા. ૨૮: ધ્રોલ પંથકની એક યુવતીએ પ્રેમમાં નિષ્ફળતા મળતા દોઢેક મહિના પહેલાં આત્મહત્યા કરી હતી. પોલીસે યુવકના બહેન તથા તેની સાસુ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો. આ બંને મહિલા આરોપીઓએ જામીન મુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે.
ધ્રોલ પંથકમાં રહેતી એક યુવતી સાથે મિલન કંટારીયા નામના શખ્સને પરિચય થયા પછી બંને વચ્ચે પ્રેમ પાંગર્યાે હતો અને મિલને લગ્ન કરી લેવાનું કહી તે યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો. તે પછી લગ્ન કર્યા વગર જ મિલન આફ્રિકા ચાલ્યો ગયો હતો.
આ બાબતથી લાગી આવતા યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું અને લગ્ન કરાવી આપવાની વાત થઈ હતી. તે પછી આફ્રિકાથી આવેલા મિલને ફરીથી લગ્નની ના પાડતા અને તેના બહેન રેખા રમેશભાઈ ચાવડા અને તેની સાસુ કંકુબેન ચાવડાએ ગયા જુલાઈ મહિનામાં યુવતીના ઘેર જઈ તારે મરવંુ હોય તો મરી જા, મિલન લગ્ન નહી કરે તેમ કહેતા આ યુવતીએ ફરીથી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો અને તેણીનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે રેખાબેન ચાવડા અને સાસુ કંકબેન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો. જેલહવાલે થયેલા બંને મહિલાએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. અદાલતે બંને મહિલાને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. મહિલા આરોપીઓ તરફથી વકીલ કિરણભાઈ બગડા, જે.ડી. ગણાત્રા, પાર્થ બગડા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial