Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્ની સાથે ઝઘડો થતાં યુવાનનો ગળાટૂંપોઃ
જામનગર તા. ૧૦: જામનગરના યુવાને પત્ની સાથે થયેલા ઝઘડાથી માઠું લગાડી ગઈકાલે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. જ્યારે દ્વારકાના એક યુવાને માનસિક બીમારીના કારણે પરિવારજનો હોસ્પિટલમાં દાખલ કરવા વાત કરતા હોવાથી અને પોતાને હોસ્પિટલમાં દાખલ થવું ન હોવાથી ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ હાથ ધરી છે.
જામનગરના ગોકુલ નગરથી આગળ આવેલા મયુરનગર નજીક વસવાટ કરતા નાથાભાઈ નારણભાઈ માતંગ (ઉ.વ.૩૪) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના ઘરમાં એક ઓરડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની જાણ થતાં તેમના પત્ની મંજુબેન નાથાભાઈ માતંગે પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી પોલીસ ટીમે નાથાભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મંજુબેનનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગઈકાલે નાથાભાઈ તથા મંજુબેન વચ્ચે બોલાચાલી થયા પછી ઝઘડો થઈ ગયો હતો. તેનું માઠું લાગી આવતા નાથાભાઈએ આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
દ્વારકા શહેરના ધીંગેશ્વર પાળામાં વસવાટ કરતા ભરતભાઈ નથુભાઈ ચોપડા (ઉ.વ.૩૭) નામના સતવારા યુવાન માનસિક બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા માટે તેમના પરિવારે વાતચીત કરતા હોસ્પિટલમાં દાખલ થવા ન ઈચ્છતા ભરતભાઈએ ગઈકાલે સવારે પોતાના મકાનના એક ઓરડામાં રહેલા પંખામાં દોરડું બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં પરિવારજનોએ નીચે ઉતારી ભરતભાઈને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. મૃતકના મોટાભાઈ પરસોત્તમ ચોપડાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial