Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજદારોએ ઓનલાઈન ફોર્મ ભરવું પડશેઃ
જામનગર તા. ૧૯: અનુસૂચિત જાતિના નાગરિકો ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ રૂ. ૧.૭૦ લાખની સહાય મેળવી શકશે. આ યોજનાનો લાભ મેળવવા માગતા અરજદારોએ ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.
અનુસૂચિતજાતિના લોકોને સરકાર દ્વારા ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે ત્યારે વર્ષ ર૦રપ-ર૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ કરવામાં આવે છે.
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા હેઠળ જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પૂરા પાડવાનો સરકારનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્ન કાચું, ઘાસ-માટીનું, ઘાસપુળાનું, કુબા પ્રકારનું મકાન કે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર નવું મકાન બાંધવા માટે રૂ. ૧.૭૦ લાખની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર છે.
જે અન્વયે નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેવા અરજદારો રંંૅજઃ//ીજટ્ઠદ્બટ્ઠદ્ઘાટ્ઠઙ્મઅટ્ઠહ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ઉપર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. આ પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial