Advertisement
Author: નોબત સમાચાર

અલિયાબાડા- વિજરખી રોડનું રિસરેફસિંગ

જામનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: ચોમાસુ પૂર્ણ થયા બાદ માર્ગ અને મકાન વિભાગ, જામનગર દ્વારા અલિયાબાડા-વિજરખી રોડના રિસરફેસિંગનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. આ માર્ગ જામનગરથી ધ્રોલ અને જામનગરથી કાલાવડ એમ બંને માર્ગને જોડતો મહત્ત્વનો રોડ છે.જેનો ઉપયોગ દરરોજ હજારો નાના-મોટા વાહનો કરે છે. ચોમાસા દરમિયાન રોડ પર પડેલા ખાડા અને માર્ગ ધોવાણને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. લોકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને કાર્યપાલક ઈજનેર શ્રી વિજય ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે આ રોડને ફરીથી સુગમ બનાવવા માટે ઝડપી કામગીરી શરૂ કરી છે. આ કામગીરી પૂર્ણ થતાં આ માર્ગ પરથી પસાર થતા લોકોને સરળ અને સલામત મુસાફરી મળશે સાથે જ આ કામગીરી ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારુ બનાવશે અને પ્રવાસનો સમય ઘટાડવામાં મદદ મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh