Advertisement
Author: નોબત સમાચાર

બજરંગપુર ગામમાં મંદિરમાં ઘૂસ્યા તસ્કરઃ દાનપેટીમાંથી રૂ.૬ હજાર ચોરાયા

ખેતી વિષયક દવાની પણ ઉઠાંતરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં આવેલા એક મંદિર તથા કેટલીક દુકાનોમાં ગુરૂવારની રાત્રે હાથફેરો કરવામાં આવ્યો છે. તસ્કરો ત્યાં દાનપેટીમાંથી રૂ.૬ હજાર રોકડા તેમજ દુકાનોમાંથી ચીજવસ્તુ ચોરી ગયા છે. જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં આવેલા એક મંદિરમાં ગુરૂવારની રાત્રે પોણા બેએક વાગ્યે કેટલાક તસ્કરો ઘૂસી ગયા હતા. આ તસ્કરોએ મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીનું તાળુ તોડી અંદરથી રૂ.છએક હજાર રોકડાની ચોરી કરી છે.

તે ઉપરાંત તસ્કરોએ મંદિર પાસે આવેલી કેટલીક દુકાનોના શટર પણ તોડી નાખી તેમાંથી ચોરી કરી લીધી છે. ખેતી વિષયક દવા પણ ઉઠાવી ગયા છે. નિલેશભાઈ કિશોરભાઈ દસાડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh