Advertisement
Author: નોબત સમાચાર

ડાંગર, મકાઈ, જુવાર અને રાગીની ટેકાના ભાવે થશે ખરીદીઃ ખેડૂતો કરાવે નોંધણી

રાજ્ય સરકારે નકકી કરેલા પોષણક્ષમ ભાવે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૪: ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સરકાર દ્વારા સીધી ખરીદી કરવામાં આવશે. આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે.

ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિ., મારફતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા ખરીફ  માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે  રૂ.૨૩૬૯ પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ.૨૩૮૯/ક્વિ.,મકાઈ માટે રૂ.૨,૪૦૦/ક્વિ.,બાજરી માટે રૂ.૨,૭૭૫ પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ.૩૦૦/ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ.૩,૬૯૯/ક્વિ(બોનસ રૂ.૩૦૦/ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/ક્વિ (બોનસ રૂ.૩૦૦/ક્વિ) તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/ક્વિ.(બોનસ રૂ. ૩૦૦/ક્વિ) નિયત કરવામાં આવેલ છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ૩૧ ઓક્ટોબર સુધી કરવામાં આવશે. ડાંગરની ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. આ માટે નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન વડે નોંધણી કરવામાં આવશે. નોંધણી માટે જરૂરી પુરાવા (જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨ ,૮/અ તેમજ વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત સાથે લાવવાની રહેશે. ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત છે, આથી સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી આ નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ. મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે  જાણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરી શકાશે, તેમ નિગમની યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh