Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના ૨૦૬ જળાશયોમાં ૫૯.૩૭ ટકા જળસંગ્રહ
રાજપીપળા તા.૧૮: સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા ૫૫ ટકા સુધી ભરાયો છે અને આવક ચાલુ છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસાની શરૂૂઆતથી જ સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે પાણીની પણ સારી એવી આવક થઈ રહી છે. સારા વરસાદના કારણે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે.
ઉપરવાસમાં ૬૮,૭૮૬ ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની આવક થતા આરબીપીએચના ૩ અને સીએચપીએચનું ૧ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સારા વરસાદના કારણે નર્મદા નદીના સરદાર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની સારી એવી આવક થઈ છે. હાલ, ઉપરવાસમાં પાણીની ૬૮૭૮૬ ક્યુકેસ નોંધાઈ છે.
નર્મદા ડેમની સપાટી પણ ૧૨૧.૪૦ મીટરે પહોંચી છે. નર્મદા ડેમ અત્યાર સુધીમાં ૫૫ ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.
તે ઉપરાંત રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૩૧,૩૪૭ મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા સામે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૯.૩૭% પાણી ભરાયેલું છે. કુલ ૨૦૬ ડેમો પૈકી, ૨૬ ડેમો ૧૦૦% ભરાયેલા છે, જ્યારે ૫૮ ડેમો ૭૦% થી ૧૦૦% વચ્ચે ભરાયેલા છે. ૪૦ ડેમો ૫૦% થી ૭૦% વચ્ચે ભરાયા છે, અને ૪૨ ડેમો ૨૫% થી ૫૦% વચ્ચે ભરાયેલા છે.
હાલમાં ૪૦ ડેમો ૨૫% થી નીચે ભરાયેલા છે. રાજ્યના ૪૦ ડેમો હાઇ એલર્ટ પર છે, ૨૪ ડેમો એલર્ટ મોડ પર છે, અને ૨૦ ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial