Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાપુના ઉપદેશો સત્ય, પ્રેમ અને કરૂણાના ત્રણ સ્તંભો આધારિત છે
સનાતન ધર્મના મુખ્ય ત્રણ આધાર સ્થંભ છે. (૧) શિવ (૨) કૃષ્ણ અને (૩) રામ.
ભગવાન રામ મર્યાદા પુરૂષોત્તમનું બિરૂદ ધરાવે છે. ભગવાન રામના જીવન આદર્શોને મૂર્તિમંત કરતા ત્રણ સીમાચિન્હ દેશમાં હાલમાં સૌથી વધુ સક્રિય અને માન્ય છે. જેમાં મુખ્ય મશાલચી સમાન (૧) અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર (૨) રામાયણ ગ્રંથ અને (૩) ૯૭૨ રામ કથા કરનાર રામયણી પૂજ્ય મોરારિબાપુનો સમાવેશ થાય છે. મે ત્રણેયનો આસ્વાદ કહો કે પ્રસાદ, માણ્યો છે. ૨૧ મી સદીમાં જો રામ આજે પણ પ્રસ્તુત હોય તો તેના સંદેશવાહક આ બન્ને છે. રામ ભાવ જન જનની નસે નસમાં ભક્તિ સ્વરૂપે વહી રહૃાા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પૂજ્ય મોરારિબાપુ તેના જીવનની ૯૭૨ મી રામ કથાનું હાલમાં વાંચન કરી રહૃાા છે. આ એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કહી શકાય. એક જ ચરિત્ર ઉપર એક હજાર કથાઓ કરવી તે પણ અદ્ભુત અને મહાન કાર્ય છે. પૂજ્ય બાપુ આને રામના આશીર્વાદ પણ કહે છે. મોરારિબાપુએ એક કથામાં કહૃાું હતું કે, હું જ્યારે શિક્ષક હતો ત્યારે ૨૫-૩૦ વિદ્યાર્થીઓ વર્ગમાં શિસ્તબદ્ધ બેસાડી શકતો ન હતો, આજે હજારો લોકો ૯ દિવસ સુધી મને માનપ ૂર્વક ભક્તિભાવથી સાંભળે તે રામનો ચમત્કાર અને આશીર્વાદ જ કહી શકાય!
મોરારિબાપુનું એક પાસું મને બહુ પસંદ છે. દરેક કથામાં તે વારંવાર અવશ્ય કહે છે કે, 'હું નથી કહેતો કે, તમે માત્ર રામ અને રામયણની જ ભક્તિ કરો, તમારા જે ઇષ્ટદેવ હોય, આરાધ્ય હોય તેની ભક્તિ કરો. ભક્તિમાં અગાધ શક્તિ છે.' તેમણે તેમની કથા દરમિયાન દરેક ધર્મ, પંથ, પ્રથાનો ઉલ્લેખ કરી તેને સન્માન આપ્યું છે. તે ઓશોનો અનેકવાર ઉલ્લેખ કરી ઉદાહરણો આપે છે. તાજેતરમાં મુંબઈ અને દિલ્હીમાં જૈન મનોરથીઓ દ્વારા રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મોરારિબાપુની વિશાળતા દર્શાવે છે.
મોરારિબાપુ
ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામના મોરારિદાસ પ્રભુદાસ હરિયાણી એક વૈશ્વિક સ્તરે પ્રખ્યાત આધ્યાત્મિક નેતા અને રામચરિત માનસ (રામ કથા) ના કથાકાર છે. ૬૦ વર્ષથી વધુ સમયથી, તેમણે સત્ય, પ્રેમ અને કરૂણાના સાર્વત્રિક સંદેશને ફેલાવવા માટે મહાકાવ્યનો ઉપયોગ કર્યો છે.
તેમનો જન્મ ૨ માર્ચ ૧૯૪૬ (શિવરાત્રિના દિવસે) ગુજરાતના તલગાજરડા ગામમાં થયો હતો. તેમનો ઉછેર તેમના દાદા અને ગુરૂ, ત્રિભોવનદાસ દાદા દ્વારા થયો હતો, જેમણે તેમને રામચરિત માનસ શીખવ્યું હતું. ૧૨ વર્ષની ઉંમર સુધીમાં, તેમણે આખો શાસ્ત્ર કંઠસ્થ કરી લીધો હતો. તેમણે વૈશ્વિક સ્તરે ૯૭૦ થી વધુ કથાઓ કરી છે, જેમાં વેટિકન, એમેઝોન રેઈનફોરેસ્ટ અને ચાલતી ટ્રેનો અને વિમાનોમાં પણ સત્રોનો સમાવેશ થાય છે. હાલમાં દ્વારકામાં કથાનું વિવરણ કરી રહૃાા છે.
ભાવનગર જિલ્લાના તલગાજરડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં ૬ ભાઈ અને બે બહેનના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તે મનો પરિવાર નિમ્બાર્ક સંપ્રદાય, એક હિન્દુ વૈષ્ણવ પરંપરાનું પાલન કરતો હતો. રામચરિતમાનસ અને ભગવદ ગીતા બંને બાળપણથી જ બાપુના જીવનમાં સમાવિષ્ટ હતા.
બાપુના દાદા અને ગુરૂ ત્રિભુવનદાસે તેમને ગોસ્વામી તુલસીદાસના રામચરિતમાન સના ઊંડા અર્થ શીખવ્યા અને તેમને પવિત્ર ગ્રંથના પાઠ, એટલે કે કથાના વર્ણનના માર્ગ પર દોર્યા. બાપુએ શાળાએ જતી વખતે રામચરિતમાનસ ચોપાઈ (શ્લોકો અથવા દોહા)નું પઠન કર્યું અને આ રીતે તેમની વક્તૃત્વ યાત્રા શરૂ થઈ.
માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, બાપુ જૂનાગઢની શાહપુર શિક્ષક તાલીમ કોલેજ માં જોડાયા. ૧૯૬૬માં, બાપુએ મહુવાની એક પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું.
બાપુની તલગાજરડાની બહાર પહેલી ૯ દિવસની કથા ૧૯૬૬માં ગુજરાતના ગાંથિલા ગામમાં રામફળદાસ મહારાજના આશ્રમમાં હતી. દસ વર્ષ બાદ તેમણે ૧૯૭૬માં કેન્યાના નૈરોબીમાં વિદેશમાં પહેલું પ્રવચન આપ્યું હતું. ગુજરાતમાં કથાઓ ગુજરાતીમાં અને બાકીના ભારતમાં અને વિદેશમાં હિન્દીમાં સંભળાવવામાં આવે છે. રાજસ્થાનના નાથદ્વારામાં નવ દિવસ દરમિયાન બાપુની રામ કથામાં અત્યાર સુધીનો સૌથી મોટો મેળાવડો જામ્યો હતો જેમાં ૧૨ લાખ રામ ભક્તો ઉપસ્થિત રહૃાા.
પ્રવાસ
બાપુએ ભારતમાં અમરનાથ, વૈષ્ણોદેવી, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, કુરૂક્ષેત્ર, વ્રજ ચૌરાસી, વારાણસી, પ્રયાગરાજ, હસ્તિનાપુર, નૈમિષારણ્ય, ઉજ્જૈન, ઓમકારેશ્વર, બેટ દ્વારકા, પુષ્પનાથ, પુષ્પનાથ મંદિર સહિત ભારતના મુખ્ય વિસ્તારો અને તીર્થસ્થાનોનો પ્રવાસ કર્યો છે. સોમનાથ, વૈષ્ણોદેવી, અંબાજી અને અયોધ્યાનો પણ સમાવેશ થાય છે. કેટલીક વિદેશી કથાઓમાં ટોરોન્ટો, એટલાન્ટા, પનામા, એમેઝોન રેઈનફોરેસ્ટ, લંડન, પેરિસ, સ્વિટ્ઝર્લેન્ડ, વેટિકન સિટી, એથેન્સ, દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, જોર્ડન, અબુ ધાબી, દુબઈ, રક્ષાસ્તાલ, કૈલાશ, ભૂશુન્ડી સરોવર, મોસ્કો, કંબોડિયા, મલેશિયા, હિમા, મલેશિયા, સાઉથ, બાઈક અને ન્યૂઝીલેન્ડ, સયુંકત રાષ્ટ્ર સંઘનો સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડનો બાપુની અન્ય અનોખી કથાઓમાં સમાવેશ થાય છે. એક કથા ક્રુઝ શિપમાં અને ફ્લાઈટમાં સવાર થઈને કરી હતી. ૭૭મા ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટી કેમ્પસમાં કથામાં યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે હાજરી આપી અને શ્રોતાઓને જય સિયા રામ સાથે શુભેચ્છા પાઠવી. કેદારનાથથી સો મનાથ સુધી ૧૮ દિવસમાં ટ્રેન દ્વારા ૧૨૦૦૦ કિમીની ૧૨ જ્યોતિર્લિંગ કથા યાત્રા પણ કરી છે. રામ મંદિર પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે અયોધ્યામાં પણ રામ કથા કરી હતી. તેમણે તાજેતરમાં આયોધ્યાથી લંકા સુધીની ટ્રેન અને પ્લેન દ્વારા યાત્રા કરી રામના પ્રવાસ સ્થળો ઉપર કથા કરી હતી.
બાપુ રામ કથાના પાઠ માટે કોઈ શુલ્ક લેતા નથી. તેમના ઉપદેશો નાણાકીય કે અન્ય પ્રતિબંધો વિના, ઉંમર, લિંગ, જાતિ, સંપ્રદાય અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના, દરેક માટે ખુલ્લા છે. મોરારિબાપુની કથામાં ભોજન પણ ખુલ્લા મને પીરસવામાં આવે છે. રોજ હજારો લોકો ભોજન ગ્રહણ કરે છે.
ચર્ચા
મોરારિબાપુ તેની કથા બાબતે અનેકવાર ચર્ચામાં પણ રહે છે. એક બાબત એવી પણ છે કે, મોરારિબાપુ રામ કથા ઓછી કરે છે અને ઈતર વાતો વધુ કરે છે. બાપ ુએ તેનો પણ જવાબ બહુ સરસ રીતે આપ્યો હતો. બાપુએ કહૃાું કે, રામ કથા તો અનંત છે, હવે રામના જીવન અને કાર્યોનો મર્મ સમજવાની જરૂર છે, જે હું વિવિધ ઉદાહરણો દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કરૃં છું. 'રામ' એક ફિલિસોફી છે જે સતયુગ અને કળયુગ, બંનેમાં યથાર્થ છે.
બાપુની કથા શૈલી એકદમ જીવંત અને રસાળ હોય છે. પત્રો અને ચિઠ્ઠીઓના પણ અર્થસભર પ્રત્યુત્તર આપે છે. ક્યારેક પત્ર લેખકો આલોચના કરે ત્યારે બાપુ મર્મગ્ન્ જવાબ આપે છે.
મુખ્ય તત્ત્વજ્ઞાનમાં તેમના ઉપદેશો સત્ય (સત્ય), પ્રેમ (પ્રેમ) અને કરૂણા (કરૂણા) ના ત્રણ સ્તંભો પર બનેલા છે. તેઓ રામાયણને ધાર્મિક વિધિઓના સમૂહને બદલે નૈતિક માર્ગદર્શક તરીકે જુએ છે.
સંગીતની દુનિયા
સંગીતની દુનિયાએ મોરારિબાપુ અને તેમના આશ્રમ, ચિત્રકુટધામ તલગાજરડા સાથે સંકળાયેલ સત્તાવાર મીડિયા પાંખ છે, જે ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવામાં સ્થિત છે. કથા દરમિયાન વ્યાસપીઠ ઉપર દેખાતા શાંત, સરળ અને ભક્તિમય શ્રી નિલેશભાઈ વગાડીયા તેના ધરોહર છે. તે બાપુની કથાના પ્રચાર-પ્રસાર માટે આદરપૂર્વક સક્રિય રહે છે. બાપુની કથાના બધા હક્કો સં ગીતની દુનિયા પાસે રહે છે. આ સંસ્થા શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટના માર્ગદર્શિકા હેઠળ કાર્ય કરે છે અને તેનું સંચાલન નીલેશ સંગીત ભવન દ્વારા કરવામાં આવે છે. બાપુ સાથે સંગીતમાં સાથ આપતા કલાકારો પણ દાયકાઓથી બાપુ સાથે સંકળાયેલા છે અને બાપુના ઇશારા માત્રથી દુહા, છંદ, ચોપાઈ, ગીતો ઉપાડી લે છે.
જામનગર
મોરારિબાપુએ જામનગર જિલ્લા સાથે અતૂટ નાતો જોડી રાખ્યો છે. દર વર્ષે ગીતા જયંતીના દિવસે તે અચૂક જોડિયા આવે છે. જોડિયામાં ૩૨ વર્ષથી રામ ક્રિષ્ન સાધના ટ્રસ્ટ દ્વારા રામચરિત માનસના અખંડ પાઠ ચાલી રહૃાા છે. આ ગીતા વિદ્યાલયના વિરાગ મુનીએ વર્ષો પહેલા બાપુને આમત્રંણ આપ્યું હતું અને દર ગીતા જયંતીએ ઉપસ્થિત રહેવા વિનંતી કરી હતી, જે બાપુએ સ્વીકારી હતી, અને વચન પાલન તરીકે વર્ષોથી બાપુ અચૂક અહી હાજરી આપે છે. ગીતા વિદ્યાલયની બીજી પણ વિશેષતા બાપુ સાથે જોડાયેલી છે. બાપુની કથા મંડળીના મોટાભાગના ગાયક અને સંગીતકારો જોડિયાના આ ગીતા વિદ્યાલયમાં શિક્ષણ મેળવી બાપુ સાથે જોડાયેલા છે!
રામચરિતમાનસ
રામચરિત માનસ અનેક લેખકો દ્વારા આકાર પામ્યું છે. તેમાં વાલ્મીકિ લિખિત રામાયણ પ્રચલિત છે. તુલસીદાસે પણ રચના કરી છે. રામચરિત માનસના પ્રારંભમાં જ તુલસીદાસે રામકથાના ઉદગમની વાત કરી છે. એમણે કહૃાું છે કે, મૂળમાં આ કથા શંકર ભગવાને પાર્વતીને કહી છે. પછી યાજ્ઞવલ્કયએ ભારદ્વાજને સંભળાવી છે. તે પછી કાકભુશુંડીએ ગરૂડને એની એ જ કથા કહી સંભળાવી હતી. તુલ સીદાસે લખ્યું છે કે, રામના અનેક પ્રકારના અવતારો થયા છે અને હજી સુધી સહસ્ત્ર પ્રકારની રામાયણો લખાઈ છે. છતાંય તુલસીદાસે રામચરિત માનસના કથાનકને જટિલતાથી મુક્ત રાખ્યું છે. રામની આ વિસ્તૃત કથા ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ચાલ્યા કરે છે. તેની સાથે સાથે અનેક કથા-તંતુઓ ગરૂડ અને કાકભુશુંડીનો સંવાદ, 'શિવ-ચરિત્ર', 'શિવ-પાર્વતી સંવાદ' યાજ્ઞવલ્ક્ય-ભારદ્વાજ વગેરે સંવાદ વણી લેવામાં આવ્યા છે.
નામ રૂપ જૂજવા
રામના જીવન બાબતે અનેક કથાઓ વિવિધ સ્વરૂપોએ પ્રચલિત છે. 'નામ રૂપ જૂજવા' ભલે હોય, અંતે તો હેમનું હેમ જ છે. રામને જેટલી વાર વાંચીએ તેટલી વાર અલગ અલગ અનુભવ અને દર્શન થાય છે. રામાનંદ સાગરની રામાયણ આપણાં માનસ પટલ ઉપર છવાયેલી છે. તાજેતરમાં જામનગરમાં વક્તવ્ય આપવા આવેલા અમીબેન ગણાત્રાએ બહુ સરસ કહૃાું હતું કે, રામાયણ શ્રેણીમાં રામાનંદ સાગરે રામને જેટલા 'એક્સપ્રેશન લેસ' બતાવ્યા હતા તેટલા પ્રમાણમાં રામ ભાવ વિહીન હતા નહીં! આપણાં માનસમાં રામ તરીકે અઋણ ગોવિલ જ છપાઈ ગયા છે. રામનું ચરિત્ર કેલિડોસ્કોપ જેવુ છે, જ્યારે જુવો ત્યારે અલગ અલગ નજરે ચડે.
'નોબત'ના વાચકો અને ચાહકોને.. જય શ્રી રામ.
પરેશ છાંયા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial