Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ માસ દરમ્યાન દરેક સોમવાર, અમાસના દિવસે
જામનગર તા. ૨૩: શ્રી ગાયત્રી શક્તિપીઠના મહાકાળેશ્વર મંદિરમાં શ્રાવણમાસ દરમ્યાન દરેક સોમવારે અને અમાસના દિવસે ભગવાન મહાદેવના જુદા-જુદા રૂપોના દર્શનની ઝાંખીનું આયોજન થશે. જેમાં જંગલેશ્વર મહાદેવ, બર્ફાની બાબા, બાર જ્યોતિર્લિંગ, પાર્થિવ શિવલિંગ અને અઘોરી બાબાના વિવિધ રૂપોની જુદી-જુદી ઝાંખી ગોઠવવામાં આવશે. જેનો શિવભકતોને લાભ લેવા અને શિવદર્શન કરવા માટે નિમંત્રણ પાઠવવામાં આવે છે.
વિશેષમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ગાયત્રી શકિતપીઠમાં તા.૦૯-૦૮-૨૦૨૫ને શનિવારે શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધનના દિવસે સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમ્યાન ગાયત્રી શકિતપીઠ ધ્યાન ખંડમાં જનોઈ બદલાવવા (યજ્ઞોપવિત પરિવર્તન)નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આથી યજ્ઞોપવિત ધારક ગાયત્રી પરિવારના પરિજનો તથા સંસ્થાના તમામ સભ્યઓને પોતપોતાની જનોઈ વિધિવત રીતે બદલાવવા માટે આ કાર્યક્રમનો લાભ લેવા ગાયત્રી શકિતપીઠ કાર્યલયમાં નામ વહેલાસર નોંધાવી જવા શ્રી ગાયત્રી શકિતપીઠએ યાદીમાં જણાવ્યું છે.
તા.૧૬-૦૮-૨૦૨૫ ને શનિવારે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમીના દિવસે રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન શ્રી ગાયત્રી શકિતપીઠ જામનગરના ધ્યાન ખંડમાં ભજન, કીર્તન, સત્સંગ, રાસ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. યજ્ઞ શાળામાં થતા દૈનિક યજ્ઞમાં શ્રાવણ માસમાં દરરોજ યજ્ઞ બાદ લઘુ રૂદ્રીનો પાઠ કરવામાં આવશે. તમામ સોમવારે રાત્રે ૯ થી ૧૧ દરમ્યાન શિવ ભજન-સત્સંગના કાર્યક્રમનું આયોજન કરેલ છે. સર્વે ગાયત્રી પરિવારના પરિજનો તથા ભાવિક ભક્તોને લાભ લેવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial