Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગતમંદિરમાં હાટડી દર્શનનો હજારો ભાવિકોએ લીધો લાભઃ દિવ્ય શ્રૃંગાર

દીપાવલી-નૂતન વર્ષ-ભાઈબીજ તહેવારોમાં

                                                                                                                                                                                                      

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાનો દિવસ તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દીપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત્ રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીતરસમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દીપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલ હાટડી દર્શન તથા બીજા દિવસે યોજાયેલ અન્નકૂટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દીપાવલી પર્વ નિમિત્તે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ-ચાંદી તથા અન્ય ઉચ્ચ ધાતુઓના અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો. દીપાવલી પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન-રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હોય, રાત્રિના સમયે જગમંદિરની ત્રિજ્યામાં દર દસ કિ.મી. સુધી દૂરથી ઝળહળતા જગતમંદિરનો નજારો જોવા મળ્યો હતો. જગતમંદિરમાં આવેલા નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શ્રૃંગારને લીધે ભગવાનના દિવ્ય શ્રૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને જોવા મળી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh