Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે ઝુંપડપટ્ટીના દબાણો હટાવાયા

મહાનગરપાલિકા દ્વારા માલસામાન પણ જપ્ત કરાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરના જુના રેલવેસ્ટેશન પાસેની જગ્યામાં ઝુંપડામાં રહેતા લોકોને આજે ફરી એક વખત ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા હતાં અને જગ્યા ખાલી કરાવાઈ હતી. મહાનગરપાલિકા દ્વારા અહિંની કેટલીક ઝુંપડપટ્ટીનો સામાન પણ કબજે કર્યો હતો.

જામનગરના જુના રેલવે સ્ટેશન પાસેની પેટ્રોલ પંપ સામેની સરકારી જગ્યામાં ફરી એક વખત ઝુંપડપટ્ટી ખડકાઈ ગઈ હતી. અગાઉ પણ અનેક વખત આ જગ્યા દબાણ મુક્ત કરાવાઈ હતી, જ્યારે ફરી વખત ત્યાં ઝુંપડપટ્ટીનું નિર્માણ થતા આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવી કામગીરી હાથ ધરાઈ હતી, અને તમામ ઝુંપડાને ત્યાંથી દૂર કરાયા હતાં અને કેટલાક ઝુંપડાનો માલસામાન પણ જપ્તિમાં લેવામાં આવ્યે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh