Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે
જામનગર તા. ૧૩: સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને આઝાદી સમયે ૫૬૨ દેશી રજવાડાઓનું એકીકરણ કરીને સમગ્ર ભારતની અખંડિતતા અને એકતા માં જેમનું મહત્વનું યોગદાન રહૃાું છે તેવા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં અને વિકસિત ભારત ૨૦૪૭ ની પરીકલ્પનાને સાકર કરવાના સંકલ્પ સાથે જામનગર જિલ્લા સ્તરે પ્રત્યેક વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચ-પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે ૭૯ વિધાનસભા મત વિસ્તારમાં તા.૧૪/૧૧/૨૦૨૫ ને શુક્રવાર ના આ એકતા યાત્રા રણજીતનગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી સાંજે ૪ વાગ્યે થી શરુ થઈને પંચેશ્વર ટાવર ચોક માં વિરામ પામશે. જયારે જામનગર શહેરના ૭૮ વિધાનસભા મત વિસ્તારમાં તા.૧૬/૧૧/૨૦૨૫ ને રવિવારના ગાંધીનગર મેઈન રોડ પર આવેલ કોર્ટ કેમ્પસથી સવારે ૮-૩૦ વાગ્યે થી શરુ થઇ ને બંધારણના ઘડવૈયા ડો.શ્રી બાબા સાહેબ આંબેડકરજી ની લાલ બંગલા સર્કલ પાસે આવેલ પ્રતિમા પાસે વિરામ પામશે.
૭૯ - જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તાર માં ૧૪/૧૧/૨૦૨૫ સાંજે ૦૪-૦૦ થી રાત્રે ૦૯-૦૦ સુધી યાત્રા સરદાર પટેલની પ્રતિમા પાસે (રણજીતનગર) ત્યાંથી નવાનગર સિક્કાના સર્કલ રોડ (૫૮ દી. પ્લોટ), પ્લોટ પોલીસ ચોકી, પવન ચક્કી, એમ જે પાર્ક સોસાયટી રોડ, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, દરબારગઢ, શાકમાર્કેટ, સજુબા સ્કૂલ, બેડી ગેટ થઈ ને પંચેશ્વર ટાવર પૂર્ણ થશે.
જ્યારે ૭૮ - જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તાર માં તા. ૧૬/૧૧/૨૦૨૫ સવારે ૦૮-૩૦ થી બપોરે ૦૧-૩૦ સુધીની યાત્રાના રૂટમાં ન્યુ કોર્ટથી પટેલ કોલોની ડો.શાહના બંગલા પાસે, વિકાસ ગ્રહ રોડ, કડવા પટેલ સમાજ, ડી.કે.વી.સર્કલ, ગુરુદત્તાત્રેય રોડ, નવલભાઈ મીઠાઈવાળાની ગલી, જીતુભાઈ લાલના ઘર પાસે પૂનમબેન માડમના ઘર પાસે, વાલ્કેશ્વરીનગરી, ગુરુદ્વાર રોડ થઈ લાલ બંગલા સર્કલ પાસે ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે સમાપન થશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉક્ત વિગતે બન્ને વિધાનસભા વિસ્તારમાં આયોજિત એકતા યાત્રામાં જામનગર શહેરની ખાનગી તેમજ સરકારી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ, જામનગર શહેરમાં આવેલ અલગ અલગ સ્વૈછિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ જ્ઞાતિના સામાજિક આગેવાનો અને સભ્યો, વિવિધ એસોસિએશન /મંડળોના સભ્યો, એનસીસી, હોમગાર્ડસ, પોલીસ, જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના તથા જામનગર મહાનગરપાલિકા હસ્તકના અલગ અલગ વિભાગો સહિત જામનગર શહેરના નગરજનોને બહોળી સંખ્યામાં જોડાવવા માટે મેયર વિનોદભાઈ ખીમસુર્યા અને કમિશનર ડી.એન. મોદી દ્વારા સર્વેને આથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial