Advertisement
Author: નોબત સમાચાર

રામેશ્વરનગરના જય અંબે ગરબી મંડળની બાળાઓને આજે સાંજે લ્હાણી વિતરણ કરાશે

શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ તથા લાયન્સ (ક્વીન્સ) દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ (ક્વીન્સ) ના સંયુક્ત ઉપક્રમે આજે વિજ્યાદશમી અને મહાત્મા ગાંધી જયંતીના પાવન અવસરે તા. ર-૧૦-ર૦રપ ના સાંજે પાંચ વાગ્યે રામેશ્વરનગરમાં સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના સાનિધ્યમાં શ્રી જય અંબે ગરબી મંડળની સાંઈઠ દીકરીઓને લ્હાણી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે બાળાઓને નાસ્તો પણ આપવામાં આવશે.

આજે જોગાનુજોગ લાયન્સના પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર અને શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના સેક્રેટરી ગીતાબેન સાવલાનો જન્મદિન હોય, તેની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું લાયન્સ ક્લબ (ક્વીન્સ) ના સેક્રેટરી રોહિતભાઈ જોષી તથા શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટના સેક્રેટરી ગીતાબેન સાવલાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh