Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શપથ

કલેકટરશ્રી કેતન ઠકકરની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

ભારત સરકાર દ્વારા ૨ ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છોત્સવ-૨૦૨૫ જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ પખવાડિયાની ઉજવણી કરાશે. ત્યારે જામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફે સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લીધા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો.વિજય સાતા, એડિશનલ ડીન ડો.એસ.એસ.ચેટર્જી, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.દિલીપ ગોહિલ, આરએમઓ ડો. સક્સેના, વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ સહિતનાઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh