Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બદલાની ભાવના?: યુવતીઓમાં ભભૂક્યો રોષ
જામનગર તા. ૩૦: જામનગરમાં તળાવની પાળે તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે જિલ્લા પુસ્તકાલય (લાયબ્રેરી) નું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યાં અસુવિધાના પ્રશ્નને યુવતીઓએ ઉજાગર કરતા ઉશ્કેરાયેલા લાયબ્રેરીના સંચાલકે બાથરૂમને તાળા મારી દીધા હતાં અને યુવતીઓ માટે કેટલાક નિયમમાં રાતોરાત ફેરફાર કરી નાખ્યો હતો.
જામનગરમાં તળાવની પાળે બાલાહનુમાન મંદિર પાસે વર્ષો જુની ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરીનું થોડા સમય પહેલા લાખો રૂપિયાના ખર્ચે નવીનિકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ અહિં વાચન રૂમમાં ૧૪ માંથી ૯ લાઈટો બંધ હાલતમાં હતી. આથી પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે વાચન માટે આવતી યુવતીઓ દ્વારા લાયબ્રેરી સંચાલકો સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
આમ છતાં સુવિધામાં કોઈ સુધારો નહીં થતા આખરે મીડિયાકર્મીઓને બોલાવી તેમની સમક્ષ પ્રશ્નની રજૂઆત કરતા લાયબ્રેરી સંચાલકો રોષે ભરાયા હતાં અને ત્યાં બનાવવામાં આવેલ બાથરૂમને તાળા મારી દીધા હતાં અને બહારના ભાગમાં આવેલ બાથરૂમનો જ ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી હતી. ઉપરાંત યુવતીઓ માટે વાચનના સમયમાં પણ રાતોરાત ફેરફાર કરી નાખ્યો હતો.
આમ લાયબ્રેરીને પોતાની પેઢી સમજતા સંચાલકો સામે યુવતીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને તેમણે ગઈકાલે લડાયક અને જાગૃત કોર્પોરેટર રચનાબેન નંદાણિયાને બોલાવી તેમની સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial