Advertisement
Author: નોબત સમાચાર

૫શ્ચિમ રેલવે દ્વારા તા. ૧૩ એપ્રિલની જામનગર-વડોદરા ઈન્ટરસિટી રદ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૧: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના હેતુથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલવે સેક્શન પર પ્રિકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી કરવાનું પ્રસ્તાવિત છે. આ કામગીરી માટે તા. ૧૩ એપ્રિલ ર૦ર૬ ના ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રાફિક બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન સાથે સંબંધિત નીચે મુજબની ટ્રેનો પ્રભાવિત રહેશે.

જેમાં ટ્રેન નંબર રર૯પ૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટીઃ તા. ૧ર-૪-ર૦ર૬ ના રદ રહેશે અને ટ્રેન નંબર રર૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટીઃ તા. ૧૩-૪-ર૦ર૬ ના રદ રહેશે. માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનોમાં ટ્રેન નંબર ૧ર૪૭૮ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-જામનગર એક્સપ્રેસ તા. ૧૩-૪-ર૦ર૬ ના વડોદરા ડિવિઝનમાં ૧ કલાક ૪પ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh