Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૪ઃ ખંભાળીયા સહિત દ્વારકા જિલ્લામાં નવરાત્રિના પ્રથમ નોરતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં માઈભક્તો દ્વારા નવરાત્રિ પર્વની શરૃઆત કરવામાં આવી હતી. ખંભાળીયામાં લોહાણા દત્તાણી કુટુંબના કુળદેવી રૃડીલાખી માાતાજી, ઔદિચ્ય બ્રહ્મ સમાજના વારાહી માતાજી, સામુદ્રી માતાજી, બહુચર માતાજી, સારસ્વત બ્રાહ્મણના સરસ્વતી માતાજી, પુષ્કર્ણા બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ગાયત્રી માતાજી, ચામુંડા માતાજી, સિંધવી સિકોતેર માતાજી મંદિરે તથા ગ્રામ્ય પંથકમાં કેશોદ આવળાઈ માતાજી, આશાપુરા માતાજી જોગવડ, કામઈ માતાજી પીપળીયા, આશાપુરા માતાજી ભાતેલ, આશાપુરા માતાજી ખામનાથ મંદિર પાસે, હરસિદ્ધિ માતાજી ખંભાળીયા, હરસિદ્ધિ માતાજી હર્ષદ, ઘુમલી આશાપુરા માતાજી સહિતના મંદિરોમાં સવારથી જ ભાવિકો ઉમટ્યા હતા. ઔદિચ્ય બ્રહ્મ સમાજના વારાહી માતાજીના મંદિરે વિશેષ શ્રૃંગાર સાથે આરતીમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. ૧૨૦૦ ફૂટ ઊંચે બરડા ડુંગરના આશાપુરા માં ના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial