Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં ખસેડવામાં આવ્યા પછી થયું મૃત્યુઃ
જામનગર તા. ૨૭: જામનગરના દરેડ પાસે આવેલા ઘઉંના ગોડાઉન નજીક વસવાટ કરતા એક યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર આવેલા દરેડ ગામ નજીકના ઘઉંના ગોડાઉન પાસે વસવાટ કરતા જયેશભાઈ મનજીભાઈ બોરીચા (ઉ.વ.૪૦) નામના યુવાન ગઈરાત્રે પોતાના ઘરે હતા ત્યારે સાડા બારેક વાગ્યે તેઓની તબીયત બગડી હતી. આ યુવાનને પરિવારજનોએ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા પછી સારવાર આપવામાં આવી હતી. તે દરમિયાન જયેશભાઈનું મૃત્યુ નિપજતા આ યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. મૃતકના નાનાભાઈ ડોલરભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial