Advertisement
Author: નોબત સમાચાર

જોડિયા પંથકમાં માવઠાથી ખેડૂતોને નુક્સાનઃ સહાય ચૂકવવા કોંગ્રેસની માગણી

મામલતદારને પત્ર પાઠવી રજૂઆતઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૩૦: જોડિયા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુક્સાન થયું છે. આથી તાત્કાલિક સર્વે હાથ ધરીને સહાય ચૂકવવા માગણી કરવામાં આવી છે.

જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ ગાંડુભાઈ ચનિયારાએ જોડિયાના મામલતદારને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, જોડિયા તાલુકાના તમામ ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુક્સાન થયું છે, જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, અજમો, કઠોળ વિગેરેનો સમાવેશ થાય છે. ખેડૂત દીઠ આશરે દોઢ લાખનું નુક્સાન થયું છે. આથી સરકારે તાકીદે નુક્સાની અંગે સર્વે કરાવવો જોઈએ અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh