Advertisement
Author: નોબત સમાચાર

પુત્રના મિત્રને ઘરે આવવાની ના પાડી દેનાર મહિલા તથા તેની પુત્રી પર બે શખ્સનો હુમલો

ઘર પર છૂટા પથ્થરના ઘા કર્યાની પણ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

 

જામનગર તા. ૧૦: કાલાવડના ખરેડી ગામમાં એક મહિલાએ પોતાના પુત્રના મિત્રને ઘરે આવવાની ના પાડી દેતા ઉશ્કેરાયેલા આ શખ્સના ભાઈ સહિતના બેએ તે મહિલાના ઘર પર પથ્થરના ઘા કરી પાઈપથી હુમલો કરી મહિલા તથા તેની પુત્રીને માર માર્યાે હતો.

કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં વસવાટ કરતા અનિલાબેન મોહનભાઈ બથવાર નામના મહિલાના પુત્ર હિરેનને ત્યાં જ રહેતા નિકુંજ શિવાભાઈ ચંદ્રપાલ નામના શખ્સ સાથે મિત્રતા હતી જેના કારણે નિકુંજ અવારનવાર હિરેનના ઘરે આવતો જતો રહેતો હતો.

તે દરમિયાન આ શખ્સે અનિલાબેનના પુત્રી મેનાબેનને સંબંધ રાખવા માટે વાત કર્યા પછી તેને ડરાવી હતી. આ વાત મેનાબેને પોતાના માતા તથા ભાઈને કહેતા અનિલાબેને નિકુંજને તેના ઘરે ન આવવા માટે કહી દીધું હતું. આ બાબતનો ખાર રાખી ગઈ તા.૩ના દિને નિકુંજના ભાઈ જતીન શીવાભાઈ ચંદ્રપાલ તથા સાહિલ પ્રવીણભાઈ ચંદ્રપાલ નામના બે શખ્સે અનિલાબેનના ઘર પર છૂટા પથ્થરો ફેંક્યા હતા અને અનિલાબેન તથા મેનાબેન પર પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અનિલાબેને ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh