Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ રૃા.૨,૯૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા ચાર શખ્સને એલસીબીએ પકડી પાડ્યા હતા. પટમાંથી રોકડ, ત્રણ બાઈક, ત્રણ મોબાઈલ મળી કુલ રૃા.૨,૯૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા સનીદેવ મંદિર પાસે ચોકમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના અરજણભાઈ, મયુદીન, ઘનશ્યામ ડેરવાડીયાને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી શાંતિનગરની શેરી નં.૪માં રહેતા સુરૃભા શિવુભા ઝાલા, રાંદલનગરમાં રહેતા અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા, આનંદ કોલોનીમાં રહેતા બિમલભાઈ મનજીભાઈ ચનીયારા અને કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં જીવરાજભાઈ મોહનભાઈ ગલાણી નામના ચાર વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૃા.૭૨૪૦૦ રોકડા, ત્રણ મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ રૃા.૨,૯૭,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial